Tag: shifted

  • Shahrukh khan Mannat: મન્નત છોડી આ ફિલ્મ મેકર ના એપાર્ટમેન્ટ માં પરિવાર સાથે રહેવા જશે શાહરુખ ખાન, દર મહિને ચુકવશે અધધ આટલું ભાડું

    Shahrukh khan Mannat: મન્નત છોડી આ ફિલ્મ મેકર ના એપાર્ટમેન્ટ માં પરિવાર સાથે રહેવા જશે શાહરુખ ખાન, દર મહિને ચુકવશે અધધ આટલું ભાડું

    News Continuous Bureau | Mumbai

    Shahrukh khan Mannat: શાહરુખ ખાન તેના પરિવાર સાથે બાંદ્રા માં સ્થિત તેના બંગલા મન્નત માં રહે છે. શાહરૂખ ખાન ઘણીવાર તેના બંગલા મન્નત ના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં બનેલા સ્ટેજ પર આવે છે અને તેના ચાહકોનું સ્વાગત કરે છે.શાહરૂખ ખાનના ચાહકો જે તેની એક ઝલક જોવા આવે છે તેમની ઇચ્છા હવે થોડા મહિનાઓ સુધી પૂર્ણ થશે નહીં. કારણ એ છે કે શાહરુખ ખાન તેના પરિવાર સાથે મન્નત છોડી ફિલ્મ મેકર વાસુ ભગનાની ના એપાર્ટમેન્ટ પૂજા કાસા માં શિફ્ટ થઇ રહ્યો છે જેના માટે કિંગ ખાન અધધ આટલું ભાડું ચુકવશે. 

    આ સમાચાર પણ વાંચો: Sky force OTT release: બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હોવા છતાં સ્કાય ફોર્સ ને નથી મળી રહ્યું કોઈ ઓટીટી પ્લેટફોર્મ! મોટું કારણ આવ્યું સામે

    શાહરુખ ખાન ભાડા ના ઘર માં રહેવા જશે. 

    શાહરુખ ખાન નું મન્નત છોડવાનું કારણ એ છે કે, મુંબઈમાં દરિયા કિનારે બનેલી ઇમારતો અંગેના નિયમો બદલાયા પછી, શાહરૂખ ખાન પોતાના બંગલાને વિસ્તૃત કરવા જઈ રહ્યો છે અને પહેલાથી બનેલી ઇમારતમાં થોડું નવીનીકરણ પણ કરવા જઈ રહ્યો છે.આ દરમિયાન શાહરુખ અને તેનો પરિવાર પાલી હિલમાં નજીકમાં આવેલી પૂજા કાસા નામની ઇમારતમાં રહેવાનો છે. પૂજા કાસા, ફિલ્મ મેકર વાશુ ભગનાનીની પત્ની પૂજાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

     

    View this post on Instagram

     

    A post shared by Filmibeat (@filmibeatofficial)


    મીડિયા રિપોર્ટ મુજબ જેકી ભગનાની અને તેની બહેન એ આ બિલ્ડિંગના ચાર માળ શાહરૂખ ખાનને 24 લાખ રૂપિયા પ્રતિ માસના ભાડા પર આપ્યા છે અને જ્યાં સુધી શાહરૂખના બંગલા મન્નતનું બાંધકામ પૂરું ન થાય ત્યાં સુધી તે પોતાના પરિવાર અને સ્ટાફ સાથે પૂજા કાસા નામની આ બિલ્ડિંગમાં રહેશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Allu arjun children: પોતાના ઘર પર થયેલ હુમલો અને તોડફોડ ને કારણે ગભરાયો અલ્લુ અર્જુન, બાળકો ને સુરક્ષાને લઈને લોધો મોટો નિર્ણય

    Allu arjun children: પોતાના ઘર પર થયેલ હુમલો અને તોડફોડ ને કારણે ગભરાયો અલ્લુ અર્જુન, બાળકો ને સુરક્ષાને લઈને લોધો મોટો નિર્ણય

    News Continuous Bureau | Mumbai

    Allu arjun children: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેવામાં ગઈકાલે કેટલાક વિરોધીઓએ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં એક મહિલાના મૃત્યુને કારણે અલ્લુ અર્જુન ના હૈદરાબાદ ના ઘર પર હુમલો અને તોડફોડ કરી હતી. જેને લઈને અભિનેતા ચિંતા માં આવી ગયો છે અને તેને તેના બાળકો ની સુરક્ષા ને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

    આ સમાચાર પણ વાંચો : Anupamaa: અનુપમા માં રાહી ની જગ્યા લેશે આ અભિનેત્રી, કુંડલી ભાગ્ય માં મળી હતી જોવા

    અલ્લુ અર્જુને તેના બાળકો ની સુરક્ષા ને લઈને લીધો મોટો નિર્ણય 

    અલ્લુ અર્જુન ના ઘર પર જયારે હુમલો અને તોડફોડ થઇ ત્યારે અલ્લુ અર્જુન તેના આખા પરિવાર સાથે ઘરમાં જ હતો. જો કે પોલીસે આ મામલે તે વિરોધીઓ ની ધરપકડ કરી હતી. હવે આ હુમલા થી અલ્લુ અર્જુન ચિંતા માં આવી ગયો છે. આવી સ્થિતિમાં, અલ્લુ અર્જુને તેના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમને તેના પિતા અલ્લુ અરવિંદના ઘરે શિફ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


    અલ્લુ અર્જુને તેના ઘરે થયેલા હુમલા અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ અભિનેતાના પિતાએ આ મુદ્દે લખ્યું છે કે ‘મને લાગે છે કે આ બાબતને યોગ્ય રીતે હેન્ડલ કરવી જરૂરી બની ગઈ છે. જો કે, હવે પગલાં લેવાનો સમય નથી. પોલીસે કેસ નોંધ્યો છે. મર્યાદા ઓળંગનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આવી ઘટના ફરી બને તો પોલીસ ધરપકડ કરવામાં જરાય ડરશે નહીં. અમે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી શકતા નથી. હું આ ધમકી નથી આપી રહ્યો કારણ કે મીડિયા અહીં હાજર છે. હું જાણું છું કે કાયદો દરેક માટે સમાન છે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Varun dhawan: બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરમાં શિફ્ટ થશે વરુણ ધવન, અક્ષય કુમાર બનશે અભિનેતા નો પાડોશી

    Varun dhawan: બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરમાં શિફ્ટ થશે વરુણ ધવન, અક્ષય કુમાર બનશે અભિનેતા નો પાડોશી

    News Continuous Bureau | Mumbai

    Varun dhawan: વરુણ ધવન અને નતાશા દલાલ તાજેતરમાં જ એક સુંદર દીકરી ના માતાપિતા બન્યા છે. વરુણ ધવન ની જવાબદારી વધતા તેને ઘર બદલવાનો નિર્ણય કર્યો છે. અત્યારસુધી વરુણ ધવન પોતાના ઘરમાં રહેતો હતો હવે તેને ભાડા ના ઘર માં જવાનો નિર્ણય કર્યો છે. આ મટે તેને બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન નું ઘર પસંદ કર્યું છે. 

    આ સમાચાર પણ વાંચો: Ibrahim ali khan: પાર્ટી માંથી બહાર આવતી વખતે ઇબ્રાહિમ અલી ખાન ની એક હરકતે ખેંચ્યું નેટિઝન્સ નું ધ્યાન, વાયરલ વિડીયો પર લોકોએ કરી આવી કમેન્ટ્સ

    વરુણ ધવન ભાડા ના ઘરમાં રહેશે. 

    મીડિયા રિપોર્ટ મુજબ વરુણ ધવને મુંબઈના જુહુ વિસ્તારમાં એક ઘર ભાડે લીધું છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વરુણ અને નતાશા તેમની પુત્રી સાથે સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. હાલમાં આ ઘર રિતિક રોશનનું છે અને તે નજીકના બીજા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે.જો કે વરુણ ધવન સી ફેસિંગ એપાર્ટમેન્ટ માટે કેટલું ભાડું ચુકવશે તે સામે આવ્યું નથી. 

     

    View this post on Instagram

     

    A post shared by HT City (@htcity)


    તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને નતાશા દલાલ હાલમાં જુહુમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે જે તેમણે વર્ષ 2017માં ખરીદ્યું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Adah sharma: સુશાંત સિંહ રાજપૂત ના ફ્લેટ માં શિફ્ટ થઇ અદા શર્મા, જણાવ્યો દિવંગત ના ઘરમાં રહેવાનો અનુભવ

    Adah sharma: સુશાંત સિંહ રાજપૂત ના ફ્લેટ માં શિફ્ટ થઇ અદા શર્મા, જણાવ્યો દિવંગત ના ઘરમાં રહેવાનો અનુભવ

    News Continuous Bureau | Mumbai

    Adah sharma: ધ કેરળ સ્ટોરી થી લાઈમલાઈટમાં આવેલી અદા શર્મા વિશે છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવ્યા હતા કે તે સુશાંત સિંહ રાજપૂત ના બાંદ્રા વાળા ઘર માં શિફ્ટ થવાની છે. હવે આખરે અભિનેત્રી દિવંગત સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં શિફ્ટ થઇ ગઈ છે જેની જાણકારી અદા એ પોતે આપી છે આ ઉપરાંત તેને ત્યાં રહેવાના અનુભવ વિશે પણ જણાવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો: Anupama spoiler alert: અનુપમા માં આવશે મોટો ટ્વીસ્ટ, તોશુ એ નહીં આ વ્યક્તિ એ નાખ્યો હતો ખાવાના માં કોક્રોચ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

     

    અદા શર્મા સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં શિફ્ટ થઇ 

    સુશાંત સિંહ રાજપૂત નો મૃતદેહ વર્ષ 2020 માં તેના બાંદ્રા વાળા એપાર્ટમેન્ટ માં મળી આવ્યો હતો. ત્યારથી આ એપાર્ટમન્ટ બંધ હતું. હવે ધ કેરળ સ્ટોરી થી લાઈમલાઈટ માં આવેલી અદા શર્મા આ ઘર માં શિફ્ટ થઇ છે. અદા એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે, ‘લીઝ એગ્રીમેન્ટ ઓક્ટોબર 2023માં સાઈન કરવામાં આવ્યો હતો. હું માત્ર ચાર મહિના પહેલા જ મારી માતા અને દાદી સાથે(મોન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટ, બાંદ્રા)માં શિફ્ટ થઇ હતી., પરંતુ હું બસ્તર અને ધ કેરળ સ્ટોરીની OTT રિલીઝ સહિતના મારા પ્રોજેક્ટના પ્રચારમાં વ્યસ્ત હતી. તાજેતરમાં મને થોડો સમય મળ્યો છે અને આખરે હું અહીં આવીને રહેવા લાગી છું.’

     

    View this post on Instagram

     

    A post shared by Bombay Times (@bombaytimes)


    પોતાની વાત ને આગળ વધારતા અદા એ કહ્યું,  ‘કેટલાક લોકોએ મને બાંદ્રામાં આ જગ્યાએ શિફ્ટ થવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ આખરે હું આ ઘરમાં આવી. હું આખી જીંદગી પાલી હિલ (બાંદ્રા)માં એક જ ઘરમાં રહી છું અને આ પહેલીવાર છે જ્યારે હું ત્યાંથી બહાર ગઈ છું. હું વાઇબ્સ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છું, અને આ સ્થાન મને સકારાત્મક વાઇબ્સ આપે છે. કેરળ અને મુંબઈમાં અમારા ઘરો વૃક્ષોથી ઘેરાયેલા છે અને અમે પક્ષીઓ અને ખિસકોલીઓને ખવડાવતા હતા. તેથી, મને દૃશ્ય સાથે ઘર અને પક્ષીઓને ખવડાવવા માટે પૂરતી જગ્યા જોઈતી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ મને ખૂબ જ સકારાત્મક વાઇબ્સનો અનુભવ થયો.મેં ક્યારેય કોઈનું સાંભળ્યું નથી. મારા આત્માએ મને જે કહ્યું તે મેં અનુસર્યું અને મને આ ઘરમાં શિફ્ટ થવા વિશે કોઈ શંકા નહોતી.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)