• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Sri Sri Ravi Shankar
Tag:

Sri Sri Ravi Shankar

New Year Resolution Make a fresh start in the new year, let knowledge be your guide - Gurudev Sri Sri Ravi Shankar…
લાઈફ સ્ટાઇલ

New Year Resolution: નવા વર્ષમાં નવી શરૂઆત કરો, જ્ઞાન ને બનાવો તમારું માર્ગદર્શક – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર…

by khushali ladva January 2, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

New Year Resolution: સામાન્ય રીતે આપણે નવા વર્ષમાં પ્રવેશતાની સાથે ઈચ્છાઓ ની સૂચિ અને યોજના બનાવીએ છીએ. આ વર્ષે, એ સુનિશ્ચિત કરો કે તમારી ઇચ્છાઓ અને યોજનાઓ જ્ઞાનથી પ્રેરિત હોઈ. જ્યારે આપણી ઈચ્છાઓ અને કાર્યોને જ્ઞાનની શક્તિ મળે છે ત્યારે જીવનમાં સુખ અને આનંદ જ મળે છે. પરંતુ જ્ઞાન વિના, આપણી ઇચ્છાઓ નબળી પડી જાય છે, આપણી યોજનાઓ ગૌણ અને અનિશ્ચિત બની જાય છે.

અહીંયા જે જ્ઞાન વિશે વાત કરું છે એનો અર્થ છે આત્મજ્ઞાન, એટલે કે સમય અને અવકાશના સંદર્ભમાં પોતાને અને આ જીવનને સમજવું. આપણે આ પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે આવ્યા અને આ સમયમાં આપણે અહીં શું યોગદાન આપવા માંગીએ છીએ તેના પર ચિંતન કરવું એ જ વાસ્તવિક જ્ઞાન છે. જ્યારે તમે આ ગ્રહને વધુ સારું અને સુખી સ્થાન બનાવવા માટે યોગદાન આપશો એવી દ્રષ્ટિ અને હેતુ સાથે ચાલો છો ત્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. જ્યારે તમારા જીવનનો ઉદ્દેશ્ય બીજા લોકોના જીવનમાં જ્ઞાન અને આધ્યાત્મિકતાનો ફેલાવો અને સમાજને સુધારવાનો હોય, તો જીવનમાં હતાશા માટે કોઈ સ્થાન નથી રહેતું. યાદ રાખો, આ સમયે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને અસંખ્ય સંઘર્ષોથી ઘેરાયેલું છે, ત્યારે તમે દુનિયા ને બીજા લોકો માટે આશાનું કિરણ છો.

New Year Resolution: જ્ઞાનને આત્મસાત કરવા માટે મૌન જરૂરી છે. મૌનને સર્જનાત્મકતાની જનની કહેવામાં આવે છે. વર્ષમાં બે કે ત્રણ વખત મૌન માટે સમય ફાળવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ‘હું મારા સ્વભાવમાં પાછો ફરું છું, અને વારંવાર સર્જન કરું છું.’ જ્યારે આપણે આપણા સ્વભાવમાં પાછા ફરીએ છીએ ત્યારે આપણને નવી ઉર્જા મળે છે અને આપણી સર્જનાત્મકતા વધે છે. તે આપણને આપણા સ્ત્રોત સાથે જોડે છે, સકારાત્મક ઉર્જાથી ભરે છે અને આપણને જે જોઈએ છે તે બનાવવાની શક્તિ આપે છે.

આ સમાચાર પણ વાંચો  :  Sri Sri Ravi Shankar Mental Health: વિશ્વની સૌથી મોટી સમસ્યા માનસિક સ્વાસ્થ્ય, કેવી રીતે સુધારવું જાણો ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર પાસેથી..

 

ગહન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ધ્યાનને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ. ઘણા લોકો ધ્યાન શીખ્યા છે, પરંતુ હજુ પણ તેને તેમની પ્રાથમિકતા નથી બનાવતા. આ એટલા માટે છે કારણ કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે આપણે આપણા કાર્યોથી મળતા સુખનો આનંદ માણવા માંગીએ છીએ. તે મૂળને પાણી આપ્યા વિના વૃક્ષના ફળનો આનંદ માણવા જેવું છે. આપણે આપણી જાતને રોજ યાદ અપાવવું જોઈએ કે આપણે મૂળને પાણી આપવું પડશે તો જ વૃક્ષ નિયમિત અને સારી ગુણવત્તા વાળા ફળ આપશે. તેથી ધ્યાનને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો અને સુનિશ્ચિત કરો કે આપણી આસપાસના દરેક વ્યક્તિ પણ ધ્યાન કરે છે.

New Year Resolution:  આ નવા વર્ષમાં, ચાલો આપણે બંધુત્વની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આપણી આસપાસના સંઘર્ષોને ઉકેલવાનો સંકલ્પ લઈએ. પ્રથમ તમે શરૂઆત કરો અને એવા મિત્રોનો સંપર્ક કરો જેઓ આપણાથી અથવા આપણા મિત્રવર્તુળથી દૂર ગયા છે. આજે લોકો, પરિવારો અને દેશો વચ્ચે સર્વત્ર સંઘર્ષ છે અને જો આપણે દરેક સંકલ્પ કરીએ કે આપણે સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરીશું અને લોકોને એક કરીશું, તો તે આપણા માટે અત્યંત તૃપ્તિ આપનાર રહેશે.

દરેક વર્ષ, સારું કે ખરાબ, આપણને અનુભવ અને જ્ઞાન પ્રદાન કરે છે. ગયા વર્ષથી શીખેલા બોધને લઈને નવા વર્ષમાં નવી ઉર્જા અને સમર્પણ સાથે આગળ વધો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World's biggest problem is mental health, learn how to improve it from Gurudev Sri Sri Ravi Shankar
સ્વાસ્થ્ય

Sri Sri Ravi Shankar Mental Health: વિશ્વની સૌથી મોટી સમસ્યા માનસિક સ્વાસ્થ્ય, કેવી રીતે સુધારવું જાણો ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર પાસેથી..

by Hiral Meria December 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Sri Sri Ravi Shankar Mental Health: આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા માનસિક સ્વાસ્થ્યની છે. એક તરફ આક્રમકતા અને હિંસા છે અને બીજી બાજુ લોકો હતાશા અને આત્મહત્યાની વૃત્તિથી પીડિત છે. WHO મુજબ, આજે 1 અબજથી વધુ લોકો વિવિધ માનસિક બીમારીઓથી પીડાય છે. આ સ્વસ્થ ( Mental Health ) સમાજની નિશાની નથી. કોઈપણ સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટે આ પડકારોનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે અને આ માત્ર ધ્યાન દ્વારા જ થઈ શકે છે. 

ધ્યાન જીવનની ઊંડી સમજણ આપે છે. આપણું જીવન એ સૌથી કિંમતી ભેટ છે. છતાં આપણે આ ભેટને પેક જ રાખીએ છીએ અને તેને ક્યારેય ખોલતા નથી. આપણે તેના પેકેજીંગની પ્રશંસા કરીએ છીએ, તેમાં ખામીઓ શોધીએ છીએ અથવા તેના વખાણ કરીએ છીએ, પરંતુ તેની અંદર છુપાયેલા ખજાના વિશે જાણી શકતા નથી. જરા વિચારો, જો કોઈ તમને ભેટ આપે અને તમે તેને ન ખોલો તો તમે તેની સુંદરતા કેવી રીતે માણી શકશો? આપણામાંના દરેક આનંદ અને કૃપાનો સ્ત્રોત છે. તેનો અનુભવ અને જીવનના સાચા સુખ અને સુંદરતાનો અનુભવ કરવા માટે તમારે પાંચ ઇન્દ્રિયોથી આગળ વધવાની જરૂર છે. જીવન ખરેખર છઠ્ઠી ઇન્દ્રિય, ભીતરની લાગણીથી શરૂ થાય છે.

આ ભીતરની લાગણી શું છે? તમારી બુદ્ધિ એક માર્ગ પસંદ કરવા માટે તાર્કિક કારણ આપી શકે છે, પરંતુ તમારો અંતરાત્મા કહે છે કે ના, મારે આ માર્ગ પસંદ કરવો જોઈએ નહીં, મારે અન્ય માર્ગ પસંદ કરવો જોઈએ અને જ્યારે તમે તે અનુસરો છો, ત્યારે તમે ખુશ થાઓ છો. એ જ રીતે, શું તમે અનુભવ્યું છે કે તમારા નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે, તમારી બુદ્ધિ ખોટી હોઈ શકે છે, પરંતુ તમારો અંતરાત્મા અથવા જેને આપણે અંતર્જ્ઞાન કહીએ છીએ તે ક્યારેય ખોટું નથી હોતું? તમારો નિર્ણય દરેક સમયે બદલાય છે. તમે કોઈને જુઓ છો અને તેના વિશે ધારણા કરો છો, પરંતુ થોડા સમય પછી તમને ખ્યાલ આવશે કે તમારી ધારણા ખોટી હતી. આપણું મન ઘણીવાર આવા અનેક પૂર્વગ્રહોથી ભરેલું હોય છે. આ પૂર્વગ્રહોથી ઉપર ઊઠવા અને તમારી છઠ્ઠી ઇન્દ્રિય સુધી પહોંચવા માટે, તમારે ધ્યાન કરવાની જરૂર છે. માત્ર ધ્યાન જ તમને બુદ્ધિના પૂર્વગ્રહોથી ઉપર ઊઠવામાં મદદ કરી શકે છે.

તમારા માટે થોડો સમય કાઢીને અને દરરોજ ધ્યાનનો અભ્યાસ કરવાથી તમારા માટે એક નવું આયામ ખુલશે. પછી તમે જોશો કે જીવનમાં કેટલી સુંદરતા અને પ્રેમ છે. તે તમને પરમ શાંતિની સ્થિતિમાં લઈ જશે જેમાં તમને કઈ જોઈતું ન હોય, તમે શરીર થી પરે હોય, તમે કંઈ કરતા ન હોય અને છતાં પણ સરળતા સાથે સંપૂર્ણ જાગૃતિ હોય. આ શ્રેષ્ઠ પ્રાર્થના છે જે તમને જીવનમાં જે આનંદ અને કૃપા મળી શકે છે તેની ઝલક આપે છે. 

આ સમાચાર પણ વાંચો : Sameer wankhede: સમીર વાનખેડે એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ પર આપ્યું આવું રિએક્શન

Sri Sri Ravi Shankar Mental Health:  ધ્યાન તમારા માટે છે!

વધતી જતી જવાબદારીઓ અને મહત્વકાંક્ષાઓથી ભરેલી દુનિયામાં, ધ્યાન પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ અને જરૂરી બની ગયું છે. ધ્યાન, જેને એક સમયે આત્મજ્ઞાનનું માધ્યમ માનવામાં આવતું હતું, તે હવે તણાવને સંચાલન કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ જ અસરકારક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તે તમારા આત્મબળ પુનર્જીવિત કરીને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. તે તમારા મનને ભૂતકાળના પશ્ચાતાપ અથવા ભવિષ્યની ચિંતાઓથી મુક્ત કરીને અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

ધ્યાન માત્ર વિલાસતા કે વૈભવ નથી, તે એક જરૂરી અભ્યાસ છે જે તમારા રોજિંદા અનુભવને બદલી શકે છે, તમારા જીવનને વધુ સુમેળભર્યું અને પરિપૂર્ણ બનાવી શકે છે. તમારા જીવનમાં સંતુલન અને શાંતિ લાવવા માટે ખરેખર જે જરૂરી છે તે છે દરરોજ થોડી મિનિટ માટે ધ્યાન અને આત્મમંથનની પ્રતિબદ્ધતા. માત્ર 10 થી 20 મિનિટ માટે બધું બાજુ પર મૂકી શાંતિથી બેસવું એનો અર્થ છે કે તમે તમારા મન અને શરીરને આરામ આપી અને સ્ફુર્તિ માટે સમય આપી રહ્યા છો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
5,000 people made 2.50 lakh seedballs in just 60 minutes took a unique initiative in the field of environment in gujarat
રાજ્યAgriculture

Seed The Earth Gujarat: ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે અનોખી પહેલ.. ૫ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨ લાખથી વધુ સીડબોલ બનાવી રચ્યો વર્લ્ડ રેકોર્ડ.

by Hiral Meria November 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Seed The Earth Gujarat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઉમેર્યું કે, ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. રાજ્ય સરકારે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ઉપાડ્યું છે, જે ઝડપભેર આગળ વધી રહ્યું છે. 

વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની ( Sri Sri Ravi Shankar ) હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રમાં અનોખી પહેલ શરૂ કરી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી  રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ. 

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ ( Seed The Earth ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સીડબોલ બનાવવાનો તથા સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.

आर्ट ऑफ लिविंग फाउंडेशन द्वारा वासद के सरदार पटेल प्रौद्योगिकी संस्थान के परिसर में आज श्री श्री रविशंकरजी की उपस्थिति में ‘सीड द अर्थ’ कार्यक्रम का आयोजन किया गया, पांच हजार लोगों ने सिर्फ 60 मिनट में 2.50 लाख सीड बॉल बनाकर पर्यावरण के क्षेत्र में एक अनोखी पहल की। pic.twitter.com/TNeK16w3gW

— Acharya Devvrat (@ADevvrat) November 1, 2024

રાજ્યપાલ દેવવ્રતએ ( Acharya Devvrat ) જણાવ્યું હતું કે, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા સાથે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના ( Organic agriculture ) રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરૂરી છે.

Seed The Earth Gujarat : સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી: શ્રી શ્રી  રવિશંકર

રાજ્યપાલએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. એટલું જ નહીં પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે.

પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ જેનાથી પર્યાવરણના  બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો માનવજાતને મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Assembly Elections: મોટા સમાચાર! બોરીવલીથી ગોપાલ શેટ્ટીની ઉમેદવારી પાછી ખેંચી…

રાજયપાલએ ( Gujarat ) પ્રાકૃતિક જીવનશૈલી અપનાવી પ્રકૃતિનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ બદલ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલએ સૌ નાગરિકોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.

તેમણે સીડબોલ બનાવવા માટે નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, દેશી બીજને બચાવવા એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે દુનિયામાં બોંબ દ્વારા લોકો મરી રહ્યા છે, પરંતુ આજે બનાવવા આવેલ સીડબોમ્બ એ લોકોને બચાવવા માટેનો બોમ્બ છે, તે આપણે વરસાવવાનો છે, તેમ જણાવી એમણે આ સીડબોમ્બ દ્વારા દુનિયાનું ભલું થશે તેવી કામના પણ વ્યક્ત કરી હતી.

Seed The Earth Gujarat: બીજમાં અવ્યક્ત રહેલા વૃક્ષને બીજારોપણ દ્વારા વ્યક્ત કરવાનું કાર્ય શ્રેષ્ઠતમ કાર્ય 

શ્રી શ્રી રવિશંકરજીએ દુનિયામાં પર્યાવરણની જાળવણી નથી થઈ તેના કારણે આપણે કલાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, સીડબોમ્બ દ્વારા આપણે ધરતીમાં બીજારોપણ કરી પર્યાવરણની જાળવણી માટેનું કાર્ય કરવાનું છે. બીજમાં અવ્યક્ત રહેલા વૃક્ષને બીજારોપણ દ્વારા વ્યક્ત કરવાનું કાર્ય શ્રેષ્ઠતમ કાર્ય છે.

શ્રી કૃષિ સાયન્સ અને ટેક્નોલોજી ટ્રસ્ટના ચેરમેન ડો. પ્રભાકર રાવે જણાવ્યું કે એસ.વી.આઈ.ટી.ના સહકારથી આજે તૈયાર કરવામાં આવેલ સીડબોલનું આગામી ચોમાસાની સીઝનમાં વાવેતર કરવામાં આવશે.

કાર્યક્રમના પ્રારંભમાં એસ.વી.આઈ.ટી.ના ચેરમેન રોનક પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, એક કલાકમાં સૌથી વધુ બીજ બોલ બનાવવાનો રેકોર્ડ આજે અહીં બનાવવા આવ્યો છે. આ બીજ બોલ પર્યાવરણની જાણવણી માટે ઉપયોગી બની રહેશે, તેમ જણાવી પ્રત્યેક વ્યક્તિને પર્યાવરણ જાળવણીમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલ, દેવુસિંહ ચૌહાણ, કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા, આર્ટ ઓફ લિવિંગનાસેજલબેન સ્વામી સહિત એસ.વી.આઈ.ટી. કોલેજના અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને શ્રી રવિશંકરના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Simi garewal: અભિષેક બચ્ચન ને લઈને કોમેન્ટ કરવી સિમી ગરેવાલ ને પડી ભારે, અભિનેત્રી એ ડીલીટ કરી તેની પોસ્ટ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister received congratulatory messages from leaders of global organizations on successful Swachh Bharat Abhiyan
દેશઆંતરરાષ્ટ્રીય

Swachh Bharat Mission: સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક થયા પૂર્ણ, PM મોદીને આ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓએ પાઠવ્યા અભિનંદન સંદેશાઓ. જુઓ અહી.

by Hiral Meria October 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Swachh Bharat Mission: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વિવિધ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓ તરફથી અભિનંદનનાં સંદેશાઓ મળ્યાં હતાં. બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે સ્વચ્છતા અને સફાઈમાં સુધારો કરીને ભારતને નોંધપાત્ર રીતે પરિવર્તિત કર્યું છે.

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસની શુભેચ્છા પર આધારિત એક પોસ્ટ MyGov પર શેર કરી.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) કહ્યું કે, “વિશ્વ આરોગ્ય સંસ્થાનાં મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસે ( Dr Tedros Adhanom Ghebreyesus ) પ્રધાનમંત્રી @narendramodi પ્રશંસા કરી હતી અને સ્વચ્છ ભારત અભિયાનની 10મી વર્ષગાંઠ પર સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આ પરિવર્તનકારી પહેલ મારફતે સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે સ્વચ્છ અને તંદુરસ્ત રાષ્ટ્રને પ્રોત્સાહન આપવા સમુદાયોને એકત્રિત કરે છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024″

Dr. Tedros Adhanom Ghebreyesus, Director-General of WHO, praised PM @narendramodi and commended the efforts of the government on the 10th anniversary of the Swachh Bharat Mission.

He highlighted the significant strides made in achieving sustainable development goals through… pic.twitter.com/mhkuhbSzDL

— MyGovIndia (@mygovindia) October 2, 2024

Swachh Bharat Mission:  શ્રી મોદીએ વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી હતી:

“વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ ( Ajay Banga ) નોંધ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતામાં સુધારો કરીને ભારતની કાયાપલટ કરી છે અને પ્રધાનમંત્રી @narendramodi દીર્ઘદૃષ્ટા નેતૃત્વમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024″

Ajay Banga, President of the World Bank, remarked that the Swachh Bharat Mission has significantly transformed India through improved sanitation, achieving a remarkable milestone under the visionary leadership of PM @narendramodi.#10YearsOfSwachhBharat#SBD2024#SHS2024 pic.twitter.com/z3f2gjHp2z

— MyGovIndia (@mygovindia) October 2, 2024

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રીએ એશિયાઈ વિકાસ બેંકનાં પ્રમુખ માસાત્સુગુ અસાકાવાની શુભેચ્છા પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એશિયન ડેવલપમેન્ટ બેંકનાં પ્રમુખ માસાત્સુગુ અસાકાવાએ પરિવર્તનકારી અભિયાન સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ કરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એશિયન ડેવલપમેન્ટ બેંકને આ દૂરંદેશી પહેલ પર શરૂઆતથી જ ભારત સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024”

Masatsugu Asakawa, President of the Asian Development Bank, commended PM @narendramodi for spearheading the Swachh Bharat Mission, a transformational campaign.

He stated that the Asian Development Bank is proud to have partnered with India on this visionary initiative from the… pic.twitter.com/P0QERfVA5X

— MyGovIndia (@mygovindia) October 2, 2024

આ સમાચાર પણ વાંચો :  Gujarat Navratri: ગુજરાત સરકાર નવરાત્રી મહોત્સવમાં નાગરિકોના આરોગ્યની લેશે વિશેષ દરકાર, ગરબા ખેલૈયાઓની આરોગ્ય સલામતી માટે કરશે આ ખાસ વ્યવસ્થા.

Swachh Bharat Mission:  શ્રી મોદીએ આધ્યાત્મિક ગુરુ શ્રી  રવિશંકરની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારથી આપણા આદરણીય પ્રધાનમંત્રી @narendramodiજીએ  સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે સ્વચ્છતા પર લોકોનું ધ્યાન પરત ફર્યું છે: શ્રી શ્રી રવિશંકર ( Sri Sri Ravi Shankar ) , આધ્યાત્મિક નેતા ” #10YearsOfSwachhBharat #SBD2024 #SwachhBharat પર.

हमारे आदरणीय प्रधानमंत्री @narendramodi जी ने स्वच्छ भारत अभियान को जब से देश भर में शुरू किया है तब से हम देख रहे हैं कि स्वच्छता पर लोगों का ध्यान लौट कर आया है: Sri Sri Ravi Shankar, Spiritual Leader on #10YearsOfSwachhBharat #SBD2024 #SwachhBharat pic.twitter.com/Qqh3hblPTB

— MyGovIndia (@mygovindia) October 2, 2024

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રીએ ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રતન ટાટાની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી

“હું માનનીય પ્રધાનમંત્રી@narendramodiને #10YearsOfSwachhBharatના આ અવસર પર અભિનંદન આપું છું हूं @RNTata2000, ચેરમેન, ટાટા ( Ratan Tata ) ટ્રસ્ટ્સ #SBD2024 #SwachhBharat”

I congratulate the Hon. PM @narendramodi on this occasion marking the #10YearsOfSwachhBharat – @RNTata2000, Chairman, Tata Trusts #SBD2024 #SwachhBharat pic.twitter.com/kQxS6Lp5hx

— MyGovIndia (@mygovindia) October 2, 2024

Swachh Bharat Mission:  શ્રી મોદીએ માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને પરોપરકારી બિલ ગેટ્સની શુભેચ્છા પર આધારિત એક પોસ્ટ MyGov પર શેર કરી હતી

“સ્વચ્છતાના આરોગ્ય પર સ્વચ્છ ભારત મિશનની અસર અદભૂત રહી છે – @BillGates, સંસ્થાપક, માઇક્રોસોફ્ટ અને પરોપકારી #10YearsOfSwachhBharat પર તેમના વિચારો સાંભળો. #NewIndia #SwachhBharat”

The impact of Swachh Bharat Mission on sanitation health has been amazing – @BillGates , Founder, Microsoft and Philanthropist

Hear his thoughts on #10YearsOfSwachhBharat.#NewIndia #SwachhBharat pic.twitter.com/fljoaE008u

— MyGovIndia (@mygovindia) October 2, 2024

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક