Tag: Viksit krishi sankalp abhiyan

  • Viksit Krishi Sankalp Abhiyan :અંધારી ઓરડીમાં ઊગે છે ઉજળા પાક : આધુનિક ખેતી થકી મશરૂમનું મબલખ ઉત્પાદન

    Viksit Krishi Sankalp Abhiyan :અંધારી ઓરડીમાં ઊગે છે ઉજળા પાક : આધુનિક ખેતી થકી મશરૂમનું મબલખ ઉત્પાદન

     News Continuous Bureau | Mumbai

    Viksit Krishi Sankalp Abhiyan : 

    ઉત્તરાખંડની બેટી ગુજરાતમાં કરે છે મશરૂમની ખેતી
    –:વર્ષાબહેન:–
    • ગુજરાતમાં ‘ઇઝ ઓફ બિઝનેસ’ની સાથે ‘ઇઝ ઓફ ફાર્મિંગ’ પણ છે
    • ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું પોટેન્શિયલ છે જેને અનલિશ કરવું જોઈએ
    • મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા બરાબર
    ………
    વાર્ષિક ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન – મોટાભાગે ફાર્મા કંપનીને સપ્લાય થાય છે : ખેતરમાં વધેલી પરાળ (ભૂંસુ) લાવી તેના પર ઉગાડાય છે મશરૂમ

    (અહેવાલ : ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)

    પિત્ઝાથી લઈને પ્રોટીન પાવડર તેમજ સૂપ, શાક અને અથાણાંમાં વપરાતા મશરૂમનું માતબર ઉત્પાદન વર્ષાબહેન આલોકે અમદાવાદ જિલ્લામાં કન્ટ્રોલ્ડ ફાર્મ યુનિટ લગાવીને શરૂ કર્યું છે. મશરૂમ ઠંડા ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે તેથી આપણે ત્યાં સામાન્ય રીતે તેની ખેતી શક્ય બનતી નથી. જોકે, વર્ષાબહેને ધોળકામાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખાસ યુનિટ સ્થાપીને બારેમાસ મશરૂમ ઉગાડવાની ફેસિલિટી વિકસાવી છે.

    Viksit Krishi Sankalp Abhiyan Massive mushroom production through modern farming

    ઉલ્લેખનીય છે કે, મશરૂમ એ વનસ્પતિ કે છોડ નથી, તેથી તેને સૂર્યપ્રકાશની જરૂર નથી. મશરૂમ એક ફૂગ છે, સજીવ છે, જે ગાઢ જંગલમાં ઉછરે છે. ખાદ્ય મશરૂમ અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં વિકસિત ખેતી સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. આ અભિયાનનો હેતુ ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને સમયને અનુરૂપ ટેકનોલોજી વિશે માહિતગાર કરીને ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનો છે. કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ એટલે કે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાનાં નિષ્ણાત વર્ષાબહેને બટન મશરૂમની ખેતીના એક તીરથી ઘણા નિશાન સાધ્યા છે. ખાસ તો ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ, વિકસિત ખેતીની આગવી કેડી કંડારી છે.

    Viksit Krishi Sankalp Abhiyan  Massive mushroom production through modern farming

    વર્ષાબહેન આલોક પહેલા બેન્કિંગ વ્યવસાયમાં હતા. અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં તેમણે નોકરી કરી છે. વર્ષાબહેન ‘કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ’માં પીએચડીની ડિગ્રી ધરાવે છે. તેમણે આઈઆઈએમ, અમદાવાદમાંથી ‘ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ’નો અભ્યાસ પણ કર્યો છે. ઉત્તરાખંડના વતની વર્ષાબહેનને આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યે રુચિ હોવાથી તેમણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો નિર્ણય લીધો હતો.

    Viksit Krishi Sankalp Abhiyan Massive mushroom production through modern farming

    આ સમાચાર પણ વાંચો: Viksit Krishi Sankalp Abhiyan : ધરું ઉછેર કરી ધરખમ આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ

    વર્ષાબહેને જણાવ્યું કે, ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ’ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે. કાયદો વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ અને વ્યવસાય કરવા માટેની વિશાળ તકોની ઉપલબ્ધિને કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાંય અમદાવાદની પસંદગી કરી અને બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે. અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ વર્ષાબહેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવી ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડાય છે. બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મીનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડવામાં આવે છે.

    Viksit Krishi Sankalp Abhiyan Massive mushroom production through modern farming

    વર્ષાબહેનના જણાવ્યા મુજબ, યુનિટમાં લોખંડના આવા આઠ રેક બનાવવામાં આવ્યા છે. જે વર્ષે લગભગ ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન કરે છે. એટલે કે મહિને ૨૦થી ૨૫ ટન મશરૂમ અહીં ઊગે છે.જો આટલા મશરૂમ જમીન પર ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછી એક એકર જમીનની જરૂર પડે. પરંતુ વર્ષાબહેન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સીમિત જગ્યામાં પ્લાન્ટ લગાવી મશરૂમનો માતબર પાક મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ વ્યવસાય થકી વર્ષાબહેન ધોળકા પંથકની ૪૦ મહિલાઓ સહિત ૫૦ લોકોને નિયમિત રોજગારી આપી રહ્યાં છે.

    Viksit Krishi Sankalp Abhiyan Massive mushroom production through modern farming

     

    વર્ષાબહેન કહે છે, મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા જેવું છે. જેમ ફળ તોડવાથી આખું ઝાડ મરી જતું નથી, તેમ મશરૂમ તોડવાથી તેની નીચે રહેલી મુખ્ય ફૂગ (માયસેલિયમ) જીવિત રહે છે. જો માયસેલિયમને નુકસાન ન પહોંચે અને તેને યોગ્ય ભેજ, તાપમાન અને પોષણ મળતું રહે, તો તે ભવિષ્યમાં ફરીથી નવા મશરૂમ ઉત્પન્ન કરી શકે છે. મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે. મશરૂમ ખોરાક અને દવા બંનેમાં ઉપયોગી છે.

    Viksit Krishi Sankalp Abhiyan Massive mushroom production through modern farming

    મશરૂમના ઉછેર માટે માટી નહીં કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે. આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે. પરાળને પાણીની વરાળ, પશુનું મળ, કાર્બોહાઈડ્રેટ, પોટાશ વિગેરે તત્ત્વો સાથે મિશ્ર કરી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કમ્પોસ્ટના થેલામાં મશરૂમના બીજ (માયસેલિયમ)ને રોપીને નિયંત્રિત વાતાવરણમાં જર્મિનેશન થવા દેવામાં આવે છે જેને પરિણામે ૨૫થી ૩૦ દિવસમાં ફૂગ ઊગી નીકળે છે.

    ધોળકાના યુનિટમાં આ મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે. મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે આપવામાં આવે છે.

    વર્ષાબહેન કહે છે કે, આ પ્રકારની ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલમાં કરવામાં આવે છે. ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ કરવાનું પોટેન્શિયલ રહેલું, જેને અનલીશ કરવું જોઈએ છે. આગામી ત્રણ દાયકામાં ખેતીનું કલેવર બદલાઈ જવાનું છે. ફ્યુચરિસ્ટિંગ ફાર્મિંગ સમયની માગ છે.

    વર્ષાબહેનને આ સમગ્ર યુનિટના નિર્માણમાં માર્ગદર્શન આપનારા બાગાયત અધિકારી શ્રી લાલજી ચૌધરી જણાવે છે કે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રુટ, વેજીટેબલ્સ અને ડ્રાયફ્રુટ પણ ઉગાડી શકાય છે. વર્ષાબહેન આલોકે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું જે સાહસ કર્યું છે તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક – વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Viksit Krishi Sankalp Abhiyan : ધરું ઉછેર કરી ધરખમ આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ

    Viksit Krishi Sankalp Abhiyan : ધરું ઉછેર કરી ધરખમ આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ

     News Continuous Bureau | Mumbai

     Viksit Krishi Sankalp Abhiyan : 

    • મરચી, રીંગણ, ટામેટાં અને હજારી, ધરુ ઉછેરી થકી આવક લાખેણી 
    • ધોળકાના ઈશ્વરભાઈ કોળી પટેલ: વર્ષે ૪૦-૫૦ લાખ ધરુનો ઉછેર અને ખેતીની સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ 
    • બાગાયત ખાતા દ્વારા તાલીમ અપાવવા ઉપરાંત આશરે પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી આપીને ઈશ્વરભાઈને સહાયતા પૂરી પાડવામાં આવી છે

    અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં વધુ એક સફળ ખેડૂત શ્રી ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના વ્યવસાય થકી માત્ર પોતાની આર્થિક ઉન્નતિ જ નથી સાધી, પરંતુ દૂર-સુદૂરના ખેડૂતો સુધી ગુણવત્તાયુક્ત રોપા પહોંચાડીને કૃષિ વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓ ધોળકામાં જમીન ભાડે રાખીને મરચી, ટમેટા, રીંગણ જેવા શાકભાજી તેમજ હજારી (ગલગોટા) ફૂલોના રોપા ઉછેરવાનો મોટા પાયે વ્યવસાય કરી રહ્યા છે.

    Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

    ઈશ્વરભાઈની સફળતા પાછળ તેમની દીર્ઘદૃષ્ટિ અને નવીન અભિગમ રહેલો છે. તેમણે અનુભવ્યું કે ધરુને એક સ્થળેથી બીજે સ્થળે, ખાસ કરીને દૂરના અંતરે, સુરક્ષિત રીતે પહોંચાડવા એ એક મોટો પડકાર છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે ખાસ પ્રકારના સ્ટ્રે (ટ્રે) અને મજબૂત પ્લાસ્ટિકના કેરેટ બનાવડાવ્યા છે. આ વ્યવસ્થાને કારણે રોપાઓ તૂટ્યા વિના કે નુકસાન પામ્યા વગર લાંબા અંતર સુધી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.

    Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

    તેમની આ સુવિધા અને રોપાની ગુણવત્તાને કારણે આજે ઈશ્વરભાઈના ધરુ માત્ર ધોળકા પૂરતા સીમિત ન રહેતાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. તેઓ વાર્ષિક ધોરણે આશરે ૪૦થી ૫૦ લાખ જેટલા રોપા ઉછેરીને ખેડૂતોને પૂરા પાડે છે. આ રોપાઓના વેચાણ થકી તેઓ વર્ષે અંદાજે ૬૦થી ૭૦ લાખ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરે છે, જે તેમની મહેનત અને કુશળતાનું પ્રમાણ છે.

    Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

    ઈશ્વરભાઈની આ સફળ યાત્રામાં બાગાયત ખાતાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમને બાગાયત ખાતા દ્વારા આશરે પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા વધરાળ ખાતે આયોજિત વિશેષ તાલીમમાં ભાગ લઈને તેમણે ધરુ ઉછેરની આધુનિક પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ અને વ્યવસાય વ્યવસ્થાપન અંગેનું જ્ઞાન મેળવ્યું. આ તાલીમ અને સરકારી સહાય થકી જ તેઓ પોતાના વ્યવસાયને આટલા મોટા પાયે વિકસાવી શક્યા છે.

    Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

    ટામેટા, મરચી, રીંગણ જેવા શાકભાજીના બીજ વાવવાને બદલે સીધા જ તેના નાના છોડને રોપીને પણ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. બીજ દ્વારા શાકભાજી ઉગાડવામાં ઘણીવાર ૪૦% જેટલા બીજનું જર્મીનેશન થતું નથી. એટલે કે બીજમાંથી છોડ ઉગતા નથી. તેથી નર્સરીમાં ઉગાડેલા છોડને લાવી ખેતરમાં રોપવામાં આવે છે અને મબલખ પાક મેળવવામાં આવે છે. શાકભાજીના આ પ્રકારના વાવેતર માટે ધરુ (નાના છોડ) ઉગાડતી નર્સરીની જરૂર પડે છે.

    આ સમાચાર પણ વાંચો:  Natural farming : પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત્ત થકી પાકનું જતન અને વાવેતર, બીજામૃત્ત બીજને જમીનમાં રહેલા ફૂગ તેમજ અન્ય જમીનજન્ય રોગ જીવાત સામે આપે છે રક્ષણ

    ઈશ્વરભાઈ માટીને બદલે કોકોપીટ અને વર્મિક્યુલાઈટમાં શાકભાજીના બીજ વાવી, માટીજન્યરોગથી મુક્ત એવા છોડ ઉછેર્યા છે, જેથી ખેડૂતો તેમના ખેતરમાં આ છોડ વાવી શાકભાજીનો મબલખ પાક લઇ રહ્યા છે. અને અરવિંદભાઇને પણ માતબર આવક થઇ રહી છે. કોકોપીટ સૂકા નારિયેળના છોતરામાંથી બને છે. વર્મિક્યુલાઈટ જમીનમાંથી જ મળતું ખનીજ છે.

    Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

    ઈશ્વરભાઈ કોળી પટેલની કહાણી દર્શાવે છે કે ખેતીમાં યોગ્ય આયોજન, નવીનતા અને સરકારી યોજનાઓનો સુભગ સમન્વય કરીને નોંધપાત્ર સફળતા મેળવી શકાય છે. તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

    Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Viksit krishi sankalp abhiyan: ગુજરાતમાં આજથી રાષ્ટ્રવ્યાપી “વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ,  કૃષિ અધિકારીશ્રીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે

    Viksit krishi sankalp abhiyan: ગુજરાતમાં આજથી રાષ્ટ્રવ્યાપી “વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ, કૃષિ અધિકારીશ્રીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે

    News Continuous Bureau | Mumbai 

    Viksit krishi sankalp abhiyan:  કૃષિ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ અધિકારીશ્રીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે. ગુજરાતમાં યાત્રા કરીને આ ટીમો આગામી ૧૫ દિવસમાં રાજ્યના ૨,૯૫૧ ગામના ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી અભિયાનનો શુભારંભ કરાવ્યો
     
    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ટકાઉ અને કાર્યક્ષમ બનાવવાના શુભ આશય સાથે સમગ્ર દેશમાં આજથી આગામી ૧૫ દિવસ સુધી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી આજે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે, જે આગામી તા. ૧૨ જૂન સુધી યોજાશે. કેન્દ્ર સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના સીધા માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા સમગ્ર દેશમાં “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

    વધુ વિગતો આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને લાખો ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.

    વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ગુજરાતના તમામ ૩૩ જિલ્લાના આશરે ૨૩૫ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો, અધિકારીઓ અને સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોની ભાગીદારીથી રાજ્યમાં કુલ ૫૫ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમો આજથી આગામી ૧૫ દિવસ સુધી નિર્ધારિત રૂટ પર યાત્રા કરીને ૨,૯૫૧ જેટલા ગામોના આશરે ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે અને તેમને કૃષિ વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

    આ સમાચાર પણ વાંચો :  TB Mukt Bharat Abhiyan :“ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ ગુજરાતની નોંધપાત્ર કામગીરી, ટી.બી.દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો

    વિગતવાર માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૯ જિલ્લામાં ૧૩ ટીમો દ્વારા ૭૯૩ ગામના એક લાખથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે. તેવી જ રીતે, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૭ જિલ્લામાં ૧૦ ટીમો દ્વારા ૪૬૫ ગામના ૭૮ હજારથી વધુ ખેડૂતોને, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૧૦ જિલ્લામાં ૨૦ ટીમો દ્વારા ૯૩૩ ગામના ૧.૨૦ લાખથી વધુ ખેડૂતોને તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૭ જિલ્લામાં ૧૨ ટીમો દ્વારા ૭૬૦ ગામના ૭૦ હજારથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટના ખેરડી ગામ ખાતેથી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે, રાજ્યભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પ્રભારી મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા અને તાલુકાના સ્થાનિક પદાધિકારીશ્રી તેમજ વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના સફળ આયોજન માટે અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે પણ ૪ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.