• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Surat Civil Hospital
Tag:

Surat Civil Hospital

Surat Civil Hospital સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના દરમિયાન
સુરત

Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના દરમિયાન લીથોટ્રીપ્સી પધ્ધતિથી ૫૬ દર્દીઓની પથરીઓ દુર કરવામાં આવીઃ

by Dr. Mayur Parikh September 24, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સુરતઃ માહિતી બ્યુરોઃ બુધવારઃ- આજના યુગમાં પથરીએ સામાન્ય બિમારી થઈ ચુકી છે. પથરીને કારણે પડખામાં દુખાવો, ઉલટી, તાવ, વારંવાર પેશાબમાં રસી અને લોહી પડવું આ બધા લક્ષણો જોવા મળે છે. જો પથરીની સારવાર સમયસર કરવામાં ન આવે તો લાંબાગાળે કિડની ખરાબ થવાની સંભાવના રહેલી છે. જેથી પથરીની સારવાર લેવી આવશ્યક છે. પથરીને દુર કરવા માટે દવાઓ તથા અલગ અલગ સર્જરી જેવી ESWL, URS, PCNL, RIRS અનેક પધ્ધતિઓ ઉપલબ્ધ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના ડો.ગૌરવ બવાડીયા વિગતો આપતા કહે છે કે, પાંચ મહિના પહેલા આવેલા આધુનિક લિથોટ્રીપ્ટર મશીનથી (DORNIER DELTA 3 PRO ) દર્દીઓના શરીરમાં રહેલી પથરીઓને એક્સ્ટ્રાકોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી(ESWL) પધ્ધતિથી પથરીને તોડીને દુર કરવામાં આવે છે.

કિડનીમાં ૨ સેન્ટીમીટર કરતા નાની પથરી તેમજ પેશાબની નળીમાં ૧ સેન્ટીમીટર કરતા નાની પથરી માટે આ અસરકારક પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં ખાસ જાતના લિથોટ્રીપ્ટર મશીનમાંથી ઊત્પન્ન કરેલાં શક્તિશાળી તરંગો (Shock Waves)ની મદદથી પથરીનો રેતી જેવો ભૂકો કરવામાં આવે છે, જે ધીમે ધીમે થોડા દિવસોમાં પેશાબ સાથે બહાર નીકળી જાય છે. લીથોટ્રીપ્સી કર્યા બાદ દર્દીને ખુબ પ્રવાહી પીવાનું રહે છે. જેથી ભૂકો થઈ ગયેલી પથરી સરળતાથી પેશાબમાં નીકળી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ટ્રમ્પનો મોટો દાવ! પાક-સાઉદીસહિત આ ઇસ્લામિક દેશ સાથે બનાવ્યો પ્લાન, એશિયામાં મચ્યો હડકંપ

આ પધ્ધતિમાં કોઈ પણ કાપકુપ કરવામાં આવતી નથી કે કિડનીમાં દુરબીન બેસાડવાની જરૂર રહેતી નથી. જેથી ઈન્ફેકશન શકયતા રહેતી નથી. છેલ્લા પાંચ મહિના દરમિયાન ૫૬ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીમાં તેજ દિવસે રજા આપવામાં આવે છે. આ પધ્ધતિના ફાયદા વિશે જણાવતા કહે છે કે, આમાં બ્લીંડીગ થવાની સંભાવના નહીવત રહે છે. જયારે દર્દી દાખલ થાય તે જ દિવસે ઓપરેશન કર્યા બાદ રજા આપી દેવામાં આવે છે. આ પધ્ધતિથીમાં પથરીની સાઈઝ અને સંખ્યાના આધારે બે થી ત્રણવાર દર્દીએ આવવું પડે છે. દુઃખાવો ખુબજ ઓછો અથવા નહિવત જેવો થાય છે.
આમ સિવિલ હોસ્પિટલમાં આધુનિક મશીન ઉપલબ્ધ થવાથી દર્દીઓને રાહત થઈ છે.

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
સુરત નવી સિવિલમાં 14 વર્ષીય કિશોરનું 77મું અંગદાન
સુરત

Surat Civil Hospital: સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૭૭મુ અંગદાન: મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય કિશોરના લીવર, હ્રદય અને બે કિડનીનું દાન

by Dr. Mayur Parikh August 26, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai   

  • મહારાષ્ટ્રમાં બાઈક અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત અમિત રોહિદાસ પાવરાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા

Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય બ્રેઈનડેડ અમિત રોહિદાસ પાવરાના લીવર, હ્રદય અને બે કિડનીના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૭મુ સફળ અંગદાન થયું છે.


મૂળ મહારાષ્ટ્રના ખુટવાડા રાજબરડી, તા.દંડગાંવ, જિ.નંદુરબારના વતની અમિત પાવરા તા.૨૨મી ઓગસ્ટના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બાઈક લઈને દંડગાંવ જઈ રહ્યો હતો, ત્યારે સામે આવતી બાઈક સાથે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં નજીકના દંડગાંવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા નંદુરબાર હોસ્પિટલમાં અને ત્યારબાદ તબીબની સલાહથી તા.૨૩મીએ બપોરે ૧.૨૫ વાગ્યે ૧૦૮ સેવા મારફતે સુરતની નવી સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Kutch & Saurashtra: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેંચવા સૂચના
તા.૨૫મી ઓગસ્ટે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, મેડિકલ ઓફિસર (ટ્રીટીંગ) ડૉ.રિચા બી. મિસ્ત્રીએ અમિતને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.


સોટોની ટીમના ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ પિતા રોહિદાસ શંકરભાઇ, માતા ચિમીબાઇ, ભાઈ અજીત અને બહેન અનિતાને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. હ્રદય યુ.એન.મહેતા કિડની હોસ્પિટલ-અમદાવાદ તેમજ લીવર, બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ સફળ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી.
-૦૦-

August 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.
સુરતદેશ

National Organ Donation Day: અંગદાનમાં અગ્રેસર બનતુ સુરત, દિલ્હી ખાતે સુરત સિવિલની ટીમને અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત.

by Hiral Meria August 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

National Organ Donation Day: સમગ્ર ભારતમાં ૩જી ઓગષ્ટ ભારતીય અંગદાન તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન ( Organ Donation )  પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તેવા ઉમદા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

            નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય ( Ministry of Health ) દ્વારા સમગ્ર દેશમાં અંગદાન ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓ, ટ્રાન્સપ્લાન્ટ થયેલ દર્દીઓ તથા તેમના સંબધિઓ તેમજ અંગદાનક્ષેત્રે કામ કરતી દેશની મોટી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, જનજાગૃતિની કામ કરતા પોલીસ વિભાગ, મીડિયા જગતના મિત્રોને ૨૧ કેટેગરીમાં નવી દિલ્હી આંબેડકર ભવન ( Ambedkar Bhawan ) ખાતે કેન્દ્રીય રાજયકક્ષાના આરોગ્ય મંત્રીશ્રીમતી અનુપ્રિયા પટેલના ( Anupriya Patel ) હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

             જેમાં ગુજરાતની અમદાવાદ સિવિલની ટીમના સુપ્રિન્ડેન્ડન્ટ ડો.રાકેશ જોષી તથા આઈ.કે.ડી.ના ડાયરેકટર ડો. પ્રાજલ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સુરત સિવિલ હોસ્પિટલને ( Surat Civil Hospital ) શ્રૈષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તથા જનજાગૃતિ માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં સિવિલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રીબેન પરમાર, ડો.પારૂલબેન વડગામા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ન્યુરોફિજીશ્યન ડો. હરેશ પારેખ તથા ઈમરજન્સ મેડીકલ વોર્ડ-ઈ.ઈકબાલ કડીવાલા સહિતને સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

આ સમાચાર પણ વાંચો :  H. D. Deve Gowda: પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત પર પ્રસન્નતા વ્યક્ત કરી

        બ્રેઈનડેડ થાય ત્યારે પરિવારજનો અંગદાન માટે સંમતિ આપે તેવા પ્રયાસોથકી બીજાના જીવનમાં રોશની આવે તે જ અમારી સાચી સેવા છેઃ તબીબી અધિક્ષક ડો.ધારિત્રીબેન પરમાર

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

      અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરણા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં અંગદાન જનજાગૃતિ અને અંગદાનક્ષેત્રે લોકો જાગૃત્ત થવાના કારણે રાજયભરમાં અંગદાનથકી અનેક લોકોના જીવનમાં નવી રોશની આવી છે. આ અમારો સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશેઃ ડો.પારૂલ વડગામા

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

National Organ Donation Day Surat Civil team awarded for excellence in organ donation by Union Health Minister at Delhi.

            સમાજ, દર્દીના સ્વજનો અને તબીબો વચ્ચે કડીરૂપ બની બ્રેઈનડેડના કિસ્સામાં કાઉન્સેલ કરવું એ અમારી ફરજ છેઃ ઈકબાલ કડીવાલા  

            સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ ૫૯ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે જેમાં ૨૦ આંખ, ૪૬ લિવર, ૧૦૦ કિડની, નવ હાથ, પ હાર્ટ, ૧૨ ફેફસા, એક પેનક્રિયાસ, છ નાના આંતરડા, રેડીયમ ફોરામ એક આમ કુલ ૨૦૦ જેટલા અંગોનું દાન પ્રાપ્ત થયું છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives
સુરત

Surat New Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી: જન્મથી મૂકબધિર ત્રણ ભૂલકાઓને મળ્યું નવ જીવન

by Hiral Meria June 13, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat New Civil Hospital: જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’( RBSK)  અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની ( Cochlear Implant ) વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતાં રૂ. ૮ થી ૧૦ લાખના ઓપરેશન ખર્ચના સ્થાને રાજ્ય સરકારની સહાયથી વિનામૂલ્યે સફળ સારવાર કરાઇ. સુરતના ઓલપાડ તાલુકાના સતિશકુમાર પટેલનો પાંચ વર્ષનો દિકરો તસ્મય જન્મથી જ મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) અને કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઇ જગદાલેની બે વર્ષની દિકરી સારાંશીને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. સુરત શહેરના વરિયાળી બજાર, ધાસ્તિપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડનો ૫ વર્ષીય દિકરાની સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી ત્રણેય બાળકોની ( Deaf Children )  સફળતાપૂર્વક સર્જરી કરી છે.  

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

      

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

    

સારાંશી, અંશ અને તસ્મયના પરિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું.  જે આ મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. પરંતુ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.             ‘

             સુરત સિવિલના ( New Civil Hospital ) ઇ.ચા.તબીબી અધિક્ષક ડો. જીગીશા પાટડીયા વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખુબ ટુંકા સમયમાં 3 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. પિડિયાટ્રીસિયન, એનેશથેશિયા અને ENT વિભાગની ટીમ બાળકોનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યુ અને ENT વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ હતું. લાખો રૂપિયાની કિંમતના કોક્લિયર ઈમ્પ્લાન્ટ જે સરકાર તરફથી વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. ઓપરેશન કર્યા બાદ બાળકોને રિહેબિલીટેશનની જરૂરી હોઇ જેમાં બાળક સાંભળતું, સમજતું થયુ છે, બાળક પોતાની નોર્મલ લાઇફમાં કઇ રીતે આવે તે માટેના પ્રયત્નો ટીમ દ્વારા કરવામાં આવે છે.

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

        કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગની ડૉ.પ્રાંચી રોયે જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ ( Surat Civil Hospital )  ખાતે અત્યાર સુધીમાં ૧૨ સર્જરીઓ કરવામાં આવી છે. તાજેતરમાં જ ૩ સર્જરી કરવામાં આવી છે, આ સર્જરી બહાર કરાવવામાં આવે તો તેના ઈમ્પ્લાન્ટની કિંમત જ ૭ થી ૧૦ લાખનીમાં થાય પણ આ સર્જરી સરકારની યોજનામાં વિના મૂલ્યે કરવામાં આવે છે. સુરત સિવિલના ENT વિભાગની સાથે પિડિયાટ્રીસિયન, એનેશથેશિયા વિભાગ મળીને સફળ સર્જરીઓ કરવામાં આવી છે. બાળકોને રિહેબિલીટેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. 

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

આ સમાચાર  પણ વાંચો:Retail inflation : મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, છૂટક ફુગાવામાં આવ્યો ઘટાડો; જાણો આંકડા..

            નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યાર બાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. 

             નવી સિવિલમાં સફળ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’માં સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ.જૈમિન કોન્ટ્રાકટર, ડો.ગુણવંત પરમાર દાંત વિભાગના વડા, આર.એમ.ઓ.ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, સહિત નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું. 

બોક્સ આઇટમ :- 

     

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

          

કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઈ જગદાલે જણાવે છે કે, મારી દીકરીને સાંભળવામાં તકલીફ છે એ ત્યારે ખબર પડી જ્યારે બાળકી ધ્યાન આપતી ન હતી. અમને શંકા જતાં કામરેજમાં ખાનગી ENT ડોકટરને બતાવી રિપોર્ટ કરાવ્યા હતો અને તેમણે જણાવ્યું કે તે સાંભળી શકતી નથી જેનો સારવાર ખર્ચ ૮ થી ૧૦ લાખ થશે. ત્યાર બાદ કામરેજ આરોગ્ય ખાતામાં બતાવ્યું તેમને સુરત સિવિલ જવા જણાવ્યું. સુરત સિવિલ લાવવામાં આવી. અહી ડોક્ટરોએ યોગ્ય નિદાન કરી તેની સફળ વિના મુલ્યે સર્જરી કરી છે જે હાલ અમારી દિકરીની હાલત સ્થિર છે. આ વિના મુલ્યે સારવાર માટે અમે સરકારના આભારી છીએ. 

 

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

ઓલપાડ તાલુકાના ઓરમા ગામના સતિષકુમાર પટેલ જણાવે છે કે, મારા પિતા દ્વારા મને જાણવા મળ્યું કે આપણું બાળક બોલતું નથી અને રિસ્પોન્સ આપતું નથી. ત્યાર બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને રિપોર્ટ કરાવ્યા અને ડોકટર કહ્યું બાળક સાંભળી શકતું નથી ઓપરેશન કરાવું પડશે જેનો ૮ થી ૧૦ લાખનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. અમને જાણવા મળ્યું કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ છે. અમે અમારા દીકરાને  સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા જ્યાં તેનું વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછીના તમામ રિપોર્ટની કાર્યવાહી પૂર્ણ કરતાં અમારો દીકરો પણ સામાન્ય બાળકની જેમ સાંભળતો થયો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે મારા દીકરાને જ નહીં મારા પરિવારના સભ્યોને ખુશીમાં ગરકાવ કરી દીધા છે. 

આ સમાચાર  પણ વાંચો: Today’s Horoscope : આજે ૧૩ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat's new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.
સુરત

Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ આવી મદદે, રક્તની આ ગંભીર બિમારીથી પીડિત દર્દીની રૂ.૧ કરોડથી વધુની નિ:શુલ્ક સારવાર થકી આપ્યું નવજીવન

by Hiral Meria March 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat:  સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા વારસાગત ગણાતી રક્તની ગંભીર બિમારી ( blood disease ) , હિમોફીલિયાથી પીડિત ૩૨ વર્ષીય હિંમતભાઈ માંગુકિયાની રૂ.૧ કરોડથી વધુ ખર્ચની સારવાર વિનામૂલ્યે કરી ‘સંકટ સમયની સાંકળ’ સાબિત થઈ છે. આ સાથે જ સુરત નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાની સફળતામાં વધુ એક સોપાન ઉમેરાયું છે. સુરત સિવિલમાં અગાઉ પણ આ પ્રકારની અન્ય ગંભીર બિમારીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે.  

           એક્સિડન્ટને કારણે હિંમતભાઈના હાથમાં ફ્રેકચર થવાથી વધુ પડતાં રક્તસ્ત્રાવને રોકવા તેમજ તેમના ઓપરેશન માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આશરે રૂ.૧ કરોડથી વધુની સારવાર આપવામાં આવી હતી. હિમોફીલિયાના ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસમાં સુરત સિવિલના તબીબોએ દર્દીને સ્વસ્થ કર્યા છે, જેમાં હિમોફીલિક ( hemophilia ) દર્દીમાં ભાગ્યે જ જોવા મળતા જટિલ તબક્કાને કારણે તેમની સારવાર માટે નોવા ફેક્ટર-૭ના ૧૨૨ વાઈલ્સ(શીશી) અને ફિબાના ૧૭૬ ડોઝ વપરાયા હતા. જેનો ખર્ચ રૂ.૧ કરોડ જેટલો થયો છે.

           હાડકા વિભાગના સહ પ્રાધ્યાપક ડૉ.નાગેશ દેસાઈએ જણાવ્યુ કે, ગત તા.૧ ફેબ્રુઆરીએ એક્સિડન્ટને કારણે હાથમાં ફ્રેકચર સાથે સિવિલમાં દાખલ થયેલા હિંમતભાઈ માંગુકિયા હિમોફીલિયામાં પણ રેર સ્ટેજથી પીડિત છે, જે કારણે તેમને વધુ પડતો રક્તસ્ત્રાવ થવાથી કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ડેવલપ થયો હતો. જેમાં એક જ જગ્યાએ લોહી એકઠું થતાં હાથના આગળના ભાગમાં લોહી ઓછું પહોંચતું હતું. આ કારણથી વધુ પડતાં રક્તસ્ત્રાવને રોકવા તેમને તાત્કાલિક નોવા ફેક્ટર ૭ અને ફિબા નામક દવાઓ આપવામાં આવી હતી.

            મૂળ બોટાદ જિલ્લાના લાખણકા ગામના વતની અને છેલ્લા ૧૨ વર્ષોથી સુરતમાં રહે છે. તેઓ હીરાઉદ્યોગમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. સિવિલમાં સારવાર દરમિયાન દવાઓની હકારાત્મક અસરને કારણે તેમનું સફળ ઓપરેશન શક્ય બન્યું અને સતત અપાતા ફેક્ટર ૭ને કારણે તેમની સ્થિતિ પણ સુધરી હતી. ત્યારબાદ તા.૨૧ ફેબ્રુઆરીએ તેમના હાથની ત્વચારોપણની સફળ સર્જરી કરાઈ હતી. હાડકાં વિભાગના તબીબોની ટીમે સતત નિરીક્ષણ તેમજ વારંવાર ડ્રેસિંગ કર્યું હતું, જેના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો જોવા મળ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : Anant Ambani-Radhika Merchant’s Pre-Wedding: અંબાણી પરિવારની વીઆઈપી વ્યવસ્થા, મોંઘેરા મહેમાનો માટે બનાવ્યા લકઝરી ટેન્ટ હાઉસ, જુઓ અંદર કેવી છે સુવિધા..

            વધુમાં, ખૂબ મોંઘી એવી નોવા ફેક્ટર ૭ના ૧૨૨ વાઈલ્સ(શીશી) અને ફિબાના ૧૭૬ ડોઝનો ખર્ચ રૂ.૧ કરોડ જેટલો થયો છે, પરંતુ નવી સિવિલ સ્થિત હિમોફીલિયા સેન્ટરના સહયોગથી હિંમતભાઈની સારવારમાં વપરાયેલી દરેક દવાઓ સમયસર, પૂરતા પ્રમાણમાં અને નિ:શુલ્ક ઉપલબ્ધ થઈ હતી. અને એક મહિનાની સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. 

Surat's new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

Surat’s new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

            હિંમતભાઈએ (  hemophilia  patient ) કહ્યું કે, એક્સિડન્ટ થયાના કલાકો સુધી અમે વિવિધ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે રઝળ્યા હતા. પરંતુ મારી સ્થિતિ જાણતા જ દરેકે સારવાર આપવાની ના પાડી હતી, અને નવી સિવિલ હોસ્પિટલમાં જવાનું સૂચન મળતા જ અમે અહીં દાખલ થયા હતા. સિવિલ ખાતે તાત્કાલિક સારવાર શરૂ કરી મને જરૂરી દવાઓ અપાઈ અને મારા હાથનું સફળ ઓપરેશન કરાયું હતું. અહીં ડોકટરો અને નર્સિંગ સ્ટાફના સહયોગથી એક મહિના પછી હું સ્વસ્થ થઈને ફરી મારા ઘરે જઈ રહ્યો હોવાનો મને ખૂબ આનંદ છે. 

Surat's new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

Surat’s new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

             હિંમતભાઈ સાથે રહેતા તેમના પિતરાઈ ભાઈ ખોડાભાઈએ સરકારી હોસ્પિટલમાં ( Surat Civil Hospital ) મળતી સુવિધાઓની પ્રશંશા કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રૂ.૧ કરોડની નિ:શુલ્ક સારવાર-સહાય કોઈપણ મધ્યમવર્ગીય પરિવાર માટે વરદાનરૂપ છે. સિવિલના નિષ્ણાત તબીબોની સમયસૂચકતા અને સચોટ નિદાન-સારવાર પ્રખ્યાત ખાનગી હોસ્પિટલથી કમ નથી એવું અમે જાતે અનુભવ્યું છે.

Surat's new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

Surat’s new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

            નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ગણેશ ગોવેકર વડપણ હેઠળ તેમજ આર.એમ.ઓ ડૉ.કેતન નાયકના માર્ગદર્શન હેઠળ હાડકાં વિભાગના યુનિટ હેડ ડૉ. શિવ આચાર્ય, સહ પ્રાધ્યાપક ડૉ.અંશુલ ગુપ્તા, મદદનીશ પ્રાધ્યાપકો ડૉ.નાગેશ દેસાઈ અને ડૉ.કૃણાલ ચૌધરી, ડો.સંકેત સુતરીયા સહિત સિનિયર-જુનિયર રેસિડન્ટની ટીમ સહિત નર્સિંગ સ્ટાફે સમગ્ર સારવાર માટે જહેમત ઉઠાવી હતી.  

Surat's new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

Surat’s new civil hospital, with such help, Navjeevan provided free treatment worth more than Rs.1 crore to a patient suffering from this serious blood disease.

. હિમોફીલિયા એટલે શું?

             હિમોફીલિયા એક એવો રોગ છે જેમાં ઘા પડ્યા પછી લોહી સતત વહ્યા કરે છે.  સામાન્ય રીતે શરીર પર આપણને ઘા પડ્યા પછી લોહી વહે છે જે થોડાક સમય પછી બંધ થઈ જાય છે. પરંતુ હિમોફિલિયાથી પીડિત દર્દીઓમાં રક્તસ્ત્રાવ લાંબા સમય સુધી બંધ થતો નથી.  આ એક વારસાગત બીમારી છે, જેમાં લોહી ગંઠાઈ જવાની ક્ષમતા ગંભીર રીતે ઘટી જાય છે, જેથી નાની ઈજા પણ ગંભીર રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે. તેમાં સામેલ આનુવંશિકતાને કારણે, સ્ત્રીઓ કરતાં પુરુષો હિમોફીલિયા માટે વધુ સેન્સિટિવ હોય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat : Brain dead patient's 'free tissue donation' from Surat's new civil hospital.
શહેરસુરત

Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલથી બ્રેઈનડેડ દર્દીનું ‘ફ્રી ટિસ્યુ ડોનેશન’: ટિસ્યુને ટ્રાન્સપ્લાન્ટ માટે સુરતથી મુંબઈ લઈ જવાયું

by NewsContinuous Bureau November 3, 2023
written by NewsContinuous Bureau
 
News Continuous Bureau | Mumbai

Surat: અંગદાન મહાદાનની  ( Organ Donation Mahadan )ઉક્તિને સાકારિત કરતા સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાં ( Surat Civil Hospital ) આજે વધુ એક અંગદાન થયું છે. સુરતના બમરોલી ( Bamroli )ખાતે રહેતા બ્રેઈનડેડ( BrainDead ) જિતલાલ ગુદર કશ્યપના ( Jitlal Gudar Kashyap ) બે કિડની ( Kidneys ) , બે ફેફસા ( Lungs ) , લિવર (  liver ) અને નાના આંતરડા ( Small Intestine ) એમ છ અંગોના દાનથી માનવતા મહેકી હતી. અંગદાનની ઘટનાની મહત્વની વાત એ છે કે, આ અંગદાન અંતર્ગત સુરતથી ગુજરાતનું પ્રથમ ‘ફ્રી ટિસ્યુ ડોનેશન થયું છે (‘free tissue donation’ ).અંગદાનની સાથે જ ટિસ્યુ ડોનેશનની વિરલ ઘટના સુરત નવી સિવિલમાં સાકાર થઇ છે. જેમાં વાસ્ક્યુલરાઈઝડ એટલે કે ફ્રી ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટમાં જે વ્યક્તિને આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તેવા દર્દીના શરીરને દૂરબીનથી જોવાની જરૂર પડતી નથી, દર્દી પર થતા સ્કીન રિએક્શન દ્વારા જાણી શકાય છે. અંગદાનમાં સૌથી જટિલ પ્રકિયા ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટને ગણવામાં આવે છે, ત્યારે ‘ફ્રી ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ’ થકી આવનાર સમયમાં બર્ન કેસના દર્દીઓના ચહેરાનું પ્રત્યારોપણની પણ શક્યતા હોવાથી આવા દર્દીઓ માટે વાસ્ક્યુલરાઈઝડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ આશાના કિરણ સમાન બનશે.

સામાન્ય રીતે ઓર્ગન ડોનેશનમાં કિડની, આંખ, હ્યદય, લગ્સ, હાથનું દાન કરવામાં આવે છે, પરંતુ ટીસ્યુના દાનની ઘટનાઓ જવલ્લે જ બને છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી આજે પાંચમા આંતરડાનું દાન કરાયું આવ્યું છે. ત્યારે મુંબઈ ROTTO અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણનું નાના આંતરડાનું વેઈટિંગ ઝીરો થયું છે.

સુરત શહેરની બમરોલી વિસ્તારની શાંતિવન સોસાયટી ખાતે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના પટહાટીયા ખુર્દના વતની ૩૫ વર્ષીય જિતલાલ ગુંદર સંચાખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા.૩૦/૧૦/૨૦૨૩ ના રોજ સાંજે કામ પરથી ઘરે આવી જમીને બાથરૂમ ગયા ત્યાં અચાનક ચક્કર આવતાં બાથરૂમમાં પડી ગયા હતા. મિત્ર અને સ્વજનો દ્વારા તત્કાલ રાત્રે ૧૦:૪૨ વાગ્યે બેભાન હાલતમાં ૧૦૮માં ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સઘન સારવાર બાદ તા.૦૨ નવેમ્બરે સવારે ૧૦.૫૬ વાગ્યે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ અને ડો.મેહુલ મોદીએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

બ્રેઈનડેડ જિતલાલના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી હતી. તેમના પત્ની બસંતીદેવી, દિકરી રૂપા, દીકરો મોહિત અને રોહિત છે.

આ સમાચાર પણ વાંચો : Matheran Mini Train: ચાલો ફરવા માથેરાન, આ તારીખથી ફરી એકવાર મીની ટ્રેન થશે શરૂ….જુઓ સંપૂર્ણ સમયપત્રક. વાંચો વિગતે અહીં…

બ્રેઈનડેડ સ્વ.જિતલાલની બન્ને કિડનીઓ, લીવર તથા બે ફેફસાને અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલ તથા નાના આંતરડાને મુંબઈને ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ અર્થે લઈ જવાયા હતા.

આમ, સુરત સિવિલમાં આજે ૪૯મા સફળ અંગદાનના સેવાકાર્યમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

November 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital
સુરત

Surat Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન માનસિક બિમારીથી પીડિત ૮૬૩ દર્દીઓને સારવાર આપવામાં આવી

by Hiral Meria October 9, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat Civil Hospital: ‘૧૦ ઓક્ટોબર: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ ( World Mental Health Day ) લોકોમાં માનસિક સ્વાસ્થ્ય ( mental health )  પ્રત્યે જાગૃત્ત કરવા, માનવ અધિકાર તરીકે દરેકના માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી આરોગ્ય વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. ‘OUR MIND OUR RIGHT‘ ની થીમ નક્કી કરવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્ય એ તમામ લોકો માટે મૂળભૂત માનવ અધિકાર છે. પ્રત્યેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યના ઉચ્ચત્તમ પ્રાપ્ય ધોરણનો અધિકાર ધરાવે છે. સારૂ માનસિક સ્વાસ્થ્ય આપણા એકંદર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. છતાં વૈશ્વિક સ્તરે આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે જીવે છે, જે તેમના શારીરિક સ્વાસ્થ્ય ( physical health ) , તેમની સુખાકારી, લોકો અને પરિવાર સાથેના જોડાણ અને આજીવિકા પર અસર કરી શકે છે. માનસિક અસ્વસ્થતા, માનસિક વિકૃતિઓ કિશોરો અને યુવાનોને પણ અસર કરી રહી છે. 

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૫૩,૪૯૪ ઓપીડી થઈ હતી. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૬૩ દર્દીઓએ એડમિટ કરી તેમને સારવાર આપવામાં આવી હતી. 

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

 

સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના વડા ડૉ.ઋતમ્ભરા મહેતા જણાવે છે કે, આજે નવી સિવિલના માનસિક રોગ વિભાગમાં રોજ માનસિક રોગોથી પીડિત ૨૦૦ થી ૨૫૦ દર્દીઓ ઓપીડીમાં આવે છે. અહીં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિની પણ શાખા છે. આજે વ્યસન અને કોમન મેન્ટલ ડિસોર્ડરના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. વિશેષત: ૧૫ થી ૨૫ વર્ષના યુવાવર્ગ અને વિદ્યાર્થીઓમાં દેખાદેખી, લક્ઝરી જીવન જીવવાની મહેચ્છા, સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગના કારણે હતાશા કે ડિપ્રેશનનો શિકાર બને છે. આ સમસ્યામાંથી બચાવવા તેમને માનસિક સધિયારો, કાઉન્સેલિંગ અને હુંફ આપવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ ચિંતામાં, ડિપ્રેશનમાં, તકલીફમાં હોય ત્યારે તેની સાથે વાતો કરી તેને મનોચિકિત્સક પાસે પહોંચાડીએ તો એ પણ એક સેવા કાર્ય છે. 

 તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સામાન્ય માનસિક તકલીફોમાં ચિંતા, તનાવ, ડિપ્રેશન, શારીરીક દુ:ખાવા,વ્યસન, સ્ટ્રેસ જેવી સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે. જેમ જીવનમાં સ્ટ્રેસ વધે છે, તેમ માનસિક તકલીફો પણ વધતી જાય છે. હવે લોકોમાં માનસિક સમસ્યાઓ વિશે જાગૃતિ વધી છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂરિયાત વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ વધવા લાગી છે. માનસિક સમસ્યાનો ભોગ બનવા છતાં લોકો ડૉકટર પાસે જઈને સારવાર લેતા ખચકાય છે. સમસ્યાના લક્ષણો હોવા છતાં તે સ્વીકારી શકતા નથી કે તેમને માનસિક સમસ્યા છે.

 આ સમાચાર પણ વાંચો:  Solar Photovoltaic Power Project: NLC ઇન્ડિયા લિમિટેડ રાજસ્થાનમાં 810 MW ગ્રીડ કનેક્ટેડ સોલર ફોટોવોલ્ટેઇક પાવર પ્રોજેક્ટ મેળવ્યો.

હવે વૃદ્ધોમાં પણ નિરાશા અને ડિપ્રેશન જોવા મળે છે. અગાઉની સંયુક્ત કુટુંબ પ્રથા હવે નામશેષ થતી જાય છે. વૃદ્ધ માતાપિતા સાથે રહેવાને બદલે વિદેશમાં સ્થાયી થવાની કે અલગ રહેવાની માનસિકતા ઉભી થઇ રહી છે. જેથી માતા-પિતા ગામડે અથવા અલગ રહેતા હોવાનું જોવા મળે છે, બીજા દેશોમાં માઈગ્રેટ થઈ જાય છે, જેના કારણે ઘરડા મા-બાપ એકલા પડી જાય છે. જૂની પેઢીના મિત્રો અને સમાજનો સપોર્ટ મળતો નથી, અને એકલતા સતાવે છે. પરિણામે તેઓ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે એમ ડૉ.ઋતમ્ભરા મહેતાએ ઉમેર્યું હતું. 

દરેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન-જાગૃત થાય, માનસિક તકલીફને આપણે એક કલંક ન સમજીએ, પણ પડકારરૂપે લઈએ અને તેમાંથી બહાર આવીએ એ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટે સરકારી સ્તરે પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (NMHP) ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૮૨માં લોકોને લઘુત્તમ માનસિક સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક આરોગ્ય સંભાળમાં માનસિક આરોગ્ય સંભાળને સાંકળવાનો અને સામુદાયિક આરોગ્ય સંભાળ તરફ આગળ વધવાનો હતો. આ પછી વર્ષ ૨૦૧૪ માં ૧૦ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય નીતિની જાહેર કરવામાં આવી હતી. 

 

October 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
For the first time at Surat New Civil Hospital, Matrubha Sahi Abhiyan has been launched in Mother Tongue.
રાજ્ય

Surat Civil Hospital : સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત માતૃભાષામાં માતૃભાષા સહી અભિયાનનો પ્રારંભ

by Akash Rajbhar September 18, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Surat Civil Hospital : સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધી ટ્રેઈન્ડ નર્સિંસ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમવાર દેશના યશસ્વી વડાપ્રધાનના ૭૩માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ૨૭૩ મીટરના કાપડ ઉપર ‘અંગદાન એ મહાદાન’ સૂત્રો થકી લોકોમાં જનજાગૃતિ ઉદ્દેશ સાથે સૌપ્રથમ વખત માતૃભાષામાં(mother tongue) સહી કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ જીતુભાઈ વખારિયાએ પોસ્ટર સાથે અંગદાન થીમને પોસ્ટર સાથે અંગદાન અભિયાનનો ખુલ્લો મુક્યો હતો. સાથે જ સહી ઝુંબેશ અભિયાનમાં સહભાગી બની શાંતિના દૂત એવા બલૂન ઉડાડી અંગદાનનો સંકલ્પ કર્યો હતો.

આ અવસરે ઈકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના(PM Modi) જન્મ દિવસને અનોખી રીતે યાદગાર બનાવવા અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ઈચ્છાનું મૂળ જ સંકલ્પ છે એટલે મનુષ્ય જેવો સંકલ્પ કરે તેવી ઈચ્છા કરે અને પછી તે ઈચ્છા પૂરી કરવા તેને અનુરૂપ કર્મ કરતો હોય છે. અંગદાનની વાત આવે તો તરત જ સુરતનું નામ મોખરે આવે.અંગદાન થકી અન્યના જીવનમાં રોશની ફેલાવીએ તેવા ઉમદા આશ્યથી રાજ્યના દરેક જનસમૂહ આ જનજાગૃતી અભિયાનને જન આંદોલનમાં ફેરવીએ અમારો સાચો સંકલ્પ છે એમશ્રી કડીવાલાએ જણાવ્યું હતું.

આ અવસરે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, ચેસ્ટ વિભાગના વડા અને સિન્ડિકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, પ્લાસ્ટિક સર્જન ડો. નિલેશ કાછડીયા, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કિરણ દોમડીયા, ૩૭૩ નર્સિંગ તજજ્ઞો, ઉદ્યોગપતિ જીતુભાઈ વખારીયા, નર્સિંગ એસોસિએશનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Gujarat : માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમ યોજાયો

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક