• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Veer Narmad University
Tag:

Veer Narmad University

Veer Narmad University Nirali Polra accepts degree, playing dual roles as mother and student
રાજ્ય

Veer Narmad University : માતૃત્વની મીઠાશ: માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવી નિરાલી પોલરાએ પદવી સ્વીકારી

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Veer Narmad University : 

  • દિકરીની સાથે ડિગ્રી સુધીની સફર: ત્રણ મહિનાની દીકરી સાથે મંચ પર જઈ પદવી સ્વીકારી
  • નવસારી જિલ્લાના જલાલપોરના નિરાલી પોલરાએ એમ.એ.(ગુજરાતી) માસ્ટર ઓફ લિટરેચરમાં ૮૦.૨૭ ટકા મેળવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યોઃ
  • ગુજરાતી વિષયમાં શિક્ષિકા બની ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવા છેઃ નિરાલી કેતનભાઇ પોલરા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં નવસારી જિલ્લાના જલાલપોર ગામની નિરાલીબેન કેતનભાઇ પોલરાએ પોતાની ત્રણ મહિનાની નાની દિકરી સાથે એમ.એ (ગુજરાતી)માં ગોલ્ડ મેડલ સાથે પદવી સ્વીકારી હતી. માતૃત્વની મીઠાશ સમા પદવીદાન સમારોહમાં માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવનાર નિરાલી પોલરાની ઝિંદાદિલીને સૌએ સરાહી હતી. તેમણે એમ.એ. (ગુજરાતી) માસ્ટર ઓફ લિટરેચરમાં ૮૦.૨૭ ટકા મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

નિરાલીબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા બાદ પણ તેમણે અભ્યાસ છોડ્યો નહીં. શરૂઆતમાં ધો. ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નવી દિશામાં આગળ વધવા માટે પરિવારનો સહકાર મળ્યો. સાસરીયામાં સપનાને સાકાર કરવાનું બળ મળ્યું. વાંચનનો શોખ તેમને કોમર્સમાંથી આર્ટ્સ તરફ ખેંચી લાવ્યો. તેમણે નવસારીની એસ.બી.ગાર્ડા આર્ટ્સ કોલેજમાંથી બી.એ અને ત્યારબાદ બિલીમોરાની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાંથી બી.એડ પૂર્ણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

નિરાલીબેન હાલમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે એમ.એડનો અભ્યાસ કરી રહી છે અને તેમનું ધ્યેય છે કે તેઓ ગુજરાતી વિષયમાં શિક્ષિકા બને. તેઓ માને છે કે આજે જ્યારે અંગ્રેજી ભાષાનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે નવી પેઢી પણ આપણી મૂળ ભાષા સાથે જોડાય. માતૃભાષા ગુજરાતીનું સવર્ધન કરીએ એ આપણી ફરજ છે.. નિરાલીબેન કહે છે, “આજનો દિવસ યાદગાર રહ્યો છે. મારી ત્રણ મહિનાની નાની દિકરીને હાથમાં લઇને જ્યારે હું મંચ પર ડિગ્રી અને ગોલ્ડ મેડલ લેવા ગઈ, એ મારી માતૃત્વ અને મહેનત બંનેની સિદ્ધિ છે. નિરાલીબેન એક ઉદાહરણ રૂપ છે કે યોગ્ય સહકાર અને સખત મહેનતથી મહિલાઓ કોઈપણ મંચ પર પોતાનું સ્થાન બનાવી શકે છે, પછી તે પરીક્ષા રૂમ હોય કે જીવન મંચ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Veer Narmad University posthumously awards B.Sc. (Physics) degree to 23-year-old Jannatanshin Sheikh Naqib Raza Imtiaz
રાજ્ય

Veer Narmad University : વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝને મરણોપરાંત બી.એસ.સી.(ફિઝીક્સ)ની ડિગ્રી એનાયત

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Veer Narmad University : 

  • વલસાડના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન નકીબ રઝા ઈમ્તિયાઝ શેખની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે સ્વીકારી
  • નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦ માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા 
  • નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ રોડ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું

નર્મદ યુનિ.ના ૫૬મા પદવીદાન સમારોહમાં આંખો ભીની કરી દે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ગત સપ્ટેમ્બર માસમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વલસાડ જિલ્લાના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વીકારી હતી. નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦ માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા હતા.

વલસાડના અતુલના પારનેરાના વતની ઈમ્તિયાઝભાઈના એકના એક પુત્ર નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ માર્ગ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. નકીબ વલસાડની બી.કે.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી.(ફિઝીક્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હોનહાર અને તેજસ્વી એવો આ વિદ્યાર્થી અભ્યાસ સહિત સ્પોર્ટ્સ, ડ્રોઈંગ જેવી અનેક સ્પર્ધાઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉજ્જવળ દેખાવ કરતો હતો. તેણે શાળા તેમજ કોલેજ અભ્યાસ દરમિયાન અનેકવિધ મેડલ્સ જીત્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

પિતા ઈમ્તિયાઝભાઈ વડાપાઉંની લારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર પી.એચ.ડી. કરવા ઈચ્છતો હતો, પરંતુ કુદરતને કંઇક ઓર જ મંજૂર હતું. તેના સ્વપ્ના અધૂરા રહી ગયા. અમારા લાડકવાયા પુત્રની અંતિમ નિશાની સમાન પદવી સ્વીકારી છે, જે મારા જીવનની દુ:ખદાયી ક્ષણ બની હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Veer Narmad University After a life of struggle and overcoming many obstacles, Urvika Patel from Kadodara obtained her PhD degree.
સુરત

Veer Narmad University : વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ, સંઘર્ષમય જીવન અને અનેક અવરોધો પાર કરી કડોદરાના ઉર્વિકા પટેલે પી.એચ.ડી.ની પદવી મેળવી

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Veer Narmad University : પિતાના અકાળે નિધન બાદ માતાની છત્રછાયામાં ઉર્વિકાબેનનો ઉછેર થયો: માતાએ પેટે પાટા બાંધીને ભણાવી અને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું

 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કડોદરાના ઉર્વિકા પટેલે એચ.ડી.ની પદવી સ્વીકારી હતી. સંઘર્ષમય જીવન અને અનેક અવરોધો પાર કરી યુવાધન તેમજ મહિલાઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડનાર ઉર્વિકા પટેલે ઝળહળતી સફળતા મેળવી છે. તેમણે ‘ચાર વાર્તાકારોની વાર્તાઓમાં ભારતીય અનુઆધુનિકતાવાદ: પશ્ચિમ અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં’ એ વિષય પર સમીક્ષાત્મક અભ્યાસમાં પી.એચ.ડી.ની પદવી મેળવી છે.

           ૨૬ વર્ષ પહેલા જમીન વિવાદમાં તેમના પિતા સ્વ.શૈલેષકુમારની હત્યા થઇ હતી. માતાની છત્રછાયામાં ઉર્વિકાબેનનો ઉછેર થયો. માતાએ પેટે પાટા બાંધીને ભણાવી અને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. 

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

            તેઓ હાલ નવસારીની ગાર્ડા કોલેજમાં આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. તેઓ ચરોતરીયા લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ પણ છે. ઉર્વિકા પટેલ જણાવે છે કે, સંઘર્ષ વેઠીને મેળવેલી સફળતાનો આનંદ સર્વશ્રેષ્ઠ હોય છે. મને સમાજમાં અને સગાસંબધીઓમાં ‘મહિલાઓએ થોડું ભણવાનું હોય.. આખરે સાસરે જઈ સંભાળવાનો છે તો ચૂલો જ ને..?’ એવા કટાક્ષ કરી નાસીપાસ કરવામાં આવતી હતી. પિતાના નિધન બાદ અભ્યાસમાં હિંમત ન હારી અને આખરે પ્રોફેસર બનવાનું સ્વપન પૂર્ણ કર્યું. યુવાનો અને ખાસ કરી યુવતીઓએ ગમે તેવા પડકારો આવે મક્કમ બની પડકારો, અવરોધોનો મુકાબલો કરવો જ જોઈએ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Veer Narmad University Vani Mistry of Wade Road won the gold medal by scoring 80.46 percent in her M.Com studies.
સુરત

Veer Narmad University : વેડ રોડની વાણી મિસ્ત્રીએ એમ.કોમના અભ્યાસમાં ૮૦.૪૬ ટકા મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

by kalpana Verat April 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Veer Narmad University : સુરત શહેરના વેડ રોડ સ્થિત રામજી નગર સોસાયટીની દિકરી વાણી ભરતભાઇ મિસ્ત્રીએ એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સુરત અઠવાલાઈન્સ સ્થિત એસ.પી.બી ઇગ્લિશ મિડીયમ કોલેજમાં એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રમાણપ્રત્ર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું નામ રોશન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

વાણી મિસ્ત્રીએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, ગોલ્ડ મેડલ હાંસલ કરવાની પ્રેરણા મને માતા પિતા થકી મળી છે.હમણાં રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષક તરીકે નોકરી કરી રહી છું.નોકરી સાથે જીસેટની પરીક્ષા પાસ કરી છે અને નેતની પરીક્ષાની તૈયારી કરી રહી છું.આગાળ હું પ્રોફેસર બનવા ઇચ્છું છું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Veer Narmad University 56th convocation ceremony held at Veer Narmad University
રાજ્ય

Veer Narmad University : વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

by kalpana Verat April 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Veer Narmad University : 
 ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી
 ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ
 જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે
 કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગ કરજો
-:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
———
 યુવાનો નક્કી કરે દેશની પ્રગતિની દિશા: દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં
 માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી:
:- આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ
પ્રાપ્ત કરેલી વિદ્યા જીવનપથ પર અજવાળું પાથરશે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
૪૪ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત
૨૧ ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી
આરોગ્ય તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ તેમણે આપી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૪ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર,શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

Veer Narmad University 56th convocation ceremony held at Veer Narmad University

 

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

રાષ્ટ્રનિર્માણ ભૌતિક સુખસુવિધાઓથી નહીં, પરંતુ વીર માતાઓના સતીત્વ અને તેમના પ્રતાપી પુત્રોના સંસ્કારો, સમર્પણથી થાય છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનવું એ સમયની માંગ છે.

ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ એવી મહામૂલી શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Chhattisgarh Railway Project :છત્તીસગઢ ની નવી ધમની બનશે ખરસિયા-પરમાલકસા 5મી-6ઠ્ઠી રેલ્વે લાઇન, મળશે બમ્પર રોજગાર…

દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે સામૂહિક પુરૂષાર્થ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓને ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજ, રાજ્ય અને દેશના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. યુવાનો દેશની પ્રગતિની દિશા નક્કી કરે, કારણ કે દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં છે.

નર્મદ યુનિવર્સિટી આર્ય સંસ્કૃતિ, ભારતીયતાના સંસ્કારોને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહી છે એમ જણાવી સમગ્ર યુનિવર્સિટી તંત્રને અભિનંદન આપી મંત્રીશ્રીએ જણાવ્યું કે, એ.આઈ. અને આધુનિક ટેકનોલોજીના યુગમાં વિકાસનો માર્ગ પણ ખૂલ્યો છે સાથોસાથ ટેકનોલોજીનો દુષ્પ્રભાવ પણ વ્યાપક બન્યો છે, ત્યારે યુવાનોએ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણા પ્રાચીન મૂલ્યોને ન છોડતા જમીન સાથે જોડાયેલા રહીને મળેલી તકોનો ઉજ્જવળ ભાવિ ઘડવામાં ઉપયોગ કરવો જોઈએ.

મંત્રીશ્રીએ તમામ પદવીધરોને ઉજ્જવળ ભાવિની શુભકામના આપી બદલાતી દુનિયા સાથે કદમતાલ મિલાવી સતત પરિવર્તનશીલ બની રહેવા અને યુવાધનને નવા પડકારોનો સામનો કરીને વિકસિત ભારત તરફ દેશની આગેકૂચમાં જોડાવા પ્રેરિત કર્યા હતા. 

Veer Narmad University 56th convocation ceremony held at Veer Narmad University

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. જ્ઞાનના પ્રકાશથી સમાજનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ ખીલવવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા પર ભાર મૂક્યો હતો.

શ્રી પાનશેરીયાએ શિક્ષણનું મહત્વ સમજાવતાં કહ્યું કે, વર્ષોના અભ્યાસ બાદ મેળવેલું જ્ઞાનનું ભાથુ સમાજના હિત માટે ઉપયોગમાં લેવું જોઈએ. પ્રાપ્ત કરેલી વિદ્યા જીવનપથ પર અજવાળું પાથરશે. ગીતાના ધ્યેયમંત્ર ‘કર્મ કરો, ફળની આશા ન રાખો’ને જીવનમાં ઉતારી યુવાનો નિર્વ્યસની, પરાક્રમી બને. વ્યસનો, પ્રલોભનો અને ભૌતિકતા સામે કદી ઝૂકવું નહીં એવી પણ તેમણે શીખ આપી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.૬૦ કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.

ડો.ચાવડાએ શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવા અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓએ બનાવેલ અંગદાનનો સંદેશ આપતી પ્રતિકૃતિ અને સરદાર પટેલ સાહેબની પ્રતિમા અર્પણ કરી રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રીઓનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Soil testing ISRO : 10 દિવસને બદલે માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું ડિવાઇસ

ડિજીલોકરમાં તમામ ૧૦,૪૧૫ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે
. . . . . . . . . . . . . . .
૫૫મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૧૦,૪૧૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલશ્રીએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Global Expo mega exhibition to be organized in Surat from tomorrow
સુરત

Gujarat Global Expo Mega Exhibition: સુરતમાં આવતીકાલથી “ગુજરાત ગ્લોબલ એક્સ્પો” મેગા એક્ઝિબિશનનુ આયોજન, સાંસદ મુકેશ દલાલના હસ્તે થશે આ પ્રદર્શનનુ ઉદ્ઘાટન..

by Hiral Meria December 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Gujarat Global Expo Mega Exhibition:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશન યોજાશે. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનને મેયર  દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં તા.૧૯મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે સાંસદ  મુકેશ  દલાલના ( Mukesh Dalal ) હસ્તે ખૂલ્લું મૂકાશે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાશે.  

               એક્ઝિબિશનમાં (  Gujarat Global Expo Mega Exhibition ) રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, C.W..C., APEDA, ICMR, MOES, REC , BIS , CPCB, NIF જેવી સરકારી જાહેર એજન્સી-સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વિજ્ઞાન સંસ્થાઓના ( Science Institutes ) વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે. તમામ વય જૂથના નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે. ત્રણ દિવસ માટે સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, આમ નાગરિકો સુરતમાં આ પ્રકારના પ્રથમવાર યોજાઈ રહેલા પ્રદર્શનને ( Exhibition ) નિહાળી શકશે. 

આ સમાચાર પણ વાંચો : Kalyan Railway Station Bomb Threat: આ રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની મળી ધમકી.. મધરાતે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં રણક્યો ફોન, નોંધાયો કેસ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony
સુરત

Veer Kavi Narmad:વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

by Akash Rajbhar August 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત
  • ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન
  • માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો
  • સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે
  • શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
  • આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી
  • યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા
  • શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
    શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન્દ્ર બની

Veer Kavi Narmad:વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૨ પી.એચ.ડી. તથા ૪ ને એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

ખાસ કરીને, પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ એક વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચોઃTripura floods:સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે આટલા કરોડની ફાળવણીને મંજૂરી આપી

તેઓ નર્મદ યુનિ.માં એમ.એ. (પોલિટિકલ સાયન્સ)નો બે વર્ષ એક્ષ્ટર્નલ અભ્યાસ કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોના તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેના સમારોહનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ‘વિનમ્ર બનાવે તે જ્ઞાન’ વિધાન થકી નવયુવાનોને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. મંત્રીશ્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા એનો ઉલ્લેખ કરી તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, માત્ર ભૌતિક ડિગ્રીના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થઈ શકે.

આ સમાચાર પણ વાંચોઃGarudeshwar weir Dam: માઁ નર્મદા-માઁ રેવા ખળ ખળ વહેતી હોય ત્યારે ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો, મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

મન, વચન અને કર્મથી સંસ્કારિત, શિક્ષિત બની આપણે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને સુખાકારી માટે કરવો જોઈએ.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ‘શ્રીમદ્દ ભગવદ્ ગીતા’ને સામેલ કરીને જીવનમૂલ્યોના પાઠ ભણાવી બાળકોને દ્રઢ નિશ્ચયી, સંસ્કારી અને કર્મશીલ બનાવવાના ધ્યેયની મંત્રીશ્રીએ છણાવટ કરી હતી.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

તેમણે માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે એમ જણાવી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે અને તે સૌનું ભલું કરવાની ભાવના ધરાવે છે. પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ જ્ઞાન છે, ત્યારે એકજૂથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.
નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ અને હાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ (યુનિવર્સિટી ફોર ઇનોવેશન-ગાંધીનગર)ના લોકાયુક્ત તરીકે કાર્યરત પ્રો.રમેશચંદ્ર કોઠારીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક છે. કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યુ હતું.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

તેમણે ઉમેર્યું કે, વિજ્ઞાન વિદ્યાશાખામાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઝુકાવ વધે તે જરૂરી છે. સમાજ-રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે. યુવાશક્તિને સતત અભ્યાસથી કારકિર્દીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૂષાર્થ જ સફળતાના શિખર સુધી લઈ જશે. વિદ્યાર્થીઓએ જ્ઞાનને હંમેશા તાજું રાખવા, મનમસ્તિષ્કને સતત રિફ્રેશ રાખવું જોઈએ. અભ્યાસ સિવાયનું વાંચન, લેખન જીવનમાં કારકિર્દી ઘડતર માટે ખૂબ મહત્વનું છે એમ જણાવી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવતા કુલપતિશ્રી ડો.કે.એન. ચાવડાએ ઉપસ્થિત યુવાધનને નવા પડકારો માટે સુસજ્જ રહેવા સમાજ અને દેશના હિતમાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને આપણા ભવ્ય વૈદિક વારસાને અનુસરવા અને પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રનાં નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાની હિમાયત કરી હતી. તેમણે ભારત સરકારના NAD-નેશનલ એકેડેમિક ડિપોઝીટરી તેમજ ડિજીલોકરમાં આ તમામ ડિગ્રીઓ અપલોડ કરવામાં આવી હોવાની વિગતો આપી યુનિવસિર્ટીએ પારદર્શી શિક્ષણ પ્રક્રિયા અને મેનેજમેન્ટથી શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરી હોવાનું ઉમેર્યું હતું.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

ડો.ચાવડાએ વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત યુનિવર્સિટીમાં ૨૧ આગામી ૧૯મી સપ્ટે. પહેલા હજાર વૃક્ષો વાવવામાં આવશે અને તેને ઉછેરવાનો સંકલ્પ સ્પષ્ટ કરી વધુ ને વધુ વૃક્ષારોપણમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું,

આ સમાચાર પણ વાંચોઃMalaysia: ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ‘જાહેર વહીવટ અને ગવર્નન્સ રિફોર્મ્સના ક્ષેત્રમાં સહકાર’ પર આટલા વર્ષના સમયગાળા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

આ વેળાએ રાજ્યસભા સાંસદ અને એસ.આર.કે. ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ઉપસ્થિત સૌને શ્રીમદ્દ ભાગવત ગીતાનું પુસ્તક ભેટ અપાઈ હતી.

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

On the auspicious occasion of the 191st birth anniversary of Veer Kavi Narmad, the 55th special graduation ceremony

આ પ્રસંગે યુનિ.ના રજિસ્ટ્રાર ડો.આર.સી.ગઢવી, એક્ઝામ કન્ટ્રોલર એ.વી.ધડુક, સેનેટ અને સિન્ડિકેટના બોર્ડ મેમ્બર્સ, વિભાગીય વડાઓ, યુનિ.ના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ સહિત દીક્ષાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tree plantation drive at Veer Narmad University
સુરત

Veer Narmad University: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ અભિયાન

by Hiral Meria July 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Veer Narmad University:  ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સંરક્ષણના ( Environment Protection ) ઉમદા સાથે વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ અભિયાન ( Plantation campaign ) યોજાયું હતું, જેમાં ગ્રામ અભ્યાસ વિભાગના પરિસરમાં ઘરગથ્થુ ઉપયોગમાં આવે તેવા છોડ-વૃક્ષો તેમજ ૨૦૦ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષ વાવવા જ નહીં, પણ તેને ઉછેરવાનો પણ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો સહિત ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.  

Tree plantation drive at Veer Narmad University

Tree plantation drive at Veer Narmad University

                ખાસ કરીને ઘરગથ્થુ ઇલાજ માટે ઉપયોગી થઈ શકે તેવા મેડિસિન છોડ જેવા કે, લીંડરપીપળી, અરડુસી, એલચી, કુવારપાઠું, બ્રાહ્મી, નિનો પણ રોપવામાં આવ્યા છે. યુનિ.ના કુલપતિ ડો. કે.એન.ચાવડા અને રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવીના માર્ગદર્શન અને પ્રેરણાથી વૃક્ષારોપણ અભિયાન શરૂ રહેશે.

Tree plantation drive at Veer Narmad University

Tree plantation drive at Veer Narmad University

આ સમાચાર પણ વાંચો  :  Express Train : પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે

  Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A golden opportunity to get employed, Veer Narmad University will hold a job fair on this date.
સુરત

Veer Narmad University: રોજગારી મેળવવાની સુવર્ણ તક, વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આ તારીખે યોજાશે રોજગાર ભરતી મેળો.

by Hiral Meria March 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Veer Narmad University: મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતી મેળો ( recruitment fair ) યોજાશે. જેમાં ધો.૧૦ અને ૧૨ પાસ, I.T.I.-કોપા, MMCP, વાયરમેન, ઈલેક્ટ્રીશ્યન, ફીટર, મિકેનિક, ડિઝલ મિકેનિક, લિફ્ટ મિકેનિક, B.Sc.(કોઈ પણ પ્રવાહ) M.Sc.(કેમેસ્ટ્રી),બાયોટેકનોલોજી, બી.ફાર્મ, B.Arch, ઈન્ટીરીયર ડીઝાઇન, LLB/LLM, B.C.A, B.B.A., B.Com., B.A., M.Com., MCA, MBA-HR/માર્કેટિંગ, MSC-IT, B.Tech.. M.Tech., B.E.- IT/ ECE/EEC/ Mech. નો અભ્યાસ કર્યો હોય તેવા રોજગારવાંચ્છુ યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. 

              આ ભરતી મેળામાં ૨૫ થી વધુ કંપનીઓ ( companies ) તેમની ૫૫૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. રોજગાર કચેરી, સુરતના ( Surat ) ફેસબુક પેજ- Model Career Center Suratઅને ટેલિગ્રામ ચેનલ- Employment Office, Surat પરથી જગ્યાઓની વધુ વિગત મેળવી શકાશે. આ મેળાનો વધુમાં વધુ લાભ લઈ રોજગારી ( Employment ) મેળવવાની સુવર્ણ તક ઝડપવા યુવાનોને મદદનીશ નિયામક (રોજગાર)-સુરતની યાદીમાં જણાવાયુ છે

આ સમાચાર પણ વાંચો :  Farmers : ખેડૂતો આનંદો! રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઇની કરશે સીધી ખરીદી, આ તારીખ સુધી કરાવી શકાશે નોંધણી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Selection of maximum 93 students of Veer Narmad University in the entire state in SHODH scheme
સુરત

Veer Narmad University: સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટીના સૌથી વધુ ૯૩ જેટલા વિદ્યાર્થીઓની SHODH યોજનામાં પસંદગી

by Hiral Meria October 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai  

Veer Narmad University : સમગ્ર રાજ્યની માન્ય યુનિવર્સિટીઓમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત ( South Gujarat ) યુનિવર્સિટીના રિસર્ચ ( Research ) સાથે સંકળાયેલા સૌથી વધુ ૯૩ જેટલા વિદ્યાર્થીઓની SHODH યોજનામાં પસંદગી થઈ છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ( students )  ગુણવત્તાયુક્ત સંશોધન ( Qualitative research ) માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે રાજય સરકાર ( State Govt ) હંમેશા પ્રયત્નશીલ છે. રાજયના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા માટે સરકારનો વધુ એક ઉમદા અને ઐતિહાસિક પ્રકલ્પ એટલે SHODH-Scheme Of Developing High quality research છે. આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા હોય એવા Ph.D. કરનાર વિદ્યાર્થીને બે વર્ષ સુધી દર મહિને રૂ.૧પ,૦૦૦ નું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત, પીએચ.ડી.ના વિદ્યાર્થીને આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક રૂ.ર૦,૦૦૦ આપવામાં આવે છે. આમ, Ph.D. કરનાર વિદ્યાર્થીને ગુજરાત સરકાર 4 લાખ રૂપિયા સ્ટાઈપેન્ડ પેટે આપે છે. આ યોજનાથી રાજ્યમાં રિસર્ચના ક્ષેત્રમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો છે.

                નર્મદ યુનિ.ના ૨૩ વિદ્યાર્થીઓ અને ૭૦ વિદ્યાર્થીનીઓ એમ કુલ ૯૩ વિદ્યાર્થીઓને ૨ વર્ષમાં રૂા.૩.૭૨ કરોડની સહાય આપવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે આ સહાય ખૂબ જ લાભદાયી થશે. આ મહત્વાંકાંક્ષી યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજ્જતા વધવાની સાથે જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે. નોંધનીય છે કે, ગત વર્ષે પણ શોધ યોજનામાં લાભ મેળવનાર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ૧૦૪ હતી. 

આ સમાચાર પણ વાંચો : Navratri : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની કરી માંગ… લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા કરો આ કામ..

             પસંદગી પામેલા અલગ-અલગ ૧૬ વિષયોના વિદ્યાર્થીઓને સહાય મળનાર ,છે જેમાં સૌથી વધુ બાયોસાયન્સ (બોટની, ઝૂલોજી,માઈક્રોબાયોલોજી)ના ૨૨, કેમેસ્ટ્રીના ૧૯, કોમર્સના ૧૬, ઈગ્લીશ-ગુજરાતીના ૩-૩, ફિઝીકસના ૯, ઈતિહાસના ૪ તથા અન્ય વિષયોના મળી કુલ ૯૩ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. જેઓને યુનિ. કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા તથા કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવીએ ઉજ્જવળ કારકિર્દીની તેમજ જનહિતમાં સંશોધન કરી રાજ્યમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં સહભાગી બનવાની શુભકામનાઓ પાઠવી હતી.

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક