• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - story
Tag:

story

priyanka chopra share her childhood pics
મનોરંજન

Priyanka chopra: બાળપણ માં કંઈક આવી દેખાતી હતી પ્રિયંકા ચોપરા, દરેક તસવીર સાથે દેસી ગર્લ એ ખોલ્યા રહસ્યો

by Zalak Parikh February 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Priyanka chopra: ઉત્તર પ્રદેશના એક નાના શહેરમાં જન્મેલી પ્રિયંકા ચોપરા આજે એક ગ્લોબલ સ્ટાર છે. મોડેલિંગથી લઈને મિસ વર્લ્ડનો ખિતાબ જીતવા સુધી અને બોલીવુડમાં પોતાની પ્રતિભા દર્શાવવાથી લઈને હોલીવુડમાં પ્રવેશ કરવા સુધી, પ્રિયંકા ચોપરાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. અભિનેત્રી હાલમાં જ તેના ભાઈ ના લગ્ન માટે ભારત આવી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા એ તેની જૂની તસવીરો શેર કરી છે આ સાથે જ તેને દરેક તસવીરો ના રહસ્યો પણ ખોલ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Raha kapoor video: જેહ ની બર્થડે પાર્ટી માં રાહા કપૂરે જાદુગર સામે આપ્યું એવું રિએક્શન કે તેની માસુમિયત જોઈ ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

પ્રિયંકા ચોપરા એ શેર કરી તસવીરો 

પ્રિયંકા ચોપરા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બાળપણ થી લઈને જુવાની સુધી ની 15 તસવીરો શેર કરી છે પહેલી તસવીર માં પ્રિયંકા નાની છે અને તે બુલેટ બાઈક પર બેઠી છે આ તસવીર માટે તેને લખ્યું, ‘ફેશન સૌથી મહત્વપૂર્ણ છે. મમ્મીની સવાર અને પપ્પાની બાઈક. તે કદાચ ૧૯૮૩ ની વાત છે. તેની પાસે રાજદૂત કે જાવા બાઇક હતી.બીજી તસવીર માં પ્રિયંકા સુતેલી જોવા મળે છે આ તસવીર માટે તેને લખ્યું, ‘જેમ મેં કહ્યું, ફેશન સૌથી મહત્વપૂર્ણ છે. હું હંમેશાથી દેસી ગર્લ રહી છું.’ ત્રીજી તસવીર માટે પ્રિયંકા એ લખ્યું, ‘આ ૧૯૮૭ ની છે. મારા જન્મદિવસની પાર્ટીમાં મને ખૂબ જ ખરાબ દમનો હુમલો આવ્યો હતો.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)


ચોથી તસવીર માટે પ્રિયંકા એ લખ્યું, ‘ફેશને મારું સ્મિત ચોરી લીધું. બીજા વર્ષે બીજો જન્મદિવસ’. પાંચમી તસવીર માટે તેને લખ્યું, ‘મારી સૌથી ખુશ જગ્યા. મારા પરિવાર સાથે મુસાફરી. લેહ ૧૯૯૪’ છઠ્ઠી તસવીર માટે લખ્યું, ‘કપૂર હોસ્પિટલ બરેલીનું મેદાન’. સાતમી તસવીર માટે લખ્યું, ‘૧૩ વર્ષની ઉંમરે એક પાતળી કિશોરીને કોલા પીવાની છૂટ હતી! અલબત્ત, ફેન્સી ગ્લાસમાં. ઇમરજન્સી લાઇટ પર ધ્યાન આપો? ૧૯૯૫’ આઠમી તસવીર શેર કરતા લખ્યું,’બોસ્ટન. ૧૯૯૭માં આત્મવિશ્વાસમાં મોટો સુધારો’. નવમી તસવીર સાથે લખ્યું, ‘90ના દાયકાનું બાળક’.દસમી તસવીર માટે લખ્યું, ‘બરેલીમાં મારું પહેલું મોડેલિંગ શૂટ. મારા દ્વારા બનાવેલ વાળ અને મેકઅપ ૧૯૯૯’. અગિયારમી તસવીર માટે લખ્યું, ‘પહેલો પોર્ટફોલિયો શોટ. બરેલી. ૧૯૯૯’. બારમી માટે લખ્યું, ‘મિસ ઇન્ડિયાનો ઓફિશિયલ પોટ્રેટ શોટ.’ તેરમી માટે લખ્યું, ‘મિસ ઇન્ડિયા સ્પર્ધક. ૨૦૦૦’ ચૌદમી માટે લખ્યું, બાળક ફિલ્મોમાં પગ મુકે છે.. મારી દાદીએ આશરે ૨૦૦૨માં @ajaydevgn અને સ્વર્ગસ્થ યુસુફ સાહેબ સાથે ‘અસાર’ નામની ફિલ્મના મુહૂર્તનું પેપર ક્લિપિંગ સાચવ્યું હતું.’ અને છેલ્લી તસવીર માટે લખ્યું, ‘દોસ્તાના મિયામીમાં ગોળીબાર પછીની ઘોંઘાટ કેમ ન પૂછો! ૨૦૦૮’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Sunil pal: સુનિલ પાલ ને છોડવા માટે અપહરણકર્તા એ માંગી હતી આટલી રકમ, કોમેડિયન એ જણાવી તેના અપહરણ ની વાર્તા

by Zalak Parikh December 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sunil pal: સુનિલ પાલ ની પત્ની એ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન માં તેના પતિ ના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી તેવામાં સુનિલ વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે સુનિલ ગાયબ નહોતો થયો પરંતુ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું હવે સુનિલે પોતે તેના અપહરણ વિશે વાત કરી છે.  

આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી એ અભિનય માંથી નિવૃત્તિ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા કહી આવી વાત

સુનિલ પાલે જણાવી અપહરણ ની વાર્તા 

સુનિલ પાલે એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘આ ઘટના 2 ડિસેમ્બરે બની હતી. મને  ઈવેન્ટ માટે કાર આપવામાં આવી હતી અને કાર અધવચ્ચે બદલાઈ ગઈ હતી. તેઓએ મને કહ્યું કે 20 લાખની જરૂર છે. ડરના માર્યા મેં કહ્યું કે  20 લાખ રૂપિયા નથી. હું 10 લાખ પ્રયાસ કરી શકું છું. મેં સવાર સુધીનો સમય માંગ્યો. તેઓએ મારા માટે ખાવા-પીવાની વસ્તુઓ માંગી. હું 10 લાખ રૂપિયા આપવા તૈયાર થયો. એ જ લોકોએ મારો ફોન પણ રાખી લીધો હતો. બીજા દિવસે તેઓ મને એકાંત સ્થળે લઈ ગયા, જ્યાં તેઓએ મારી પાસેથી 7 લાખ રૂપિયા પડાવી લીધા. હું કારની પાછળ બંધાયેલો રહ્યો. ત્યારબાદ તેણે મને ફ્લાઇટની ટિકિટ લેવા માટે 20,000 રૂપિયા આપ્યા અને મને છોડીને ત્યાંથી ચાલ્યા ગયા’.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)


સુનિલે વધુ માં જણાવ્યું કે, ‘હું ગાઝિયાબાદ પહોંચ્યો, ત્યાંથી કાશ્મીરી ગેટ સુધી ઓટો લઈને એરપોર્ટ પહોંચ્યો. મુંબઈ પહોંચ્યા પછી, હું પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને બધું કહ્યું, પરંતુ પછી મેં કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેમની પાસે મારા સમગ્ર પરિવારની માહિતી છે. મારો પરિવાર જોખમમાં છે, મેં હમણાં વિચારવાનો સમય લીધો છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Mirzapur film: શું મિર્ઝાપુર ફિલ્મ માં જોવા મળશે સીઝન ના મૃત પાત્રો? ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે કર્યો ખુલાસો

by Zalak Parikh December 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mirzapur film: મિર્ઝાપુર એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય વેબસીરીઝ છે. આ સિરીઝ ના અત્યારસુધી ત્રણ ભાગ આવી ચુક્યા છે હવે દર્શકો આ સિરીઝ ના ચોથા ભાગ ની ડિમાન્ડ કરી રહ્યા છે. તેવામાં મિર્ઝાપુર ફિલ્મ ની જાહેરાત થઇ છે. હવે લોકો એ જાણવા માંગે છે કે મિર્ઝાપુર ફિલ્મ માં શું વાર્તા હશે. આ વિશે સિરીઝ ના ગુડ્ડુ પંડિત એટલે કે અભિનેતા અલી ફઝલે ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : The sabarmati report: સંસદ ભવનમાં યોજાયું ધ સાબરમતી રિપોર્ટ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ,પીએમ મોદી સહિત આટલા કેન્દ્રીય મંત્રીઓએ જોઈ વિક્રાંત મેસી ની ફિલ્મ

મિર્ઝાપુર ફિલ્મ ની વાર્તા 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે અલી ફઝલ ને મિર્ઝાપુર ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અલી એ જવાબ માં કહ્યું કે, “અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ OG કાસ્ટ છે અને અમે ટેબલ પર આવ્યા છીએ. મારે સમયસર પાછા જવું પડશે, કારણ કે કેટલાક મૃત લોકો પણ બતાવવાના છે.” જ્યારે અલી ને પૂછવામાં આવ્યું કે શું લોકપ્રિય વેબ સિરીઝની પ્રિક્વલ પણ આવશે. આના પર તેણે કહ્યું કે તે ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડશે. અત્યારે અમે તેને થિયેટરોમાં લાવવા માટે ઉત્સાહિત છીએ.

 

View this post on Instagram

 

A post shared by The Hollywood Reporter India (@hollywoodreporterindia)


મિર્ઝાપુરમાં અલી ફઝલ,વિક્રાંત મેસી,પંકજ ત્રિપાઠી ,વિજય વર્મા, દિવ્યેન્દુ  શર્મા, રસિકા દુગ્ગલ, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો નો સમાવેશ થાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kalki 2898 ad prabhas movie director nag ashwin -reveals the story
મનોરંજન

Kalki 2898 ad: નાગ અશ્વિને પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી ની વાર્તા પર કર્યો મોટો ખુલાસો, આ ગ્રંથ સાથે છે ફિલ્મ નું કનેક્શન

by Zalak Parikh February 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad: પ્રભાસ ની આગામી ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે.કલ્કિ ના મેકર્સ આ ફિલ્મને આ વર્ષે મે મહિનામાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ના નિર્માતા-નિર્દેશક આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ કરશે. હવે નિર્દેશક નાગ અશ્વિને આ ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ના લગ્ન માં બડે મિયાં છોટે મિયાં એ લૂંટી લાઈમલાઈટ, વિડીયો થયો વાયરલ

 

‘કલ્કી 2898 એડી’ ની વાર્તા 

તાજેતરમાં નાગ અશ્વિને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તેમને ફિલ્મ વિશે ઘણી વાતો કરી હતી. નાગ અશ્વિન ને જયારે પૂછવામાં આવ્યું કે તેમને આ ફિલ્મ નું નામ ‘કલ્કી 2898 એડી’ શા માટે રાખ્યું છે. જેના જવાબ માં નિર્દેશકે કહ્યું,, ‘અમારી ફિલ્મ મહાભારતથી શરૂ થાય છે અને 2898 માં પૂરી થાય છે. આ ફિલ્મનું ટાઈટલ છે. તેને ‘કલ્કિ 2898 એડી’ કહેવામાં આવે છે. તે સમય પ્રમાણે 6000 વર્ષનું અંતર ધરાવે છે. જો આપણે 2898 એડીથી 6000 વર્ષ પાછળ જઈએ તો આપણે 3102 બીસી સુધી પહોંચીશું, તે સમયે છેલ્લા અવતાર ભગવાન કૃષ્ણના યુગનો અંત આવ્યો હશે અમે એવી દુનિયા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ત્યાં અસ્તિત્વમાં છે, તે કેવું હોઈ શકે તેની કલ્પના કરીને. અમે તેને હજુ પણ ભારતીય સ્તરે રાખીશું અને અમારો પડકાર તેને ‘બ્લેડ રનર’ એટલે કે હોલીવુડ સાયન્સ ફિક્શન જેવો બનાવવાનો નથી.’

The story that ended 6000 years ago.
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.

The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/gXsOWTqH7X

— Kalki 2898 AD (@Kalki2898AD) January 12, 2024


તમને જણાવી દઈએ કે, ‘કલ્કી 2898 એડી’ હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત સાયન્સ ફિક્શન ફિલ્મ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
animal sequel animal park script is ready know what is the film story
મનોરંજન

Animal: એનિમલ ની સિક્વલ ની સ્ક્રિપ્ટ થઇ ગઈ તૈયાર, ‘એનિમલ પાર્ક’ માં જોવા મળશે જબરજસ્ત ટ્વીસ્ટ, જાણો શું હશે ફિલ્મ ની વાર્તા

by Zalak Parikh February 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે 900 કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. એનિમલ હિટ જતા સંદીપ રેડ્ડી વાંગાએ ‘એનિમલ’ ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ની જાહેરાત કરી હતી. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મ એનિમલ પાર્ક ની  સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ફિલ્મ નું દેશભક્તિ ગીત મિટ્ટી થયું રિલીઝ, દેશભક્તિ માં ડૂબેલા જોવા મળ્યા રિતિક રોશન અને દીપિકા પાદુકોણ

 

 એનિમલ પાર્ક ની વાર્તા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ‘એનિમલ’ના શૂટિંગ દરમિયાન જ તેની ફ્રેન્ચાઇઝી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફિલ્મની સિક્વલ એટલે કે ‘એનિમલ પાર્ક’નું મૂળભૂત માળખું પણ તૈયાર કરવામાં આવ્યું હતું કે તેમાં શું થશે અને કેવી રીતે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. ‘એનિમલ પાર્ક’ની સ્ટોરી રણવિજય એટલે કે રણબીરના લુક પર ફોકસ કરવામાં આવશે. આ સિવાય રણવિજય ની તેની પત્ની ગીતાંજલિ (રશ્મિકા મંદન્ના) સાથેની લડાઈ અને મતભેદ પણ બતાવવામાં આવશે. ‘એનિમલ પાર્ક’માં એ પણ બતાવવામાં આવશે કે રણવિજય નો તેના પુત્ર સાથે કેવો સંબંધ હશે. આ ફિલ્મ રણવિજયના બાળકો પર ફોકસ કરશે.’

 

February 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama new star cast enter the rupali ganguly show
મનોરંજન

Anupama: અનુપમા માં લીપ બાદ થશે આ કલાકારો ની એન્ટ્રી, બદલાઈ જશે શો ની આખી વાર્તા

by Zalak Parikh December 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama: સિરિયલ અનુપમા માં 5 વિરષ નો લિપ આવવાનો છે. લિપ બાદ આખી વાર્તા બદલાઈ જશે. વાર્તા ની સાથે સાથે સિરિયલ માં ઘણા નવા સ્ટાર્સ ની પણ એન્ટ્રી થશે. જેમાં છોટી અનુ ને મોટી બતાવવામાં આવશે. કિંજલ અને તોશું ની દીકરી પરી ને પણ થોડી મોટી બતાવવામાં આવશે. તો ડિમ્પલ દીકરા ને જન્મ આપશે. તો બીજી તરફ કાવ્યા પણ એક દીકરી ને જન્મ આપશે. ત્યારબાદ અનુપમા ની વાર્તા આ ચાર બાળકો ની આસપાસ ફરશે. 

 

અનુપમા માં નવા કલાકારો ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ અનુપમા માં અનુજ અનુપમા ની દીકરી છોટી અનુ નું પાત્ર ઓરા ભટનાકર ભજવશે. તો બીજી તરફ ડિમ્પી અને સમર ના પુત્ર અંશ ની ભૂમિકા માં બાળ કલાકાર ત્રિશાન શાહ ભજવશે.તો મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ  ‘મૈં હું અપરાજિતા’ની અભિનેત્રી પ્રિન્સી પ્રજાપતિને પણ શો માટે સાઈન કરવામાં આવી છે. પરંતુ તે માહિતી નથી મળી કે પ્રિન્સી કઈ ભૂમિકા ભજવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સી કાવ્યાની પુત્રીની ભૂમિકા ભજવશે.આ ઉપરાંત શો માં કિંજલ અને તોશુ ની દીકરી પરી ની પણ એન્ટ્રી થશે. પરંતુ પરી ની ભૂમિકા કોણ ભજવશે તે હજી સુધી જાણવા નથી મળ્યું. આ ઉપરાંત સિરિયલ માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના બડે પાપા એટલેકે સચિન ત્યાગી ની પણ એન્ટ્રી થશે.  

#Anupama NEW PROMO ⚡ : Anuj and Anupamaa separated amidst Anupamaa’s new journey@GossipsTv #RupaliGanguly #GauravKhanna #MaAn #StarPlus pic.twitter.com/C9FEZpbmue

— GossipsTv(GTv) (@GossipsTv) December 13, 2023

અનુપમા ની વાર્તા 

સિરિયલ ની વાર્તા વિશે વાત કરીએ તો અનુપમા અનુજ નું ઘર છોડી ચુકી છે શો માં 5 વર્ષ બાદ એવું બતાવામાં આવશે કે અનુપમા ની માતા નું નિધન થઇ ગયું છે અને તે વડોદરા માં રહે છે. ત્યારબાદ દેવિકા અનુપમા માટે અમેરિકા ના વર્ક પરમીટ ના વિઝા સાથે તેને અમેરિકા ની ટિકિટ આપશે.આ પછી અનુપમા અમેરિકા જશે અને ત્યાં એક રેસ્ટોરન્ટ માં વેટર ની નોકરી કરશે. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અક્ષય કુમાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યું ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માં રોકાણ, બન્યા આ ટીમના માલિક

 

December 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
is shahrukh khan film dunki story based on India canada immigration know the truth
મનોરંજન

Dunki story: શું ભારત-કેનેડા ના ઇમિગ્રેશન પર આધારિત છે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી? જાણો શું છે ફિલ્મ ની અસલી વાર્તા

by Zalak Parikh October 3, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dunki story: હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે હવે લોકો તેની આગામી ફિલ્મ ડંકી ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે.હાલમાં ‘ડંકી’ની સ્ટોરીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. જ્યારથી ‘ડંકી’ની જાહેરાત થઈ છે ત્યારથી તેની વાર્તા ને  લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માઇગ્રન્ટ્સ અને તેમની સમસ્યાઓ પર છે જેઓ સારા જીવનની શોધમાં વિદેશ જાય છે. 

આ  સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો શાહરુખ ખાન, કિંગ ખાન તેમજ તેની ફિલ્મ ‘ડંકી’ પર લાગ્યો આ આરોપ

ફિલ્મ ડંકી ની વાર્તા 

ફિલ્મ ડંકી વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેની વાર્તા ‘ડંકી ફ્લાઇટ’ પર આધારિત છે. આ એક એવો માર્ગ છે જેના દ્વારા લોકો કેનેડા અને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરે છે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા હતી કે આ ફિલ્મ કેનેડા જતા ઇમિગ્રન્ટ્સ પર આધારિત છે. એક મીડિયા હાઉસે તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ફિલ્મનો કેનેડા સાથે કોઈ સંબંધ નથી.સૂત્રએ કહ્યું, ‘ફિલ્મ ઈમિગ્રેશનના મુદ્દા પર છે પરંતુ તે કેનેડા પર આધારિત નથી કે કેનેડામાં રહેતા ભારતીયો સાથે તેને કોઈ લેવાદેવા નથી. માણસ કેવી રીતે વધુ સારું જીવન હાંસલ કરવા માટે માર્ગો શોધે છે તેના વિશે આ એક ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ છે. આ સમય દરમિયાન તે ઘણી લાગણીઓમાંથી પસાર થાય છે.’ તમને જણાવી દઈએ કે હાલ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. 

October 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa social media reaction anupamaa anuj maan fans asked for change of track
મનોરંજન

દર્શકોને નથી પસંદ આવી રહી અનુપમા ની લેટેસ્ટ સ્ટોરી, યુઝર્સે કહ્યું- ‘શાંતિ જોઈતી હોય તો આ શો ન જુઓ’

by Zalak Parikh March 22, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’માં હાલમાં અનુજ અને અનુપમાની આસપાસ વાર્તા વણાઈ રહી છે. વાસ્તવમાં, અનુજ અને અનુપમા છોટી અનુના જવાથી દુઃખી છે. પરંતુ, અનુપમા અનુજને સંભાળવા માટે સામાન્ય વર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં અનુજ અને અનુપમા વચ્ચે ગેરસમજ વધવા લાગી. એક તરફ, અનુપમા તેના અનુજ ને આ હાલતમાં જોઈ શકતી નથી. બીજી તરફ અનુજને લાગવા માંડે છે કે અનુપમા છોટી અનુ વગર પણ ખુશ છે. આ ગેરસમજને કારણે અનુજ-અનુપમા વાત કરતા નથી અને બંને વચ્ચે અંતર વધતું જાય છે. પરંતુ, દર્શકોને અનુજ અને અનુપમાનું અલગ થવું પસંદ નથી. તે સોશિયલ મીડિયા પર સિરિયલની વાર્તા બદલવાની માંગ કરી રહ્યા છે. અને કેટલાક સિરિયલ ન જોવાની વાત પણ કરી રહ્યા છે.

 

જનતા શું કહે છે?

એક યુઝરે લખ્યું, ‘હું અનુજને આટલી ખરાબ હાલતમાં જોઈ શકતો નથી.. હું ડિપ્રેશનમાં આવી રહ્યો છું’. અન્ય એક યુઝરે લખ્યું, ‘જો તમે તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખતા હો તો કૃપા કરીને આ શો ન જુઓ.’ તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ અનુપમાનો પક્ષ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અનુપમાને દરેક વ્યક્તિને છૂટાછેડા આપીને તેણે એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં કોઈ તેનો સંપર્ક ન કરી શકે. તે સ્ત્રીને વિરામ આપો, ભાઈ. પહેલા વનરાજ અને હવે અનુજ.’બીજાએ લખ્યું, ‘ઓકે અમે સંમત છીએ કે અનુજ સર્વશ્રેષ્ઠ છે પરંતુ, તે હવે શું કરી રહ્યો છે? શું તે અનુપમા વિશે એટલું જ જાણે છે?’

#Anupamaa i cant see Anuj in such a bad state.. seriously making me more depressed😔

— shettygirl🇮🇳 (@shruthi_shettys) March 21, 2023

If you care about your mental health please don't watch this show💔😐
#anupamaa

— ℳ𝒪𝒩𝒜✨ (@fangirl2696) March 21, 2023

#anupamaa should gave divorce to every single person from her life and left for somewhere, where no one can reach her😐😐 give that woman some break Dkp🤬 first vanraj now Anuj too🤦🤦

— ℳ𝒪𝒩𝒜✨ (@fangirl2696) March 21, 2023

આગામી એપિસોડમાં અનુજ અનુપમા પર ગુસ્સે થશે.

આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજ તેના મિત્ર ધીરજ સાથે હોળીની ઉજવણી કરવા શાહ હાઉસ  પહોંચે છે. તે જુએ છે કે અનુપમા તેના પરિવાર અને ત્રણેય બાળકો સાથે કેટલી ખુશ છે. તે અનુપમાના સ્મિતને તેના સ્મિત પાછળ છુપાયેલું દર્દ ન જોઈને તેને જુએ છે અને સમજે છે કે અનુપમા છોટી અનુના જવાથી પરેશાન નથી. આ ગુસ્સામાં તે બધાની સામે અનુપમા નું અપમાન કરે છે.

March 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આમિર ખાને પહેલીવાર સંભળાવી પોતાના પહેલા પ્રેમ અને દિલ તૂટવાની કહાની- રીના કે કિરણ નહીં કોઈ બીજી જ હતી તે છોકરી

by Dr. Mayur Parikh June 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

માયાનગરી મુંબઈ માં ચોમાસાની મોસમ છે અને કોફીના કપ સાથે રોમાંસ વચ્ચે, બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું બીજું(Lal Singh chaddha second song)એક સુંદર ગીત 'ફિર ના ઐસી રાત આયેગી'' સોશિયલ મીડિયા લાઇવ દ્વારા(Social media live launch) લોન્ચ કરવામાં આવ્યું છે.સુપરસ્ટાર પોતાની ફિલ્મોમાં પ્રેમીની ભૂમિકામાં ઘણી વખત જોવા મળ્યો છે. પરંતુ તાજેતરમાં જ આમિર ખાને તેના પ્રથમ પ્રેમ અને હૃદયભંગ (heart break)અંગે ખુલાસો કર્યો છે.

તાજેતરમાં, કેટલાક પ્રતિભાશાળી યુવા ભારતીય સર્જકો સાથે લાઇવ વાર્તાલાપ(live session) દરમિયાન 'ફિર ના ઐસી રાત આયેગી' ગીત લોન્ચ કરતી વખતે, ગીતની થીમને ધ્યાનમાં રાખીને તેને તેનો પહેલો પ્રેમ યાદ આવ્યો. અભિનેતાએ કહ્યું કે આ તે સમય હતો જ્યારે હું ટેનિસ (tennis)રમતો હતો, તે પણ મારી સાથે આ જ ક્લબમાં હતી અને એક દિવસ મને ખબર પડી કે તે તેના પરિવાર સાથે દેશ છોડીને (left country)ચાલી ગઈ છે, તે સમયે હું ખૂબ જ દુઃખી હતો. મુશ્કેલ ભાગ એ છે કે તેણીને ખબર ન હતી કે હું તેણીને પસંદ કરું છું. તેના વિશે એક જ વસ્તુ સારી હતી કે હું ખૂબ જ સારો ટેનિસ ખેલાડી (tennis player)બન્યો. બાદમાં, થોડા વર્ષો પછી હું સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં (state level championship)ટેનિસ રમ્યો અને નેશનલ લેવલ ચેમ્પિયન(National level champion) બન્યો.આ ગીતના લોન્ચિંગ દરમિયાન આમિર ખાને પોતાના જીવનના એવા રહસ્યો ખોલ્યા, જેનાથી અત્યાર સુધી બધા અજાણ હતા. અભિનેતાએ કહ્યું કે, કેવી રીતે તેના ગયા પછી તે સંપૂર્ણપણે પાગલ થઈ ગયો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેનો પહેલો પ્રેમ તેનો ખૂબ જ નજીકનો મિત્ર છે, જેને તેની એકતરફી લાગણીઓ વિશે કોઈ ખ્યાલ નથી.

આ સમાચાર પણ વાંચો : રિતિક રોશનની આ એક માંગણી થી ફિલ્મ વિક્રમ વેધાનું બજેટ અનેકગણું વધી ગયું-બની અભિનેતાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ

આમિરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું લેટેસ્ટ ગીત 'ફિર ના ઐસી રાત આયેગી' દુનિયાભરમાંથી(worldwide) પ્રેમ મેળવી રહ્યું છે. તેની જૂની શૈલી અને ગીતોના કારણે તેને આ દાયકાનું સર્વશ્રેષ્ઠ ગીત માનવામાં આવી રહ્યું છે. આમિર ખાન પ્રોડક્શન્સ, કિરણ રાવ અને વાયકોમ 18 (Viacom 18) સ્ટુડિયો દ્વારા નિર્મિત, 'લાલ સિંહ ચઢ્ઢા'માં કરીના કપૂર ખાન, મોના સિંહ અને ચૈતન્ય અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

June 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ધ રૂલ ની સ્ટોરી થઇ લીક-આ વ્યક્તિના હાથે થશે શ્રીવલ્લીનું મૃત્યુ

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આ દિવસોમાં સાઉથની ફિલ્મો (south film)બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પછી તે KGF 2 હોય કે RRR, દરેક ફિલ્મે ઘણી કમાણી કરી છે. પરંતુ આ જંગી કમાણી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર 'પુષ્પાઃ ધ રાઈઝ' દ્વારા શરૂ થઈ હતી. લોકડાઉન(lockdown) પછી આ પહેલી આવી ફિલ્મ હતી જેણે લોકોને થિયેટરોમાં પાછા લાવ્યા. હવે ટૂંક સમયમાં આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે. આ દરમિયાન, હવે ફિલ્મની વાર્તા લીક(story leak) થઈ ગઈ છે, જે જાણ્યા પછી ચાહકો થોડા નિરાશ થયા છે. કારણ કે ફિલ્મના બીજા ભાગમાં કંઈક આવું જ થવાનું છે, જે ચાહકોને ગમશે નહીં.

જ્યારે 'પુષ્પાઃ ધ રાઈઝ' ફિલ્મ આવી, ત્યારપછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ. અલ્લુ અર્જુનની એક્ટિંગ (Allu arjun acting)લોકોને ખૂબ પસંદ આવી. તેમજ શ્રીવલ્લીના રોલમાં જોવા મળેલી રશ્મિકા મંદન્નાના (Rashmika Mandanna)લુકના બધાએ વખાણ કર્યા હતા. હવે ફિલ્મના બીજા ભાગને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે  પુષ્પાઃ ધ રૂલમાં શ્રીવલ્લીનું મૃત્યુ થશે. ત્યારથી સોશિયલ મીડિયા પર આ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો વિલન ફહાદ ફાસિલ શ્રીવલ્લીની હત્યા કરશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. આ મુદ્દાઓ પર ફિલ્મ મેકર્સ અત્યાર સુધી મૌન છે. હવે આ વાત પરથી પડદો ફિલ્મ આવ્યા બાદ જ ઊંચકાશે.

આ સમાચાર પણ વાંચો : પ્લેબેક સિંગર કેકેના મોત પર કોલકત્તા હાઇકોર્ટનો મોટો નિર્ણય-રાજ્ય સરકાર ને આપ્યો આ આદેશ

'પુષ્પાઃ ધ રાઇઝ' પછી ચાહકો પુષ્પાઃ ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને રિલીઝ થવામાં થોડો સમય લાગી શકે છે. ફિલ્મ નિર્માતાઓ આ પુષ્પાઃ ધ રૂલને (Pushpa the rule)અદભૂત બનાવવા માટે કોઈ કસર છોડવા નથી માંગતા. ફિલ્મના નિર્દેશક સુકુમાર આ માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે.

 

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક