Tag: van mahotsav

  • Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા

    Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા

     News Continuous Bureau | Mumbai 

    • દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરી શકીએ છીએ : – સાંસદ મુકેશભાઈ દલાલ
    • શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું

    Van Mahotsav: સુરત શહેરના વેસુ પ્રાથમિક શાળા ખાતે સામાજિક વનીકરણ વિભાગ,સુરત અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાનની થીમ સાથે ૭૫મા મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સુરત સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
    વેસુ પ્રાથમિક શાળા ખાતે આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં છેલ્લા ૧૫ વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરે છે. સુરતે ડાયમંડ અને ટેક્સટાઇલની ઓળખ સાથે સ્વચ્છ અને હરિયાળું સુરત તરીકે ઓળખાય છે.

    Tree plantation program organized under 'Ek Pad Ma Ke Naam' in this school in Surat, trees were planted by dignitaries in the school compound
    Tree plantation program organized under ‘Ek Pad Ma Ke Naam’ in this school in Surat, trees were planted by dignitaries in the school compound

    આ સમાચાર પણ વાંચો:Gujarat Rainfall Alert:ગુજરાતમાં હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી

    વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને શહેરને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આપણે સૌ પોતાના ઘર આંગણે, મહોલ્લા કે પડતર જગ્યાઓમાં દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરવાનો અનુરોધ કર્યો હતો.
    સુરતના મેયરશ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સૂરત શહેરમાં દરેક વ્યક્તિ વૃક્ષ વાવી ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકાય છે. આ અભિયાનમાં શાળાના દરેક બાળકોને પોતાની માતા સાથે એક વૃક્ષ વાવવાં અપીલ કરી હતી. સાથે ઉપસ્થિત સૌને પોતાના ઘરમાં લાકડાના ફર્નિચર વાપરીએ છીએ ત્યારે દરેક એક-એક વૃક્ષ વાવી તેનું ઋણ અદા કરવા તેમણે જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો:DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ

    આ પ્રસંગે સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણીમાંથી પ્રેરણા લઈને અન્ય રાજ્યોમાં પણ વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. પર્યાવરણના જતન અને ગ્લોબલ વોર્મિંગ માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. જો આપણે વૃક્ષો વાવીએ અને સાથે જૂના વૃક્ષોનું જતન કરવું જોઈએ. પર્યાવરણના જતન માટે દર વર્ષે સુરત શહેરમાં વન વિભાગ દ્વારા વર્ષે ૪૦ લાખ અને મહાનગરપાલિકા દ્વારા ૧૦ લાખ રોપાનું વિતરણ કરવામાં આવે છે.
    કાર્યક્રમમાં નાટક થકી પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને છોડ વિતરણ અને શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું.
    આ પ્રસંગે ડે.મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, સુરત મ્યુ. કમિશનર સાલિની અગ્રવાલ, નાયબ વન સંરક્ષકશ્રી આનંદ કુમાર, ડે.કમિશનર કમલેશ નાયક, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat : બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

    Surat : બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

    News Continuous Bureau | Mumbai
    Surat : સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૩૪ લાખ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો લક્ષ્યાંક: નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા
    સુરતઃશનિવારઃ ધન્ય ધરા ગુજરાતને વૃક્ષોથી આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા ૭૪મા સુરત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીબારડોલી તાલુકાની તાજપોર કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો.
    વન મહોત્સવમાં મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે દર વર્ષે રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી લાખો વૃક્ષોનું વાવેતર કરી રાજ્યની ધરતીને ગ્રીન કવરથી આચ્છાદિત કરી રહી છે.
    વનોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં ૨૦૦૩ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૧૧૪ લાખ હતી. જે વન મહોત્સવ શરૂ થવાના કારણે ૨૦૨૧માં વધીને ૨૧૬ લાખ થઈ છે. વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવવાની આહ્વાન કર્યું હતું. ભારતના નાગરિકોનો વૃક્ષો અને નદીઓ સાથે આસ્થાનો સંબંધ રહ્યો છે. પર્યાવરણ સાથે દિલનો નાતો કેળવવા જણાવી તાજપોર કોલેજને ગ્રીન કેમ્પસનું બિરૂદ મળવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
    તેમણે કહ્યું કે, વૃક્ષોનું અનેરૂ મહત્વ આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે. માનવના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. જન્મ દિવસથી લઈ પુણ્યતિથિ નિમિત્તે સૌને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
    ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ સારા-નરસા પ્રસંગોએ પાંચથી વધુ વૃક્ષોનુ વાવેતર કરીને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યું હતું. ધરતી માતાને વૃક્ષોના આભુષણો થકી સુશોભિત કરવાનો સૌને અનુરોધ કર્યો હતો.
    અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. કે.ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ૭૩ વર્ષ પહેલા કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે વન વિસ્તાર અને વન્ય પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રજાના સહિયારા પ્રયાસોથી વન સંરક્ષણ અને વન સંવર્ધન થઇ રહ્યું છે. જિલ્લામાં ૪૯૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે જે કુલ વિસ્તારનો ૧૨.૫૦ ટકા વન વિસ્તાર છે. વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી ૩૩ ટકાના લક્ષ્યાંકને સિધ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો. વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમારતી લાકડાની માંગ વધી રહી છે જેની સામે રાજ્યમાં લાકડાનુ ૩૦ ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો વૃક્ષોની લાભકારક ખેતી કરીને આવક મેળવી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Article 370: કલમ 370 હટાવ્યાને વીતી ગયા ચાર વર્ષ, જાણો આ ચાર વર્ષમાં શું બદલાયું ..
    સુરતના નાયબ વનસંરક્ષક(સામાજિક વનીકરણ) શ્રી સચિન ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૭૪મા વન મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ૫૦ નર્સરીઓમાં સાગ, લીમડા, નીલગીરી જેવા ૩૪ લાખ વૃક્ષોના રોપાઓ તૈયાર કરાયા છે, જેનું દરેક નર્સરીઓમાંથી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગૌચર જમીનો, રસ્તાઓની આજુબાજુ મળીને ૭૬૫ હેકટરમાં ૫ લાખ રોપાઓનું વાવેતર પ્રગતિમાં હોવાની વિગતો તેમણે આપી હતી. આ વર્ષે ૨૦ હજાર કેસર આંબાની કલમોનો ઉછેર કરાયો છે, જેનુ રૂ.૨૫ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો તેમણે આપી હતી.
    આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે ‘વૃક્ષ રથ’નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેના માધ્યમથી તાલુકામાં વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરશે.
    વન વિભાગની નર્સરીની યોજનાઓના લાભાર્થીઓને ચેક આપી સન્માનિત કરાયા હતા.
    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર, સંગઠનના પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધાબેન, મામલતદારશ્રી, સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસા.ના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, વન વિભાગના અધિકારીઓ, કોલેજના લતેશભાઈ, કાર્તિકભાઈ દેસાઈ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

  • Van Mahotsav : ગુજરાતમાં 74માં વન મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલએ આદિજાતિ વિસ્તાર પંચમહાલથી કરાવ્યો શુભારંભ..

    Van Mahotsav : ગુજરાતમાં 74માં વન મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલએ આદિજાતિ વિસ્તાર પંચમહાલથી કરાવ્યો શુભારંભ..

    News Continuous Bureau | Mumbai 
    દેવભુમિ-દ્વારિકામાં હરસિદ્ધી માતા ધામમાં નિર્માણ થનારા ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનુ ઈ-ખાતમૂહુર્ત
    વન વિભાગનાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્‍ડ કેર સેન્‍ટર્સનાં ઈ-લોકાર્પણ
    સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને લાભ સહાયનાં ચેક વિતરણ
    Van Mahotsav : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે(CM Bhupendra Patel) ૭૪માં વન મહોત્સવનો પંચમહાલનાં જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેંટ વન કવચ લોકાર્પણથી આપી છે.

    રાજ્ય(Gujarat)ની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાને લઈ વૃક્ષોનાં વાવેતર દ્વારા આવા વન કવચ વિકસાવવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રેરણા આપેલી છે. આ સંદર્ભમાં રાજ્યનાં વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું ૭૪માં વન મહોત્સવ પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન કવચ ૧.૧ હેક્ટર વિસ્તારમાં ૧૧,૦૦૦ રોપાઓનાં ઊછેર સાથે નિર્માણ પામ્યું છે.

    આ છે વન કવચની વિશેષતા

    એટલું જ નહિ, આ વન કવચ(Van Kavach)ની વિશેષતા છે કે, વિવિધ છોડની ૧૦૦ જેટલી પ્રજાતિઓ અહીં વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવી છે તેની સાથે બીજી ૧૦૦ જેટલી પ્રજાતિઓ કુદરતી રીતે આપોઆપ ઉગી નીકળી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ વન કવચનાં લોકાર્પણ સાથે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં હરસિદ્ધમાતા તીર્થ ક્ષેત્ર ખાતે નિર્માણ થનારા રાજ્યનાં ૨૩માં સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું ઈ-ખાતમૂહુર્ત પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસ(Green growth) નું આહવાન કર્યું હતું.

    તેમણે કહ્યું કે પર્યાવરણ સાથે સમન્‍વય સાધીને વિકાસનો વિચાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપેલો છે. મિશન લાઈફ અન્‍વયે આપણા રોજબરોજનાં જીવનમાં પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા પ્રાકૃતિક ખેતીનો નવતર વિચાર જેવા અભિગમોથી વડાપ્રધાનશ્રીએ સ્વાસ્થ્યપ્રદ જીવનનો માર્ગ બતાવ્યો છે.

    ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્‍જ વિભાગની રચના

    શ્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે, આખી દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગનાં સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે આપણાં વિઝનરી નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આ સમસ્યાનાં સમાધાન માટે પહેલેથી જ આયોજન કરીને ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્‍જ વિભાગની રચના કરી ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે તારણોપાય શોધ્યાં છે.

    આ સમાચાર પણ વાંચો : L&T Finance : એલએન્ડટી ફાઇનાન્સે કામગીરીના પ્રથમ વર્ષમાં ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પણ ‘વન કવચ’ દ્વારા ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો સફળ સેવાયજ્ઞ ઉપાડ્યો છે. આના પરિણામે મોટાપાયે વૃક્ષોનો ઊછેર થતાં માત્ર માનવ સૃષ્ટી જ નહિં પરંતુ પશુ પક્ષીઓને પણ શુદ્ધ વાતાવરણ મળી રહેશે.

    ૮૫ સ્થળોએ વન કવચ

    આ વર્ષે વન-મહોત્સવ અન્‍વયે ૧૦.૪૦ કરોડ રોપાઓનાં વિતરણની તેમજ રાજ્યનાં બધાં જ જિલ્લાઓમાં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ૮૫ સ્થળોએ વન કવચ વિકસાવવાની કામગીરીની ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં જે પાંચ સંકલ્પો આપ્યાં છે તેમાનો એક સંકલ્પ વિકસિત ભારતનાં નિર્માણનો છે. વિકસિત ભારતનું નિર્માણ આવનારી પેઢીને શુદ્ધ હવા-પાણી અને પ્રદૂષણ મુક્ત જીવન આપીને જ થઈ શકે.

    સહાય લાભ ચેક વિતરણ

    મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ પ્રિય ગ્રીન-ક્લીન ગુજરાત, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરને સઘન બનાવવા જનશક્તિ અને સમાજશક્તિને આ તકે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે વનમંત્રીશ્રી મૂળુભાઈ બેરા, રાજ્યમંત્રીશ્રી મુકેશ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રભારી અને શિક્ષણ તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ જિલ્લાનાં ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ક્રોકોડાઈલ રેસ્ક્યુ સેન્‍ટર પાવાગઢ, કાકજ એનિમલ કેર સેન્‍ટર પાલીતાણા, વરુ સોફ્ટ રીલીઝ સેન્‍ટર નડાબેટનાં ઈ-લોકાર્પણ તેમજ દીપડા વસ્તી ગણતરી પુસ્તિકા વિમોચન અને સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય લાભ ચેક વિતરણ કર્યા હતા. વન અને પર્યાવરણનાં અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ચતુર્વેદી સહિત વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રનાં અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ ૭૪માં વન મહોત્સવનાં પ્રારંભ અવસરમાં જોડાયા હતા.