• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - training
Tag:

training

Viksit Maharashtra Vision 2047 Maharashtra Signs 3 Pacts With Finland To Boost Youth Startups, Research, Training
રાજ્ય

Viksit Maharashtra Vision 2047: મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટીના ફિનલેન્ડ અને ત્રણ અન્ય સંસ્થાઓ સાથે એમઓયુ, મહારાષ્ટ્રના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની મળશે તકો…

by kalpana Verat July 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Viksit Maharashtra Vision 2047:   પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને મહારાષ્ટ્રનું આમાં નોંધપાત્ર યોગદાન રહેશે, એવી ખાતરી રાજ્યનાં કૌશલ્ય વિકાસ, રોજગાર અને નવીનતા મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાએ આપી હતી. સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે કૌશલ્ય વિકાસ વિભાગ અને ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટ-અપ્સ અંગે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેઓ આ પ્રસંગે બોલી રહ્યા હતા. મંત્રી લોઢાની હાજરીમાં, કૌશલ્ય વિકાસ વિભાગની મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી અને ફિનલેન્ડના હાઇ કમિશનર ડૉ. ઇવા નિલ્સન સહિત ત્રણ અન્ય સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ફિનલેન્ડ, ગ્લોબલ એક્સેસ ટુ ટેલેન્ટ ફ્રોમ ઈન્ડિયા (ગતિ), મેજિક બિલિયન અને ચાર્કોસ એન્ટરપ્રાઈઝીસ સાથે પ્લેસમેન્ટ, રિસર્ચ, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેનિંગ પહેલ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મિત્રાના અધિક મુખ્ય અધિકારી અમન મિત્તલ, અધિક મુખ્ય સચિવ મનીષા વર્મા, રતન ટાટા સ્કિલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અપૂર્વા પાલકર અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક માધવી સરદેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, એમઓયુ પર હસ્તાક્ષર પહેલાં, મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી દ્વારા વિકસિત મહારાષ્ટ્ર વિઝન ૨૦૪૭ વિષય પર એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

📍Sahyadri Guest House | Mumbai

Proud to represent Maharashtra on the global stage!

Under the visionary leadership of Hon’ble PM Shri Narendra Modi ji and the guidance of Hon’ble CM Shri Devendra Fadnavis ji, we’ve taken a historic step towards Developed Bharat 2047.… pic.twitter.com/Qh8F8d3TlS

— Mangal Prabhat Lodha (@MPLodha) July 21, 2025

આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ્ય નવીનતા, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને રોકાણના ક્ષેત્રમાં સહયોગ સાધવાનો રહેશે. બંને દેશોમાં સ્ટાર્ટઅપ્સ માટે તકો પૂરી પાડવા, વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંશોધન, રોકાણ, રોજગાર મેળાઓ, સ્ટાર્ટઅપ સમિટ જેવા નવીન કાર્યક્રમોનું સંયુક્ત આયોજન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક સંશોધન સહયોગને સક્ષમ બનાવવા પર વધુ ભાર મૂકવામાં આવશે. ફિનલેન્ડની કંપનીઓ સાથે સહયોગમાં મહારાષ્ટ્રમાં એક અત્યાધુનિક તાલીમ કેન્દ્ર સ્થાપિત કરવા માટે એક રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

કૌશલ્ય વિભાગ હેઠળ આવતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટીએ આ કરાર દ્વારા ઉદ્યોગસાહસિકતામાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મંત્રી મંગલપ્રભાત લોઢાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ ખાનગી અને જાહેર ભાગીદારી (PPP) નીતિનું પરિણામ છે જેનો સીધો લાભ મહારાષ્ટ્ર અને દેશના યુવા ઉદ્યોગસાહસિકોને મળી શકે છે. આ પ્રકારની પહેલ દ્વારા જ્ઞાનનું વૈશ્વિક આદાનપ્રદાન, કૌશલ્ય તાલીમની તકો અને ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે. દરમિયાન, ફિનલેન્ડના હાઈ કમિશનર ડૉ. ઈવા નિલ્સને કૌશલ્ય વિકાસ વિભાગની નીતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. આ MoU દ્વારા, મહારાષ્ટ્ર સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમણે ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશોમાં સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો ઊભી થશે. આ કરાર દ્વારા, મહારાષ્ટ્રના સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવશે. ઉપરાંત, મજબૂત સંબંધો દ્વારા, આ કરાર અન્ય ઉદ્યોગસાહસિકો માટે એક નવી ઓળખ બનાવશે, એમ અધિક મુખ્ય સચિવ મનીષા વર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Natural Farming Training Five-day natural farming training organized at Farmer Training Center-Bardoli from May 12th to 16th
Agriculture

Natural Farming Training : ખેડૂત તાલીમ કેન્દ્ર-બારડોલી ખાતે તા.૧૨થી ૧૬ મે દરમિયાન પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન

by kalpana Verat May 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Natural Farming Training : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત, ઘઉં સંશોધન કેન્દ્ર-બારડોલી અને આત્મા પ્રોજેક્ટ-સુરતના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર-બારડોલી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત સુરત જિલ્લાની કૃષિ સખી અને સીઆરપી ભાઈ-બહેનો માટે તા.૧૨થી ૧૬ મે દરમિયાન પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ રહી છે.

Natural Farming Training Five-day natural farming training organized at Farmer Training Center-Bardoli from May 12th to 16th

નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો.ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન. જી. ગામીત તથા KVK-સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ એચ.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. 

Natural Farming Training Five-day natural farming training organized at Farmer Training Center-Bardoli from May 12th to 16th

 

કૃષિ સખી અને સીઆરપી મળી કુલ ૯૪ તાલીમાર્થીઓને વેળાએ તાલીમાર્થીઓને નિદર્શન તેમજ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક, સુઠાસ્ત્ર, ઘનજીવામૃત બનાવવાની પ્રેક્ટીકલ તાલીમ અપાઈ રહી છે.

Natural Farming Training Five-day natural farming training organized at Farmer Training Center-Bardoli from May 12th to 16th

 

આ સમાચાર પણ વાંચો : Justice BR Gavai :જસ્ટિસ બીઆર ગવઈ બન્યા ભારતના 52મા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ; આટલા મહિનાનો રહેશે કાર્યકાળ

KVK-સુરતના વૈજ્ઞાનિક પ્રો. સુનિલ જે. ત્રિવેદીએ પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો વિશે ટેકનિકલ માહિતી આપી હતી. ડો.રાકેશ કે. પટેલે જુદા જુદા પાકમાં આવતી જીવાતો, રોગો તેની ઓળખ, નુકસાનનો પ્રકાર અને પ્રાકૃતિક ખેતીમાં જીવાતો અને રોગના નિયંત્રણ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપી હતી. પ્રો. ભક્તિ બી. પંચાલે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિષે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

Natural Farming Training Five-day natural farming training organized at Farmer Training Center-Bardoli from May 12th to 16th

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.
સુરત

Jari Zardosi Work Training : પોલીસ પરિવારની ૩૦ બહેનોએ જરી-જરદોશી એમ્બ્રોઈડરી વર્કની એક મહિનાની તાલીમ મેળવી, આ બહેનો હવે જરી-જરદોશીની ઉત્પાદનો બનાવશે

by kalpana Verat March 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Jari Zardosi Work Training :

  • ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા ‘ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ: જરી-જરદોશીની તાલીમ’નું સમાપન
  • રાજ્યમાં પ્રથમવાર પોલીસ પરિવારની બહેનોએ જરી જરદોશીની તાલીમ મેળવી
  • પોલીસ પરિવારની બહેનો કલા સાથે જોડાઈ પણ કુશળ બને એવો ઉદ્દેશ પ્રશંસાને પાત્ર: મેયર દક્ષેશભાઈ માવાણી
  • બહેનો દ્વારા ઉત્પાદિત જરીજરદોશીની કલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે એક્ઝિબિશનની સુવિધા સાથે માર્કેટ પુરૂ પાડવામાં આવશે: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
  • જરી-જરદોશી હેન્ડવર્ક એ સુરતની પ્રાચીન વિરાસત: સંધ્યાબેન ગહલૌત
  • ૩૦ પોલીસ બહેનો, તેમજ કતારગામ બાળાશ્રમ ખાતે તાલીમ મેળવનાર અન્ય જરૂરિયાતમંદ ૩૦ બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાઈ 

 ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની ૩૦ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહલૌતના માર્ગદર્શન હેઠળ જરી-જરદોશીની એક મહિનાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગના સહયોગથી સુરતની ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ, જરી-જરદોશીની તાલીમનું અઠવાલાઈન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે સમાપન થયું હતું.

સમાપન સમારોહમાં વિશેષ ઉપસ્થિત મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પૂર્વ કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને અન્ય મહાનુભાવોના હસ્તે તાલીમ મેળવનાર ૩૦ પોલીસ બહેનો, તેમજ કતારગામ બાળાશ્રમ ખાતે તાલીમ મેળવનાર અન્ય જરૂરિયાતમંદ ૩૦ બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાઈ હતી.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

તાલીમ મેળવ્યા બાદ આ બહેનોએ સ્વઉત્પાદિત જરી જરદોશીની ફ્રેમ, ચપ્પલ, મોજડી, પર્સ-બટવા, બેલ્ટ, ટ્રે, જ્વેલરી બોક્સ, બેન્ગલ બોક્સ, ભગવાનના જરીના વાઘાનું પ્રદર્શન યોજ્યું હતું. જેને ઉપસ્થિત સૌએ નિહાળી બહેનોની કલાને બિરદાવી હતી.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, જરી-જરદોશી વર્કે સુરતને વૈશ્વિક નામના આપી છે. બહેનો સખી મંડળોમાં જોડાઈને સ્વદેશી ઉત્પાદનો થકી આજીવિકા મેળવી રહી છે. બહેનો પોતાની સ્કીલનો ઉપયોગ કરી પગભર થઈ પુરૂષ સમોવડી બની રહી છે, ત્યારે પોલીસ પરિવારની બહેનો પણ કલા સાથે જોડાઈ પણ કુશળ બને એવો ઉદ્દેશ પ્રશંસાને પાત્ર છે.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બહેનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પોતાના દૈનિક ઘરકામ, પરિવાર અને બાળકોની સારસંભાળની સાથે-સાથે વધારાનો સમય ફાળવી બહેનો તાલીમબદ્ધ થઈ છે, ત્યારે સુરતની ઓળખ સમાન જરી-જરદોશી વર્કને જીવંત રાખવાના પ્રયાસો સરાહનીય છે.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું કે, બહેનો દ્વારા તૈયાર થયેલા ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા એક્ઝિબિશનની સુવિધા સાથે માર્કેટ પુરૂ પાડવામાં આવશે. બહેનો પરિવારની મહિલાઓ અને સખી-સહેલીઓ સાથે વિચારો, કલાનું આદાનપ્રદાન કરીને ઉત્પાદનો બનાવશે તો જરીજરદોશી કલા નીખરી ઉઠશે એમ જણાવી વર્કશોપમાં મેળવેલા કૌશલ્યને કાયમી જીવંત રાખવા અનુરોધ કર્યો હતો.

શ્રીમતી સંધ્યાબેન ગહલૌતે કહ્યું હતું કે, જરી-જરદોશી હેન્ડવર્ક એ સુરતની પ્રાચીન વિરાસત છે. બહેનોમાં છૂપાયેલી કળાને પ્લેટફોર્મ આપવાના શુભ આશયથી માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન પરંપરાગત જરી-જરદોશી વર્કની તાલીમ આપવામાં આવી છે. સુરતની પ્રાચીન જરી-જરદોશી હેન્ડવર્ક કલાને જીવંત રાખી પોલીસ પરિવારની બહેનો ફાઝલ સમયનો ઉપયોગ કરી કલા અને પ્રાચીન જરી જરદોશી વર્ક શીખે, ક્રિએટિવ બની આત્મનિર્ભર થાય એ આ તાલીમનો ઉદ્દેશ છે. આજે આપણી તાલીમ પૂર્ણ થતા પોલીસ બહેનોની આત્મનિર્ભર બનવાની સફરની શરૂઆત થઈ છે.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

SGCCIના પ્રમુખ વિજયભાઈ મેવાવાળાએ કહ્યું કે, ચેમ્બરના કાર્યક્રમોમાં અત્યાર સુધી ફૂલોના બુકે, વુડન આર્ટ ગિફ્ટ, ચાંદીની ચીજવસ્તુ, લેપટોપ બેગ કે શિલ્ડ આપવામાં આવતા હતા. પણ હવે દરેક કાર્યક્રમમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલી જરી ફ્રેમવર્ક, ગિફ્ટ આર્ટિકલ અને હેન્ડ વર્કની પ્રોડક્ટથી સ્વાગત કરવામાં આવે છે. બહેનોને પ્રોત્સાહન મળે અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક માર્કેટ મળે એ માટે ચેમ્બર સહયોગી બન્યું છે.

ડી.સી.પી. ભક્તિબા ડાભીએ પોલીસ પરિવારની બહેનો માટે સમગ્ર તાલીમનું વ્યવસ્થાપન અને સંકલન કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં તાલીમ સંદર્ભે અનુભવો, અયોજનની વિગતો પ્રસ્તુત કરી હતી.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

તાલીમનું આયોજન કરનાર અમી હેન્ડીક્રાફ્ટના પ્રમુખ ભાવનાબેન દેસાઈએ સ્વાગત પ્રવચન કરી તાલીમની રૂપરેખા રજૂ કરી હતી. હિમાનીબેન ચોકસીએ આભારવિધિ કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહેલોતના માર્ગદર્શનમાં ૩૦ બહેનોએ ૧૦ દિવસની બેઝિક અને ૩૦ દિવસની જરી જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ એમ કુલ ૪૦ દિવસની તાલીમ મેળવી હતી. બહેનો આત્મનિર્ભર બને વર્ક ફ્રોમ હોમ, પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ ઉત્પાદનો બનાવી શકે તેવા ઉમદા હેતુથી કતારગામની ૩૦ બહેનોને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટની તાલીમ અપાઈ હતી.

સમારોહમાં અપાયેલા આર્ટીઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા, ગાંધી શિલ્પ બજાર, મહિલા આર્થિક વિકાસ નિગમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : child labour : બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે ઉન ભેસ્તાન વિસ્તારથી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

નોંધનીય છે કે, તાપી નદીને કિનારે વસેલા સુરત શહેરમાં વર્ષો પહેલા વેપારીઓ જરીનો વેપાર કરતા. ટેક્સ્ટાઇલ સિટી સુરતની જરી જગવિખ્યાત છે. સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે સુરતની જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ GI પ્રોડક્ટ સાથે બનાવી એને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટસ સંસ્થા કાર્યરત બની છે. વર્ષ ૨૦૨૪-૨૫માં આ સંસ્થા દ્વારા ૧૩૫ બહેનોએ કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા તાલીમ મેળવી હતી.

Jari Zardosi Work Training For the first time in the Gujarat, sisters from police families received training in Jari Zardosi.

 

આ પ્રસંગે મનપાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, ડી.સી.પી. ભક્તિબા ડાભી, સ્પેશિયલ પો.કમિશનર (સેક્ટર-૧)ના વબાંગ ઝમીર, જોઈન્ટ પો.કમિશનર((સેક્ટર-૨) કે.એન.ડામોર, જોઈન્ટ પો.કમિશનર (ક્રાઈમ) રાઘવેન્દ્ર વત્સ, ટેક્સટાઇલ મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ વિભાગના ગુજરાત ઈન્ચાર્જ ગિરીશ સિંઘલ અમી હેન્ડીક્રાફ્ટસના ઝંખના દેસાઈ, માસ્ટર ટ્રેનર રિન્કી ગૌતમ, પોલીસ બહેનોને તાલીમ આપનાર વિશ્રુતિ પટેલ, કતારગામ ખાતે બહેનોને તાલીમ આપનાર જાગૃત્તિ ગાબાણી, જરી એસોસિએશનના પ્રમુખ દિપકભાઈ કુકડીયા, રૂચિતા જરદોશ, હિરાંગી જરદોશ, વૈશાલી દેસાઈ, નેહલ દેસાઈ, માનસી દેસાઈ, આશય જરદોશ, સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bikaner Firing Range Accident Two soldiers die while loading ammunition during training exercise in Bikaner
રાજ્ય

Bikaner Firing Range Accident: રાજસ્થાનના બિકાનેરમાં મોટી દુર્ઘટના, દારૂગોળો લોડ કરતી વખતે ચાર્જરમાં થયો વિસ્ફોટ; આટલા જવાનોએ ગુમાવ્યો જીવ..

by kalpana Verat December 18, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Bikaner Firing Range Accident: રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જમાં એક મોટો અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, આજે બીકાનેરમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં તાલીમ અભ્યાસ દરમિયાન ટેન્કમાં દારૂગોળો લોડ કરતી વખતે એક અકસ્માતમાં બે સૈન્ય સૈનિકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં એક જવાન ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ સૈનિકને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે, જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનારા સૈનિકોના પાર્થિવ દેહને સુરતગઢ મિલિટરી સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મહાજન ફાયરિંગ રેન્જમાં 4 દિવસમાં આ બીજો મોટો અકસ્માત છે.

Bikaner Firing Range Accident: જુઓ વીડિયો 

#बीकानेर के महाजन से बड़ी खबर फील्ड फायरिंग में फटा बम तोपाभ्यास के दौरान महाजन फील्ड फायरिंग रेंज में।
दो सैनिकों की मौके पर हुई मौत, एक सैनिक गंभीर घायल।
महाजन फील्ड फायरिंग रेंज के नॉर्थ कैंप में हुआ हादसा।
गंभीर घायल सैनिक को करवाया सूरतगढ़ के मिल्ट्री अस्पताल में… pic.twitter.com/EUeGBE5Rid

— Rajasthan Chowk (@RajasthanChowk) December 18, 2024

 

Bikaner Firing Range Accident: ‘દારૂગોળો લોડ કરતી વખતે ચાર્જરમાં વિસ્ફોટ થયો’

આ ઘટના વિશે માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમિતાભ શર્માએ જણાવ્યું કે જ્યારે સૈનિકો ટેન્કમાં દારૂગોળો ભરી રહ્યા હતા ત્યારે ચાર્જર ફાટ્યું.  આ ઘટનામાં બે સૈનિકોના મોત થયા અને અન્ય એક ઘાયલ થયો.વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લુંકરનસર (બીકાનેર) સીઓ નરેન્દ્ર કુમાર પુનિયાએ કહ્યું, ‘3 સૈનિક ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન ચાર્જરમાં બ્લાસ્ટ થવાને કારણે બે જવાનોના મોત થયા છે. આ દરમિયાન ઘાયલ સૈનિકને હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Amit Shah Ambedkar remarks: આંબેડકર પર નિવેદન મુદ્દે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસના આરોપ પર કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ..

Bikaner Firing Range Accident:  છેલ્લા 4 દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના

જણાવી દઈએ કે મહાજન ફાયરિંગ રેન્જમાં છેલ્લા 4 દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા રવિવારે ગનર ચંદ્ર પ્રકાશ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું. પટેલ તાલીમ દરમિયાન ગન બેટરીમાં ડિટેચમેન્ટ કમાન્ડર તરીકે ફરજ પર હતો. તે તોપને ટોઇંગ વાહન સાથે જોડી રહ્યો હતો ત્યારે તોપ પાછળની તરફ આવી અને તે ઘાયલ થયો. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે સૈનિકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

December 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nashik Military Camp Explosion Two Agniveers Killed In Artillery Gun Shell Explosion During Training In Nashik
રાજ્ય

Nashik Military Camp Explosion: નાસિકમાં મોટી દુર્ઘટના.. તોપ લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો, આટલા અગ્નિવીરોએ ગુમાવ્યો જીવ…

by kalpana Verat October 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Nashik Military Camp Explosion: મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં મોટો વિસ્ફોટ થયો હતો, જેનાથી ખળભળાટ મચી ગયો હતો. આ વિસ્ફોટમાં બે ફાયરમેનના મોત થયા હતા, જ્યારે એક ફાયરમેન ઘાયલ થયો હતો. આ અકસ્માત સૈનિકોની નિયમિત તાલીમ દરમિયાન થયો હતો. સાથી સૈનિકોએ ઘાયલ અગ્નિવીરને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.  

Nashik Military Camp Explosion: બંને ફાયરમેન ગંભીર રીતે ઘાયલ થયા

આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સૈનિકો આર્ટિલરીમાંથી ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જેમાં બંને ફાયરમેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાથી સમગ્ર આર્ટિલરી સેન્ટરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અને અધિકારીઓએ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Nashik Military Camp Explosion: તાલીમ દરમિયાન વિસ્ફોટ થયો 

નાસિકના આર્ટિલરી સેન્ટરમાં ફાયર ફાઇટર્સને તાલીમ આપવામાં આવે છે. ગઈકાલે બપોરે અગ્નિશામકો આર્ટિલરી સેન્ટરમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ ટ્રેનિંગ દરમિયાન ફાયરિંગ કરતી વખતે અચાનક વિસ્ફોટ થયો હતો. આથી આર્ટિલરી સેન્ટરમાં ખળભળાટ મચી ગયો હતો.

Nashik Military Camp Explosion: સુપ્રિયા સુલેએ અગ્નિવીરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો

NCP નેતા સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, નાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ દરમિયાન થયેલા વિસ્ફોટમાં બે ફાયરમેનના મોત થયા હતા. આ ઘટના અત્યંત દુઃખદ છે. આ બંને સૈનિકો પ્રત્યે અમે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. સંરક્ષણ મંત્રાલયે આ બંને જવાનોને શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેનો લાભ તેમના પરિવારોને આપવો જોઈએ.

Tata Trusts chairman : ટાટા ટ્રસ્ટની કમાન હવે નોએલ ટાટા સંભાળશે, રતન ટાટાના સાવકા ભાઈ બન્યા નવા ચેરમેન

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના સશસ્ત્ર દળોમાં સેવા આપવા ઇચ્છુક યુવક-યુવતીઓને ટૂંકા ગાળાની સૈન્ય રોજગારીની તકો પૂરી પાડે છે. બંને પીડિતો ભરતી કરનારાઓના જૂથનો ભાગ હતા જેઓ તાજેતરમાં આ પહેલ હેઠળ નાસિક આર્ટિલરી સેન્ટરમાં જોડાયા હતા.

October 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
German language training started in Prabodhini, an initiative of Maharashtra Skill Development Minister Mangal Prabhat Lodha.
રાજ્યમુંબઈ

Maharashtra: મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી સ્થપાયેલી પ્રબોધિનીમાં જર્મન ભાષાની તાલિમ શરૂ થઇ

by Hiral Meria May 13, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Maharashtra: રોજગાર માટે વિદેશ જવા ઇચ્છતા મહારાષ્ટ્રનાં યુવાનોને વિદેશી ભાષાઓની ( foreign languages ) તાલિમ આપવા માટે મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયે સ્થાપેલી સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની હવે કાર્યરત થઇ છે અને મુંબઇમાં વિદ્યાવિહાર ખાતે જર્મન ભાષા શીખવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની પ્રથમ બેચની તાલીમનો પ્રારંભ થયો હતો. આગામી મહિનામાં આ સ્થળે જાપાની ભાષાની તાલીમ પણ શરૂ કરવામાં આવશે.

 સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિનીએ મહારાષ્ટ્ર કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી દ્વારા અને મંત્રી મંગલ પ્રભાત લોઢાની પ્રેરણાથી વિદ્યાર્થીઓને વિદેશી ભાષાની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના ( Mangal Prabhat Lodha )  પ્રયાસો દ્વારા વિદ્યા વિહાર ( Vidyavihar ) ખાતે ગત ૭ મી  માર્ચ ૨૦૨૪ ના રોજ સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની સ્થાપના કરવામાં આવી હતી. યુવાનોને જરૂરી ભાષા કૌશલ્ય અને વિદેશમાં ઉપલબ્ધ રોજગારી મળી રહે તે માટે આ પ્રબોધિની માં જાપાનીઝ ( Japanese language ) , હીબ્રુ, જર્મન ( German language ) અને ફ્રેંચ એમ ચાર ભાષાની આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ આપવામાં આવશે.  

આ સમાચાર પણ વાંચો :  Loksabha Election 2024 : 10 રાજ્યો, 96 બેઠકો… ચોથા તબક્કા માટે આજે થશે મતદાન, આ નેતાઓનું ભવિષ્ય દાવ પર..

સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રબોધિનીમાં જર્મન ભાષાની તાલીમ ( training ) ખૂબ જ યોગ્ય સમયે શરૂ થઈ છે, હાલમાં જર્મનીમાં કુશળ માનવબળ માટે સાત લાખ નોકરીઓ ઉપલબ્ધ છે. જર્મનીને ૨૦૩૫ સુધીમાં ૭૦ લાખ કુશળ માનવબળની જરૂર પડશે. જાપાનને પણ કુશળ માનવબળની અત્યંત જરૂર છે. આ વિદેશી ભાષા પ્રશિક્ષણ વિભાગ દ્વારા જર્મની, જાપાન અથવા અન્ય દેશોમાં કુશળ માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવશે.

વ્યાપક અભ્યાસક્રમ દ્વારા, A1 એટલે કે ખૂબ જ મૂળભૂત સ્તરથી માંડીને C2 એટલે કે જર્મન ભાષામાં નિપુણતા સુધીનું શિક્ષણ આપવામાં આવશે. તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ આપવા માટે સક્ષમ શિક્ષકો પણ ઉપલબ્ધ રહેશે.

હોસ્પિટાલિટી સેક્ટર, હોમ કેર સહિત બિઝનેસ સેક્ટરમાં વિદેશમાં રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ છે. તમામ જરૂરી તાલીમ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની અને મહારાષ્ટ્ર કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેવી જ રીતે, સ્વામી વિવેકાનંદ કૌશલ્ય વિકાસ પ્રબોધિની મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ સાથે પણ સંકળાયેલી છે, તેના દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો, રહેઠાણ, આવશ્યક તાલીમ, ઇન્ટરવ્યુ તાલીમ, કાઉન્સેલિંગ વગેરે પ્રદાન કરવામાં આવે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor training for ramayana doing hardcore exercise
મનોરંજન

Ranbir kapoor: રણબીર કપૂરે રામાયણ માટે કસી કમર, લઇ રહ્યો છે આવી ટ્રેનિંગ, જુઓ વિડીયો

by Zalak Parikh April 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor: રણબીર કપૂર નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ માં જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. હવે ભગવાન રામ બનવા માટે રણબીર કપૂરે કમર કસી છે. રણબીર તેના માટે ખાસ ટ્રેનિંગ લઇ રહ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં રણબીર કપૂર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Nidhi shah: શું ખરેખર તોષુ એટલે કે અભિનેતા આશિષ મેહરોત્રા ને ડેટ કરે છે કિંજલ? અભિનેત્રી નિધિ શાહ એ જણાવી હકીકત

 

રણબીર કપૂર ના વર્કઆઉટ નો વિડીયો થયો વાયરલ 

રણબીર કપૂર નો વર્કઆઉટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રણબીર કપૂર વજન ઉપાડતો, જોગિંગ, કોર એક્સરસાઇઝ, સ્વિમિંગ, કાર્ટવ્હીલ અને સાયકલ ચલાવતો જોવા મળે છે. રણબીરનો આ વીડિયો તેના ટ્રેનરે શેર કર્યો છે અને તેણે જણાવ્યું છે કે તે આ ટ્રેનિંગ માટે રણબીર સાથે ગ્રામીણ વિસ્તારમાં ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Indian Express Entertainment (@ieentertainment)


રણબીર કપૂર ના આ વિડીયો માં તેની દીકરી રાહા પણ જોવા મળી હતી જે તેની નેની સાથે રમી રહી છે. આ ઉપરાંત લોકો ને આ વિડીયો માં આલિયા ભટ્ટ ની પણ ઝલક જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Youth Day 2024 Office of the Director of Employment and Training providing self-reliance through employment to the youth of Surat
સુરત

National Youth Day 2024 : સુરતના યુવાઓને રોજગારી થકી આત્મનિર્ભરતા પ્રદાન કરતી રોજગાર અને તાલીમ નિયામકની કચેરી-સુરત

by kalpana Verat January 12, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai   

National Youth Day 2024 : 

  •  રોજગાર કચેરી-સુરત દ્વારા વર્ષ ૨૦૨૩માં જિલ્લાના ૨૨ હજારથી વધુ યુવાઓને રોજગારી મળી
  •  વર્ષ ૨૦૨૩માં ‘અનુબંધમ’ એપ પર સુરત ( Surat ) ના ૩,૧૭૫ નોકરીદાતા અને ૩૬,૬૩૦ રોજગારવાંચ્છુકોની સફળ ઓનલાઈન નોંધણી

સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયાનુસાર ૧૯૮૫ના વર્ષને આતંરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. જેને પગલે વર્ષ ૧૯૮૫ની ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને ભારતમાં ‘રાષ્ટ્રીય યુવા દિન‘ તરીકે ઉજવાય છે.

દેશના હ્રદય સમાન યુવાધન ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર બને, કારકિર્દીની નવી તકો મેળવી શિક્ષિત અને સક્ષમ બને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી-સુરત દ્વારા ગત વર્ષ ૨૦૨૩માં જિલ્લાના ૨૨ હજારથી વધુ યુવાઓને રોજગાર પ્રાપ્ત થયો છે. જેમાં રોજગાર કચેરી દ્વારા કરાતા વિવિધ ભરતી મેળાઓ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ થકી થયેલી નિમણૂકનો સમાવેશ થાય છે.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે ઔદ્યોગિક/એપ્રેન્ટીસ ભરતીમેળા, શાળા અને કોલેજોમાં કારકિર્દી માર્ગદર્શન, કરિયર કોર્નર, સંરક્ષણ ભરતી માટેની નિવાસી તાલીમ, મોડલ કરિયર સેન્ટર તેમજ વિદેશ રોજગાર માટેની માહિતી અને માર્ગદર્શન સહિતની પ્રત્યક્ષ તાલીમ અને મેળાઓ યોજવામાં આવે છે. જેમાં ઉમેદવારોની નામ નોંધણી, દર ત્રણ વર્ષે નામ નોંધણી તાજી કરવી, યોગ્ય ઉમેદવારોની ભલામણ અને વિવિધ ભરતીમેળાઓ થકી રોજગારી આપવામાં આવે છે. 

ઔદ્યોગિક એકમો તથા નોકરીદાતાઓને માનવબળ પૂરૂ પાડવા માટે રાજ્ય સરકારની ઓનલાઈન વ્યવસ્થા એટલે કે અનુબંધમ વેબ પોર્ટલ તથા મોબાઈલ એપ થકી ઓનલાઈન નોંધણી દ્વારા પણ રોજગારી આપવામાં આવે છે. આ પોર્ટલના કારણે રોજગાર વાંચ્છુંઓને મનગમતી નોકરી અને કુશળ માનવબળ મળી રહે છે. હાલ ‘અનુબંધમ’ એપ પર સુરત જિલ્લાના ૩૧૭૫ નોકરીદાતા અને ૩૬૬૩૦ રોજગારવાંચ્છુઓ સફળ ઑનલાઈન નોંધણી કરાવી કાર્યરત છે.

આ સમાચાર પણ વાંચો : Goa BJP Conflict: ગોવા ભાજપમાં આંતરિક વિખવાદ? આ ધારાસભ્યએ પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કહ્યા ભ્રષ્ટ, લગાવ્યા ગંભીર આરોપ..

* ‘અનુબંધમ’ પોર્ટલની વિશેષતાઓ:

અનુબંધમ ઓનલાઈન પોર્ટલ પર બંને પક્ષોની ઝડપી અને નિ:શુલ્ક નોંધણી, કામના પ્રકાર અનુસાર ઉમેદવારોનું ઓટોમેટેડ મેચમેકિંગ, કામ, ક્ષેત્ર, લાયકાત જેવા વિવિધ વિકલ્પોને આધિન વર્ગીકરણ જેવી સુવિધાઓ છે, જ્યારે યુવાનો માટે ઈન્ટરવ્યૂ શિડ્યુલ મેનેજમેન્ટ, ઓનલાઈન ઓફર લેટર, સ્કીલ તથા ખાલી જગ્યાને આધારે શોર્ટલિસ્ટીંગ અને ઉપલબ્ધ રોજગારીની તકો શોધવાની સરળતા રહેલી છે. ઉપરાંત, નોકરીદાતા માટે ખાલી જગ્યાની નોંધણી, લાયકાત મુજબ ઉમેદવારની પસંદગી અને ઓનલાઈન/ઓફલાઈન ઈન્ટરવ્યૂની સહુલિયત મળે છે. 

આમ રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી ઉમેદવારો અને નોકરીદાતાઓ વચ્ચે સેતુરૂપ બની યુવાનો માટે રોજગારલક્ષી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા સુરત શહેર-જિલ્લાના યુવાનોને કારકિર્દીલક્ષી યોગ્ય અને ઉપયોગી માર્ગદર્શન તેમજ નોકરીની ઉત્તમ તકો આપવામાં મદદરૂપ નીવડે છે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Crime A woman who was undergoing Agniveer training in Malad committed suicide in the Navy hostel.. many questions were raised
મુંબઈ

Mumbai Crime: મલાડમાં અગ્નિવીરની તાલીમ લઈ રહેલી મહિલાએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા.. ઉઠ્યા અનેક સવાલો.. જાણો વિગતે

by Bipin Mewada November 28, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai Crime: અગ્નિવીર ( Agniveer ) માટે નૌકાદળ ( Navy ) માં તાલીમ ( training ) લઈ રહેલી 20 વર્ષીય મહિલાએ ( woman ) મંગળવારે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા ( Suicide ) કરી લીધી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા INS હમલા ( INS Hamla ) માં ટ્રેનિંગ હેઠળ હતી. મુંબઈ પોલીસે ( Mumbai Police ) જણાવ્યું કે માલવણી પોલીસે અકસ્માત મૃત્યુ રિપોર્ટ ( ADR ) નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ અપર્ણા નાયર તરીકે થઈ છે.

અપર્ણા નાયરના રૂમમેટના જણાવ્યા મુજબ, જ્યારે રુમમેટ તેના રૂમમાં પાછી આવી અને વારંવાર દરવાજો ખખડાવ્યો, ત્યારે નાયરે દેખીતી રીતે જવાબ આપ્યો ન હતો. બાદમાં તેણે અન્ય છોકરીઓ અને હોસ્ટેલ સ્ટાફને જાણ કરી જેમણે દરવાજો તોડ્યો અને ત્યાં નાયરનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ નેવીના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે અપર્ણાની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.

 આ મામલે તેના પ્રેમીની પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી નથી..

સૂત્રોના જણાવ્યા અનુસાર, અપર્ણાને કોઈની સાથે પ્રેમ સંબંધ હતો અને તે સંબંધમાં મુશ્કેરલીઓ આવતા તેણે બેડશીટની મદદથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આ મામલે તેના પ્રેમીની પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી હોવાના કોઈ અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચોઃ Adani Group: માર્કેટ ખૂલતાની સાથે અદાણી ગ્રૂપના શેરોમાં આવ્યો 20% નો ઉછાળો… આ છે કારણ.. જાણો વિગતે અહીં..

અગ્નિવીર એ અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકો માટે વપરાતો શબ્દ છે. આ યોજનાની જાહેરાત 14 જૂન, 2022ના રોજ કરવામાં આવી હતી. સૈન્યમાં સેવા આપવાનો એકમાત્ર રસ્તો અગ્નિપથ યોજના છે. યોજના હેઠળ, સૈનિકો ચાર વર્ષ માટે સેવા આપે છે, જેમાં છ મહિનાની તાલીમ અને 3.5 વર્ષ તૈનાતનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી, તેઓ સશસ્ત્ર દળોમાં પોતાની કામગીરી ચાલુ રાખવા માટે અરજી કરી શકે છે.

November 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Japanese paying smile experts because they have forgotten how to after years of Covid masks
આંતરરાષ્ટ્રીય

લ્યો બોલો, આ દેશના લોકો તો હસવાનું જ ભૂલી ગયા, હવે પૈસા આપીને શીખી રહ્યા છે હસવાનું.. જાણો કારણ..

by kalpana Verat May 10, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં લોકો હસવાનું ભૂલી ગયા છે. તેની પાછળનું કારણ કોરોના વાયરસ પ્રતિબંધો હોવાનું માનવામાં આવે છે. ત્રણ વર્ષ સુધી સતત માસ્ક પાછળ ચહેરો છુપાવ્યા બાદ આવું થઈ રહ્યું છે. અમે અહીં જાપાનની વાત કરી રહ્યા છીએ. જેણે અલબત્ત કોવિડ પ્રતિબંધો હટાવ્યા છે. પરંતુ હજુ પણ તેની અસરનો સામનો કરી રહી છે. અહીં કેટલાક લોકો વાયરસના ડરને કારણે હજુ પણ માસ્ક પહેરી રહ્યા છે, જ્યારે કેટલાકનું માનવું છે કે લાંબા સમય સુધી માસ્ક પહેરવાને કારણે તેઓ હસવાનું ભૂલી ગયા છે.

તે જ સમયે, ઘણા માને છે કે હવે તેમનું સ્મિત પહેલા જેવું નથી. જ્યારે ઘણા લોકો મોઢાના નીચેના ભાગને દુનિયાની સામે બતાવવામાં શરમ અનુભવી રહ્યા છે. આવા લોકો હવે મદદ માટે નિષ્ણાતો પાસે જઈ રહ્યા છે. તેઓ પૈસા આપીને હસતા શીખી રહ્યા છે. સ્માઈલ ટ્રેનર મિહો કિતાનો કહે છે, મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે જો તેઓ માસ્ક ઉતારી લે તો પણ તેઓ તેમના ચહેરાનો નીચેનો ભાગ બતાવવા માંગતા નથી, અથવા તેઓ હવે કેવી રીતે સ્મિત કરવું તે જાણતા નથી.

હજારોને હસતા શીખવ્યું

કિતાનો કહે છે કે તેમની કંપની સ્માઈલ ફેશિયલ મસલ એસોસિએશનનો બિઝનેસ ઘણો વધી ગયો છે. તે લોકો અહીં આવી રહ્યા છે, જેઓ એ જ રીતે સ્મિત કરવા માંગે છે, જેમ કે તેઓ રોગચાળા પહેલા હસતા હતા. સ્મિત નિષ્ણાતો લોકોને કેવી રીતે હસવું તે શીખવવા માટે કસરતો આપે છે. આના દ્વારા ગાલના સ્નાયુઓને લવચીક બનાવવામાં આવે છે, જેથી તે દાંતને બતાવવામાં મદદ કરી શકે.

આ સમાચાર પણ વાંચો: હવે રશિયા ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ સ્વીકારતા ખચકાઈ રહ્યું છે. શું ભારત માટે ચિંતાનો વિષય છે?

કિતાનોએ કહ્યું કે કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેઓ બરાબર હસતા નથી, પરંતુ તે બધું સ્નાયુઓ પર નિર્ભર કરે છે. તેમને યોગ્ય રીતે પ્રશિક્ષિત અને ઉપયોગમાં લેવાની જરૂર છે. તે કહે છે કે તેણે અત્યાર સુધીમાં 4000 જાપાનીઓને ફરીથી હસવાનું શીખવ્યું છે.

માસ્ક નીતિનું કડક પાલન

જાપાનના લોકોએ માસ્ક પોલિસીનું ચુસ્તપણે પાલન કર્યું છે. આ જ કારણ છે કે આ દેશમાં પશ્ચિમી દેશોની તુલનામાં ઓછા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, સાથે જ મૃત્યુઆંક પણ ઓછો હતો. જો કે, હવે તે લોકોની પસંદગી છે કે તેઓ માસ્ક પહેરવા માંગે છે કે નહીં.

સ્માઇલ એજ્યુકેશન ટ્રેનર એસોસિએશનના કેઇકો કાવાનો કહે છે, ‘પરંપરાગત રીતે હસવું અને દાંત બતાવવાને જાપાનમાં એટલું સારું માનવામાં આવતું નથી. અહીં લોકો વધુ હલ્યા વિના જાપાનીઝ ભાષામાં વાત કરી શકે છે.

જે લોકો એકલા છે

તેમણે વધુમાં કહ્યું કે, ‘રોગચાળાની શરૂઆતથી જ એવું લાગ્યું હતું કે દેશમાં સુખનો દર ઘટી રહ્યો છે. લોકો પહેલા કરતા ઓછા હસવા લાગ્યા છે. આ ખૂબ જ પરેશાન કરતું હતું. આ બધી સમસ્યાઓના કારણે અહીં હસવાનું શીખવતી કંપનીઓ શરૂ થઈ.

અગાઉ એવા સમાચાર હતા કે જાપાનમાં લોકો એકલતાનો શિકાર બન્યા છે. તેઓ ઘરની બહાર આવવા માંગતા નથી. કોરોના રોગચાળા દરમિયાન ઘરમાં બંધ હોવાને કારણે તે સમાજમાં સંકોચ અનુભવી રહ્યો છે. અહીંની સરકાર પણ આ સમસ્યાનો સામનો કરવા માટે કામ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ લાવ્યું ધમાકેદાર ફિચર્સ, ગ્રુપ એડમિનના હાથમાં આવશે વધુ એક પાવર, હવે કરી શકશે આ કામ..

May 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક