Tag: Wheat Production

  • Wheat : ઘઉંના બજાર ભાવ પર નજર રાખી રહી છે કેન્દ્ર સરકાર, આરએમએસ 2024માં 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન નોંધાવ્યું છે.

    Wheat : ઘઉંના બજાર ભાવ પર નજર રાખી રહી છે કેન્દ્ર સરકાર, આરએમએસ 2024માં 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન નોંધાવ્યું છે.

    News Continuous Bureau | Mumbai

    Wheat : ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ( Ministry of Food and Public Distribution ) હેઠળનો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉંના બજાર ભાવ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત, અપ્રમાણિક તત્વો દ્વારા કોઈ સંગ્રહખોરી ન થાય અને ભાવ સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી મુજબ યોગ્ય હસ્તક્ષેપ હાથ ધરવામાં આવશે. 

    આરએમએસ 2024 ( RMS 2024 ) દરમિયાન, વિભાગે 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન ( Wheat production ) નોંધાવ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( FCI ) એ આરએમએસ 2024 દરમિયાન 11.06.2024 સુધીમાં આશરે 266 એલએમટી ઘઉંની ખરીદી કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા ( PDS ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ કે જે અંદાજે 184 એલએમટી છે, તેની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી, જ્યારે પણ જરૂર પડશે ત્યારે બજારમાં હસ્તક્ષેપ હાથ ધરવા માટે ઘઉંનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થશે.

    આ સમાચાર  પણ વાંચો:  Milind Deora: મિલિંદ દેવરાએ નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને પત્ર લખીને મુંબઈ એરપોર્ટ પર થયેલ દુર્ઘટનાની તપાસ માટે કરી વિનંતી..

    બફર સ્ટોકિંગના ( buffer stocking ) ધોરણો વર્ષના દરેક ત્રિમાસિક ગાળા માટે બદલાય છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ, ઘઉંનો જથ્થો 138 એલએમટીના નિર્ધારિત બફર ધોરણની સામે 163.53 એલએમટી હતો. ઘઉંનો સ્ટોક કોઈ પણ સમયે ત્રિમાસિક બફર સ્ટોકના ધોરણોથી નીચે ગયો નથી. આ ઉપરાંત હાલ ઘઉંની આયાત પર ડયૂટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની કોઇ દરખાસ્ત નથી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Wheat Import: ભારત 6-વર્ષના લાંબા અંતરાલ પછી હવે ઘઉંની આયાતને મંજૂરી આપવાનું નક્કી કરી શકે છે.. જાણો શું છે કારણ…

    Wheat Import: ભારત 6-વર્ષના લાંબા અંતરાલ પછી હવે ઘઉંની આયાતને મંજૂરી આપવાનું નક્કી કરી શકે છે.. જાણો શું છે કારણ…

    News Continuous Bureau | Mumbai 

    Wheat Import: દેશમાં આ વર્ષે ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં ભારત સરકાર ( Central Government ) ઘઉંની આયાત કેમ કરવા જઈ રહી છે ? રોઇટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ત્રણ વર્ષના નિરાશાજનક પાક પછી ઘટી રહેલા સ્ટોકને ફરીથી ભરવા અને વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ભારત છ વર્ષના અંતરાલ પછી ઘઉંની આયાત કરવાનું શરૂ કરવા માટે તૈયાર છે. રોઇટર્સ અનુસાર, ભારત સરકાર આ વર્ષે ઘઉંની આયાત પર 40% ટેક્સ પણ નાબૂદ કરી શકે છે. આનાથી ખાનગી વેપારીઓ અને ફ્લોર મિલોને ટોચના નિકાસકાર રશિયા જેવા ઉત્પાદકો પાસેથી ઘઉં ખરીદવાનો માર્ગ સાફ કરશે. રેકોર્ડ ઉત્પાદન હોવા છતાં ઘઉંની આયાત કરવાની જરૂર પડી કારણ કે ઘઉંનો બફર સ્ટોક ઘટ્યો છે. 

    એપ્રિલમાં રાજ્યના વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક ( wheat stock ) ઘટીને 7.5 મિલિયન મેટ્રિક ટન થયો હતો. જે 16 વર્ષમાં સૌથી ઓછો છે. કારણ કે ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે લોટ મિલો અને બિસ્કિટ ઉત્પાદકોને રેકોર્ડ 10 મિલિયન ટનથી વધુ ઘઉં વેચવાની ફરજ પડી હતી. રોઇટર્સના જણાવ્યા અનુસાર, સરકારી અધિકારીએ કહ્યું કે આયાત જકાત દૂર કરવાથી અમને એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે અમારો પોતાનો અનામત 10 મિલિયન ટનના મનોવૈજ્ઞાનિક બેન્ચમાર્કથી નીચે ન આવે. રાજ્યના ઘઉંના ( Wheat  ) જથ્થાને ફરી ભરવા માટે સરકાર હાલ સંઘર્ષ કરી રહી છે. એપ્રિલમાં લણણી શરૂ થઈ ત્યારથી, સરકાર 30 મિલિયનથી 32 મિલિયનના લક્ષ્યાંક સામે માત્ર 26.2 મિલિયન મેટ્રિક ટન ઘઉંની જ ખરીદી કરી શકી છે.

     Wheat Import: જો સરકાર 40 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી હટાવે તો તેઓ તરત જ ઘઉંની આયાત કરવાનું શરૂ કરી દેશે…

    વેપારીઓએ ( Wheat Traders ) આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, જો સરકાર 40 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી હટાવે તો તેઓ તરત જ ઘઉંની આયાત કરવાનું શરૂ કરી દેશે. એવું કહેવામાં આવ્યું હતું કે આશરે 30 થી 50 લાખ ટનની આયાત પૂરતી હોવી જોઈએ. રશિયા આ ઘઉંના જથ્થા માટે સૌથી વાજબી વેચાણકર્તા હોવાનું જણાય છે. ઘઉંની આયાત વહેલી શરૂ થવાથી આગામી ઓક્ટોબરમાં તહેવારોની મોસમ દરમિયાન મોટી માંગને પહોંચી વળવામાં અને કિંમતોને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. 

    આ સમાચાર પણ વાંચો:  China on Exit Polls: લોકસભાના પરિણામ પર ચીનની પણ નજર! શી જિનપિંગના મુખપત્રમાં લખ્યું- જો પીએમ મોદી ફરી જીતે છે તો…

    ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ સાથે નવી દિલ્હી સ્થિત ડીલરે જણાવ્યું હતું કે રાજ્યની ખરીદી 27 મિલિયન મેટ્રિક ટનથી વધુ થવાની શક્યતા નથી, રોઇટર્સ અનુસાર. વિશ્વના સૌથી મોટા અન્ન કલ્યાણ કાર્યક્રમ હેઠળ લગભગ 80 કરોડ લોકોને 5 કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારને લગભગ 18.5 મિલિયન મેટ્રિક ટન ઘઉંની જરૂર છે.

    દરમિયાન, સતત પાંચ વર્ષ સુધી લણણી પછી તાપમાનમાં તીવ્ર વધારો થવાથી 2022 અને 2023માં ભારતના ઘઉંના પાકના ઉત્પાદનમાં ( Wheat production ) ઘટાડો થયો છે. આ કારણે ભારતે ઘઉંની નિકાસ ( Wheat export ) પર પ્રતિબંધ પણ મૂકવો પડ્યો છે. આ વર્ષે પાક પણ 112 મિલિયન ટનના સરકારી અંદાજ કરતાં 6 ટકા ઓછો રહેવાની ધારણા છે. ઘઉંની સ્થાનિક કિંમતો સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ ખરીદ કિંમત એટલે કે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,275ની MSP કરતા વધારે છે અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં તે ઝડપથી વધવા લાગી છે. 

  • Wheat Production in India: ભારતમાં હાલ ઘઉંની ખેતીની રીત બદલાઈ, હરિયાળી ક્રાંતિ પછી ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં થયો 1000 ટકાનો વધારો..

    Wheat Production in India: ભારતમાં હાલ ઘઉંની ખેતીની રીત બદલાઈ, હરિયાળી ક્રાંતિ પછી ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં થયો 1000 ટકાનો વધારો..

    News Continuous Bureau | Mumbai 

    Wheat Production in India: એક સમયે વિદેશથી આયાત કરાયેલ અનાજ પર નિર્ભર ભારત હાલ ઘઉંના ઉત્પાદનમાં રેકોર્ડ બનાવ્યો છે. સતત પાંચમી વખત ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1000 લાખ ટનને વટાવી ગયું છે. તે પણ એવા સમયે સમગ્ર વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન અટકી પડ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, નરસિમ્હા રાવ સરકાર દરમિયાન ઘઉંનું ( Wheat  ) ઉત્પાદન સરેરાશ 550 લાખ ટન હતું, જે અટલ સરકાર દરમિયાન વધીને 650 લાખ ટન થઈ ગયું હતું. તો મનમોહન સિંહની સરકાર દરમિયાન ઘઉંનું સરેરાશ ઉત્પાદન 800 લાખ ટન હતું. જો કે, મોદી સરકારના સમયમાં તે વધીને સરેરાશ 1000 લાખ ટન થઈ ગયું છે, આઝાદી પહેલા ભારતમાં ઘઉંના ઉત્પાદનને લઈને કોઈ નીતિ નહોતી. આઝાદી પછી ભારત અમેરિકા પાસેથી ઘઉં મેળવતું હતું. 1954માં અમેરિકન રાષ્ટ્રપતિએ ઘઉંના વિતરણની નીતિ બનાવી હતી. તેને એગ્રીકલ્ચરલ ટ્રેડ એન્ડ આસિસ્ટન્સ એક્ટ નામ આપવામાં આવ્યું હતું.

     Wheat Production in India: હરિયાળી ક્રાંતિએ ભારતમાં કૃષિની જૂની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી હતી..

    દરમિયાન, હરિયાળી ક્રાંતિએ ( Green Revolution ) ભારતમાં કૃષિની જૂની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખી હતી. જેમાં હવે ખેડૂતો પાક તૈયાર કરવા માટે જંતુનાશકો અને સાધનોનો ઉપયોગ કરવા લાગ્યા. ભારતના મોટાભાગના ભાગોમાં હવે ઘઉંની કાપણી ( wheat harvest ) માટે મશીનોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, સરકાર દ્વારા ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા અને સબસિડી પર ઘઉં આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ બધાનું પરિણામ એ આવ્યું કે ઘઉંનું ઉત્પાદન 1000 ગણું વધ્યું હતું. જેમાં ભારતમાં છેલ્લા 5 વર્ષથી ઘઉંનું ઉત્પાદન 1000 લાખ ટનથી વધુ કરવા માંડ્યુ હતું.

    આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Elections: લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 889 ઉમેદવારો ચૂંટણી લડશે

    ભારત હાલ 74 દેશોમાં ઘઉંની નિકાસ કરે છે – એક સમયે ભારત અમેરિકાથી ઘઉં લેતું હતું, પરંતુ હવે ભારત વિશ્વના 74 દેશોમાં ઘઉંની નિકાસ ( Wheat export ) કરે છે. ભારત જે દેશોમાં ઘઉંનો સપ્લાય ( Wheat supply ) કરે છે તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, યમન અને UAE નો સમાવેશ થાય છે.

     Wheat Production in India: ભારત વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ બની ગયો છે…

    વિશ્વ આંકડાકીય માહિતી અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. અહીં કુલ ઘઉંનું 14.4 ટકા ઉત્પાદન થાય છે. ઘઉંના ઉત્પાદનમાં ભારતે હવે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.

    જો કે છેલ્લા 60 વર્ષમાં ઘઉંના ઉત્પાદને રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ આવનારા કેટલાક વર્ષો તેના માટે સારા રહેશે નહીં. જેમાં હવે હવામાન પરિવર્તનના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટવાની આગાહી કરવામાં આવી છે.