Tag: TrafficRules

  • Road Safety:સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ

    Road Safety:સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ

    News Continuous Bureau | Mumbai

    Road Safety: પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
    બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે વિગતે ચર્ચા કરી હતી. તેમણે ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે એમ જણાવી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
    આ ઉપરાંત, રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા નવેમ્બરમાં ૩૯૩ અને ડિસેમ્બરમાં ૨૧૩ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા અને ૧૮ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  :Hazira Oil Companies: હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

    ઝોનલ ઓફિસરોએ કરેલ કામગીરી જેવી કે,સ્ટોપ લાઇન, ઝીબ્રા ક્રોસિંગ, નો પાર્કિંગ- સ્પીડ લિમીટ-પાર્કીંગના સાઇન બોર્ડ અને પીળા પટ્ટા સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જંક્શન પાસે થતાં ટ્રાફિકને હલ કરવા માટેના સુચનો આપવામાં આવ્યા હતા.
    વધુમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ૮૯૭ વાહનચાલકો અને વર્ષ ૨૦૨૪ માં ૯૯૫ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી, જે મુદ્દાની ચર્ચા કરતા કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

    આ સમાચાર પણ વાંચો  :Israel Benjamin Netanyahu : યુદ્ધ વચ્ચે યારીવ લેવિન બન્યા ઇઝરાયેલના કાર્યકારી વડાપ્રધાન, જાણો કારણ..

    આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર ૧૦૮ ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરાઈ હતી.
    બેઠકમાં ટ્રાફિકના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક, આર.ટી.ઓ અધિકારી, મનપાના કાર્યપાલક ઈજનેર, ટ્રાફિક શાખાના અધિકારીઓ, કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • kankaria carnival:અમદાવાદ શહેરમાં ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

    kankaria carnival:અમદાવાદ શહેરમાં ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

     News Continuous Bureau | Mumbai
    kankaria carnival: અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવામાં આવનાર છે. હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ-૨૦૭ મળેલી સત્તા અન્વયે આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર નીચે જણાવેલ વિસ્તારને ‘નો પાર્કિંગ ઝોન’ તથા ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ જાહેર કરવા હુકમ કરું છું.

    હુકમ

    (૧) કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઇ શકશે નહીં. વળી, તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં.

    (૨) સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને ‘નો યુ ટર્ન’ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો  :Hingoli Car Accident: હિંગોલીમાં બેકાબુ કારે બે બાઇકસવારોને મારી ટક્કર, CCTV ફૂટેજ સામે આવ્યા; જુઓ વિડીયો…

    (૩) તેમજ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર નાઓના આમુખમાં નિર્દિષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૦૧.૦૦ સુધી અવર- જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

    •  દાણીલીમડા ચાર રસ્તા થઇ શાહ આલમ થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
    • ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
    • મણિનગર રેલ્વે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો રોડ.
    • કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
    •  રાયપુર દરવાજાથી બીગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
    • ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.

    અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રોકાયેલાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

    આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.

    આ સમાચાર પણ વાંચો  :Anil Kapoor: 24 ડિસેમ્બર 1956ના રોજ જન્મેલા અનિલ કપૂર એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે.

    આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

    આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.