Tag: Suryavansh

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

    Bhagavat:  

    શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પાસે એવી દિવ્ય કળા છે કે, સોળ હજાર રાણીઓમાં પણ અનાસકત ભાવે રહી, સર્વ સાથે પ્રેમ કરે છે. તેનું

    નિદર્શન શ્રીકૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે. શ્રીકૃષ્ણને ૧૬૦૦૦ રાણીઓ છે, પણ કોઈનામાં તે આસક્ત નથી. પતિપત્ની પ્રેમ
    કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે. શ્રીકૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે, પણ કોઈ રાણીમાં આસક્ત નથી. આજકાલ
    પ્રેમ શબ્દને લોકોએ કલંક્તિ કર્યો છે. જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં, પ્રેમ નહીં, પણ મોહ હોય છે.

    શ્રીકૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના, તેમના સ્વરૂપનું વર્ણન શુકદેવજીએ કર્યું છે. ૨૫ વર્ષના યુવાનને પણ શરમાવે
    તેવી દિવ્ય અંગકાંતિ છે. એકસો પચ્ચીસ વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો થયો નથી, કે એક પણ દાંત પડયો નથી. એવું દિવ્ય
    સ્વરૂપ છે. તેથી તેઓ યોગીઓને પણ વહાલા લાગે છે. ખરા મહાયોગીનું આ લક્ષણ છે. યોગીને કોઈ દિવસ રોગ થાય નહિ અને જે
    યોગીને રોગ થાય તેના યોગમાં ભૂલ થઇ હોવી જોઈએ. શ્રીકૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વહાલા લાગે છે.

    શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) સર્વ પ્રકારના રસ દેખાય છે. સાધારણ રીતે સાહિત્યશાસ્ત્રમાં ( Literature ) નવ રસ માન્યા છે. નવ રસ:-હાસ્ય, વીર, કરુણ, બીભત્સ,અદભુત,રૌદ્ર, ભયાનક,શ્રૃંગાર,શાંત. શ્રીકૃષ્ણનો હાસ્યવિનોદ અદ્વિતીય છે. શ્રૃંગાર પણ અદ્વિતીય છે. શ્રીકૃષ્ણના વીરરસનું વર્ણન મહાભારતમાં ઠેકઠેકાણે છે. શ્રીકૃષ્ણ પ્રેમસ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે, અને તેથી કોઇ પણ
    રસમાંની રુચિને પુષ્ટિ વડે, અલૌકિક પ્રેમરસની પ્રાપ્તિ થશે. ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતાં, અલૌકિક શ્રીકૃષ્ણમાં
    આસક્તરૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે. શ્રીકૃષ્ણલીલાને નિરોધલીલા પણ કહે છે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ.
    સુલભ મનનો નિરોધ ઇશ્વરમાં જ થઈ શકે. અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી. કારણ સંસાર જડ છે. મન જડ નથી.
    સજાતીય સજાતીયમાં મળે છે. જેમકે દૂધમાં ખાંડ મળી જશે. પથ્થર એકરૂપ થશે નહિ, મળશે નહિ. તેવી રીતે સંસારના જડ
    પદાર્થોમાં મન એકરૂપ થશે નહિ. મન પૂર્ણ ચેતન નથી. તેમ મન પૂર્ણ જડ઼ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જડ છે.
    પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હઠાવી, શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનાવી, મુક્તિ આપવા માટે આ
    દશમ સ્કંધ છે.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૩

    દશમ સ્કંધ એ ભગવાનનું હ્રદય છે. દશમા સ્કંધમાં શ્રીકૃષ્ણલીલા છે. આ લીલા એવી છે કે તેણે ઘણાને પાગલ
    બનાવ્યા છે.

    શ્રીકૃષ્ણ યોગી હતા અને ભોગી પણ હતા.

    આ કથા રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે.

    એનું કારણ:-શ્રીકૃષ્ણ ચિત્ત ચેન નહીં, ચિતચોર ચુરાયો હૈ.

    ચિત્તની શાંતિને નહિ તે તો ચિત્ત જ ચોરી જાય છે. એવું અદ્ભુત છે એનું રૂપ.

    ધુરી-ભરે અતિ શોભિત સ્યામજુ, તૈસી બની સિર સુન્દર ચોટી ।
    ખેલત-ખાત ફિરૈ અંગના, પગપૈજની બાજતી, પીરી કછોટી ।
    વા છબિકો રસખાનિં વિલોકત, વારત કામ-કલાનિધિ કોટી ।
    કાગકે ભાગકો ક્યા કહીયે, હરિ હાથસોં લે ગયો માખન-રોટી ।

    (યુગલપ્રિયાજીનું પદ)

    શ્યામ સ્વરૂપ વસ્યો હિયમેં, ફિર ઓર નહીં જગ ભાવૈ રી ।
    કહા કહું કો માનેં મેરી, સિર બાંતી સો જાનૈ રી ।
    રસના રસના સબ રસ ફીકૈ, દ્રગનિ ન ઓર રંગ લાગૈ રી ।
    સ્ત્રવનનિ દૂજી કથા ન ભાવૈ, સુર-સદા પિયકી જાગૈ રી ।
    બઢયો વિરત અનુરાગ અનોખો, લગન લગી મન નહીં લાગૈ રી ।
    જુગલ પ્રિયા કે રોમ રોમ તેં, સ્યામ ધ્યાન નહીં ત્યાગૈ રી ।
    એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતી નથી.
    મુકુટ લટક અટકી મન માંહી ।
    નૃત્ય નટવર મદન મનોહર, કુંડલ ઝલક અલક બિથુરાઈ ।
    નાક વુલાક હલત મુક્તાહલ હોઠ મટક ગતિ ભૌંહ ચલાઈ ।।
    ઠુમક ઠુમક પગ ધરત ધરનિ પર, બાંહ ઉઠાઈ કરત ચતુરાઈ ।
    ઝુનક ઝુનક નૂપુર ઝનકારત, તતા થેઈ થેઈ રીઝ રિઝાઈ ।।

    ચરનદાસ સહજો હિય અંતર, ભવન કરૌ જિત રહો સદાઈ ।।

    પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે, સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશની ( Chandravansh )  કથા આપે સંભળાવી. ચંદ્રવંશની શ્રીકૃષ્ણની કથા કહી પણ તે બહુ સંક્ષે૫માં કહી.

    શ્રીકૃષ્ણકથામાં યોગીને આનંદ આવે અને ભોગીને પણ આનંદ આવે. શુકદેવજી ( Shukdev ) મહાયોગી છે. બહુ ધ્યાનમાં લંગોટી
    કયારે છૂટી ગઇ, તેનું પણ ભાન નથી. તેઓ પણ કૃષ્ણકથામાં પાગલ બન્યા છે.

    પરીક્ષિત કહે છે, આપે સર્વનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું, તમે મારા પિતા
    નહિ અને હું તમારો પુત્ર નહિ. તમે પિતાનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નહિ. મહારાજ! તમને પણ આ કથા
    આનંદ આપે છે.

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪

    Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 294
    NewsContinuous
    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪
    Loading
    /

    Bhagavat:  

    શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પાસે એવી દિવ્ય કળા છે કે, સોળ હજાર રાણીઓમાં પણ અનાસકત ભાવે રહી, સર્વ સાથે પ્રેમ કરે છે. તેનું

    નિદર્શન શ્રીકૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે. શ્રીકૃષ્ણને ૧૬૦૦૦ રાણીઓ છે, પણ કોઈનામાં તે આસક્ત નથી. પતિપત્ની પ્રેમ
    કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે. શ્રીકૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે, પણ કોઈ રાણીમાં આસક્ત નથી. આજકાલ
    પ્રેમ શબ્દને લોકોએ કલંક્તિ કર્યો છે. જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં, પ્રેમ નહીં, પણ મોહ હોય છે.

    શ્રીકૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના, તેમના સ્વરૂપનું વર્ણન શુકદેવજીએ કર્યું છે. ૨૫ વર્ષના યુવાનને પણ શરમાવે
    તેવી દિવ્ય અંગકાંતિ છે. એકસો પચ્ચીસ વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો થયો નથી, કે એક પણ દાંત પડયો નથી. એવું દિવ્ય
    સ્વરૂપ છે. તેથી તેઓ યોગીઓને પણ વહાલા લાગે છે. ખરા મહાયોગીનું આ લક્ષણ છે. યોગીને કોઈ દિવસ રોગ થાય નહિ અને જે
    યોગીને રોગ થાય તેના યોગમાં ભૂલ થઇ હોવી જોઈએ. શ્રીકૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વહાલા લાગે છે.

    શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) સર્વ પ્રકારના રસ દેખાય છે. સાધારણ રીતે સાહિત્યશાસ્ત્રમાં ( Literature ) નવ રસ માન્યા છે. નવ રસ:-હાસ્ય, વીર, કરુણ, બીભત્સ,અદભુત,રૌદ્ર, ભયાનક,શ્રૃંગાર,શાંત. શ્રીકૃષ્ણનો હાસ્યવિનોદ અદ્વિતીય છે. શ્રૃંગાર પણ અદ્વિતીય છે. શ્રીકૃષ્ણના વીરરસનું વર્ણન મહાભારતમાં ઠેકઠેકાણે છે. શ્રીકૃષ્ણ પ્રેમસ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે, અને તેથી કોઇ પણ
    રસમાંની રુચિને પુષ્ટિ વડે, અલૌકિક પ્રેમરસની પ્રાપ્તિ થશે. ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતાં, અલૌકિક શ્રીકૃષ્ણમાં
    આસક્તરૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે. શ્રીકૃષ્ણલીલાને નિરોધલીલા પણ કહે છે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ.
    સુલભ મનનો નિરોધ ઇશ્વરમાં જ થઈ શકે. અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી. કારણ સંસાર જડ છે. મન જડ નથી.
    સજાતીય સજાતીયમાં મળે છે. જેમકે દૂધમાં ખાંડ મળી જશે. પથ્થર એકરૂપ થશે નહિ, મળશે નહિ. તેવી રીતે સંસારના જડ
    પદાર્થોમાં મન એકરૂપ થશે નહિ. મન પૂર્ણ ચેતન નથી. તેમ મન પૂર્ણ જડ઼ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જડ છે.
    પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હઠાવી, શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનાવી, મુક્તિ આપવા માટે આ
    દશમ સ્કંધ છે.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૩

    દશમ સ્કંધ એ ભગવાનનું હ્રદય છે. દશમા સ્કંધમાં શ્રીકૃષ્ણલીલા છે. આ લીલા એવી છે કે તેણે ઘણાને પાગલ
    બનાવ્યા છે.

    શ્રીકૃષ્ણ યોગી હતા અને ભોગી પણ હતા.

    આ કથા રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે.

    એનું કારણ:-શ્રીકૃષ્ણ ચિત્ત ચેન નહીં, ચિતચોર ચુરાયો હૈ.

    ચિત્તની શાંતિને નહિ તે તો ચિત્ત જ ચોરી જાય છે. એવું અદ્ભુત છે એનું રૂપ.

    ધુરી-ભરે અતિ શોભિત સ્યામજુ, તૈસી બની સિર સુન્દર ચોટી ।
    ખેલત-ખાત ફિરૈ અંગના, પગપૈજની બાજતી, પીરી કછોટી ।
    વા છબિકો રસખાનિં વિલોકત, વારત કામ-કલાનિધિ કોટી ।
    કાગકે ભાગકો ક્યા કહીયે, હરિ હાથસોં લે ગયો માખન-રોટી ।

    (યુગલપ્રિયાજીનું પદ)

    શ્યામ સ્વરૂપ વસ્યો હિયમેં, ફિર ઓર નહીં જગ ભાવૈ રી ।
    કહા કહું કો માનેં મેરી, સિર બાંતી સો જાનૈ રી ।
    રસના રસના સબ રસ ફીકૈ, દ્રગનિ ન ઓર રંગ લાગૈ રી ।
    સ્ત્રવનનિ દૂજી કથા ન ભાવૈ, સુર-સદા પિયકી જાગૈ રી ।
    બઢયો વિરત અનુરાગ અનોખો, લગન લગી મન નહીં લાગૈ રી ।
    જુગલ પ્રિયા કે રોમ રોમ તેં, સ્યામ ધ્યાન નહીં ત્યાગૈ રી ।
    એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતી નથી.
    મુકુટ લટક અટકી મન માંહી ।
    નૃત્ય નટવર મદન મનોહર, કુંડલ ઝલક અલક બિથુરાઈ ।
    નાક વુલાક હલત મુક્તાહલ હોઠ મટક ગતિ ભૌંહ ચલાઈ ।।
    ઠુમક ઠુમક પગ ધરત ધરનિ પર, બાંહ ઉઠાઈ કરત ચતુરાઈ ।
    ઝુનક ઝુનક નૂપુર ઝનકારત, તતા થેઈ થેઈ રીઝ રિઝાઈ ।।

    ચરનદાસ સહજો હિય અંતર, ભવન કરૌ જિત રહો સદાઈ ।।

    પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે, સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશની ( Chandravansh )  કથા આપે સંભળાવી. ચંદ્રવંશની શ્રીકૃષ્ણની કથા કહી પણ તે બહુ સંક્ષે૫માં કહી.

    શ્રીકૃષ્ણકથામાં યોગીને આનંદ આવે અને ભોગીને પણ આનંદ આવે. શુકદેવજી ( Shukdev ) મહાયોગી છે. બહુ ધ્યાનમાં લંગોટી
    કયારે છૂટી ગઇ, તેનું પણ ભાન નથી. તેઓ પણ કૃષ્ણકથામાં પાગલ બન્યા છે.

    પરીક્ષિત કહે છે, આપે સર્વનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું, તમે મારા પિતા
    નહિ અને હું તમારો પુત્ર નહિ. તમે પિતાનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નહિ. મહારાજ! તમને પણ આ કથા
    આનંદ આપે છે.

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૨

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

    Bhagavat  :

    Bhagavat : પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ કરતા નથી.

    ઇશ્વરે આપેલો સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને છે અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને છે.
    ઈશ્ચર તો જીવ ઉપર કૃપા કરે છે. પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે. પરિણામે તે દુષ્ટ બને છે.
    સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી. ચાર ઉપાયો કરે, તો વાસનાનો ( lust ) નાશ થાય છે.
    તેથી આઠમા સ્કંધમાં, તે પછી સંતોના ચાર ધર્મો બતાવ્યા.

    (૧) આપત્તિમાં ભગવાનનું સ્મરણ. દુઃખમાં હરિનું સ્મરણ-ગજેન્દ્રની જેમ.
    (૨)સંપત્તિમાં સર્વસ્વનું દાન-બલિરાજાની ( Baliraja ) જેમ સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવાથી વાસનાનો ક્ષય થાય છે.
    (૩) વિપત્તિમાં સ્વવચન પરિપાલન-બલિરાજાની જેમ અને
    (૪) સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ-સત્યવ્રતની જેમ.

    મન્વન્તરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે ।
    વીર્યાણ્યનન્તવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ ।।

    સત્યવ્રત મત્સ્યનારાયણને ( Matsyanarayana ) શરણે જાય છે. વાસનાનો ક્ષય કરવા, આ ચાર ઉપાયો બતાવ્યા. એ પ્રમાણે ચાર ઉપાયો
    દ્વારા વાસનાનો નાશ કરવાનુ બતાવ્યું. વાસનાને પ્રભુ માર્ગે વાળે તો એ વાસના જ ભક્તિ બને છે. રાસલીલામાં ( Rasaleela ) પ્રભુને મળવું છે,

    પણ વાસનાનું આવરણ હોય તો તે મિલનમાં આનંદ આવતો નથી. વાસનાનો વિનાશ કરી નિર્વાસના થઈ રાસલીલામાં જવું છે.
    વાસનાનો ક્ષય થાય તે પછી, રાસલીલામાં જીવ-ઈશ્વરનું મિલન થાય. અષ્ટમ સ્કંધમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા. તેમ છતાં
    શુકદેવજીને ( Shukdevji ) લાગ્યું કે, હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. જો તે સૂક્ષ્મ વાસના લઇને રાસલીલામાં જશે, તો તેને રાસલીલામાં કામ દેખાશે. હું રાજાને રાસલીલામાં લઈ જઈશ. પરંતુ જો તેના મનમાં કામ રહી જશે, તો તેને તેમાં લૌકિક કામાચાર દેખાશે.

    મનમાં કામ હોય, તેને સર્વત્ર કામ દેખાય. એક ગૃહસ્થની ૧૮ વર્ષની કન્યા સાસરે જવા નીકળી. દીકરી રડવા લાગી
    તેથી બાપ રડવા લાગ્યો. દીકરી પિતાને વંદન કરવા આવી ત્યારે, બાપે તેને ઉઠાવી છાતી સરસી ચાંપી. નિર્વિકારભાવે પિતાપુત્રી
    મળે છે. રસ્તે એક ભાઈ જતા હતા. તેણે આ દ્રશ્ય જોયું. તેના મનમાં કામ હતો. તે આ બંનેનો-પિતાપુત્રીનો સંબંધ જાણતો ન
    હતો. તેના મનમાં પાપ આવ્યું, કે આ બંને દુરાચાર કરે છે. પિતા-પુત્રીનું મિલન જેટલું શુદ્ધ છે, તેના કરતાં લાખગણું શુદ્ધ,
    ગોપી-કૃષ્ણ, જીવ-ઇશ્વરનું મિલન રાસલીલામાં છે. રાસલીલામાં કામ બિલકુલ નથી. શુકદેવજીનાં-દર્શન માત્રથી અપ્સરાઓના
    કામનો નાશ થયો. અતિશય નિષ્કામ હોય, તે કામની કથા કરી શકે નહિ. શુકદેવજી નિષ્કામ છે. જેનાં દર્શનમાત્રથી બીજામાં
    રહેલા કામનો નાશ થાય છે, તેવા મહાત્મા આ કથા કરે છે. શ્રીકૃષ્ણ પાસે કામ જઈ શકે જ નહિ. સૂર્ય પાસે અંધકાર જઈ શકે જ
    નહિ.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૧

    કામ બુદ્ધિમાં હશે, તો શ્રીકૃષ્ણના ( Sri Krishna )દર્શન થશે નહિ. બુદ્ધિમાં વાસનારૂપી વિષ હશે ત્યાં સુધી તેમાં ઈશ્વરરૂપી રસ ઠરશે
    નહિ-જામશે નહિ. રાજાની બુદ્ધિને શુદ્ધ કરવા, નવમા સ્કંધમાં સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશના ( Chandravansh ) ઇતિહાસ કહ્યા.

    નવમાં સ્કંધમાં સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ છે. સૂર્ય બુદ્ધિના માલિક અને ચંદ્ર મનના માલિક. બુદ્ધિની શુદ્ધિ
    કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું અને મનની શુદ્ધિ કરવા ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.

    રામજીની મર્યાદાનું પાલન કરશો તો, તમારા મનનો રાવણ મરશે. તમારા મનમાંનો કામ મરશે, તો શ્રીકૃષ્ણ પરમાત્મા
    આવશે. રામજી પછી જ શ્રીકૃષ્ણ આવે છે. જે રાવણને, કામને મારે તે જ કૃષ્ણલીલાનાં દર્શન કરી શકે.

    રામચંદ્રજીનાં ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે. તેનું વર્ણન ભાગવતમાં કરવાની કંઇ જરૂર હતી? હા,
    હતી. કારણ રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તે શ્રીકૃષ્ણલીલાનું રહસ્ય સમજી શકે છે.

    મન શુદ્ધ કરવા આ લીલાઓ છે.

    નવમા સ્કંધમાં બે પ્રકરણ છે:- સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં શ્રીરઘુનાથજી પ્રગટ થયા હતા અને ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ.
    સપ્તમસ્કંધમાં વાસનાની કથા આવી. તે વાસનાનો નાશ કરવા અષ્ટમ સ્કંધમાં ચાર ધર્મો બતાવ્યા. સંતોના ચાર ધર્મો
    જીવનમાં ઉતારે તે વાસનાનો વિનાશ કરી શકે છે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળે તો તે વાસના જ ઉપાસના બને છે.
    અને મનુષ્યને મુક્તિ અપાવે છે. વાસનાનો વિનાશ થાય ત્યારે નવમા સ્કંધમાં પ્રવેશ મળે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે
    નવમો સ્કંધ છે.

     

  • Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૨

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૨

    Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 242
    NewsContinuous
    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૨
    Loading
    /

    Bhagavat : પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ કરતા નથી.

    ઇશ્વરે આપેલો સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને છે અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને છે.
    ઈશ્ચર તો જીવ ઉપર કૃપા કરે છે. પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે. પરિણામે તે દુષ્ટ બને છે.
    સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી. ચાર ઉપાયો કરે, તો વાસનાનો ( lust ) નાશ થાય છે.
    તેથી આઠમા સ્કંધમાં, તે પછી સંતોના ચાર ધર્મો બતાવ્યા.

    (૧) આપત્તિમાં ભગવાનનું સ્મરણ. દુઃખમાં હરિનું સ્મરણ-ગજેન્દ્રની જેમ.
    (૨)સંપત્તિમાં સર્વસ્વનું દાન-બલિરાજાની ( Baliraja ) જેમ સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવાથી વાસનાનો ક્ષય થાય છે.
    (૩) વિપત્તિમાં સ્વવચન પરિપાલન-બલિરાજાની જેમ અને
    (૪) સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ-સત્યવ્રતની જેમ.

    મન્વન્તરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે ।
    વીર્યાણ્યનન્તવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ ।।

    સત્યવ્રત મત્સ્યનારાયણને ( Matsyanarayana ) શરણે જાય છે. વાસનાનો ક્ષય કરવા, આ ચાર ઉપાયો બતાવ્યા. એ પ્રમાણે ચાર ઉપાયો
    દ્વારા વાસનાનો નાશ કરવાનુ બતાવ્યું. વાસનાને પ્રભુ માર્ગે વાળે તો એ વાસના જ ભક્તિ બને છે. રાસલીલામાં ( Rasaleela ) પ્રભુને મળવું છે,

    પણ વાસનાનું આવરણ હોય તો તે મિલનમાં આનંદ આવતો નથી. વાસનાનો વિનાશ કરી નિર્વાસના થઈ રાસલીલામાં જવું છે.
    વાસનાનો ક્ષય થાય તે પછી, રાસલીલામાં જીવ-ઈશ્વરનું મિલન થાય. અષ્ટમ સ્કંધમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા. તેમ છતાં
    શુકદેવજીને ( Shukdevji ) લાગ્યું કે, હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. જો તે સૂક્ષ્મ વાસના લઇને રાસલીલામાં જશે, તો તેને રાસલીલામાં કામ દેખાશે. હું રાજાને રાસલીલામાં લઈ જઈશ. પરંતુ જો તેના મનમાં કામ રહી જશે, તો તેને તેમાં લૌકિક કામાચાર દેખાશે.

    મનમાં કામ હોય, તેને સર્વત્ર કામ દેખાય. એક ગૃહસ્થની ૧૮ વર્ષની કન્યા સાસરે જવા નીકળી. દીકરી રડવા લાગી
    તેથી બાપ રડવા લાગ્યો. દીકરી પિતાને વંદન કરવા આવી ત્યારે, બાપે તેને ઉઠાવી છાતી સરસી ચાંપી. નિર્વિકારભાવે પિતાપુત્રી
    મળે છે. રસ્તે એક ભાઈ જતા હતા. તેણે આ દ્રશ્ય જોયું. તેના મનમાં કામ હતો. તે આ બંનેનો-પિતાપુત્રીનો સંબંધ જાણતો ન
    હતો. તેના મનમાં પાપ આવ્યું, કે આ બંને દુરાચાર કરે છે. પિતા-પુત્રીનું મિલન જેટલું શુદ્ધ છે, તેના કરતાં લાખગણું શુદ્ધ,
    ગોપી-કૃષ્ણ, જીવ-ઇશ્વરનું મિલન રાસલીલામાં છે. રાસલીલામાં કામ બિલકુલ નથી. શુકદેવજીનાં-દર્શન માત્રથી અપ્સરાઓના
    કામનો નાશ થયો. અતિશય નિષ્કામ હોય, તે કામની કથા કરી શકે નહિ. શુકદેવજી નિષ્કામ છે. જેનાં દર્શનમાત્રથી બીજામાં
    રહેલા કામનો નાશ થાય છે, તેવા મહાત્મા આ કથા કરે છે. શ્રીકૃષ્ણ પાસે કામ જઈ શકે જ નહિ. સૂર્ય પાસે અંધકાર જઈ શકે જ
    નહિ.

    Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૧

    કામ બુદ્ધિમાં હશે, તો શ્રીકૃષ્ણના ( Sri Krishna )દર્શન થશે નહિ. બુદ્ધિમાં વાસનારૂપી વિષ હશે ત્યાં સુધી તેમાં ઈશ્વરરૂપી રસ ઠરશે
    નહિ-જામશે નહિ. રાજાની બુદ્ધિને શુદ્ધ કરવા, નવમા સ્કંધમાં સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશના ( Chandravansh ) ઇતિહાસ કહ્યા.

    નવમાં સ્કંધમાં સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ છે. સૂર્ય બુદ્ધિના માલિક અને ચંદ્ર મનના માલિક. બુદ્ધિની શુદ્ધિ
    કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું અને મનની શુદ્ધિ કરવા ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.

    રામજીની મર્યાદાનું પાલન કરશો તો, તમારા મનનો રાવણ મરશે. તમારા મનમાંનો કામ મરશે, તો શ્રીકૃષ્ણ પરમાત્મા
    આવશે. રામજી પછી જ શ્રીકૃષ્ણ આવે છે. જે રાવણને, કામને મારે તે જ કૃષ્ણલીલાનાં દર્શન કરી શકે.

    રામચંદ્રજીનાં ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે. તેનું વર્ણન ભાગવતમાં કરવાની કંઇ જરૂર હતી? હા,
    હતી. કારણ રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તે શ્રીકૃષ્ણલીલાનું રહસ્ય સમજી શકે છે.

    મન શુદ્ધ કરવા આ લીલાઓ છે.

    નવમા સ્કંધમાં બે પ્રકરણ છે:- સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં શ્રીરઘુનાથજી પ્રગટ થયા હતા અને ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ.
    સપ્તમસ્કંધમાં વાસનાની કથા આવી. તે વાસનાનો નાશ કરવા અષ્ટમ સ્કંધમાં ચાર ધર્મો બતાવ્યા. સંતોના ચાર ધર્મો
    જીવનમાં ઉતારે તે વાસનાનો વિનાશ કરી શકે છે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળે તો તે વાસના જ ઉપાસના બને છે.
    અને મનુષ્યને મુક્તિ અપાવે છે. વાસનાનો વિનાશ થાય ત્યારે નવમા સ્કંધમાં પ્રવેશ મળે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે
    નવમો સ્કંધ છે.