જાણીતા ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન નું નિધન થયું છે. તેમણે લતા મંગેશકર, ગીતા દત્ત, આશા ભોંસલે, હરિહરન અને સોનુ નિગમ જેવા ગાયકોને શિક્ષા આપી હતી તેઓ ૮૯ વર્ષની ઉંમરે મુંબઈમાં ગુજરી ગયા તેમના નિધનની સાથે પંડિત જસરાજ અને પંડિત ભીમસેન જોશી જેવા મહાન કલાકારો ની પેઢીમાંથી એક સિતારો અસ્ત થયો.
