Tag: Vaikuntha

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૧

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૧

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

    Bhagavatશ્રીકૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી સદ્યોમુક્તિ આપે છે. નહિતર બ્રાહ્મણ ( Brahmin ) થયા વિના, અગ્નિહોત્રી થયા
    વિના,યોગી થયા વિના, મુક્તિ મળતી નથી. કનૈયાને દયા આવે તો તે, જીવ ઉપર કૃપા કરે છે અને તેને ઊંચકીને સીધા વૈકુંઠમાં
    લઇ જાય છે.ભગવાનની સાધારણ કૃપા તો સર્વ જીવો ઉપર છે. પણ પરમાત્મા વિશિષ્ટ કૃપા કોઇ કોઈ જીવ ઉપર કરે છે.
    પરમાત્માની વારંવાર પ્રાર્થના કરી, જીવ સાધન કરતો કરતો થાકી જાય અને દીન બને ત્યારે તે રડી પડે છે. તેવા જીવ ઉપર
    ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે. અને તે જ જન્મમાં તેને મુક્તિ આપે છે. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) રાજાધિરાજ છે. તેને પૂછનાર કોણ? રાજા ધારે તે કરી શકે છે. 

    જીવ ખુબ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે. ઇશ્વર તેના ઉપર કૃપા કરે છે. નિસાધન બની જે સાધન કરે
    છે તે શ્રેષ્ઠ છે. નિસાધન બનવું એટલે સાધન બધાં કરો પણ માનો, મારા હાથે કાંઈ થતું નથી. નિરાભિમાની બનો. અનેકવાર
    એવું થાય છે કે મનુષ્ય સાધન કરે એટલે સાધનનું અભિમાન વધવા લાગે છે. એટલે તે પડે છે.

    ત્યાર પછી યશોદાએ ( Yashoda ) કહ્યું, તમારા ઘરે લાલો તોફાન કરે તો લાલાને ધમકાવજો.

    ત્યારે બીજી ગોપી બોલી:- મા! લાલાને ધમકાવીએ? એ તો અમને ધમકાવે છે. મા! ગઇ કાલે મારે ત્યાં આવેલો. હું તેને
    પકડવા ગઈ. તે નાસી ગયો. હું પાછળ દોડી પણ થાકી ગઇ. હું તેને પકડી શકી નહિ. એટલે દૂર ઊભો રહી અંગુઠો બતાવી
    બોલવા લાગ્યો, હુરિયો, હુરિયો.

    એક સખી બોલી:- મા! કનૈયો મારા ઘરે આવી માખણની ચોરી કરે છે. યશોદાએ તે ગોપીના કાનમાં કહ્યું, આ વાત
    કોઇને કહીશ નહિ આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે?

    ગોપી કહે છે. મા! તને શું કહું? કનૈયો માગે તો માંગે તે આપું. પણ આ માંગતો નથી.

    યશોદાને થયું કે કનૈયાને ધમકાવું, પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં બીક દાખલ થઇ જાય તો?
    ગોપીઓની સર્વ ઇન્દ્રિયો પોતાના તરફ ખેંચી પરમાનંદમાં તરબોળ બનાવી, વૈકુંઠના ( Vaikuntha ) મોક્ષના પરમાનંદનું દાન કરવા
    માટે શ્રીકૃષ્ણની આ લીલા છે.

    યશોદામૈયા કનૈયાને પૂછે કે ઘરનું માખણ કેમ ખાતો નથી? લાલાએ કહ્યું, મને ઘરનું માખણ ભાવતું નથી. કારણ ઘરનું
    ખાઉં તો ઘરનું ઓછું થાય. હું તો બહાર જઈ કમાઈ ને ખાઈને ઘરે આવું છું. ગોપીના માખણમાં મને વિશેષ મીઠાશ લાગે છે.
    સખીઓ યશોદાજી પાસે ફરિયાદ કરે છે. મા! કનૈયાને બહુ લાડ લડાવશો નહિ. કનૈયો માખણની ચોરી કરે છે. શુકદેવજી ( Shukdevji ) 
    કથા બહુ વિવેકથી કરે છે. શ્રીકૃષ્ણ ચોર છે એમ કહ્યું નથી, પણ ઈતિ હોચું: વ્રજની ગોપીઓ આ પ્રમાણે યશોદાને માખણ ચોરીની
    લીલા કહેતી હતી એમ કહ્યું છે. માએ પૂછ્યું, કનૈયો ઘરમાં આવે છે તો તમને ખબર પડે છે? કનૈયો માખણની ચોરી કરે છે એની
    તમને ખબર પડે છે?

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

    ગોપીઓ કહે છે. મા! કનૈયો આવે છે તેની અમને ખબર પડે છે. એ જે દિવસે ઘરે આવવાનો હોય તેની આગલી રાત્રે
    સ્વપ્નમાં પણ દેખાય છે. મા હું પથારીમાં પડું અને સ્વપ્નમાં કનૈયો દેખાય. પથારીમાં પડયા પછી કનૈયો યાદ આવે છે. વૈષ્ણવો ( Vaishnavas )  તો સૂએ છે ત્યારે પથારીમાં પણ ઠાકોરજીને સાથે રાખીને સૂએ છે. ઠાકોરજીને સાથે રાખવાના એટલે શું? પથારીમાં પડયા પછી હરે કૃષ્ણ, હરે કૃષ્ણનો નિદ્રા આવતા સુધી જપ કરવાનો.

    પથારીમાં પડયા પછી કોઈ વસ્તુ યાદ આવે તો માનજો કે તેમાં તમારું મન ફસાયું છે. કેટલાક પથારીમાં પડયા પછી
    વિચારે છે કે કાલે કોને કોને ત્યાં ઉઘરાણી કરવી. માનજો એનું મન દ્રવ્યમાં ફસાયું છે. લોભીનું મન દ્રવ્યમાં ફસાય છે, કામીનું મન
    સ્ત્રીમાં.

    એક ગોપી બોલી. મા! ગઇ કાલે રાત્રે પથારીમાં પડી ત્યારે મને કનૈયો યાદ આવ્યો. કનૈયો ઘરમાં ન હોવા છતાં એની
    મૂર્તિ આંખમાંથી ખસતી નથી. લાલાના નામમાં તો અમૃત કરતાં પણ વધારે મીઠાશ છે. મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની આદત પડી
    છે.

    મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડયા પછી પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય
    છે.

    મા! મને બીજું કાંઇ યાદ આવતું નથી. કૃષ્ણ કૃષ્ણ બોલતાં, તેમજ કનૈયાને નિહાળતાં મને નિંદ્રા આવી અને તે મને
    સ્વપ્નમાં દેખાયો. મને સ્વપ્નમાં દેખાયું કે કનૈયો મારા ઘરે આવ્યો છે અને મિત્રોને માખણ લૂંટાવે છે.

    મન જ્યાં ફસાયું હશે તે સ્વપ્નમાં દેખાશે. સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય છે. સાચા વૈષ્ણવનું મન કનૈયામાં જ
    ફસાયેલું હોય છે, તેથી તેને સ્વપ્નમાં કનૈયો જ દેખાશે. આવું સ્વપ્ન દેખાય તો જ સમજવું કે હું વૈષ્ણવ થયો છું. પ્રભુનાં પ્રથમ
    દર્શન અધિકારીને સ્વપ્નમાં થાય છે. આ ગોપીનું મન શ્રીકૃષ્ણમાં ફસાયું છે. મા, પછી તો મને થયું, કનૈયો મારે ઘરે જરૂર આવશે.
    સવારથી હું પાગલ જેવી થઇ. આનંદમાં એવી તન્મય થઈ કે સવારે ઊઠીને ચૂલો સળગાવ્યો, ત્યારે ભાન ન હોવાથી લાકડાં સાથે
    ચૂલામાં વેલણ પણ બાળી નાંખ્યું.

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૧

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૧

    Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 321
    NewsContinuous
    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૧
    Loading
    /

    Bhagavatશ્રીકૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી સદ્યોમુક્તિ આપે છે. નહિતર બ્રાહ્મણ ( Brahmin ) થયા વિના, અગ્નિહોત્રી થયા
    વિના,યોગી થયા વિના, મુક્તિ મળતી નથી. કનૈયાને દયા આવે તો તે, જીવ ઉપર કૃપા કરે છે અને તેને ઊંચકીને સીધા વૈકુંઠમાં
    લઇ જાય છે.ભગવાનની સાધારણ કૃપા તો સર્વ જીવો ઉપર છે. પણ પરમાત્મા વિશિષ્ટ કૃપા કોઇ કોઈ જીવ ઉપર કરે છે.
    પરમાત્માની વારંવાર પ્રાર્થના કરી, જીવ સાધન કરતો કરતો થાકી જાય અને દીન બને ત્યારે તે રડી પડે છે. તેવા જીવ ઉપર
    ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે. અને તે જ જન્મમાં તેને મુક્તિ આપે છે. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) રાજાધિરાજ છે. તેને પૂછનાર કોણ? રાજા ધારે તે કરી શકે છે. 

    જીવ ખુબ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે. ઇશ્વર તેના ઉપર કૃપા કરે છે. નિસાધન બની જે સાધન કરે
    છે તે શ્રેષ્ઠ છે. નિસાધન બનવું એટલે સાધન બધાં કરો પણ માનો, મારા હાથે કાંઈ થતું નથી. નિરાભિમાની બનો. અનેકવાર
    એવું થાય છે કે મનુષ્ય સાધન કરે એટલે સાધનનું અભિમાન વધવા લાગે છે. એટલે તે પડે છે.

    ત્યાર પછી યશોદાએ ( Yashoda ) કહ્યું, તમારા ઘરે લાલો તોફાન કરે તો લાલાને ધમકાવજો.

    ત્યારે બીજી ગોપી બોલી:- મા! લાલાને ધમકાવીએ? એ તો અમને ધમકાવે છે. મા! ગઇ કાલે મારે ત્યાં આવેલો. હું તેને
    પકડવા ગઈ. તે નાસી ગયો. હું પાછળ દોડી પણ થાકી ગઇ. હું તેને પકડી શકી નહિ. એટલે દૂર ઊભો રહી અંગુઠો બતાવી
    બોલવા લાગ્યો, હુરિયો, હુરિયો.

    એક સખી બોલી:- મા! કનૈયો મારા ઘરે આવી માખણની ચોરી કરે છે. યશોદાએ તે ગોપીના કાનમાં કહ્યું, આ વાત
    કોઇને કહીશ નહિ આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે?

    ગોપી કહે છે. મા! તને શું કહું? કનૈયો માગે તો માંગે તે આપું. પણ આ માંગતો નથી.

    યશોદાને થયું કે કનૈયાને ધમકાવું, પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં બીક દાખલ થઇ જાય તો?
    ગોપીઓની સર્વ ઇન્દ્રિયો પોતાના તરફ ખેંચી પરમાનંદમાં તરબોળ બનાવી, વૈકુંઠના ( Vaikuntha ) મોક્ષના પરમાનંદનું દાન કરવા
    માટે શ્રીકૃષ્ણની આ લીલા છે.

    યશોદામૈયા કનૈયાને પૂછે કે ઘરનું માખણ કેમ ખાતો નથી? લાલાએ કહ્યું, મને ઘરનું માખણ ભાવતું નથી. કારણ ઘરનું
    ખાઉં તો ઘરનું ઓછું થાય. હું તો બહાર જઈ કમાઈ ને ખાઈને ઘરે આવું છું. ગોપીના માખણમાં મને વિશેષ મીઠાશ લાગે છે.
    સખીઓ યશોદાજી પાસે ફરિયાદ કરે છે. મા! કનૈયાને બહુ લાડ લડાવશો નહિ. કનૈયો માખણની ચોરી કરે છે. શુકદેવજી ( Shukdevji ) 
    કથા બહુ વિવેકથી કરે છે. શ્રીકૃષ્ણ ચોર છે એમ કહ્યું નથી, પણ ઈતિ હોચું: વ્રજની ગોપીઓ આ પ્રમાણે યશોદાને માખણ ચોરીની
    લીલા કહેતી હતી એમ કહ્યું છે. માએ પૂછ્યું, કનૈયો ઘરમાં આવે છે તો તમને ખબર પડે છે? કનૈયો માખણની ચોરી કરે છે એની
    તમને ખબર પડે છે?

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

    ગોપીઓ કહે છે. મા! કનૈયો આવે છે તેની અમને ખબર પડે છે. એ જે દિવસે ઘરે આવવાનો હોય તેની આગલી રાત્રે
    સ્વપ્નમાં પણ દેખાય છે. મા હું પથારીમાં પડું અને સ્વપ્નમાં કનૈયો દેખાય. પથારીમાં પડયા પછી કનૈયો યાદ આવે છે. વૈષ્ણવો ( Vaishnavas )  તો સૂએ છે ત્યારે પથારીમાં પણ ઠાકોરજીને સાથે રાખીને સૂએ છે. ઠાકોરજીને સાથે રાખવાના એટલે શું? પથારીમાં પડયા પછી હરે કૃષ્ણ, હરે કૃષ્ણનો નિદ્રા આવતા સુધી જપ કરવાનો.

    પથારીમાં પડયા પછી કોઈ વસ્તુ યાદ આવે તો માનજો કે તેમાં તમારું મન ફસાયું છે. કેટલાક પથારીમાં પડયા પછી
    વિચારે છે કે કાલે કોને કોને ત્યાં ઉઘરાણી કરવી. માનજો એનું મન દ્રવ્યમાં ફસાયું છે. લોભીનું મન દ્રવ્યમાં ફસાય છે, કામીનું મન
    સ્ત્રીમાં.

    એક ગોપી બોલી. મા! ગઇ કાલે રાત્રે પથારીમાં પડી ત્યારે મને કનૈયો યાદ આવ્યો. કનૈયો ઘરમાં ન હોવા છતાં એની
    મૂર્તિ આંખમાંથી ખસતી નથી. લાલાના નામમાં તો અમૃત કરતાં પણ વધારે મીઠાશ છે. મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની આદત પડી
    છે.

    મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડયા પછી પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય
    છે.

    મા! મને બીજું કાંઇ યાદ આવતું નથી. કૃષ્ણ કૃષ્ણ બોલતાં, તેમજ કનૈયાને નિહાળતાં મને નિંદ્રા આવી અને તે મને
    સ્વપ્નમાં દેખાયો. મને સ્વપ્નમાં દેખાયું કે કનૈયો મારા ઘરે આવ્યો છે અને મિત્રોને માખણ લૂંટાવે છે.

    મન જ્યાં ફસાયું હશે તે સ્વપ્નમાં દેખાશે. સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય છે. સાચા વૈષ્ણવનું મન કનૈયામાં જ
    ફસાયેલું હોય છે, તેથી તેને સ્વપ્નમાં કનૈયો જ દેખાશે. આવું સ્વપ્ન દેખાય તો જ સમજવું કે હું વૈષ્ણવ થયો છું. પ્રભુનાં પ્રથમ
    દર્શન અધિકારીને સ્વપ્નમાં થાય છે. આ ગોપીનું મન શ્રીકૃષ્ણમાં ફસાયું છે. મા, પછી તો મને થયું, કનૈયો મારે ઘરે જરૂર આવશે.
    સવારથી હું પાગલ જેવી થઇ. આનંદમાં એવી તન્મય થઈ કે સવારે ઊઠીને ચૂલો સળગાવ્યો, ત્યારે ભાન ન હોવાથી લાકડાં સાથે
    ચૂલામાં વેલણ પણ બાળી નાંખ્યું.

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

    Bhagavat

    ડકો મારો, કદી ન એમ કરનાર રે… આડી…
    મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો બહાર રે,
    દૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે…. આડી….
    શાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,

    નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે….. આડી….

     

    વત્સાન્ મુગ્ચન્ કવચિદસમયે ક્રોશસંજાતહાસ: સ્તેયં સ્વાદ્વત્ત્યથ દધિ પય: કલ્પિતૈ: સ્તેયયોગૈ: ।
    મર્કાન્ ભોક્ષ્યન્ વિભજતિ સ ચેન્નાત્તિ ભાણ્ડં ભિન્નત્તિ દ્રવ્યાલાભે સ ગૃહકુપિતો યાત્યુપક્રોશ્ય તોકાન્ ।।

    એક સખી કહે છેઃ-મા, તને શું કહું? ગાય દોહવાનો સમય ન થયો હોય, તો પણ વાછરડાંઓને કનૈયો છોડી દે છે.
    દુધ દોહવાના સમયે, વાછરડાંને છોડે એ તો સાધારણ ગોવાળ છે. પણ આ તો ગોવાળના પણ ગોવાળ છે. સમય ન
    થયો હોય તેમ છતાં વાછરડાંને છોડે એ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) . કૃષ્ણ તો કસમયે વાછરડાંઓને, એટલે જીવોને છોડે છે, મુકત કરે છે.
    વાછરડાંનો અર્થ થાય છે વિષયાસક્ત જીવ. વત્સ એટલે વિષયોમાં ફસાયેલો જીવ.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૯

    વત્સાન્ સંસારાસક્ત વિષયાસક્ત જીવાન્ સંસાર બન્ધનાત્ મુંચતિ.

    શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. એક ક્રમમુક્તિ અને બીજી સદ્યોમુક્તિ.

    કનૈયો તો પુષ્ટિપુરુષોત્તમ છે. કનૈયો તો ક્રમે ક્રમે મુક્તિ કરવાને બદલે કસમયે, જીવ લાયક ન થયો હોય તો પણ તેને
    મુક્તિ આપે છે. શ્રીકૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે તેને ક્રમ પ્રમાણે નહિ, તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિમાર્ગ-કૃપામાર્ગ છે.
    ક્રમમુક્તિ એટલે કે શૂદ્રજાતિમાં જન્મેલી વ્યક્તિ શૂદ્રજાતિમાં ચોરી અને વ્યભિચાર વગેરે પાપો ન કરે તો અને બધા
    વર્ણોની સેવા કરે, શૂદ્રના ધર્મનું પાલન કરે તો પછી તેનો બીજો જન્મ વૈશ્ય જાતિમાં થાય છે. વૈશ્ય જન્મ થયા પછી, તે જન્મમાં
    નીતિનું બરાબર પાલન કરે તો, વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય છે. ક્ષત્રિય ધર્મનું ( Kshatriya ) બરાબર પાલન કરે, એટલે મર્યા પછી બ્રાહ્મણ ( Brahmin )  થાય. બ્રાહ્મણ જન્મમાં તે સદાચારી હોય તો, તે પછીના જન્મે, અગ્નિહોત્રી બ્રાહ્મણ થાય છે. તે પછી બ્રહ્મનિષ્ઠ યોગી ( Brahmanishtha Yogi ) તરીકે જન્મે. યોગી ઉત્તરોત્તર સદવર્તન રાખે, યોગાભ્યાસ કરે, બ્રહ્મચિંતન કરે, તેને પણ બે ત્રણ જન્મ લેવા પડે છે. ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ બધાં કર્મો બળે, એટલે જીવ શુદ્ધ થાય છે. તેને મુકિત મળે છે. આ ક્રમ મુક્તિનો માર્ગ છે.

    પરંતુ સદ્યોમુક્તિમાં કોઇ ક્રમ નથી. ઠાકોરજી ( Thakorji ) જે જીવ ઉપર કૃપા કરે, તેને વૈકુંઠમાં ( Vaikuntha ) લઈ જાય. કોઈ વૈશ્ય ભગવદ્ભક્તિ કરે છે, શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે, તો તે વૈશ્યને ઉઠાવીને ભગવાન ગોલોકધામમાં લઈ જાય છે. શ્રીકૃષ્ણ તો દૂધ દોહવાનો સમય ન થયો હોય તો પણ વાછરડાઓને-જીવોને બંધનમાંથી છોડાવે છે. શ્રીકૃષ્ણ તો અનુગ્રહ પુષ્ટિ પુરુષોત્તમ છે. જે જીવ ઉપર કૃપા કરે
    છે, તેને તરત મુક્ત કરે છે. રાજા ધારે તો કોઇ વ્યક્તિને રાજા બનાવી શકે છ, તેમ ઠાકોરજી બંધનમાંથી કસમયે પણ મુક્તિ આપે,
    તો તેમાં શું આશ્ર્ચર્ય. પરમાત્મા પ્રમેયબળથી કોઈ વૈષ્ણવને ( Vaishnav ) તરત મુક્તિ અપાવી શકે છે. શ્રીકૃષ્ણ સદ્યોમુકિત આપે છે.

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦

    Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 320
    NewsContinuous
    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૦
    Loading
    /

    Bhagavat

    ડકો મારો, કદી ન એમ કરનાર રે… આડી…
    મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો બહાર રે,
    દૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે…. આડી….
    શાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,

    નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે….. આડી….

     

    વત્સાન્ મુગ્ચન્ કવચિદસમયે ક્રોશસંજાતહાસ: સ્તેયં સ્વાદ્વત્ત્યથ દધિ પય: કલ્પિતૈ: સ્તેયયોગૈ: ।
    મર્કાન્ ભોક્ષ્યન્ વિભજતિ સ ચેન્નાત્તિ ભાણ્ડં ભિન્નત્તિ દ્રવ્યાલાભે સ ગૃહકુપિતો યાત્યુપક્રોશ્ય તોકાન્ ।।

    એક સખી કહે છેઃ-મા, તને શું કહું? ગાય દોહવાનો સમય ન થયો હોય, તો પણ વાછરડાંઓને કનૈયો છોડી દે છે.
    દુધ દોહવાના સમયે, વાછરડાંને છોડે એ તો સાધારણ ગોવાળ છે. પણ આ તો ગોવાળના પણ ગોવાળ છે. સમય ન
    થયો હોય તેમ છતાં વાછરડાંને છોડે એ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) . કૃષ્ણ તો કસમયે વાછરડાંઓને, એટલે જીવોને છોડે છે, મુકત કરે છે.
    વાછરડાંનો અર્થ થાય છે વિષયાસક્ત જીવ. વત્સ એટલે વિષયોમાં ફસાયેલો જીવ.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૯

    વત્સાન્ સંસારાસક્ત વિષયાસક્ત જીવાન્ સંસાર બન્ધનાત્ મુંચતિ.

    શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. એક ક્રમમુક્તિ અને બીજી સદ્યોમુક્તિ.

    કનૈયો તો પુષ્ટિપુરુષોત્તમ છે. કનૈયો તો ક્રમે ક્રમે મુક્તિ કરવાને બદલે કસમયે, જીવ લાયક ન થયો હોય તો પણ તેને
    મુક્તિ આપે છે. શ્રીકૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે તેને ક્રમ પ્રમાણે નહિ, તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિમાર્ગ-કૃપામાર્ગ છે.
    ક્રમમુક્તિ એટલે કે શૂદ્રજાતિમાં જન્મેલી વ્યક્તિ શૂદ્રજાતિમાં ચોરી અને વ્યભિચાર વગેરે પાપો ન કરે તો અને બધા
    વર્ણોની સેવા કરે, શૂદ્રના ધર્મનું પાલન કરે તો પછી તેનો બીજો જન્મ વૈશ્ય જાતિમાં થાય છે. વૈશ્ય જન્મ થયા પછી, તે જન્મમાં
    નીતિનું બરાબર પાલન કરે તો, વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય છે. ક્ષત્રિય ધર્મનું ( Kshatriya ) બરાબર પાલન કરે, એટલે મર્યા પછી બ્રાહ્મણ ( Brahmin )  થાય. બ્રાહ્મણ જન્મમાં તે સદાચારી હોય તો, તે પછીના જન્મે, અગ્નિહોત્રી બ્રાહ્મણ થાય છે. તે પછી બ્રહ્મનિષ્ઠ યોગી ( Brahmanishtha Yogi ) તરીકે જન્મે. યોગી ઉત્તરોત્તર સદવર્તન રાખે, યોગાભ્યાસ કરે, બ્રહ્મચિંતન કરે, તેને પણ બે ત્રણ જન્મ લેવા પડે છે. ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ બધાં કર્મો બળે, એટલે જીવ શુદ્ધ થાય છે. તેને મુકિત મળે છે. આ ક્રમ મુક્તિનો માર્ગ છે.

    પરંતુ સદ્યોમુક્તિમાં કોઇ ક્રમ નથી. ઠાકોરજી ( Thakorji ) જે જીવ ઉપર કૃપા કરે, તેને વૈકુંઠમાં ( Vaikuntha ) લઈ જાય. કોઈ વૈશ્ય ભગવદ્ભક્તિ કરે છે, શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે, તો તે વૈશ્યને ઉઠાવીને ભગવાન ગોલોકધામમાં લઈ જાય છે. શ્રીકૃષ્ણ તો દૂધ દોહવાનો સમય ન થયો હોય તો પણ વાછરડાઓને-જીવોને બંધનમાંથી છોડાવે છે. શ્રીકૃષ્ણ તો અનુગ્રહ પુષ્ટિ પુરુષોત્તમ છે. જે જીવ ઉપર કૃપા કરે
    છે, તેને તરત મુક્ત કરે છે. રાજા ધારે તો કોઇ વ્યક્તિને રાજા બનાવી શકે છ, તેમ ઠાકોરજી બંધનમાંથી કસમયે પણ મુક્તિ આપે,
    તો તેમાં શું આશ્ર્ચર્ય. પરમાત્મા પ્રમેયબળથી કોઈ વૈષ્ણવને ( Vaishnav ) તરત મુક્તિ અપાવી શકે છે. શ્રીકૃષ્ણ સદ્યોમુકિત આપે છે.

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૬

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૬

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

    Bhagavat:   સનાતન ગોસ્વામી ( Sanatana Goswami ) અર્થ કરે છે કે નારાયણ જેવા શ્રીકૃષ્ણ છે એમ કહો તો નારાયણ શ્રેષ્ઠ ઠરે છે. માટે નારાયણ સમાન  શ્રીકૃષ્ણ નહીં પણ શ્રીકૃષ્ણ સમાન નારાયણ ( Narayan ) છે. વૃંદાવનના સાધુઓએ અર્થ કર્યો છે કે નારાયણ સમાન નહીં પણ નારાયણ શ્રીકૃષ્ણ જેવા છે. 

    નારાયણ સમાન શ્રીકૃષ્ણ છે. તેમાં નારાયણ મુખ્ય ને શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ગૌણ છે. શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે, તેમાં શ્રીકૃષ્ણ મુખ્ય ને નારાયણ ગૌણ છે. શ્રીકૃષ્ણ અને નારાયણમાં કાંઈ ફેર નથી, આ પ્રેમનો મધુર કલહ છે. શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે

    એવો અર્થ કરીએ તો શ્રીકૃષ્ણ પ્રધાન અને નારાયણ ગૌણ બને છે. નારાયણમાં સાઠ ગુણો છે. જયારે મુરલી મનોહર શ્રીકૃષ્ણમાં
    ચોસઠ ગુણો છે. નારાયણ કરતાં ચાર ગુણો વધારે છે (૧) રૂપમાધુરી (૨) લીલા માધુરી (૩) વેણુમાધુરી (૪) પ્રિયામાધુરી.
    આ ચાર ગુણો શ્રીકૃષ્ણમાં વધારે છે. નારાયણમાં આ ચાર ગુણો નથી.

    નારાયણને ચાર હાથ છે તેથી તેઓ થોડા બેડોળ લાગે છે. તેથી આ બે હાથ વાળો કનૈયો શ્રેષ્ઠ છે. વૈકુંઠના ( Vaikuntha ) નારાયણ
    રાજાની જેમ ઉભા રહે છે, તેથી જરા અભિમાની હોય તેમ લાગે છે. નારાયણ તો અક્કડ ઉભા રહે છે, અમારી સાથે બોલતા પણ
    નથી. ત્યારે અમારો કનૈયો અમારી સાથે બોલે છે. અમારી સાથે રમે છે. અમારી સાથે ફરે છે. તેથી અમારો કનૈયો શ્રેષ્ઠ છે.
    અતિશય આતુરતા થાય એટલે પરમાત્મા દોડતા આવે છે. ગોકુલમાં એક નવી વહુ આવી હતી, તે કનૈયાનાં દર્શન કરવા
    માટે આતુર હતી. તેની સાસુ તેને શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જવા દેતી ન હતી. આજે તે જળ ભરવા જાય છે. શ્રીકૃષ્ણનું ચિંતન કરતી
    જાય છે. લાલાના કેશ વાંકડિયા છે. મસ્તક ઉપર મોરપીંછ છે. હોઠ ઉપર મોરલી ધારણ કરી છે, કાનમાં મકરાકૃતિ કુંડળ અને કેડ
    ઉપર પીતાંબર ધારણ કર્યા છે. આજે તેને દેહનું ભાન નથી. છુમ છુમ કરતો કનૈયો પાછળથી આવે છે. શ્રીકૃષ્ણનાં દર્શન માટે જે
    આતુર બને છે તેની પાછળ પાછળ કનૈયો આવે છે. બાલકૃષ્ણે ( Bal krishna ) આવીને સાડીનો છેડો પકડયો. ગોપી જુએ છે, તો કનૈયાએ
    આવીને સાડી પકડી છે. ત્રણ વર્ષનો કનૈયો છે. ગોપીએ કનૈયાને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો.

    લાલાએ તેના ગળામાં હાથ નાંખ્યો. કનૈયો સખીને કહે છે:-તું બહુ સુંદર છે. હું તારો પતિ છું. કનૈયો બોલવામાં ચતુર છે.
    કનૈયો તેને કહે છે, રાત્રે રાસમાં આવજે.

    કોઇ દેવ એવો છે કે રસ્તે ચાલતી કોઈ સ્ત્રીને કહે કે તું મારી છે ને હું તારો છું? કનૈયો સર્વનો પિતા છે, પતિ છે, અને બાળક પણ છે.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૫

    નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે. ત્યારે આ કનૈયો પુષ્ટિ પુરુષોત્તમ છે.

    કનૈયો કરે છે તેવી લીલા મનુષ્ય તો શું, દેવો પણ કરી શકે નહિ. શ્રીકૃષ્ણ દેવોના પણ દેવ છે.

    એક સખી દહીં, દૂધ, માખણ વેચવા નીકળી છે. કૃષ્ણપ્રેમમાં દેહભાન ભૂલી છે. બોલવું જોઈએ દહીં લો, માખણ લો.
    પણ માખણ શબ્દ યાદ આવે જ નહિ. તેની બુદ્ધિમાં માધવ હતો, એટલે બોલવા લાગી, કોઈ માધવ લો, કોઇ ગોવિંદ લો.

    ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,
    ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી,… ભોળી રે
    ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે,… ભોળી રે
    શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે,… ભોળી રે
    નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે,… ભોળી રે
    વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે,… ભોળી રે
    મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે,… ભોળી રે
    બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે,… ભોળી રે
    ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે,… ભોળી રે
    ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે,… ભોળી રે
    દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે,…. ભોળી 

     

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૬

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૬

    Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 316
    NewsContinuous
    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૬
    Loading
    /

    Bhagavat:   સનાતન ગોસ્વામી ( Sanatana Goswami ) અર્થ કરે છે કે નારાયણ જેવા શ્રીકૃષ્ણ છે એમ કહો તો નારાયણ શ્રેષ્ઠ ઠરે છે. માટે નારાયણ સમાન  શ્રીકૃષ્ણ નહીં પણ શ્રીકૃષ્ણ સમાન નારાયણ ( Narayan ) છે. વૃંદાવનના સાધુઓએ અર્થ કર્યો છે કે નારાયણ સમાન નહીં પણ નારાયણ શ્રીકૃષ્ણ જેવા છે. 

    નારાયણ સમાન શ્રીકૃષ્ણ છે. તેમાં નારાયણ મુખ્ય ને શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ગૌણ છે. શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે, તેમાં શ્રીકૃષ્ણ મુખ્ય ને નારાયણ ગૌણ છે. શ્રીકૃષ્ણ અને નારાયણમાં કાંઈ ફેર નથી, આ પ્રેમનો મધુર કલહ છે. શ્રીકૃષ્ણ સમાન નારાયણ છે

    એવો અર્થ કરીએ તો શ્રીકૃષ્ણ પ્રધાન અને નારાયણ ગૌણ બને છે. નારાયણમાં સાઠ ગુણો છે. જયારે મુરલી મનોહર શ્રીકૃષ્ણમાં
    ચોસઠ ગુણો છે. નારાયણ કરતાં ચાર ગુણો વધારે છે (૧) રૂપમાધુરી (૨) લીલા માધુરી (૩) વેણુમાધુરી (૪) પ્રિયામાધુરી.
    આ ચાર ગુણો શ્રીકૃષ્ણમાં વધારે છે. નારાયણમાં આ ચાર ગુણો નથી.

    નારાયણને ચાર હાથ છે તેથી તેઓ થોડા બેડોળ લાગે છે. તેથી આ બે હાથ વાળો કનૈયો શ્રેષ્ઠ છે. વૈકુંઠના ( Vaikuntha ) નારાયણ
    રાજાની જેમ ઉભા રહે છે, તેથી જરા અભિમાની હોય તેમ લાગે છે. નારાયણ તો અક્કડ ઉભા રહે છે, અમારી સાથે બોલતા પણ
    નથી. ત્યારે અમારો કનૈયો અમારી સાથે બોલે છે. અમારી સાથે રમે છે. અમારી સાથે ફરે છે. તેથી અમારો કનૈયો શ્રેષ્ઠ છે.
    અતિશય આતુરતા થાય એટલે પરમાત્મા દોડતા આવે છે. ગોકુલમાં એક નવી વહુ આવી હતી, તે કનૈયાનાં દર્શન કરવા
    માટે આતુર હતી. તેની સાસુ તેને શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જવા દેતી ન હતી. આજે તે જળ ભરવા જાય છે. શ્રીકૃષ્ણનું ચિંતન કરતી
    જાય છે. લાલાના કેશ વાંકડિયા છે. મસ્તક ઉપર મોરપીંછ છે. હોઠ ઉપર મોરલી ધારણ કરી છે, કાનમાં મકરાકૃતિ કુંડળ અને કેડ
    ઉપર પીતાંબર ધારણ કર્યા છે. આજે તેને દેહનું ભાન નથી. છુમ છુમ કરતો કનૈયો પાછળથી આવે છે. શ્રીકૃષ્ણનાં દર્શન માટે જે
    આતુર બને છે તેની પાછળ પાછળ કનૈયો આવે છે. બાલકૃષ્ણે ( Bal krishna ) આવીને સાડીનો છેડો પકડયો. ગોપી જુએ છે, તો કનૈયાએ
    આવીને સાડી પકડી છે. ત્રણ વર્ષનો કનૈયો છે. ગોપીએ કનૈયાને ઉઠાવી છાતી સરસો ચાંપ્યો.

    લાલાએ તેના ગળામાં હાથ નાંખ્યો. કનૈયો સખીને કહે છે:-તું બહુ સુંદર છે. હું તારો પતિ છું. કનૈયો બોલવામાં ચતુર છે.
    કનૈયો તેને કહે છે, રાત્રે રાસમાં આવજે.

    કોઇ દેવ એવો છે કે રસ્તે ચાલતી કોઈ સ્ત્રીને કહે કે તું મારી છે ને હું તારો છું? કનૈયો સર્વનો પિતા છે, પતિ છે, અને બાળક પણ છે.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૫

    નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે. ત્યારે આ કનૈયો પુષ્ટિ પુરુષોત્તમ છે.

    કનૈયો કરે છે તેવી લીલા મનુષ્ય તો શું, દેવો પણ કરી શકે નહિ. શ્રીકૃષ્ણ દેવોના પણ દેવ છે.

    એક સખી દહીં, દૂધ, માખણ વેચવા નીકળી છે. કૃષ્ણપ્રેમમાં દેહભાન ભૂલી છે. બોલવું જોઈએ દહીં લો, માખણ લો.
    પણ માખણ શબ્દ યાદ આવે જ નહિ. તેની બુદ્ધિમાં માધવ હતો, એટલે બોલવા લાગી, કોઈ માધવ લો, કોઇ ગોવિંદ લો.

    ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,
    ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી,… ભોળી રે
    ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે,… ભોળી રે
    શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે,… ભોળી રે
    નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે,… ભોળી રે
    વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે,… ભોળી રે
    મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે,… ભોળી રે
    બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે,… ભોળી રે
    ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે,… ભોળી રે
    ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે,… ભોળી રે
    દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે,…. ભોળી 

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૮

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૮

    પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

    Bhagavatપૂતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી? એનાં અનેક કારણો આ પ્રમાણે મહાત્માઓ ( Mahatmas ) એ આપ્યાં છે:-(૧) પૂતના છે, સ્ત્રીનું ખોળિયું. સ્ત્રી અબળા છે. અવધ્ય છે. પૂતનાને જોઈ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) વિચાર કરવા લાગ્યા એને માર્યા વગર છૂટકો નથી. સ્ત્રીને મારતા સંકોચ થાય છે એટલે આંખ બંધ કરી. સામે કોઈ વીર પુરૂષ આવેલ હોત તો વીરતા બતાવત. આ સ્ત્રીને મારવામાં શું બહાદુરી? આ સ્ત્રીને ( woman ) મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યાં છે. 

    (૨) બીજા મહાત્મા કહે છે, મને કારણ યોગ્ય લાગતું નથી. પૂતના સ્ત્રીનું ખોળિયું છે પણ રાક્ષસી છે. અનેક બાળકોને

    મારીને આવી છે. તેને મારવામાં સંકોચ રાખવાની જરૂર નથી. મને આંખ બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાનની આંખમાં
    જ્ઞાન, વૈરાગ્ય છે. પ્રભુએ વિચાર કર્યો કે, હું પૂતનાને આંખ આપું તો, એને જ્ઞાન થશે. હું ઇશ્વર છું એવું તેને જ્ઞાન થાય તો પછી,
    લીલા કરવી છે તે થશે નહિ. ઐશ્વર્યનું જ્ઞાન લીલામાં બાધક છે.

    હું પૂતના સામે જોઈશ તો, એને થશે કે હું પરમાત્મા છું. તેથી તે મને ધવડાવશે નહિ.

    ભગવાન કૃપા કરીને નજર આપે તેને જ્ઞાન મળે છે. ખુદા નજર દે તો સબ સૂરત ખુદાકી હૈ ।

    અર્જુનને કહ્યું છે:-અર્જુન, હું જેના ઉપર કૃપા કરું, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે મને જાણી શકે છે.

    પૂતનાને હું નજર આપું તો એને જ્ઞાન થાય કે આ બાળક નથી, પણ કાળનો પણ કાળ છે. તેને જ્ઞાન થાય તો આ લીલા
    થશે નહિ. ઐશ્વર્ય જ્ઞાનલીલામાં બાધક છે. પૂતના મને બાળક સમજીને મારવા આવી છે, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એ યોગ્ય
    નથી.

    ભગવાન જેની સામું જુએ, એને જ્ઞાન મળે, માટે કૃષ્ણ ભગવાને આંખો બંધ કરેલી.

    (૩) ત્રીજા મહાત્મા કહે છે, ના, ના. આ કારણ મને સાચું લાગતું નથી. પૂતનાને આંખ આપે એટલે તેને જ્ઞાન થાય એ
    સાચું નથી. દુર્યોધનને ( Duryodhana )  કયાં જ્ઞાન થયું હતું? પૂતના ઝેર લઈને આવી, ત્યારે લાલાએ વિચાર કર્યો. આને વૈકુંઠમાં ( Vaikuntha ) લઈ જાઉં કે ગોલોકમાં. પૂતનાને કઇ ગતિ આપવી તે વિચારવા ભગવાને આંખ બંધ કરી હતી.

    (૪)એક મહાત્મા કહે છે, કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી. પૂતનાએ આ જન્મમાં કે પુર્વજન્મમાં કોઈ
    પુણ્ય કર્યું છે કે કેમ? ભગવાને આંખો બંધ કરી તેનું પ્રારબ્ધ જોયું. જેની સાથે બહુ પ્રેમ કરો છો, તે મનુષ્ય કોઈ સાધારણ કારણથી
    અતિ વેર કરશે.

    (૫) એક મહાત્માએ કહ્યું, લાલાએ આંખ બંધ કરી તેનું કારણ મને જુદું લાગે છે. કનૈયો વિચારે છે, મેં તો માનેલું કે
    ગોકુળમાં જઇશ તો લોકો મિસરી ખુબ ખવડાવશે. મારો યોગ એવો કે મને કોઈ માખણ-મિસરી આપતું નથી, અને ઊલટું આ ઝેર
    આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખ બંધ કરી છે.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૭

    મને ઝેર ભાવતું નથી. આંખ બંધ કરી કનૈયાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી. તમે ઝેર પીવા આવો, અને હું દૂધ પીશ. એમ કહી
    કૃષ્ણ ભગવાન શિવજીનું ધ્યાન કરવા લાગ્યા, તેથી આંખો બંધ કરી છે. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરી તેનું ધ્યાન
    કરવું પડે છે.

    કનૈયો તે વખતે આખો બંધ કરી, મહાદેવજીને યાદ કરે છે. કે તમને ઝેર પીવાની આદત છે, તો તમે આવો. કનૈયો
    શિવજીને આંખ બંધ કરી બોલાવે છે. તે શિવતત્ત્વને બોલાવે છે.

    (૭) બીજા મહાત્મા કહે છે. મને આ કારણ યોગ્ય લાગતું નથી. કૃષ્ણને શું ઝેર ન પચે? એ તો કાળના પણ કાળ છે.
    આંખો બંધ કરવાનું કારણ મને જુદું લાગે છે. મને એમ લાગે છે કે, રામકૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે, મહાયોગીઓ
    બ્રહ્મલોકમાં જાય છે. તેઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. શ્રીકૃષ્ણ પૂતનાને મોક્ષ આપવાના છે. સૂર્યચંદ્રને ઠીક લાગ્યું નહિ, મારા
    શ્રીકૃષ્ણને પૂતના ઝેર આપવા આવી છે.

    લક્ષ્મીનો ( Lakshmi ) ઉપભોગ કરવાનો અધિકાર જીવને નથી. જીવ લક્ષ્મીનો ઉપયોગ કરી શકે. ઉપભોગ કરવા જાય તો થપ્પડ મારે
    છે. માટે સારામાં સારી ચીજો ભગવાનને અર્પણ કરજો. ખાવાથી સંતોષ થતો નથી. તૃપ્તિ થતી નથી. બીજાને ખવડાવાથી સંતોષ
    થાય છે. સૂર્ય-ચંદ્ર વિચારે છે વૈષ્ણવોએ ઠાકોરજીને સુંદરમાં સુંદર વસ્તુ ભેટ આપવી જોઈએ. તેને બદલે આ પૂતના ઝેર લઇને
    આવી છે. તેઓને થયું, ભગવાન પૂતનાને સદ્ગતિ ન આપે તો સારું. ભગવાનનું આકાર્ય ન ગમ્યું, તેથી સૂર્ય-ચંદ્રએ પોતાનાં
    નેત્રોરુપી દ્વાર બંધ કર્યાં.

    (૮) એક મહાત્મા કહે છે, મને આંખો બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાન વિચારે છે, આ ઝેર આપનારીને હું
    મુક્તિ આપવાનો છું. તો આ ગોપગોપીઓ જે પ્રેમથી માખણ મિસરી મને આપે છે, તેમને હવે કઈ ગતિ આપવી? મારી પાસે મુક્તિ
    સિવાય બીજી કોઇ શ્રેષ્ઠ વસ્તુ નથી. આ ગોપ-ગોપીઓને શી ગતિ આપવી એના વિચારમાં પ્રભુએ આંખ બંધ કરી છે.

     

  • Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૮

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૮

    Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 308
    NewsContinuous
    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૮
    Loading
    /

    Bhagavatપૂતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી? એનાં અનેક કારણો આ પ્રમાણે મહાત્માઓ ( Mahatmas ) એ આપ્યાં છે:-(૧) પૂતના છે, સ્ત્રીનું ખોળિયું. સ્ત્રી અબળા છે. અવધ્ય છે. પૂતનાને જોઈ શ્રીકૃષ્ણ ( Shri Krishna ) વિચાર કરવા લાગ્યા એને માર્યા વગર છૂટકો નથી. સ્ત્રીને મારતા સંકોચ થાય છે એટલે આંખ બંધ કરી. સામે કોઈ વીર પુરૂષ આવેલ હોત તો વીરતા બતાવત. આ સ્ત્રીને મારવામાં શું બહાદુરી? આ સ્ત્રીને ( woman ) મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યાં છે. 

    (૨) બીજા મહાત્મા કહે છે, મને કારણ યોગ્ય લાગતું નથી. પૂતના સ્ત્રીનું ખોળિયું છે પણ રાક્ષસી છે. અનેક બાળકોને

    મારીને આવી છે. તેને મારવામાં સંકોચ રાખવાની જરૂર નથી. મને આંખ બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાનની આંખમાં
    જ્ઞાન, વૈરાગ્ય છે. પ્રભુએ વિચાર કર્યો કે, હું પૂતનાને આંખ આપું તો, એને જ્ઞાન થશે. હું ઇશ્વર છું એવું તેને જ્ઞાન થાય તો પછી,
    લીલા કરવી છે તે થશે નહિ. ઐશ્વર્યનું જ્ઞાન લીલામાં બાધક છે.

    હું પૂતના સામે જોઈશ તો, એને થશે કે હું પરમાત્મા છું. તેથી તે મને ધવડાવશે નહિ.

    ભગવાન કૃપા કરીને નજર આપે તેને જ્ઞાન મળે છે. ખુદા નજર દે તો સબ સૂરત ખુદાકી હૈ ।

    અર્જુનને કહ્યું છે:-અર્જુન, હું જેના ઉપર કૃપા કરું, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે મને જાણી શકે છે.

    પૂતનાને હું નજર આપું તો એને જ્ઞાન થાય કે આ બાળક નથી, પણ કાળનો પણ કાળ છે. તેને જ્ઞાન થાય તો આ લીલા
    થશે નહિ. ઐશ્વર્ય જ્ઞાનલીલામાં બાધક છે. પૂતના મને બાળક સમજીને મારવા આવી છે, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એ યોગ્ય
    નથી.

    ભગવાન જેની સામું જુએ, એને જ્ઞાન મળે, માટે કૃષ્ણ ભગવાને આંખો બંધ કરેલી.

    (૩) ત્રીજા મહાત્મા કહે છે, ના, ના. આ કારણ મને સાચું લાગતું નથી. પૂતનાને આંખ આપે એટલે તેને જ્ઞાન થાય એ
    સાચું નથી. દુર્યોધનને ( Duryodhana )  કયાં જ્ઞાન થયું હતું? પૂતના ઝેર લઈને આવી, ત્યારે લાલાએ વિચાર કર્યો. આને વૈકુંઠમાં ( Vaikuntha ) લઈ જાઉં કે ગોલોકમાં. પૂતનાને કઇ ગતિ આપવી તે વિચારવા ભગવાને આંખ બંધ કરી હતી.

    (૪)એક મહાત્મા કહે છે, કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી. પૂતનાએ આ જન્મમાં કે પુર્વજન્મમાં કોઈ
    પુણ્ય કર્યું છે કે કેમ? ભગવાને આંખો બંધ કરી તેનું પ્રારબ્ધ જોયું. જેની સાથે બહુ પ્રેમ કરો છો, તે મનુષ્ય કોઈ સાધારણ કારણથી
    અતિ વેર કરશે.

    (૫) એક મહાત્માએ કહ્યું, લાલાએ આંખ બંધ કરી તેનું કારણ મને જુદું લાગે છે. કનૈયો વિચારે છે, મેં તો માનેલું કે
    ગોકુળમાં જઇશ તો લોકો મિસરી ખુબ ખવડાવશે. મારો યોગ એવો કે મને કોઈ માખણ-મિસરી આપતું નથી, અને ઊલટું આ ઝેર
    આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખ બંધ કરી છે.

    Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૭

    મને ઝેર ભાવતું નથી. આંખ બંધ કરી કનૈયાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી. તમે ઝેર પીવા આવો, અને હું દૂધ પીશ. એમ કહી
    કૃષ્ણ ભગવાન શિવજીનું ધ્યાન કરવા લાગ્યા, તેથી આંખો બંધ કરી છે. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરી તેનું ધ્યાન
    કરવું પડે છે.

    કનૈયો તે વખતે આખો બંધ કરી, મહાદેવજીને યાદ કરે છે. કે તમને ઝેર પીવાની આદત છે, તો તમે આવો. કનૈયો
    શિવજીને આંખ બંધ કરી બોલાવે છે. તે શિવતત્ત્વને બોલાવે છે.

    (૭) બીજા મહાત્મા કહે છે. મને આ કારણ યોગ્ય લાગતું નથી. કૃષ્ણને શું ઝેર ન પચે? એ તો કાળના પણ કાળ છે.
    આંખો બંધ કરવાનું કારણ મને જુદું લાગે છે. મને એમ લાગે છે કે, રામકૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે, મહાયોગીઓ
    બ્રહ્મલોકમાં જાય છે. તેઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. શ્રીકૃષ્ણ પૂતનાને મોક્ષ આપવાના છે. સૂર્યચંદ્રને ઠીક લાગ્યું નહિ, મારા
    શ્રીકૃષ્ણને પૂતના ઝેર આપવા આવી છે.

    લક્ષ્મીનો ( Lakshmi ) ઉપભોગ કરવાનો અધિકાર જીવને નથી. જીવ લક્ષ્મીનો ઉપયોગ કરી શકે. ઉપભોગ કરવા જાય તો થપ્પડ મારે
    છે. માટે સારામાં સારી ચીજો ભગવાનને અર્પણ કરજો. ખાવાથી સંતોષ થતો નથી. તૃપ્તિ થતી નથી. બીજાને ખવડાવાથી સંતોષ
    થાય છે. સૂર્ય-ચંદ્ર વિચારે છે વૈષ્ણવોએ ઠાકોરજીને સુંદરમાં સુંદર વસ્તુ ભેટ આપવી જોઈએ. તેને બદલે આ પૂતના ઝેર લઇને
    આવી છે. તેઓને થયું, ભગવાન પૂતનાને સદ્ગતિ ન આપે તો સારું. ભગવાનનું આકાર્ય ન ગમ્યું, તેથી સૂર્ય-ચંદ્રએ પોતાનાં
    નેત્રોરુપી દ્વાર બંધ કર્યાં.

    (૮) એક મહાત્મા કહે છે, મને આંખો બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાન વિચારે છે, આ ઝેર આપનારીને હું
    મુક્તિ આપવાનો છું. તો આ ગોપગોપીઓ જે પ્રેમથી માખણ મિસરી મને આપે છે, તેમને હવે કઈ ગતિ આપવી? મારી પાસે મુક્તિ
    સિવાય બીજી કોઇ શ્રેષ્ઠ વસ્તુ નથી. આ ગોપ-ગોપીઓને શી ગતિ આપવી એના વિચારમાં પ્રભુએ આંખ બંધ કરી છે.

  • Shradh 2023: શ્રાદ્ધ 2023: મૃત્યુ સમયે પાસે હોય આ 5 વસ્તુઓ તો મળે છે વૈકુંઠમાં સ્થાન, મળે છે પાપોથી મુક્તિ

    Shradh 2023: શ્રાદ્ધ 2023: મૃત્યુ સમયે પાસે હોય આ 5 વસ્તુઓ તો મળે છે વૈકુંઠમાં સ્થાન, મળે છે પાપોથી મુક્તિ

    News Continuous Bureau | Mumbai 

    shradh 2023:: હિંદુ કેલેન્ડર ( Hindu calendar ) મુજબ, પિતૃ પક્ષ (  pitru paksha ) ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ( krishna paksha ) અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થશે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે. આ સિવાય આ સમયગાળામાં દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આત્માને તેના કાર્યોના આધારે સ્વર્ગ કે નરકમાં સ્થાન મળે છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે મૃત્યુ સમયે આ વસ્તુઓ હોય તો તે વ્યક્તિને સીધું વૈકુંઠમાં ( Vaikuntha ) સ્થાન મળે છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં ( Garuda Purana ) જીવન અને મૃત્યુની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ મેળવવાના કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ છે. ચાલો તેના વિશે જાણીએ…

    ભગવત ગીતા –

    ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ સમયે જો કોઈ વ્યક્તિને ભગવદ ગીતાનો પાઠ સંભળાવવામાં આવે, તો તે વ્યક્તિ સરળતાથી પ્રાણ ત્યાગી શકે છે અને યમદૂતો તેને સ્પર્શ કરી શકતા નથી. તેનાથી વ્યક્તિને સ્વર્ગમાં સીધું સ્થાન મળે છે.

    તુલસી –

    હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે અને તુલસીના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ સમયે જો તેના પાન કોઈ મરનાર વ્યક્તિના મોઢામાં મુકવામાં આવે તો વ્યક્તિનો સુખદ અંત આવે છે અને તેની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.

    તલ –

    હિંદુ શાસ્ત્રો અનુસાર, તલ પવિત્ર છે કારણ કે તે ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થાય છે અને તેથી જ્યારે પણ કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે તેના હાથથી તલનું દાન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તલનું દાન કરવું એક મોટું દાન માનવામાં આવે છે અને તેનું દાન કરવાથી અસૂર, દૈત્ય અને દાનવો દૂર રહે છે. આ સિવાય કાળા તલ હંમેશા મૃત વ્યક્તિની પાસે રાખવા જોઈએ.

    આ સમાચાર પણ વાંચો :  Rishi Panchami 2023 : આજે ઋષિ પંચમી, જાણો કોણ છે સપ્તઋષિઓ? અને પૂજા કરવાથી શું ફળ મળે છે?

    કુશ –

    કુશ એક પ્રકારનું ઘાસ છે અને તેના વિના ભગવાનની પૂજા અધૂરી છે. એવું માનવામાં આવે છે કે કુશની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના વાળમાંથી થઈ હતી. મૃત્યુ સમયે તે વ્યક્તિને કુશની ચટાઈ પર સુવડાવવો જોઈએ. આ પછી કપાળ પર તુલસીનું પાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલા આ ઉપાયો કરવામાં આવે તો તેને શ્રાદ્ધ કર્યા વિના જ સ્વર્ગમાં સ્થાન મળે છે.

    ગંગા જળ –

    ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવે ત્યારે તેના મોંમાં થોડું ગંગાજળ નાખવું જોઈએ. કારણ કે ભગવાન વિષ્ણુના ચરણ કમળમાંથી નીકળતી ગંગા પાપોનો નાશ કરે છે અને પાપોનો નાશ થતાં જ વ્યક્તિને વૈકુંઠ પ્રાપ્તિનો અધિકાર મળે છે. આ જ કારણ છે કે અંતિમ સંસ્કાર પછી ભસ્મ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી આ ભસ્મ ગંગામાં રહે છે ત્યાં સુધી વ્યક્તિ સ્વર્ગનું સુખ ભોગવે છે.

    (Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)