Tag: Stock Market Trading

  • Multibagger Share: આ કંપનીના 15 રૂપિયાના શેરમાં આવ્યો 11,000 ટકાનો જોરદાર વધારો, મળ્યો 150 કરોડનો મોટો ઓર્ડર.. જાણો વિગતે..

    Multibagger Share: આ કંપનીના 15 રૂપિયાના શેરમાં આવ્યો 11,000 ટકાનો જોરદાર વધારો, મળ્યો 150 કરોડનો મોટો ઓર્ડર.. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai

    Multibagger Share: શેરબજારમાં હાલ ઘણા પેની સ્ટોક્સ તેમના રોકાણકારોને મલ્ટિબેગર ( Stock Market ) વળતર આપીને માલામાલ બનાવી રહ્યા છે. ત્યારે આવો જ એક પેની સ્ટોક છે ગુજરાત ટૂલરૂમ ( Gujarat Toolroom ) , જેના શેરની કિંમત હાલમાં રૂ. 15 કરતા ઓછી છે, પરંતુ તેણે તેના રોકાણકારાને હાલ જબદસ્ત વળતર આપ્યું છે. 

    મેડિકલ ડિસ્પોઝેબલ, ફાર્માસ્યુટિકલ અને ફૂડ એન્ડ બેવરેજ પેકેજિંગ વગેરે માટે મોલ્ડનું ઉત્પાદન કરતી આ કંપની માત્ર પેની સ્ટોકની ( penny stocks )  શ્રેણીમાં નથી, પરંતુ માર્કેટ કેપની દ્રષ્ટિએ નેનો-કેપ કંપનીઓમાં પણ ગણાય છે. હાલમાં, કંપનીના એક શેરની કિંમત માત્ર 14.86 રૂપિયા છે, જે તેને એક પેની સ્ટોક બનાવે છે. કંપનીનું માર્કેટ કેપ ( Market Cap ) હાલમાં રૂ. 173.36 કરોડના સ્તરે રૂ. 200 કરોડની નીચે છે. આ રીતે આ કંપની હાલ નેનો કેપ કેટેગરીની કંપની બની રહી છે.

    Multibagger Share: છેલ્લા એક વર્ષ મુજબ, આ સ્ટોકે તેના રોકાણકારો માટે 50 ટકાથી વધુ કમાણી કરવામાં સફળ રહ્યો છે….

    એક દિવસ પહેલા એટલે કે બુધવારે ટ્રેડિંગમાં ( Stock Market Trading ) આ શેરની કિંમતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ગઈ કાલે આ કંપનીનો શેર તેની ઉપલી સર્કિટમાં અથડાયો હતો અને 4.94 ટકાના ઉછાળા સાથે રૂ. 14.86 પર બંધ થયો હતો. આ છેલ્લા 3 મહિનામાં આ શેરનો સૌથી વધુ ઉચ્ચસ્તરીય ભાવ રહ્યો હતો. જોકે, તે રૂ. 45.95ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી નીચે રહ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: Mukesh Ambani Sharmila Farooqi: કોણ છે પાકિસ્તાનની શર્મિલા ફારૂકી? જે પેરિસમાં મુકેશ અંબાણી અને ઈશા અંબાણી સાથે જોવા મળી હતી.. જાણો વિગતે.

    કંપનીના વળતરની વાત કરીએ તો તાજેતરના કેટલાક મહિના તેના માટે સારા રહ્યા નથી. છેલ્લા એક સપ્તાહમાં શેરમાં 3.12 ટકાનો વધારો થયો છે. પરંતુ તે છેલ્લા એક મહિનામાં આ શેરમાં 1.91 ટકા અને છેલ્લા ત્રણ મહિનામાં 34.33 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેના શેરની કિંમતમાં લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે.

    જો કે, લાંબા ગાળે આ સ્ટોક તેના રોકાણકારો માટે પૈસા છાપવાનું મશીન સાબિત થયો છે. છેલ્લા એક વર્ષ મુજબ, આ સ્ટોકે તેના રોકાણકારો માટે 50 ટકાથી વધુ કમાણી કરવામાં સફળ રહ્યો છે. જ્યારે સ્ટોકનું 2 વર્ષનું વળતર 1,240 ટકા, 3 વર્ષનું વળતર 2,150 ટકા, 5 વર્ષનું વળતર 3,440 ટકા અને 10 વર્ષનું વળતર 11,330 ટકા રહ્યું હતું. જેમાં હવે કંપનીને રૂ. 150 કરોડનો મોટો ઓર્ડર મળ્યા બાદ તેની કિંમતો હજુ પણ વધી રહી છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • Stock Market: સેબીએ જાહેર કર્યું નોટિફિકેશન, હવે શેરબજારમાં છેતરપિંડી શોધવા અને અટકાવવાની જવાબદારી સ્ટોક બ્રોકરોની રહેશે.. જાણો શું છે આ નવા નિયમો..

    Stock Market: સેબીએ જાહેર કર્યું નોટિફિકેશન, હવે શેરબજારમાં છેતરપિંડી શોધવા અને અટકાવવાની જવાબદારી સ્ટોક બ્રોકરોની રહેશે.. જાણો શું છે આ નવા નિયમો..

    News Continuous Bureau | Mumbai 

    Stock Market: દેશમાં શેરબજારમાં થતી ગેરરીતિઓને શોધવાની અને તેને રોકવાની જવાબદારી પણ હવે સ્ટોક બ્રોકરોની ( stock brokers ) રહેશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( SEBI ) એ 27 જૂને જારી કરેલા નોટિફિકેશનમાં સ્ટોક બ્રોકર્સ માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ વ્યવસ્થા હેઠળ હવે માર્કેટમાં થતી ગેરરીતિઓને ઓળખવાની અને તેને રોકવાની જવાબદારી પણ દલાલોની રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બ્રોકર્સ માટે આવો કોઈ નિયમ લાગુ ન હતો.

    સેબીના જણાવ્યા અનુસાર, આ નવા નિયમ  હેઠળ, બ્રોકિંગ કંપનીઓ અને તેમના વરિષ્ઠ મેનેજમેન્ટને મજબૂત દેખરેખ અને નિયંત્રણ પ્રણાલી દ્વારા છેતરપિંડીઓને ( malpractices ) ઓળખવા અને અટકાવવા માટે પણ જવાબદાર ગણવામાં આવશે. બ્રોકરોએ રિપોર્ટિંગ સિસ્ટમ પણ હવે સેટ કરવી પડશે. સેબીએ સંભવિત છેતરપિંડી અને બજારના દુરુપયોગના ઉદાહરણોની યાદી બહાર પાડી છે, આ ઉદાહરણોમાં એવા કિસ્સાઓનો સમાવેશ થઈ શકે છે. જેમાં ટ્રાન્ઝેક્શનની ગેરમાર્ગે દોરતી છબી, કિંમતની હેરફેર, ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ ( Stock Market Trading ) , મિસ-સેલિંગ અને અનધિકૃત વ્યવહારોનો સમાવેશ થાય છે. જેનું મોનિટરિંગ ફરજિયાત રહેશે.

    Stock Market: સ્ટોક બ્રોકર્સે કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને શોધી કાઢ્યાના 48 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જોને આની જાણ કરવી પડશે….

    સેબીએ 27 જૂને બહાર પાડેલા આ નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સ્ટોક બ્રોકર્સે કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને ( Suspicious activity ) શોધી કાઢ્યાના 48 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જોને આની જાણ કરવી પડશે. આ સિવાય શંકાસ્પદ પ્રવૃત્તિ, છેતરપિંડી અને બજાર સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ અંગે વિશ્લેષણ સાથે કરવામાં આવેલી કાર્યવાહી તેઓએ રજૂ કરવાની રહેશે.

    આ સમાચાર પણ વાંચો :  Swami Vivekananda: પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    નોટિફિકેશન અનુસાર, સ્ટોક બ્રોકિંગ કંપનીઓએ કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો માટે શંકાસ્પદ છેતરપિંડી, અયોગ્યતા અથવા અનૈતિક પ્રથાઓના કેસો ઉભા કરવા માટે ગુપ્ત રીત પ્રદાન કરવા માટે વ્હિસલ બ્લોઅર નીતિ સ્થાપિત કરવી પડશે અને તેનો અમલ પણ કરવો પડશે. સેબીની નીતિ અનુસાર, વ્હિસલબ્લોઅર્સે પર્યાપ્ત સુરક્ષાની ખાતરી કરવી પડશે. આ ફેરફારોને અમલી બનાવવા માટે સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ફ્રોડ તથા પીએફયુટીપી માટેના ધોરણોમાં સુધારો કર્યો છે. જે 27 જૂનથી અમલમાં આવી ગયો છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Stock Market Trading: શેર માર્કેટમાં રોકાણ કરી નુકસાનથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો, થશે સરળ કમાણી..જાણો વિગતે…

    Stock Market Trading: શેર માર્કેટમાં રોકાણ કરી નુકસાનથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો, થશે સરળ કમાણી..જાણો વિગતે…

    News Continuous Bureau | Mumbai

    Stock Market Trading: દેશમાં શેરબજારમાં રોકાણ ( investment ) કરનારા રોકાણકારો ક્યારેક મોટો નફો કરે છે. તો ક્યારેક નુકસાન પણ સહન કરે છે. નોકરી કરનારાઓને જો કોઈ સાઈડ ઈન્કમ જોઈતી હોય તો શેરબજાર ઉપયોગી સાધન બની શકે છે, પરંતુ શેરબજારમાં મોટાભાગે મોટા ભાગના લોકોને નુકસાન થતું જોવા મળ્યું છે. જે અનેક કારણોસર થાય છે. તમે શેર બજારમાંથી તમારી નોકરીનો પગાર ઉપરાંત સાઈડ ઈન્કમ પણ મેળવી શકો છો. જેના માટે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. શેરબજારમાંથી સાઇડ ઇન્કમ કમાવવા માટે, રોકાણકારોને નુકસાનથી બચવા અને પૈસા કમાવવામાં મદદ કરવા માટે સૌ પ્રથમ શેરબજાર વિશે વિગતવાર માહિતી મેળવવી આવશ્યક છે. 

    છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક શેરબજારમાં તેજીની લીલાછમ જોવા મળી રહી હોવા છતાં કેટલીક નાની-મોટી ભૂલોને કારણે રોકાણકારોને નુકસાન વેઠવું પડે છે. એટલે રોકાણકારો જો વિચારતા હોય કે ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું, તો કઈ ભૂલો ટાળવી જોઈએ અને શું કરવું જોઈએ? તો રોકાણકારોએ આમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

    Stock Market Trading: કોઈપણ રોકાણકારે ટ્રેડિંગમાં ફુલ-ટાઇમ ફાળવવો જરૂરી છે…

    તમે શેરબજારમાંથી સારું વળતર મેળવી શકો છો, પરંતુ આ માટે કોઈપણ રોકાણકારે ટ્રેડિંગમાં ( trading ) ફુલ-ટાઇમ ફાળવવો જરૂરી છે. હવે પૂર્ણ સમય માત્ર આખો દિવસ જ નહીં પરંતુ બે કે ત્રણ કલાકનો પણ હોઈ શકે છે. શિસ્તબદ્ધ રીતે શેરબજારમાં નાણાંનું રોકાણ કરી કમાણી કરી શકાય છે.

    આ સમાચાર પણ વાંચો: Juhu Beach : જુહુ બીચ પર હાઈટાઈડ વચ્ચે રેસ્ક્યુ ટીમે દરિયામાં ડૂબતા બે સગીરોને બચાવ્યા, વીડિયો સામે આવ્યો…જુઓ વિડીયો.

    સ્ટોક માર્કેટમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે શીખવાનું ચાલુ રાખવાની જરૂર છે. શેરબજારમાં જ્યારે કોઈ વ્યક્તિ ટકી રહે છે. ત્યારે જ લાંબા ગાળાના રોકાણનો લાભ મળી શકે છે. જો તમે બજારની સીડીમાં યોગ્ય નિર્ણય નહીં લો તો તમે લાંબા સમય સુધી બજારમાં ટકી શકતા નથી. સાથે જ તમારે બીજાની ભૂલોથી પણ શીખવું પડશે. અન્ય લોકો જે ભૂલો કરી રહ્યા છે તે ભૂલો ન થાય તેની તકેદારી રાખીએ તો આપણે બજારમાંથી નફો મેળવી શકીએ છીએ અને નુકસાન પણ ઘટાડી શકીએ છીએ.

    બજારમાં સતત તેજી હોય ત્યારે ઉછાળા મારતા શેરને વેચીને બહાર નીકળો. સાથે જ જો કોઈ સ્ટૉકમાં સતત ઘટાડો આવી રહ્યો છેય તો જાણો ઘટાડા પાછળના કારણો. ઘટાડાનું કોઈ કારણ ન હોય તો રોકાણ કરીને લાંબાગાળામાં સાઇડ આવક ( Side income ) મેળવી શકો છો.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • Multibagger Stock: આ મલ્ટીબેગર શેરે બે વર્ષમાં રોકાણકારોને આપ્યું જંગી વળતર, રોકેટની ઝડપે કર્યા સાત ગણા પૈસા..

    Multibagger Stock: આ મલ્ટીબેગર શેરે બે વર્ષમાં રોકાણકારોને આપ્યું જંગી વળતર, રોકેટની ઝડપે કર્યા સાત ગણા પૈસા..

    News Continuous Bureau | Mumbai

    Multibagger Stock: શેરબજારમાં યોગ્ય કંપનીના શેરોમાં ( Stock Market ) નાણાંનું રોકાણ કરવાથી સારું વળતર મળવાની ખાતરી છે. અત્યાર સુધી, બજારમાં અસંખ્ય શેરોએ ટૂંકા ગાળામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે અને આજે આપણે એવા જ એક શેર વિશે જાણવા જઈ રહ્યા છીએ કે જેને ખરીદવા માટે હજુ પણ રોકાણકારો ઉમટી પડ્યા છે. કારણ કે આ શેરે માત્ર બે વર્ષમાં સાત ગણું વળતર આપ્યું છે અને કંપની કિંમતી જ્વેલરીના વેચાણના વ્યવસાય જોડાયેલી છે. 

    કલ્યાણ જ્વેલર્સના ( Kalyan Jewellers ) શેરોએ ટૂંકા ગાળામાં રોકાણકારોને બમ્પર વળતર આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા બે વર્ષમાં કલ્યાણ જ્વેલર્સના સ્ટોકમાં જબદસ્ત વધારો થયો છે અને હાલ સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેનાથી કલ્યાણ જ્વેલર્સના શેરને ( Kalyan Jewellers Share ) વધુ ફાયદો થતો જણાય છે. કલ્યાણ જ્વેલર્સના શેરોએ છેલ્લા બે વર્ષમાં 644 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. પરંતુ મંગળવારે 25 જૂને શેરમાં ઘટાડો નોંધાયો હતો. કલ્યાણ જ્વેલર્સનો શેર દિવસના અંતે રૂ. 7 ઘટીને રૂ. 438.15 પર ટ્રેડ થયો હતો. જોકે, સવારે શેરની શરૂઆત તેજી સાથે થઈ હતી.

    આ સમાચાર પણ વાંચો :  TRAI: Airtel, Jio અને VI વપરાશકર્તાઓ સાવધાન! 1 જુલાઈથી દેશભરમાં લાગુ થઈ રહ્યા છે નવા સિમ કાર્ડ નિયમો, જાણો શું થશે ફેરફાર

    Multibagger Stock: છેલ્લા એક મહિનામાં કલ્યાણ જ્વેલર્સના શેરોએ રોકાણકારોને 7% થી વધુ વળતર આપ્યું છે..

    છેલ્લા એક મહિનામાં કલ્યાણ જ્વેલર્સના શેરોએ રોકાણકારોને ( Investors ) 7% થી વધુ વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા છ મહિનામાં શેરમાં 28% થી વધુનો ઉછાળો આવ્યો છે. તે જ સમયે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 237 ટકાનો વધારો થયો છે. હાલમાં, કલ્યાણ જ્વેલર્સના દેશભરમાં 217 થી વધુ સ્ટોર્સ છે. તેથી જેણે બે વર્ષ પહેલાં  આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તે રોકાણકારને હવે લગભગ રૂ. 7 લાખનું વળતર મળ્યું હશે. આ સિવાય રોકાણકારો આગામી સમયમાં આ શેરમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)