Tag: thane district

  • હાશ- એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આટલું પાણી ભેગું થયું- જાણો આંકડા 

    હાશ- એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં આટલું પાણી ભેગું થયું- જાણો આંકડા 

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત વરસાદે એન્ટ્રી કરી છે. મુંબઈમાં સોમવારથી સતત વરસાદ (Heavy rainfall) પડી રહ્યો છે. તેને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં (reservoirs) ભરાઈ ગયા છે. મંગળવાર સવારના જળાશયમાં 99.32 ટકા પાણી ભરાઈ ગયું છે. તેને કારણે મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી ગઈ છે.

    મંગળવારે સવારના સાતેય જળાશયોમા 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક( Water stock) જમા થઈ ગયો છએ. જે લગભગ 99.32 ટકા કહેવાય છે. મુંબઈ સહિત થાણે જિલ્લામાં(Thane district) સતત વરસાદ પડી રહ્યો છે. તેથી મોડી રાત સુધીમાં તમામ જળાશયો પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જશે.
    મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમી કુલ ક્ષમતા 14,47,363 મિલિયન લિટરની ક્ષમતા સામે મંગળવારે સવારના 14,37,467 મિલિયન લિટર પાણી છે. આ પાણી આવતા વર્ષ સુધી ચાલશે.

    મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંથી થાય છે, જેમાં અપર વૈતરણા(Upper Vaitarna), મોડક સાગર(Modak Sagar), તાનસા(tansa), મધ્ય વૈતરણા(Madhya Vaitarana), ભાતસા(Bhatsa), વિહાર(Vihar) અને તુલસીનો સમાવેશ થાય છે.  આ જળાશયો મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન(Sanjay Gandhi National Park) અને થાણે અને પાલઘર જિલ્લાઓમાં આવેલા  છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

    મંગળવારે સવારે સાતમાંથી ચાર જળાશયો મોડક સાગર, ભાતસા, વિહાર અને તુલસીમાં 100 ટકા પાણીનો સ્ટોક જમા થઈ ગયો હતો. મુંબઈ મહાનગરપાલિકા(BMC) દરરોજ 3,850 મિલિયન લિટર પાણી પુરું પાડે છે જ્યારે શહેરની લગભગ 4,400 મિલિયન લિટરની માંગ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી  સાત તળાવોના કેચમેન્ટ એરિયામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ વરસાદ 8 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરની વચ્ચેના 24 કલાક દરમિયાન 468 મિમી અને ત્યાર બાદ 7 થી 8 સપ્ટેમ્બર વચ્ચેના 24 કલાક દરમિયાન 382 મિમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તળાવોમાં 49 મીમી વરસાદ નોંધાયો છે.

    મોડક સાગર  સૌ પહેલા 13મી જુલાઈએ, તુલસી 16મી જુલાઈએ અને વિહાર 11મી ઓગસ્ટે ઓવરફ્લો થવા લાગ્યું હતું. તાનસા 14 જુલાઈના રોજ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું. થાણેનો ભાતસા ડેમ, જે શહેરની કુલ વાર્ષિક પાણીની જરૂરિયાતના 55 ટકા પૂરો પાડે છે, તે હવે 100 ટકા ભરાઈ ગયો છે.

    આ સમાચાર પણ વાંચો : કરો વાત- ભાઈએ જ કરી બહેન સાથે છેતરપિંડી- રક્ષાબંધનની ગિફ્ટના નામે દહિસરની યુવતીને લગાવ્યો લાખો રૂપિયાનો લ્યોચૂનો

  • મુંબઈ પરથી પાણી સંકટ ટળી ગયું- પરંતુ હવે નવું સંકટ-ભાતસાની આસપાસના વિસ્તારમાં એલર્ટ-જાણો શું છે મામલો

    મુંબઈ પરથી પાણી સંકટ ટળી ગયું- પરંતુ હવે નવું સંકટ-ભાતસાની આસપાસના વિસ્તારમાં એલર્ટ-જાણો શું છે મામલો

    News Continuous Bureau | Mumbai

    મુંબઈને પાણી પુરવઠો(Water supply) કરનારા જળાશયોમાં(reservoirs) 88.50 ટકા પાણીનો સ્ટોક(Water stock) થઈ ગયો છે. રાજ્યના અમુક વિસ્તારમાં હજી પણ વરસાદ(rainfall) પડી રહ્યો છે, તેને કારણે ભાતસા બંધમાં(Bhatsa dam) પાણીનું સ્તર(Water level) વધી ગયું છે. તેથી બુધવારે બંધમાંથી પાણી છોડવામાં આવવાનું છે. તેથી ભાતસા બંધની નજીક આવેલા થાણે જિલ્લાના(Thane District) શાહપૂર(Shahpur) અને મુરબાડ(Murbad) તાલુકાના ગામ માટે એલર્ટ(Alert) જાહેર કરવામાં આવ્યું છે.

    મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે, તેમાંથી 50 ટકા પાણીપુરવઠો ભાતસા બંધમાથી કરવામા આવે છે. મુંબઈને પાણી પૂરું પાડનારા તમામ જળાશયોમાં રાજ્ય સરકારની(State govt) માલિકીનો ભાતસા બંધ સૌથી મોટો છે.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોસ્ટલ રોડ માટે ટેટ્રાપોડ હટાવવું ભારે પડ્યું- મરીન લાઈન્સની આ ઈમારતમાં આવી રહી છે ધ્રુજારી- રહેવાસીઓએ BMCને લખ્યો પત્ર

    હાલ રાજ્યના અનેક જિલ્લામાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. તેથી ભાતસામાં પાણીની આવક(Water revenue) સતત વધી રહી છે. બંધના કેચમેન્ટ એરિયમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. તેથી બંધના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંધના દરવાજા ખોલવામાં આવે તો પાણીને કારણે બંધની નજીક  આવેલા ગામમાં પૂરનું સંકટ છે. તેથી પ્રશાસને આજુબાજુના ગામ માટે ચેતવણી જાહેર કરી છે.

    આ દરમિયાન મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં 88.50 ટકા  પાણીનો સ્ટોક(Water stock) થઈ ગયો છે. 2021ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 33.22 ટકા પાણી હતું. તો 2020ની સાલમાં જળાશયોમાં  27.47 ટકા પાણી હતું.

    મુંબઈને આખું વર્ષ પાણીકાપ(Watercut) વગર પાણી પુરવઠો કરવા માટે પહેલી ઓક્ટોબરના જળાશયમાં 14.47 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો જરૂરી છે. હાલ જળાશયોમાં 12,80,863 મિલિયન લિટર જેટલું  પાણી છે.