• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - World Environment Day
Tag:

World Environment Day

World Environment Day As part of the celebration of World Environment Day, 12 different beaches were cleaned in the state.
રાજ્ય

World Environment Day : વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા

by kalpana Verat June 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day : 

  • ગાંધીનગર અને અમદાવાદની ૧૦ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ થાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું
  • વિવિધ શહેરોમાં ૩૭ જેટલા નુક્ક્ડ નાટકમાં ૪,૧૪૯ નાગરીકોએ ભાગ લીધો
  •  ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ માટે GEMI દ્વારા તા. ૨૨ મે થી ૫ જૂન સુધી ‘#BeatPlasticPollution’ થીમ હેઠળ રાજ્યવ્યાપી અભિયાન યોજાયું

 
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI દ્વારા #BeatPlasticPollution” થીમ હેઠળ તા. ૨૨ મે થી તા. ૫ જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ ૧૨ જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ સાથે મળીને ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો.

World Environment Day As part of the celebration of World Environment Day, 12 different beaches were cleaned in the state.

 

પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

World Environment Day As part of the celebration of World Environment Day, 12 different beaches were cleaned in the state.

World Environment Day : દરિયાકિનારાની સફાઈ

ગેમી દ્વારા ગુજરાતના ૧૨ બીચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીર વગેરેનો સમાવેશ થાય છે. આ અભિયાનમાં GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોના સહયોગથી ૧,૬૪૦ થી વધુ સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ મળીને ૧૮,૩૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને તેનો સુરક્ષિત નિકાલ કર્યો હતો.

World Environment Day As part of the celebration of World Environment Day, 12 different beaches were cleaned in the state.

 

World Environment Day : નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિ

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અરવલ્લી, રાજકોટ, ભરૂચ, કચ્છ, દાહોદ, જૂનાગઢ અને ડાંગ સહિત ૧૫ જિલ્લાઓના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૭ નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકો દ્વારા ૪,૧૪૯ થી વધુ નાગરીકોને પ્લાસ્ટિક-મુક્ત અને ટકાઉ જીવનશૈલી વિશે સમજણ આપવામાં આવી હતી.

World Environment Day : પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અને ‘ગ્રીન રિવોર્ડ્સ’

ગાંધીનગર અને અમદાવાદની ૧૦ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અભિયાન યોજાયું હતું, જેમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. નાગરીકોને માટીના કુંડામાં છોડ અને ખાતરનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા અંગે ચિત્ર સ્પર્ધા, વર્કશોપ, પોસ્ટર, રીલ અને અપસાયક્લિંગ માટે ઈ-કોન્ટેસ્ટ જેવી વિવિધ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરીકો સહભાગી થયા હતા.

World Environment Day: As part of the celebration of World Environment Day, 12 different beaches were cleaned in the state.

આ સમાચાર પણ વાંચો :  World Environment Day : જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મુકાઈ 12 ફૂટ જેટલી ઊંચી પાણીની બોટલ જેવી કળાકૃતિઓ

World Environment Day : પ્લાસ્ટિક-મુક્ત ભવિષ્યનું નિર્માણ

ગેમીના આ સામૂહિક પ્રયાસોએ ગુજરાતના હજારો નાગરિકોને પર્યાવરણ સુરક્ષા માટે એકત્રિત કર્યા. આ અભિયાનથી નોંધપાત્ર પ્રમાણમાં કચરાનું રિસાયકલિંગ અને પર્યાવરણીય રીતે સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day: 12-foot tall water bottle-like artworks installed in several areas of Ahmedabad
અમદાવાદ

World Environment Day : જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મુકાઈ 12 ફૂટ જેટલી ઊંચી પાણીની બોટલ જેવી કળાકૃતિઓ

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day : પ્લાસ્ટિક પ્રદૂષણ હવે આપણા ભોજન અને પાણીમાં પણ પ્રવેશી રહ્યું છે, ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, આ સમસ્યા સામે જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં 12 ફૂટ જેટલી ઊંચી પાણીની બોટલ જેવો આકાર ધરાવતી અનોખી કૃતિની રચના કરવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિક કચરો ભરેલો છે. આ કૃતિનો મુખ્ય હેતુ છે – લોકોને એ વાત સમજાવવાનો કે “તમે જે ફેંકો છો, તે તમે ફરીથી પીવો છો.” તો ચાલો, જાણીએ આ અનોખી પહેલ વિશે…

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, કોમર્સ ક્રોસ રોડ, ગુજરાત યુનિવર્સિટી અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં 9થી 12 ફૂટ ઊંચી પાણીની બોટલના આકારની  કળાકૃતિઓ સ્થાપિત કરાઈ છે. આ કળાકૃતિઓની ખાસ વાત એ છે કે તેની અંદર યુઝ્ડ પ્લાસ્ટિકનો કચરો ભરવામાં આવ્યો છે. જે એવો સંદેશ આપે છે કે આપણા દ્વારા ફેંકાયેલું પ્લાસ્ટિક ફરીથી કેવી રીતે માઇક્રોપ્લાસ્ટિક્સના રૂપમાં માનવ ખાદ્ય શૃંખલામાં પાછું આવે છે.

આ સમાચાર પણ વાંચો :World Environment Day : સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી

 આ કળાકૃતિનું નિર્માણ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ખાનગી  એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક ઠેર ઠેર ફેલાઈ ગયું છે. ખેતરો, પાણીના સ્ત્રોત જેવા અનેક માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશે છે. 

અમદાવાદના નાગરિકોએ પણ આ અભિયાનને દિલથી આવકાર્યું છે.  આ કળાકૃતિઓનો હેતુ અર્થપૂર્ણ સંવાદની શરૂઆતનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day PM Modi marks Environment Day; plants Sindoor at residence
દેશ

World Environment Day : પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.

ગુજરાતની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંદૂરનો છોડ આપણા દેશની નારી શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે.

એક X પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું;

 

1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश… pic.twitter.com/GsHCCNBUVp

— Narendra Modi (@narendramodi) June 5, 2025

“1971ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યું છે. આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day PM Modi Flags Off 200 Electric Buses In Delhi, Launches Aravalli Reforestation Project On World Environment Day
દેશ

World Environment Day : સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

World Environment Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પહેલ સ્વચ્છ અને હરિયાળી દિલ્હીના નિર્માણમાં ફાળો આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું દિલ્હીના લોકો માટે ‘જીવનની સરળતા’માં પણ સુધારો કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

Building a clean and green Delhi!

Flagged off Electric Buses under an initiative of the Delhi Government aimed at boosting sustainable development and clean urban mobility. Additionally, this will also improve ‘Ease of Living’ for the people of Delhi. pic.twitter.com/q7mOdaVjAG

— Narendra Modi (@narendramodi) June 5, 2025

“સ્વચ્છ અને હરિયાળી દિલ્હીનું નિર્માણ!

સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી. વધુમાં, આ દિલ્હીના લોકો માટે ‘જીવનની સરળતા’માં પણ સુધારો કરશે.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarati Sahitya On the occasion of World Environment Day..... The city is poisoned by drinking poison, the river is polluted every day...
Gujarati Sahitya

Gujarati Sahitya : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે….. ઝેર પીને શહેરનું, નદી રોજ શંકર થાય છે…

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya :

પ્રકૃતિથી મોટો કોઈ દાતા નથી. પ્રકૃતિની સેવા અને સુરક્ષા કરનારને જ કુદરતી તત્ત્વોના સેવનનો, તેના ઉપભોગનો અધિકાર છે.

સાંઈ કવિ મકરંદ દવે કહે છે : 

વૃક્ષ સિંચયામી, સૂર્ય સેવયામી, 

સત્યં પાલયામિ…

ઝાડને જળ સિંચીને ઉછેરું છું, સૂર્યપ્રકાશને સેવું છું અને સત્યનું પાલન કરું છું.

ગુણવંત શાહે લખ્યુંઃ

વૃક્ષ શરણં ગચ્છામિ, સૂર્યમ્ શરણં ગચ્છામિ,

સત્યં શરણં ગચ્છામિ…

વૃક્ષને મૂળસોતાં ઉખેડી ફેંકનારને તેનાં ફળ-ફૂલ-છાલ કે છાયાનો અધિકાર નથી, જે ઝાડ પર બેઠા છીએ તેને કુહાડી મારવાની મૂર્ખામી માનવજાત કરી રહી છે. પ્રકૃતિને તરછોડીને, તેની સાથે ડિવોર્સ લઈને, ખરેખર તો આપણે માનવતાનો અપરાધ કરી રહ્યા છીએ. કુદરતનો દ્રોહ કરીએ ત્યારે આપણી માણસાઈનાં મૂળિયાં હચમચી ઊઠે છે, તેના આંચકા સમગ્ર સૃષ્ટિચક્રને અવળસવળ કરી મૂકે છે.

ઉમાશંકર જોશીએ એટલે જ ગાયું હતુંઃ

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી 

પશુ છે, પંખી છે. ફૂલો, વનોની છે વનસ્પતિ… 

કુદરત પર કુઠારાઘાત કરીને માણસ પોતાની સુખ- સુવિધાઓ વધારતો જાય છે, પણ ખરેખર તો સંસ્કૃતિની હત્યા કરતો જાય છે…

જનાબ શોભિત દેસાઈની વ્યથાનાં વીતક સરવા કાને સાંભળોઃ 

સગવડભરી બની ગઈ સિમેન્ટની સડક 

પણ વધ થયો છે સામટો રે ! ગુલમ્હોરનો… 

એના સહારે કંઈક પ્રદૂષણ કર્યા પસાર 

બચપણમાં સાંભળ્યો હતો ટહુકો જે મોરનો….

માણસે લોકમાતા ગણાતી નદીઓના ઘાટને ઉકરડા બનાવી દીધા, જીવન ગણાતા જળને ઝેરીલું બનાવ્યું.

નિમેશ પરમારે અહીં કટાક્ષનો કોરડો વીંઝ્યો છેઃ 

ઝેર અઢળક પીને આખા શહેરનું 

આ નદી તો રોજ શંકર થાય છે…

ગણતરીબાજ અને કાવતરાંબાજ, નગુણી અને નઠોર માણસજાતને કુદરતની અપાર ઉદારતા અને દરિયાદિલીની ક્યાં ખબર છે? એટલે જ સંવેદનશીલ કવિની આ હૃદયદ્રાવક ચીસ સાંભળીએ.

કરે ક્યાં હિસાબ એવો એ દરિયો ? 

કે મીઠું કેટલું લઈ ગયો અગરિયો….

પ્રકાશ મારો કોણ કેટલો માણે છે? 

એવા કેલક્યુલેશનને સૂર્ય ક્યાં જાણે છે? 

મહેક મારી ક્યાં કેટલી ફેલાય છે ? 

પુષ્પ ક્યાં ફૂટપટ્ટી લઈ માપવા જાય છે?

 પ્રકૃતિના યંત્રમાં તો વહાલા, 

ફક્ત સરવાળા ને ગુણાકાર જ થાય છે, 

એક માનવના કેલક્યુલેટરમાં જ 

બાદબાકી ને ભાગાકાર થાય છે !!!

કુદરતના ખોળે જળચર-સ્થળચર અને ખેચર-સમગ્ર સૃષ્ટિ પાંગરે છે. સહુ જીવોને પ્રેમના પારણિયે ઝુલાવતી આ પ્રકૃતિને વારંવાર વંદન કરીએ… તેનો લાજ-મલાજો જાળવીએ. પર્યાવરણની શુદ્ધિ અને સુરક્ષાચક્રને સાચવીએ. માણસ અને કુદરત વચ્ચેનો આ સ્નેહસંબંધ સર્જન જૂનો છે. તેમાં સમજણની સુગંધ ઉમેરીને જીવનરસથી સતત સિંચન કરતાં રહીએ.

છેલ્લે,

કવિ ચીમન પુરોહિતના ઉદબોધનમાં તેનું રહસ્ય પિછાણીએઃ 

તમે અમારે આંગણ ઊગ્યા સુરભિત સુંદર છોડ 

અમે તમારી ડાળે મ્હોર્યા પુલકિત કોમળ કોડ 

તમે ઘૂઘવતો દરિયો ભીતર, ભરચોમાસે લીલો 

અમે મોરનો ચોગમ વહેતો ભીનો કંઠ રસીલો 

તમે શિશુની આંખે ઝરતો સાવ અચંબો ભોળો 

અમે છલોછલ હૂંફ ભરેલો સ્નેહ તૃષાતુર ખોળો.

પ્રો. અશ્વિન મહેતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day The state's largest waste-to-energy plant generating electricity from waste
અમદાવાદ

World Environment Day : વેસ્ટ કચરામાંથી વીજળી બનાવતો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, આ પ્લાન્ટ વાર્ષિક અંદાજે ૬,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં કાર્બન ડાયોક્સાઈડને હવામાં ભળતો અટકાવશે

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની નેમ છે. આ ઘન કચરાના નિકાલની સમસ્યાને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દૈનિક ૧૦૦૦ મે.ટન કચરાને પ્રોસેસ કરી શકે તેવો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

World Environment Day : દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કેપેસિટીનાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા

દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કેપેસિટીનાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આર.ડી.એફ. બેઝડ ઇનસિનરેશન ટેકનૉલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને ઇનસિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ થાય છે. આ સ્ટીમ વડે ૧૫ MW (મેગાવોટ) પ્રતિ કલાકનાં કેપેસિટીનાં ટર્બાઇન મારફતે પ્રતિ કલાક લેખે ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટને કારણે દૈનિક ૩૬૦ મેગાવોટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ રહી છે.એટલું જ નહીં, ૧૫ મેગાવોટ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવાથી વાર્ષિક અંદાજે ૬,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં કાર્બન ડાયોક્સાઈડ (CO2)ને હવામાં ભળતો અટકાવવામાં આવી રહ્યો છે.

આ પ્લાન્ટ થકી દૈનિક ૧૦૦૦ મેટ્રીક ટન જેટલો ઘન કચરો ખુલ્લામાં નહિ રહેવાનાં કારણે વાર્ષિક ૧,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં મિથેન ગેસનું પણ હવામાં ભળવાનું રોકી શકાશે, જેને કારણે ગ્રીન હાઉસ ગેસ એમિશન ઓછું થશે. આ ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં સુઅરેજ વોટરનો ઉપયોગ કરવામાં આવતો હોઇ દૈનિક ૩૦ લાખ લીટર જેટલાં ચોખ્ખા પાણીનો ઉપયોગ પણ રોકી શકાશે. જ્યારે આવા ટ્રિટેડ પાણીનો ઉપયોગ કરવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક રૂ.૫૦ લાખની આવક પણ થશે. આમ,સદર પ્લાન્ટ સર્ક્યુલર ઈકોનોમીનો ખરા અર્થમાં ભાગ બનશે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

આમ, અમદાવાદ શહેર માટેનો આ પ્લાન્ટ લેટેસ્ટ ટેકનૉલોજી ધરાવતો અને સરકારના પ્રદૂષણ નિયંત્રણોના વિવિધ ધારા-ધોરણોની પુર્તતા કરતો હોય પર્યાવરણીય રીતે સુરક્ષિત છે. આ પ્લાન્ટ થકી હાલમાં એકત્ર કરવામાં આવતા કચરાને પ્રોસેસિંગ કરવું વધુ સરળ બન્યું છે.

World Environment Day : બોક્સ – પીરાણા ડમ્પસાઇટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન જેટલો લીગસી વેસ્ટ પ્રોસેસ કરાયો

પિરાણા ડમ્પસાઈટ બાયોમાઈનિંગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, આ ડમ્પસાઈટ પર ૩ સાઈટ જેમ કે અજમેરી ડમ્પ (નારોલ -સરખેજ હાઈવે તરફ), હાઈડમ્પ (એક્સેલ પ્રોસેસિંગ પ્લાન્ટની બાજુ પરનો ડમ્પ), એક્સેલ ડમ્પ (એક્સેલ પ્લાન્ટની પાછળ બાજુ પરનો ડમ્પ) પર મળીને અંદાજિત કુલ ૧૨૫ લાખ મેટ્રિક ટનથી વધુ ઘન કચરાનું પ્રમાણ હતું. આ ડમ્પ સાઇટની કુલ ૮૪ એકર જમીન ઉપર કચરાનાં આ મોટાં ઢગલાઓ વર્ષો અગાઉથી થવા પામેલ હતા. પિરાણા ખાતે આવેલા પ્રથમ બંને ઢગલાઓ ડિસેમ્બર ૨૦૨૩માં સંપૂર્ણ ખાલી કરી આશરે ૪૫ એકર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત પીરાણા ડમ્પ સાઇટની બાયોમાઇનિંગની કામગીરી અંતર્ગત અત્યારસુધીમાં અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન જેટલો લીગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years
સુરત

World Environment Day :દેશનું પ્લાસ્ટિક રિસાઇક્લિંગ મોડેલ એટલે સુરત, આઠ વર્ષમાં મહાનગરપાલિકાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને પુન:ઉપયોગ કર્યો

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day :

  • દિન વિશેષ: ‘૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ’
  • જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ
  • 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝ
  • સુરતના ૨૯ સ્થળોએ અંદાજિત ૨૨૫થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ૩૮ કિલોમીટરના રોડ બનાવાયા
  • સામાન્ય રીતે પ્લાસ્ટિકના વિઘટન માટે ૪૦૦થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગે છે
  • પ્લાસ્ટિકમુક્ત રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણની નેમ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત્ત થઈએ

‘દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય, દરેક ઘર આગળ એક વૃક્ષ હોય, દરેક બાળક કાપડની થેલીમાં ઈકોફ્રેન્ડલી લંચબોક્સ અને પાણીની બોટલ રાખતો હોય, હવા શુદ્ધ હોય, પ્રાણી-પક્ષીઓ, જંગલો, નદીઓ, પહાડો પ્રકૃતિના આનંદથી મહેંકતા હોય’ આવી કલ્પના ત્યારે જ વાસ્તવિકતા બને જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણો સ્વભાવ, જીવનધારા, સંસ્કૃતિ અને ઉત્સવ બને. લોકો જાહેરમાં કચરો ન નાખે, પણ રિસાયકલ પોઇન્ટ પર મૂકે. પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ, કાપડની થેલી અને ઈકોફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ની થીમ હેઠળ કરવામાં આવી રહી છે. વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત શહેર બની રહ્યું છે. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે. 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝના સિધ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

પ્લાસ્ટિક એ ઘરની ચીજવસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે. પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં ૪૦૦થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગે છે. જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ૨૨૫થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલિંગ અને રિયુઝ કરી અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતની ૨૯ સ્થળોએ કુલ ૩૮ કિલોમીટરના રોડ બનાવાયા છે. છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

સુરત મનપાના ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુન: ઉપયોગ કરી રહી છે. જેમાં મનપા PPP ધોરણે જૂલાઈ ૨૦૧૭થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે. મનપા સંચાલિત કુલ આઠ રિફ્યુસ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ ૨૦૦ ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે EPR હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત દોઢ લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

વધુમાં શ્રી મોદીએ કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ મટીરિયલ હોવાથી હજ્જારો વર્ષ સુધી જેનો નાશ કરી શકાતો નથી, જેનાથી પર્યાવરણ, વાયુ, જળ અને જમીન ખૂબ જ પ્રદૂષિત થાય છે. ભટાર ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી દરરોજ ૨૦૦ ટન પ્લાસ્ટિક પ્રોસેસ કરીને પેલેટ્સ (પ્લાસ્ટિકના દાણા) બનાવવામાં આવે છે. જેનો બેન્ચ, ટાઈલ્સ, બ્રિક્સ, ખુરશી તેમજ પ્લાસ્ટિકના રોડ બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

વધુમાં તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ હોવાથી હજ્જારો વર્ષ સુધી નષ્ટ થતું નથી, એટલે પ્લાસ્ટિકના રોડ બનાવી પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો કરીએ છીએ. નાગરિકો દ્વારા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી કેમિકલ્સયુક્ત ધુમાડો ઉત્પન્ન થાય છે. જેનાથી વાયુ- જમીન-જળ પ્રદૂષણ ફેલાય છે. આમ, ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘પ્લાસ્ટિકમુક્ત અભિયાન’માં સહભાગી થઈ સુરત અને ગુજરાતને પ્લાસ્ટિકમુક્ત બનાવવા સહભાગી થઈએ.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

આ સમાચાર પણ વાંચો : Western Railway : અમદાવાદ મંડળે એપ્રિલ અને મે 2025 માં વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાનો થી પ્રાપ્ત કર્યો રૂ. 6.34 કરોડનો દંડ

World Environment Day : પ્લાસ્ટિક રિસાયકલ શું છે?

પ્લાસ્ટિક રિસાયકલ એ એવી પ્રક્રિયા છે જેમાં વપરાયેલા અથવા ફેંકી દીધેલા પ્લાસ્ટિકને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે છે. રિસાયકલ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ નવા ઉત્પાદનો બનાવવા માટે થાય છે, જેમ કે, પ્લાસ્ટિક બોટલ, પાઈપ, ફર્નિચર, રોડ.

World Environment Day : 5R સિદ્ધાંત પર આધારિત વ્યવસ્થાપન

સુરત શહેરે વેસ્ટ મેનેજમેન્ટ માટે વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલ 5R સિદ્ધાંત – Refuse (નકારવું), Reduce (ઘટાડવું), Reuse (ફરી વાપરવું), Repair (રિપેર) અને Recycle (પુનઃપ્રક્રિયા કરવી)ને અમલમાં મૂક્યો છે. આ સિદ્ધાંત પ્રમાણે શહેરમાં માત્ર પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવામાં આવ્યો નથી, પણ જે પ્લાસ્ટિક ઉપયોગમાં લેવાય છે, તેનું યોગ્ય રિસાયક્લિંગ કરી ફરી ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

 

World Environment Day : પ્લાસ્ટિક કેમ નાશ પામતું નથી?

પ્લાસ્ટિક માનવ નિર્મિત પદાર્થ છે, જે પેટ્રોલિયમ આધારિત રાસાયણિક પદાર્થોથી બનેલું હોય છે. તેમાં બહુ મજબૂત અણુબંધ (chemical bonds) હોય છે, જે કુદરતી રીતે સરળતાથી વિઘટિત થતા નથી. સામાન્ય રીતે પ્લાસ્ટિકના વિઘટન માટે ૪૦૦ થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

(ખાસ લેખ: મહેશ કથીરિયા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day Plastic Collection Drive Marks World Environment Day in Gujarat
રાજ્ય

World Environment Day : ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતની વિશેષ પહેલ, ૫.૭૦ લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો

by kalpana Verat May 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 World Environment Day :  

રાજ્યભરમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ
 
 અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ થી વધુ કાર્યક્રમોમાં સહભાગી થયા
 “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે તા. ૨૨ થી ૫ જૂન ૨૦૨૫ સુધી અભિયાન યોજાશે
 અભિયાનને સફળ બનાવવા વન વિભાગ, GPCB, GEMI સહિત વિવિધ સંસ્થાઓ સહભાગી
 
“વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫.૭૦ લાખ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ૨૦૨૫ની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં તા. ૨૨મે થી ૫ જૂન ૨૦૨૫ સુધી કરવાનું નક્કી કરાયું છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૬૬,૧૫૦ થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણ, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, રેલીઓનું આયોજન, બજારોમાં ૭૦૦ થી વધુ કપાસની થેલીઓનું વિતરણ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર વગેરે જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના સંકલનમાં રહીને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન-GEMI સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન હાથ ધર્યુ છે. તમામ નગર પાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પોતપોતાના સ્તરે પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનમાં ભાગ લીધો છે જેના પરિણામે અત્યાર સુધીમાં સામૂહિક રીતે ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં સફળતા મળી છે.

વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  ITR Filing 2025: કરદાતાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR; લંબાવાઈ ડેડલાઈન..

 World Environment Day : GEMI દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ :

નદી સફાઈ ઝુંબેશ

મહિસાગર નદીના ગલતેશ્વર પટ ખાતે તા.૨૨ થી ૨૩ મે દરમિયાન ૫૫ સ્વયંસેવકોની ટીમે નદીના પટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૩૮૦ કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સરપંચ, તલાટી અને પ્રવાસન વિભાગનો સહયોગ મળ્યો હતો.

નુક્કડ નાટક દ્વારા જાગૃતિ

ગેમી દ્વારા તા.૨૩ થી ૨૬-મે-૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટકોનું મોડાસા, હિંમતનગરના કટવડ, વાઘેલાવાસ અને વિરપુર ગામોમાં તેમજ ભચાઉ તાલુકામાં ભચાઉ બસ સ્ટેન્ડ, વોંઢ ગામ અને સામખિયાળી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૭૦૦ નાગરિકો સહભાગી થયા હતા. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ ઝુંબેશ

ગાંધીનગરના વૈદહી-૩ સોસાયટી અને વાવોલ ખાતે ૧૨૦ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. ગેમી દ્વારા આ પર્યાવરણ પ્રેમી નાગરિકોને પ્રોત્સાહન રૂપે કુંડા સાથે છોડ, સેન્દ્રીય ખાતર તેમજ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day celebrated in the district, public awareness will be spread
રાજ્ય

World Environment Day :વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય આધારિત લોકજાગૃતિ અભિયાનનું આયોજન

by kalpana Verat May 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day  :

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આગામી તા. ૫ જૂન સુધી યોજાનાર આ અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો

પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી મુળુભાઈ બેરા

• ઇન્દ્રોડા પ્રકૃતિ અભિયાન-ગાંધીનગર ખાતે “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ

• બિનઉપયોગી પ્લાસ્ટિકને આ કેન્દ્ર ખાતે જમા કરાવનારને વળતરરૂપે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ચીજ-વસ્તુઓ અપાશે
 
વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા આગામી તા. ૫ જૂન સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે આજે તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી “પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ”નો પ્રારંભ કરાવ્યો હતો. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ઝુંબેશ દરમિયાન મંત્રીશ્રીએ ઇદ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે મંત્રીશ્રીના હસ્તે રીસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ઉપયોગી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મંત્રીશ્રીએ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતેથી જનજાગૃતિ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વન વિભાગ, ગીર ફાઉન્ડેશન, GPCB તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના બાળકોએ મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો સામાન્ય જનતા સુધી પહોંચાડ્યો હતો. આટલું જ નહિ, આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી સહિતના સૌ મહાનુભાવો અને નાગરિકોએ ‘મિશન લાઇફ’માં જોડાઈને રોજિંદા જીવનમાં પર્યાવરણ-સાનુકૂળ ફેરફારો લાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, પોલીસ આવી હરકતમાં…

આ વેળાએ મંત્રીશ્રીએ સમાંબોધાના કરતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાન મારફત નાગરિકોને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ આગામી તા. ૫ જૂન સુધી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસમાંથી બિનઉપયોગી પ્લાસ્ટિકની વસ્તુઓ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર ખાતે આપી શકશે. જેના વળતર સ્વરૂપે નાગરિકોને રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનેલી વિવિધ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.

પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. રાજ્યના સૌ નાગરીકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાઈને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે તેમજ પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે જાગૃત અને કટિબદ્ધ બનશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ અન્ય સહયોગી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરીકો પણ આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Under the 'Ek Ped Ma Ke Naam' campaign, more than one crore trees have been planted across the country.
દેશ

Ek Ped Maa Ke Naam: ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ દેશભરમાં આટલા કરોડથી વધુ વૃક્ષોનું થયું વાવેતર..

by Hiral Meria September 3, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai   

Ek Ped Maa Ke Naam: કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે ( Bhupender Yadav ) આજે Xપર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે દેશે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ( tree planting ) એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું છે અને માહિતી આપી હતી કે આ અભિયાન હેઠળ ભારતભરમાં 52 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

Another milestone achieved in the tree plantation #एक_पेड़_माँ_के_नाम campaign.

Initiated after a clarion call of PM Shri @narendramodi ji, under the campaign furthering #MissionLiFE, more than 52 crore seedlings have been planted so far. pic.twitter.com/yHp3sfbYex

— Bhupender Yadav (@byadavbjp) September 3, 2024

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 05.06.2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના ( World Environment Day ) પ્રસંગે ‘એક પેડ મા કે  નામ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટે પોતાનાં આહ્વાનમાં પ્રધાનમંત્રીએ દરેકને આ પહેલ મારફતે શ્રેષ્ઠ પૃથ્વી અને સ્થાયી વિકાસમાં પ્રદાન કરવા અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Sumit Antil: પેરિસ પેરાલિમ્પિક્સમાં સુમિત અંતિલએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક