• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Surat News
Tag:

Surat News

India’s First Trademarked Rural Mall at Visdaliya Empowers Tribal Communities
સુરત

Visdaliya Rural Mall: માંડવી તાલુકાના વિસડાલીયા ગામે દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ

by Akash Rajbhar September 25, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • આદિમજૂથની મહિલાઓ ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી મસાલા, પાપડ અને બેકરીના વ્યવસાયમાં તાલીમ મેળવી આત્મનિર્ભર બની

  • સ્વદેશીની સંકલ્પનાને હકીકતમાં ફેરવી ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ આપી રહ્યો છે વિસડાલીયા રૂરલ મોલ

  • વર્ષ ૨૦૨૨માં વિસડાલીયા રૂરલ મોલને આદર્શ કાર્યો માટે પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો હતો

  • વિસડાલિયા રૂરલ મોલ આજે માત્ર એક વેપારી કેન્દ્ર નથી, પરંતુ આદિજાતિ સમાજને આગળ વધવા માટેનો માર્ગ બન્યો છેઃ ફોરેસ્ટ ઓફિસર રવિન્દ્રસિંહ વાઘેલા

  • કારીગરો અને મહિલાઓ અગાઉ પોતાના ઉત્પાદનોને માત્ર સ્થાનિક હાટબજારમાં જ વેચી શકતા હતા, પરંતુ હવે ટ્રેડમાર્ક મળવાથી ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળી: ક્લસ્ટર હેડ વિનિતકુમાર

માંડવી તાલુકાના વિસડાલીયા ગામે સુરત વનવિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે, જે આદિમજૂથોને રોજગારી અને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી રહ્યો છે. ટ્રેડમાર્ક મેળવ્યા બાદ આ મોલ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યો છે. વિસડાલીયા આસપાસના ૩૨ ગામોના ૩૦૦ જેટલા આદિજાતિ કારીગરો મોલ સાથે જોડાયેલા છે. આદિમજૂથની મહિલાઓ ઘરની ચાર દીવાલોમાંથી બહાર આવી મસાલા, પાપડ અને બેકરીના વ્યવસાયમાં તાલીમ મેળવી આત્મનિર્ભર બની છે. અહીં હસ્તકળા વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા યુનિટ, દાળ-મસાલા પ્રોસેસિંગ, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ થઇ રહ્યું છે.
આદિમજૂથોને સશક્ત બનાવવા બદલ વર્ષ ૨૦૧૯માં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા વિસડાલીયાને દેશના ટોચના નવ ક્લસ્ટરમાં સ્થાન અપાયું હતું. તેમજ આદર્શ કાર્યોને કારણે વર્ષ ૨૦૨૨માં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી પણ હાંસલ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે દેશવાસીઓને જાગૃત્ત થઈ રહ્યા છે, ત્યારે વિસડાલીયા રૂરલ મોલ સ્વદેશીની સંકલ્પનાને હકીકતમાં ફેરવી ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ આપી રહ્યો છે.
માંડવી ફોરેસ્ટ ઓફિસર (નોર્થ રેન્જ) રવિન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૩માં દેશમાં સૌપ્રથમ વખત સુરત વન વિભાગે માંડવી તાલુકાના વિસડાલિયા ખાતે રૂરલ મોલ શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોલે વાંસ આધારિત હસ્તકળા અને ફર્નિચર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાના કોટવાળીયા સમાજના લોકોને તાલીમ આપવામાં આવી. વર્ષ ૨૦૧૮ પછી મશરૂમ ખેતી, દાળ-મસાલા પ્રોસેસિંગ, બેકરી, ફ્લેવર વોટર અને કાચી ઘાણી તેલ જેવા નવા યુનિટ શરૂ કરાયા. મોલની સફળતા બાદ ૨૦૨૨-૨૩માં નેત્રંગ, છોટાઉદેપુર, ડેડિયાપાડા અને ડાંગમાં પણ આ પ્રકારના રૂરલ મોલ શરૂ કરાયા.

India’s First Trademarked Rural Mall at Visdaliya Empowers Tribal Communities


વધુમાં તેમણે કહ્યું કે, વિસડાલિયા રૂરલ મોલ આજે માત્ર એક વેપારી કેન્દ્ર નથી, પરંતુ આદિજાતિ સમાજને આગળ વધવા માટેનો માર્ગ બન્યો છે. વાંસની બનાવટોથી કારીગરોને નવી ઓળખ મળી છે. અગાઉ આદિજાતિ પરિવારો માટે રોજગારીના મર્યાદિત સાધનો હતા, પરંતુ હવે તેઓ હસ્તકલાની વસ્તુઓને સીધા સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકે છે. યુવાનો અને મહિલાઓએ તાલીમ મેળવીને પોતાના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
આ મોલે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો ગ્રામ્ય સમાજ આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે. સુરત વન વિભાગ માટે ગૌરવની વાત છે કે વિસડાલિયા મોલ આજે સમગ્ર ગુજરાત માટે આદર્શ મોડેલ બન્યો છે એમ શ્રી વાઘેલાએ કહ્યું હતું.
વિસડાલિયા રૂરલ મોલના ક્લસ્ટર હેડ વિનિતકુમારે જણાવ્યુ હતું કે, રૂરલ મોલ સાથે જોડાયેલા કારીગર પરિવારો અને હસ્તકલામાં માહેર મહિલાઓ અગાઉ પોતાના ઉત્પાદનોને માત્ર સ્થાનિક હાટબજારમાં જ વેચી શકતા હતા, પરંતુ હવે ટ્રેડમાર્ક મળવાથી તેમના ઉત્પાદનોએ વૈશ્વિક પહોંચ મેળવી છે. મોલ મેનેજમેન્ટ દ્વારા મળતી તાલીમ, આધુનિક સાધનો અને બજારમાં સીધી પહોંચને કારણે તેમની આવકમાં સતત વધારો થયો છે. હાલ વિસડાલીયા કલસ્ટર થકી આજુબાજુના ૩૨ ગામના ૩૦૦થી વધુ લોકોને રોજગારી આપવામાં આવી રહી છે તેમજ રૂરલ મોલ દરરોજ ૫૦-૬૦ લોકો કામ કરવા માટે આવે છે, પહેલા શરૂઆતમાં આ લોકો મહિને ૩ થી ૪ હજારની કમાણી કરતાં હતા તે આજે ૮ થી ૨૨ હજાર સુધીની આવક મેળવી રહ્યાં છે
આદિજાતિ યુવાનો વાંસમાંથી બનતું ફર્નિચર, ઘરગથ્થું સામાન અને હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. આવનારા સમયમાં મિલેટ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતી અને અન્ય યુનિટોમાં વધુ લોકોને જોડીશું એમ જણાવી તેમણે ઉમેર્યું કે, આવકમાં વૃદ્ધિ થવાથી આદિજાતિ કારીગરોમાં આત્મવિશ્વાસ, આર્થિક સ્વતંત્રતા અને સામાજિક દરજ્જો વધ્યો છે. મોલના ઉત્પાદનોનું વેચાણ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં થતું હોવાથી તે સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે.
જો આપણે સ્વઉત્પાદિત સ્વદેશી વસ્તુઓ ખરીદીશું તો આપણા ગામ, શહેરના કારીગરો, ઉદ્યોગો અને નાના વ્યવસાયીઓને રોજગારી-આજીવિકાના નવા સ્ત્રોતો મળશે એમ તેમણે કહ્યું હતું.

India’s First Trademarked Rural Mall at Visdaliya Empowers Tribal Communities


કોટવાળીયા સમાજના હસ્તકળા ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી: મહિલાઓ બની આત્મનિર્ભરતાનો માર્ગ

અહીં કોટવાળીયા સમાજના કારીગરો વાંસમાંથી સોફા સેટ, ખુરશી, ટેબલ, હિંચકા, સુશોભનની ચીજો સહિત અનેક ઘરગથ્થું સામાન તૈયાર કરે છે. તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત નથી, પરંતુ મુંબઈ, દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પહોંચે છે. રોજગારીના આ કેન્દ્રના કારણે આજુબાજુના યુવાનો પોતાની કુશળતાને વ્યવસાયરૂપે વિકસાવી રહ્યા છે. મોલમાં મળતી તાલીમ અને સુવિધાઓ દ્વારા આદિજાતિ મહિલાઓ સ્વરોજગારી તરફ વળી છે.

શિક્ષણ સાથે તાલીમનો નવો અભિગમ

રૂરલ મોલમાં લાયબ્રેરી અને અભ્યાસ કેન્દ્ર ઉભા કરાયા છે, જ્યાં આદિજાતિ બાળકો અભ્યાસ કરીને પોતાના ભવિષ્યને ઘડી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ મેળવી છે. સુરત જિલ્લા વન વિભાગ દ્વારા વાંસ હસ્તકળા, બેકરી, મશરૂમ ખેતી અને ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ વન સંવર્ધન અને જળ સંરક્ષણની કામગીરી પણ ચાલી રહી છે.

(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)

September 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News 96 vigilance teams check electricity connections in Rander, electricity theft worth Rs. 2.47 crore caught
સુરત

Surat News : સુરતના રાંદેર વિસ્તારમાં વિજીલન્સની ૯૬ ટીમો દ્વારા વીજજોડાણોમાં ચેકીંગ, ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા.૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી પકડાઈ

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News : રાંદેર શહેર-૧ અને ૨ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.) અને DGVCL વિજીલન્સની ૯૬ ચેકીંગ ટીમો દ્વારા વીજજોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન કુલ ૪,૫૩૩ વીજજોડાણ ચેક કરતા ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા. ૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી થઈ હોવાનું જણાયું હતું.

GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.)ના વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર ડી.પી. મોદી, DGVCL વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર યુ.એ. ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઈજનેર બી.સી. ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી.. આ રેડ દરમ્યાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરીંગ સાથે ચેડા કરી તેમજ મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેકટ વીજચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું જેથી ચેકીંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક ઇજનેર (વિજીલન્સ વિભાગ)ની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News Surat Police came to the aid of an elderly widow and her mentally unstable children from Chowk Bazaar.
સુરત

Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News :  સુરત શહેર પોલીસે ફરી એકવાર માનવીય અભિગમથી માનવતાની ફોરમ ફેલાવી છે. પોલીસના મુખ્ય ઉદ્દેશોની સાથોસાથ માનવીય સંવેદનાને સ્થાન આપતી સુરત પોલીસે ચોકબજાર વિસ્તારની જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર પુત્ર-પુત્રીને જીવન જીવવાની નવી દિશા આપી છે.

ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વિધવા અને તેના માનસિક અસ્વસ્થ સંતાનોની કરૂણ પરિસ્થિતિની જાણ FFWSના કોર્ડિનેટર પિયુષકુમાર શાહ દ્વારા નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીર સુધી પહોંચી હતી. જેથી તેમણે તાત્કાલિક ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. ચૌધરીને શી ટીમ સાથે તપાસ માટે મોકલ્યા. જ્યાં જાણવા મળ્યું કે પરિવારનો આવકનો કોઈ સ્ત્રોત નથી, ઘરના નાના નાના ખર્ચ પણ ઉપાડી શકે એમ નથી. માનસિક રીતે અસ્થિર પુત્ર-પુત્રીને યોગ્ય સારવાર મળે તો તેમની સ્થિતિ સુધરી શકે એવું જણાયું.

નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીરના સૂચનથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચૌધરીએ તાત્કાલિક રીતે ખાદ્યસામગ્રી, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને સ્વચ્છતા કિટ સાથે સહાય પહોંચાડી. વધુમાં, આવા જરૂરિયાતમંદોને દર મહિને સહાય મળે તે માટે દાતાઓ સાથે જોડાણ વધારવાનું આયોજન કર્યું છે. સાથે સાથે, માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન અને સારવારની પણ વ્યવસ્થા કરાઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સોના સિવાય બીજું શું મળ્યું? સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચેલા વ્યક્તિએ આપી ચોકાવનારી માહિતી

સુરત શહેર અને સુરતીઓ હંમેશા સેવાકીય ભાવનાથી આગળ રહ્યા છે, ત્યારે પોલીસની આ માનવીય કામગીરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની છે. જરૂરિયાતમંદ માટે પોલીસ માત્ર કાયદાકીય જાહેર સંસ્થા નહીં, પણ પીડિતો, જરૂરિયાતમંદ માટે આશરો છે તે હકીકત ફરી એકવાર સાબિત થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News Sakhi one stop center reunites 19-year old daughter with parents after leaving home in anger and arriving in surat from delhi
સુરત

Surat News : ગુસ્સામાં ઘર ત્યજી દિલ્હીથી સુરત આવી પહોંચેલી ૧૯ વર્ષની દીકરીનું માતા-પિતા સાથે પુન:મિલન કરાવતું ‘સખી’ વન સ્ટોપ સેન્ટર

by kalpana Verat June 3, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Surat News : મહિધરપુરા પોલીસને મળી આવેલી ૧૯ વર્ષની ખુશી (નામ બદલેલ છે)ના વાલી-વારસો, પરિજનો ન મળી આવતા આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી. પોતાની ઈચ્છા વિરુદ્ધ પિતા દ્વારા મદ્રેસામાં મૂકી હોવાથી યુવતી ભાગીને સુરત આવી પહોંચી હતી. સતત ચાર દિવસ કાઉન્સેલિંગ બાદ યુવતીનું મૂળ એડ્રેસ તેમજ સોશિયલ મીડિયા થકી અન્ય વિગતો મળતા તેમના માતા-પિતાનો સંપર્ક કરી સેન્ટર દ્વારા દીકરીને માતા પિતા સાથે મેળાપ કરાવાયો હતો.     

              મૂળ દિલ્હીની રહેવાસી ખુશીને મદ્રેસામાં અભ્યાસ કરવાની ઈચ્છા ન હતી, જેથી તે ગુસ્સામાં ઘરેથી ભાગીને ટ્રેન દ્વારા સુરત આવી ગઈ હતી. યુવતીને માતા-પિતા સાથે રહેવું ન હોવાથી એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જણાવતી ન હતી અને ગમગીન રહેતી હતી. ચાર દિવસ સેન્ટર પર સારી રીતે રહ્યા બાદ યુવતીએ સેન્ટરના લોકો પર વિશ્વાસ દાખવી ઘરનું સરનામું જણાવ્યું હતું. જેથી સુરત સખી સેન્ટર દ્વારા દિલ્હી પોલીસ અને દિલ્લી OSC સેન્ટરનો સંપર્ક કરાયો હતો. અને ખુશીના અન્ય સોશિયલ મીડિયાના મિત્રોનો ટેલિફોનીક સંપર્ક કર્યો હતો. આઠ દિવસથી દીકરી હેમખેમ સુરત સખી સેન્ટરમાં હોવાની જાણ થતાં જ માતા-પિતા દીકરીને લેવા માટે દિલ્લીથી સુરત આવી પહોંચ્યા હતા. દીકરીને સુરક્ષિત જોઈ માતા-પિતાએ  ભાવુક થઈ સેન્ટરના કર્મચારીઓને આભાર વ્યકત કર્યો હતો. સખી સેન્ટર દ્વારા દીકરીના માતા-પિતા સાથે ગ્રુપ મિટિંગ કરી દીકરીની યોગ્ય સારસંભાળ રાખવા અને તેની ઈચ્છા મુજબ તેને સારી સ્કૂલમાં અભ્યાસ કરવા સમજ આપી હતી. અંતે દસ દિવસે દરેક વિગતોની ખરાઈ કરી દીકરીનો કબજો સુરક્ષિત તેમના માતા પિતાને સોંપાયો હતો. 

આ સમાચાર પણ વાંચો:  Western Railway : મે 2025 માં મેસર્સ મારુતિ સુઝૂકી,જીસીટી બેચરાજી એ કર્યું અત્યાર સુધી નું સર્વશ્રેષ્ઠ લોડિંગ

         મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૯ વર્ષની દીકરીનું માતા-પિતા સાથે પુન:મિલન કરાવી પરિવારને વિખેરાતા અટકાવાયો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News: 'Sakhi' one-stop center reunites woman begging on the street with two children with family
સુરત

Surat News : બે બાળકો સાથે રસ્તા પર ભીખ માંગતી મહિલાનુ પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવતી ‘સખી’ વન સ્ટોપ સેન્ટર

by kalpana Verat June 2, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Surat News :

  • પારિવારીક ઝઘડાથી બે બાળકો સાથે ભિચ્છુક જીવન જીવતી મહિલાનું ઉગારતી ભારત સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર’
  • માતૃત્વને પ્રેમ, બાળકોને ભવિષ્ય અને સંબંધોને નવી શરૂઆત આપતી સખી વન સ્ટોપ સેન્ટરની નારીઓ
  • ઘરેથી વિમુખ થયેલ મહિલા સાથે બે બાળકોને મળ્યું પોતાનું ઘર

 મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર યોજના’ એ સુરતમાં એક એવી મહિલાને જીવનની નવી દિશા મળી, જે દિલ્લીથી પારિવારીક હિંસા બાદ બે બાળકો સાથે જીવનની આશ ખોઇ બેઠી હતી. રેલવે સ્ટેશનના ખૂણેથી એક મહિનાથી વધુના સમયથી સંઘર્ષમય જીવન જીવતી આ મહિલાને સખી સેન્ટરે માત્ર આશ્રય જ નથી આપ્યો, પણ પ્રેમ, કાઉન્સિલિંગ અને આત્મવિશ્વાસથી ભરેલું એવું વાતાવરણ પૂરું પાડ્યું કે, તેણે પોતાના વિખરાયેલા દામ્પત્યને ફરીથી સમેટવાનો નિર્ણય કર્યો.

મૂળ દિલ્હીની અને છેલ્લા એક મહિનાથી પરિવાર સાથે સુખમય જીવન વિતાવતી મહિલા પતિ સાથે ઝઘડો થતાં બે બાળકો સાથે પરિવાર છોડીને એક મહિનાથી સુરત ખાતે આવી પહોંચી હતી. મહિલા સુરતના રેલવે સ્ટેશન પર છેલ્લા ચાર-પાંચ દિવસથી બાળકો સાથે રહેતી હતી. જેની રેલ્વે માસ્ટરને જાણ થતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મહિલાને આશ્રય માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં લાવવામાં આવ્યા હતી. ત્યાં સેન્ટરના સ્ટાફ દ્વારા મહિલાને લાગણીસભર અને સુરક્ષિત વાતાવરણમાં કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેથી મહિલાને પ્રેમ અને હુંફ આપી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવતા મહિલાએ ધીમે ધીમે ખુલાસો કર્યો કે પતિ દારૂના નશામાં મારપીટ કરે છે અને ઘરખર્ચ પણ આપતો ન હતો, તેથી લાચારીવશ પરિવાર છોડી દીધો હતો. ત્યારબાદ મહિલા તેના બે બાળકોને લઈ ઘર છોડીને કમાવવા માટે દિલ્હીથી સુરત ટ્રેન મારફતે આવી હતી. મહિલા સાથે નાના બે બાળકો હોય જેથી તાત્કાલિક નોકરી ન મળતા મહિલા ભીખ માંગીને બાળકોનું ભરણપોષણ કરતી હતી.

જેથી સખી વન સ્ટોપ દ્વારા મહિલાને સમજાવતા બે બાળકો સાથે રસ્તા ઉપર રહી ગુજરાન ચલાવવું અઘરું અને અસુરક્ષિત છે. પરિવાર સાથે રહીને બાળકોને સાચી સમજ અને સંસ્કાર આપવું જરૂરી હોવાની સમજણ આપતા બાળકોને માતા તેમજ પિતાનો બંનેનો અનહદ પ્રેમની જરૂર હોય છે. એવી સમજણ આપતા મહિલાને તેની ભૂલનો પસ્તાવો થતા તેમના પતિ સાથે સમાધાન કરીને જવા માટે તૈયાર થઈ હતી. દિલ્હીમાં રહેતા મહિલાના પતિને વારંવાર ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ મહિલાના માતા સાથે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ યુવતીના પતિ લેવા આવવા માટે તૈયાર ન હતા ત્યારે વારંવાર ટેલિફોનિક સંપર્ક કરી ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા મહિલાના પતિનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરી સમજણ આપી હતી. સેન્ટર દ્વારા ઘણા પ્રયત્નો કર્યા બાદ તેઓ તેમની પત્નીને લેવા આવવા માટે તૈયાર થયા અને એક મહિના પછી મહિલાના પતિ તેમજ માતા દિલ્લીથી સુરત સેન્ટર ખાતે લેવા માટે આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Operation Sindoor : સુવર્ણ તક.. ‘ઓપરેશન સિંદૂર’ પર નિબંધ લખો અને મેળવો આટલા હજાર રૂપિયાનું ઇનામ સાથે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આમંત્રણ..

સખી વન સ્ટોપ સેન્ટર સુરત દ્રારા બંને પક્ષોને બેસાડીને કાઉન્સિલિંગ કરીને બંને પક્ષોને પોતાની જવાબદારી અંગે સમજણ આપી તેમજ સુખમય શાંતિપૂર્વક સંસાર અને બાળકોનો ઉછેર કરવા સમજણ પુરી પાડી હતી. મહિલા અને બંને બાળકોનો પિતા સાથે સેન્ટરની ટીમે સુઃખદ મિલન કરાવી પરિવારનું પુનઃસ્થાપન કરાવવાતા ઘરેથી વિમુખ થયેલ મહિલા સાથે બે બાળકેને પોતાનું ઘર મળ્યું હતું સાથે માતૃત્વને પ્રેમ, બાળકોને ભવિષ્ય અને સંબંધોને નવી શરૂઆત આપવામાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની નારીઓ સફળતા મળી હતી.

મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત મેડલ અને દહેજ પ્રતિબંધક સંહરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દિલ્હીથી સુરત આવી છેલ્લા એક મહિનાથી રેલવે સ્ટેશન પર ભિચ્છુક જીવન જીવતી મહિલા સાથે બે બાળકોનું પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવવામાં સુરતના સખી વન સ્ટોપ સેન્ટરને સફળતા મળી હતી.

June 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!
સુરત

Surat News : પોલીસની સરાહનીય કામગીરી, માતા-પિતાથી વિખૂટા પડેલા 9 વર્ષના બાળકનું પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

by kalpana Verat May 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News : 

  • માનદરવાજા ખાતે લગ્નપ્રસંગ દરમિયાન નવ વર્ષનો સાહિલ રમતા-રમતા ગુમ થયો હતો
  • સઘન ચેકિંગ, હ્યુમન સોર્સ, તપાસ-શોધખોળના કારણે બાળકને ગણતરીના કલાકોમાં શોધવામાં સફળતા મળી: સલાબતપુરા પીઆઈ કે.ડી. જાડેજા
  • બાળક સહીસલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવવાહી દ્રશ્યો

 માતા-પિતાથી વિખૂટા પડેલા નવ વર્ષના બાળકને શોધી માતાપિતા સાથે પુનઃમિલન કરાવી સલાબતપુરા પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. બાળક સહીસલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!


લિંબાયત વિસ્તારના આંબેડકરનગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માનદરવાજા સ્થિત પદમાનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો, ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નવ વર્ષનો સાહિલ બાળકો સાથે રમતા-રમતા દૂર ચાલ્યો ગયો હતો. સાહિલ માટે વિસ્તાર અજાણ્યો હોવાથી ઘરે પરત આવી શક્યો ન હોવાથી માતા-પિતા સાથે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પણ સાહિલ ન મળતા પરિવારજનોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!

સાહિલને શોધવા સલાબતપુરા પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.જે.ચૌહાણ, પીઆઈ એસ.એ.શાહ તેમજ પીએસઆઈ, પોલીસની શી ટીમ અને પાંચ સર્વેલન્સ ટીમો માનદરવાજા વિસ્તારમાં બાળકના ફોટા સાથે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસના કામે લાગી હતી અને ગણતરીની કલાકોમાં ટીમ વર્ક થકી નવ વર્ષના સાહિલને શોધી કાઢ્યો હતો.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!

 

સલાબતપુરા પીઆઈ કે.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, માતાના ચહેરા પરથી લગ્ન પ્રસંગનો ઉમંગ ઊડી ગયો હતો અને પરિવાર ખૂબ ચિંતિત હતો. પરંતુ સઘન ચેકીંગ, હ્યુમન સોર્સ, તપાસ-શોધખોળના કારણે અમને સફળતા મળી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Cable-Stayed Reay Road Bridge : મુંબઈને મળ્યો પહેલો કેબલ-સ્ટેડ રોડ ઓવરબ્રિજ; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું ઉદ્ઘાટન..

સાહિલની માતાએ પોલીસને દુઆ આપતા કહ્યું હતું કે, પોલીસ અમારા માટે દેવદૂત બનીને આવી. પોલીસ માટે જેટલી દુઆ કરૂ એટલી ઓછી છે એમ જણાવી હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News A 24x7 Emergency Operations Center is operational at the Disaster Management Center located at Athawalines, Surat.
સુરત

Surat News: સુરતના અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૨૪x૭ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત, ૧૨ જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાશે

by kalpana Verat May 10, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Surat News:

  • સેન્ટરમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન: ૧૨ જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાશે
  • ઈમરજન્સીની સ્થિતિમાં એરફોર્સ, નેવી અને આર્મી લશ્કરની ત્રણે પાંખ સાથે સીધો સંપર્ક સાધશેઃ

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્દભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ૨૪x૭ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. સેન્ટરમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન તેમજ જનરેટર, ટોર્ચ લાઈટ, પાવર સપ્લાયની પૂરતી વ્યવસ્થા છે.

સુરત ડિઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર સાજીદ મેરૂજયએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, નાગરિક સંરક્ષણને લગતી ૧૨ પ્રકારની સેવાઓ માટે વિવિધ વિભાગના અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવશે. સાથે સાથે BSNL, જિયો, VI અને એરટેલ સહિતના ટેલીકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરના નેટવર્કનું પણ મોનિટરિંગ કરાશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. ફાયરની સ્થિતિમાં આગને કાબુમાં લેવા માટે વિસ્તારવાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપાશે. રેસ્ક્યુ અને શોધખોળ, બચાવ-રાહત કામગીરી માટે પણ અધિકારીઓને જવાબદારી સોંપાશે.

વધુમાં મેરૂજયએ કહ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન સેવા (સાલવેજ સર્વિસીસ) મિલકતની સંભાળ, કાટમાળ હટાવવો, પૂરવઠા સેવા સહિતની સેવાઓનું આયોજન અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સેટેલાઈટ ફોન પણ કાર્યરત છે. ૧૨ જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાશે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Grain Stock India : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે સરકારે ખાતરી આપી, આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી

સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૬૧-૨૬૬૩૨૦૦, ૨૬૬૩૬૦૦, ડિઝાસ્ટર ટોલ ફ્રી હેલ્પલાઇન નં.૧૦૭૭ તેમજ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૬૧-૨૨૪૧૩૦૧, ૨, ૩ અને ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમના ફોન નં.૦૨૬૧- ૨૬૫૧૮૪૦ પર સંપર્ક કરી શકાશે.

નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ:

(૧) મુખ્ય મથક સેવા
(૨) વોર્ડન સેવા
(૩) અગ્નિ શામક સેવા
(૪) આકસ્મિક સેવા
(૫) સંદેશા વ્યવહાર સેવા
(૬) બચાવ સેવા
(૭) તાલીમ સેવા
(૮) કલ્યાણ સેવા
(૯) ડેપો અને વાહન વ્યવહાર સેવા
(૧૦) મડદા નિકાલ સેવા
(૧૧) પુરવઠા સેવા અને
(૧૨) મિલકત બચાવ સેવા
ઉપરોક્ત તમામ પ્રકારની સેવાઓનું કંટ્રોલ રૂમ ખાતેથી ૨૪x૭ કલાક નિરીક્ષણ થઈ રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
 Surat News Surat Tribal Father Bids Farewell To Daughter With 9 Roses In Umarpada
સુરત

 Surat News :આદિવાસી પિતાએ દહેજને તિલાંજિલ આપી નવ ગુલાબના ફૂલ સાથે દિકરીને વિદાય આપી- કન્યાદાન કર્યું

by kalpana Verat May 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News : આદિવાસી સમાજ પુરાતનકાળથી પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. તેની સંસ્કૃતિ જ અલગ ભાત પાડે છે. આપણા દેશમાં અનેક પ્રકારના સમુદાયો વસે છે અને પોતપોતાના પ્રસંગો, વિવિધ રીતિ-રિવાજોથી જોડાયેલા છે. સૌ માટે લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે. તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી ગામના આદિવાસી કુટુંબે અને અનોખો દાખલો બેસાડયો છે. દીકરીના પિતાએ દહેજને તિલાજંલિ આપતા નવ ગુલાબના ફૂલ સાથે દીકરીને વિદાય કરી અને વરપક્ષે પણ સહર્ષ સ્વકારી લીધી.

રાજ્યમાં જિલ્લા અને સમાજ અનુસાર અલગ-અલગ પ્રથાઓ છે. જેમાં દહેજ આપવા-લેવાની કુપ્રથા પણ જોવા મળે છે. મજબૂર-લાચાર પિતાએ વર પક્ષને મોં માંગી રકમ અને ચીજ વસ્તુઓ આપવી પડતી હોય છે. ત્યારે ખારા જળમાં મીઠી વિરડી સમાન કેટલાક એવા પણ જાગૃત્ત લોકો હોય છે જે નવો ચીલો ચાતરે છે અને સમાજને દીવા દાંડી બતાવે છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ઘણા પરિવારો સમાજને દિશા ચીંધી રહ્યા છે. ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામના વતની વિદેશીંગભાઇ રામસિંગભાઈ વસાવાની સુપુત્રી જશોદા તેમજ ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના વતની ગુરજીભાઈના સુપુત્ર જિજ્ઞેશ એકબીજા સાથે પ્રેમસંબંધમાં જોડાયા હતા. ત્યારબાદ બંને પરિવારો દ્વારા રાજીખુશીથી ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે દાવો રાખવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :   India Service Sector :સેવા ક્ષેત્રે ભારતની રફ્તાર, નાણાકીય વર્ષ 2025 માં ભારતની નિકાસ $825 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી

બંને પક્ષના ભાઈઓ-બહેનો, ગ્રામજનો તેમજ દાવો કરતા વડીલો, પંચોની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં દાન કરી (સોંપી) હતી. આદિવાસી સમાજમાં આ દાવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. ઘણી વાર નવ આના કે ₹૯ લઈને કન્યાનું દાન કરવામાં આવે છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારે માત્ર ૯ ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને સાસરે વળાવી હતી. જેમાં વરપક્ષે પણ દહેજ વિના રાજીખુશીથી કન્યાઓને સ્વીકારી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News In Surat, the state government paid Rs. 57.13 crore in assistance to beneficiary students from June 2024 to January 2025.
સુરત

Surat News : સુરતમાં રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કુલ ૮,૪૬,૦૫૫ લાભાર્થી વિદ્યાર્થીઓને જૂન-૨૦૨૪ થી જાન્યુ-૨૦૨૫ દરમિયાન રૂ.૫૭.૧૩ કરોડની સહાય ચૂકવાઈ

by kalpana Verat April 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai    

Surat News : 

 નમો લક્ષ્મી યોજના હેઠળ ૭,૦૦,૨૪૧ દીકરીઓને રૂ.૪૨.૫૫ કરોડની સહાય ચૂકવવામાં આવી
 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થીઓને રૂ.૧૪.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી
 
 દીકરીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતી ‘નમો લક્ષ્મી યોજના’માં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીને ચાર વર્ષમાં કુલ રૂ. ૫૦,૦૦૦ આર્થિક સહાય આપવામાં આવે છે. કન્યાઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો.૯ થી ૧૨ માં પ્રવેશ મેળવે, સાથે-સાથે તેમને શારીરિક- માનસિક સુપોષણ મળે એવો આ યોજનાનો હેતુ છે. ૫૦ હજારની સહાયના રૂપમાં મોટો આર્થિક આધાર મળતા આર્થિક રીતે અક્ષમ, સામાન્ય પરિવારોને દીકરીઓના શિક્ષણમાં થતા ખર્ચની ચિંતાથી મુક્તિ મળી છે.

જ્યારે ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. ૨૫,૦૦૦ આર્થિક સહાય આપતી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના અમલી છે. રાજ્યના દીકરા-દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તેવો હેતુ એ આ યોજનાનો હેતુ છે. જેના અનુસંધાને સુરત જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જૂન-૨૦૨૪ થી જાન્યુ-૨૦૨૫ દરમિયાન નમો લક્ષ્મી યોજના હેઠળ ૭,૦૦,૨૪૧ લાભાર્થી દીકરીઓને રૂ.૪૨.૫૫ કરોડ તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રૂ.૧૪.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે આ બંને યોજનામાં સુરતના કુલ ૮,૪૬,૦૫૫ લાભાર્થી-વિદ્યાર્થીઓને યોજનાનો અમલ થયો ત્યારથી લઇ જાન્યુ-૨૦૨૫ દરમિયાન રૂ.૫૭,૧૩,૭૪,૦૦૦ કરોડ (રૂ.૫૭ કરોડ ૧૩ લાખ ૭૪ હજાર)ની સહાય ચૂકવાઈ હોવાનું સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત સુરતમાં જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં જૂન માસમાં ૯૬,૯૩૮ વિદ્યાર્થિનીઓને ૫,૯૦,૪૯,૭૫૦, જુલાઇમાં ૭૫,૪૮૦ વિદ્યાર્થિનીઓને ૪,૫૮,૧૦,૨૫૦, ઓગસ્ટમાં ૭૬,૬૬૩ વિદ્યાર્થિનીઓને ૪,૬૪,૭૬,૭૫૦, સપ્ટેમ્બરમાં ૭૭,૯૮૫ વિદ્યાર્થિનીઓને ૪,૭૦,૦૫,૨૫૦, ઓક્ટોબરમાં ૯૨,૯૩૨ વિદ્યાર્થિનીઓને ૫,૬૫,૭૯,૨૫૦, નવેમ્બરમાં ૯૧,૩૯૯ વિદ્યાર્થિનીઓને ૫,૫૬,૭૯,૫૦૦, ડિસેમ્બરમાં ૯૪,૦૧૦ વિદ્યાર્થિનીઓને ૫,૭૨,૨૦,૦૦૦ અને જાન્યુઆરી-૨૦૨૫માં ૯૪,૮૬૪ વિદ્યાર્થિનીઓને ૫,૭૭,૩૯,૨૫૦ એમ કુલ ૭,૦૦,૨૪૧ વિદ્યાર્થિનીઓને રૂ.૪૨,૫૫,૬૦,૦૦૦ (૪૨ કરોડ ૫૫ લાખ ૬૦ હજાર)ની સહાય આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Pahalgam Terror Attack : હવાઈ ​​અને સર્જિકલ સ્ટ્રાઈક પછી હવે પાકિસ્તાન માટે ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈક, આતંકી હુમલાના જવાબમાં મોદી સરકારે આ 5 મોટા નિર્ણય લીધા…

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત સુરતમાં જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન જૂન માસમાં ૨૦,૪૬૪ વિદ્યાર્થીઓને ૨,૦૪,૬૪,૦૦૦, જુલાઇમાં ૧૫,૧૦૦ વિદ્યાર્થીઓને ૧,૫૧,૦૦,૦૦૦, ઓગસ્ટમાં ૧૫,૦૨૫ વિદ્યાર્થીઓને ૧,૫૦,૨૫,૦૦૦, સપ્ટેમ્બરમાં ૧૫,૦૯૯ વિદ્યાર્થીઓને ૧,૫૦,૯૯,૦૦૦, ઓક્ટોબરમાં ૨૦,૦૭૦ વિદ્યાર્થીઓને ૨,૦૦,૭૦,૦૦૦, નવેમ્બરમાં ૧૯,૮૮૨ વિદ્યાર્થીઓને ૧,૯૮,૮૨,૦૦૦, ડિસેમ્બરમાં ૨૦,૦૫૦ વિદ્યાર્થીઓને ૨,૦૦,૫૦,૦૦૦ અને જાન્યુઆરી-૨૦૨૫માં ૨૦,૧૨૪ વિદ્યાર્થીઓને ૨,૦૧,૨૪,૦૦૦ મળી કુલ ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થીઓને ૧૪,૫૮,૧૪,૦૦૦ (૧૪ કરોડ ૫૮ લાખ ૧૪ હજાર)ની સહાય આપવામાં આવી છે, ત્યારે આ બંને યોજનાઓ વિદ્યાર્થીઓ; ખાસ કરીને દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

આમ, જૂન-૨૦૨૪થી અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે, જ્યારે રાજ્યના દીકરા-દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રેરિત થાય તેવો હેતુ નમો સરસ્વતી યોજનાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
A red light case for parents! A one and a half year old child drank poisonous medicine while playing, immediate treatment saved the child's life
સુરત

Surat News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! દોઢ વર્ષના બાળકે રમતા-રમતા પી લીધી ઝેરી દવા, ત્વરિત સારવારથી બાળકનો જીવ બચ્યો

by khushali ladva December 27, 2024
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

Surat News: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના બાળકે રમતા રમતા ભૂલમાં ઝેરી દવા પી લીધી હતી, પરંતુ ૧૦૮ ઈમરજન્સી ટીમની ત્વરિત સારવારથી બાળકનો જીવ બચ્યો હતો. હાલ નવી સિવિલમાં દાખલ આ બાળકની તબિયત સ્થિર છે.


ગત રોજ રાંદેર લોકેશનની એમ્બ્યુલન્સને એક બાળકે ઝેરી દવા પીધી હોવાનો કોલ મળ્યો હતો. જેથી ૧૦૮ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરજ પરના EMT શબ્બીર બેલીમે બાળકને તપાસતા બાળક બેભાન હોવાનું માલૂમ પડ્યું હતું, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમજ પલ્સ અને ઓક્સિજન ખૂબ જ ઓછા હતા. જેથી બાળકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ અમદાવાદ નરોડા સ્થિત ૧૦૮ સેન્ટરના ઇ.આર.સી.પી ડોક્ટરના માર્ગદર્શન મુજબ ઓક્સિજન તેમજ જરૂરી ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી દીધી હતી.


બાળકના પિતા મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની છે અને સુરતમાં કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા જ દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે, ત્યારે બાળકના પિતા પતંગના દોરીમાંજાનું કામ શરૂ કરવાના હોવાથી દોરીમાં નાંખવામાં આવતા કલર અને કેમિકલની બોટલો ઘરે લાવ્યા હતા. એવામાં ઘરે રમી રહેલા નાનકડા બાળકે કેમિકલ પી લીધું હતું. જેથી માતાપિતા તાત્કાલિક ઓટો રિક્ષા દ્વારા બાળકને રાંદેર હેલ્થ સેન્ટરમાં લઇ ગયા હતા, જ્યાં બાળકની સ્થિતિની ગંભીરતા જોતા આરોગ્ય સ્ટાફે નવી સિવિલમાં રિફર કર્યા હતા. જેથી પરિવારે ૧૦૮માં કોલ કર્યો હતો એમ ની મદદ માંગી હતી, ત્યારે તત્કાલ સારવારથી બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી એમ સુરત ૧૦૮ના જિલ્લા પોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ટેરીટરી ઇન્ચાર્જ અજય કદમ દ્વારા જણાવાયુ હતું.


EMT શબ્બીરભાઈએ જણાવ્યું કે, બાળકના માતા-પિતા ખૂબ જ ચિંતિત હતા. રડીરડીને તેમની હાલત દયનીય થઇ હતી, પણ ૧૦૮ એમબ્યુલન્સમાં મળેલી સારવારથી સિવિલ પહોંચતાં સુધીમાં બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, અને સિવિલ પહોંચતાં બાળકે આંખ પણ ખોલી હતી, જેથી પરિવારને ધરપત આપી હતી અને માતાપિતાની ચિંતા ઓછી થઈ હતી અને ૧૦૮ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક