Tag: term loan

  • Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત

    Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત

    News Continuous Bureau | Mumbai

    Ladki Behen Yojana Tમહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ‘માઝી લાડકી બહેન યોજના’ હેઠળ મહિલાઓનું ઈ-કેવાયસી મોટા પાયે ચાલી રહ્યું હતું, ત્યારે તાજેતરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવેલી કુદરતી આપત્તિઓ અને મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી તકનીકી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારના નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ, ઈ-કેવાયસી કરવાની અંતિમ તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૫ થી વધારીને હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ આ માહિતી આપી હતી.

    ઈ-કેવાયસી ન કરાવી શકનારી મહિલાઓને દિલાસો

    ‘લાડકી બહેન યોજના’ હેઠળ મહિલાઓ માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા ૧૮ નવેમ્બર સુધી જ હતી. પરંતુ, અનેક મહિલાઓ માટે સમયસર આ પ્રક્રિયા પૂરી કરવી શક્ય ન બનતાં, તેઓ યોજનાના લાભથી વંચિત રહી જશે કે કેમ તેવો મોટો પ્રશ્ન ઊભો થયો હતો. સરકારે આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈને મુદત વધારી આપતાં, જે મહિલાઓએ હજી સુધી કેવાયસી કરાવ્યું નથી તેમણે રાહતનો શ્વાસ લીધો છે. તાજેતરની કુદરતી આફતોમાં અનેક પરિવારોને ભારે નુકસાન થયું છે. તેમજ, કેટલીક મહિલાઓના પતિ કે પિતાના અવસાનને કારણે સંબંધિત આધાર નંબર પર ઓટીપી પ્રાપ્ત થવો પણ અશક્ય બની ગયો છે. આવી અનિવાર્ય પરિસ્થિતિઓમાં મુદત વધારવી જરૂરી હતી.

    કોઈ પણ પાત્ર મહિલા વંચિત ન રહે તેવો સરકારનો ઉદ્દેશ્ય

    સરકારની આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મહિલા તકનીકી અથવા અનિવાર્ય કારણોસર યોજનાના લાભથી વંચિત ન રહે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે, જે પાત્ર મહિલાઓના પતિ અથવા પિતા હયાત નથી, અથવા જે મહિલાઓ છૂટાછેડા લીધેલા છે, તેમણે પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સાથે, સંબંધિત મૃત્યુ પ્રમાણપત્ર, છૂટાછેડા પ્રમાણપત્ર અથવા કોર્ટનો આદેશ જેવી સત્ય નકલો પણ રજૂ કરવી પડશે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા

    વિસ્તૃત સમયગાળામાં ઈ-કેવાયસી પૂર્ણ કરવા અપીલ

    મંત્રી અદિતિ તટકરેએ સ્પષ્ટ કર્યું હતું કે, પાત્ર મહિલાઓને ન્યાય મળે અને કોઈ પણ મહિલા યોજનાથી વંચિત ન રહે, તે સરકારની પ્રાથમિકતા છે. આ માટે જ મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને ઈ-કેવાયસીની પ્રક્રિયાને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. તેમણે આ વિસ્તૃત સમયગાળામાં તમામ લાભાર્થીઓને પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા માટે ખાસ અપીલ કરી છે, જેથી તેઓ આ મહત્વકાંક્ષી યોજનાનો લાભ મેળવી શકે.

  • Vodafone Idea: Vodafone Idea ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરવા માટે બેન્ક પાસેથી ઉધાર લેશે અધધ રૂ. 23,000 કરોડ.

    Vodafone Idea: Vodafone Idea ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરવા માટે બેન્ક પાસેથી ઉધાર લેશે અધધ રૂ. 23,000 કરોડ.

    News Continuous Bureau | Mumbai 

    Vodafone Idea: વોડાફોન આઈડિયા  (Vi) એ બેંકો પાસેથી મુદતની લોનમાં રૂ. 23,000 કરોડ ઉધાર લેવાની દરખાસ્ત કરી છે અને બેન્ક ગેરંટીમાં રૂ. 10,000 કરોડની વધારાની વિનંતી પણ કરી છે, એમ ધ ઇકોનોમિક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે. 

    આ પગલું ટેલિકોમ માર્કેટમાં ( telecom market ) મોટા હરીફો રિલાયન્સ જિયો અને એરટેલ સાથે સ્પર્ધા કરવા માટે જરૂરી મૂડી એકત્ર કરવાના ભારતના ત્રીજા ક્રમના સૌથી મોટા ખેલાડીના પ્રયાસનો એક ભાગ રુપે છે. 

    Vodafone Plc અને આદિત્ય બિરલા ગ્રૂપના સંયુક્ત સાહસે  થોડા દિવસો પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેંકિંગ કન્સોર્ટિયમની બેઠકમાં ટર્મ લોનની ( Term Loan ) દરખાસ્ત રજૂ કરી હતી, એમ અહેવાલમાં જણાવાયું હતું.

    Vodafone Idea: નેટવર્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરવા માટે તેને ભંડોળની જરૂર છે..

    વિનંતી કરાયેલ લોન એ 4G કવરેજને વિસ્તૃત કરવા અને વ્યૂહાત્મક બજારોમાં ગ્રીનફિલ્ડ 5G રોલઆઉટ્સ શરૂ કરવા માટે એકત્ર કરવાની આશા રાખતા મૂડી ખર્ચમાં રૂ. 55,000-કરોડનો એક ભાગ રુપે છે.

    VI એ વધુમાં જણાવ્યું હતું કે, ધિરાણકર્તાઓને તેની રજૂઆતમાં તેના 17 મુખ્ય ક્ષેત્રોમાં તેના મોબાઇલ બ્રોડબેન્ડ નેટવર્કના (  Mobile Broadband Network )  ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ( infrastructure ) અપડેટ કરવા માટે તેને ભંડોળની જરૂર છે, અહેવાલમાં જણાવાયું છે.

    આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

    બેન્કો હવે લોન મંજૂર કરવા અંગે નિર્ણય લેતા પહેલા Viની ક્રેડિટપાત્રતાનું મૂલ્યાંકન કરવા ટોચની કન્સલ્ટન્સી ફર્મ પાસેથી ટેકનોઈકોનોમિક વાયબિલિટી (TEV) રિપોર્ટ માંગશે, એમ વધુમાં રિપોર્ટમાં જણાવાયું છે.

    Vodafone Idea: બેંક ગેરંટીનો ઉપયોગ સામાન્ય રીતે નોન-ફંડ સુવિધાઓ માટે થાય છે…

    લગભગ રૂ. 24,000 કરોડ સિક્યોર કર્યાના થોડા જ દિવસો બાદ, Vi એ ધિરાણકર્તાઓની શ્રેણી સાથે એક વ્યાપક દેવું વધારવાની યોજના શેર કરી હતી. જે કંપનીને નવી લોન આપવા માટેની નિર્ણાયક જરૂરિયાતને સંતોષે છે, અહેવાલમાં જણાવાયું છે.

    ઋણ અને રૂ. 10,000 કરોડની વધારાની નોન-ફંડ આધારિત સુવિધાઓ દ્વારા રૂ. 25,000 કરોડ સુધીનું ઉધાર લેવા માટે, Viનું મેનેજમેન્ટ છેલ્લા કેટલાક મહિનાઓથી બેન્કોના જૂથ સાથે વાટાઘાટો કરી રહ્યું છે. બેંક ગેરંટીનો ઉપયોગ સામાન્ય રીતે નોન-ફંડ સુવિધાઓ માટે થાય છે, એમ અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય છે કે, 14 જૂને નેશનલ સ્ટોક એક્સચેન્જ ( NSE ) પર વોડાફોનનો સ્ટોક અગાઉના બંધ કરતાં 4.48 ટકા વધીને રૂ. 16.79 પર બંધ થયો હતો.

     

  • હવે લોન લેવી પડશે મોંઘી, આ સરકારી બેંકે MCLRમાં કર્યો વધારો .. જાણી લો નવા રેટ

    હવે લોન લેવી પડશે મોંઘી, આ સરકારી બેંકે MCLRમાં કર્યો વધારો .. જાણી લો નવા રેટ

    News Continuous Bureau | Mumbai 

    દેશની સૌથી મોટી સરકારી બેંક(Government Bank) SBI એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. 

    બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ(Marginal Cost of Funds Best Lending Rate) વધારી દેવામાં આવ્યો છે. 

    આ વખતે બેંકે 10 બેસિસ પોઈન્ટ(Basis Point) એટલે કે 0.10 ટકાનો વધારો કર્યો છે. આ વધારો તમામ મુદતની લોન(term loan) માટે કરવામાં આવ્યો છે.

    નવા દર 15 મે એટલે કે ગઈકાલે રવિવારથી લાગુ થઈ ચૂક્યા છે.

    ઉલ્લેખનીય છે કે આ બેન્ક દ્વારા MCLR માં આ જ મહિનામાં કરવામાં આવેલો સતત બીજો વધારો છે.

    આ સમાચાર પણ વાંચો :   મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે