Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Tweet On Foreign Travel Tax। શું વિદેશ જવા પર સરકારે નવો ટેક્સ લગાવ્યો છે? સોશિયલ મીડિયા પર મચેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ સામે આવીને કહી દીધી આ મોટી વાત

PM Modi Tweet On Foreign Travel Tax। મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે વિદેશ યાત્રા પર ટેક્સ કે પ્રતિબંધની ખબરોને પીએમ મોદીએ ગણાવી પાયાવિહોણી; કહ્યું અમે દેશવાસીઓ માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ માટે પ્રતિબદ્ધ છીએ.

Absolute Lie PM Modi denies fake news of tax on foreign travel amid Middle East oil crisis

Absolute Lie PM Modi denies fake news of tax on foreign travel amid Middle East oil crisis

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

PM Modi Tweet On Foreign Travel Tax। મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર ચાલી રહેલી વિદેશ પ્રવાસ પર ટેક્સ લગાવવાની અફવાઓનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અંત લાવી દીધો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરીને આ સમાચારોને સિરેથી ફગાવી દીધા છે અને તેને તદ્દન જૂઠા ગણાવ્યા છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને શું સ્પષ્ટતા કરી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે, “આ તદ્દન જૂઠું છે. આમાં જરાય સચ્ચાઈ નથી. વિદેશ યાત્રા પર આ પ્રકારના પ્રતિબંધો કે ટેક્સ લગાવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. અમે અમારા દેશના લોકો માટે ‘વેપાર કરવાની સરળતા’ (Ease of Doing Business) અને ‘જીવન જીવવાની સરળતા’ (Ease of Living) ને વધુ બહેતર બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” પીએમ મોદીના આ નિવેદન બાદ વિદેશ જવા ઈચ્છતા લાખો ભારતીયોએ મોટી રાહત અનુભવી છે.

ક્યાંથી શરૂ થઈ હતી વિદેશ પ્રવાસ પર ટેક્સની અફવા?

વાત જાણે એમ છે કે, એક અગ્રણી ન્યૂઝ ચેનલના અહેવાલમાં મોટો દાવો કરવામાં આવ્યો હતો કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલની આયાત મોંઘી થઈ રહી છે, જેના આર્થિક દબાણને સંભાળવા માટે સરકાર વિદેશ પ્રવાસ પર વધારાનો ટેક્સ, સેસ કે સરચાર્જ લગાવવા પર વિચાર કરી રહી છે. અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે આ ટેક્સ એક વર્ષ માટે કામચલાઉ ધોરણે લાદવામાં આવી શકે છે અને તેની રકમ સીધી કેન્દ્ર સરકારના ખાતામાં જશે. જોકે, વડાપ્રધાને પોતે આ ન્યૂઝ રિપોર્ટને રીટ્વીટ કરીને તેને સદંતર ખોટો ગણાવ્યો છે.

નાણા મંત્રાલય પહેલા પીએમ મોદીએ પોતે મોરચો સંભાળ્યો

આ ન્યૂઝ રિપોર્ટ વાયરલ થયા બાદ નાણા મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવે તે પહેલાં જ વડાપ્રધાન મોદીએ પોતે સામે આવીને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સરકાર પાસે વિદેશ પ્રવાસ પર કોઈ વધારાનો આર્થિક બોજ નાખવાની કે પ્રવાસીઓને નાસીપાસ કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે જ ઉર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક તેલ ભંડાર અંગે ચર્ચા કરવા માટે UAE ના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે, તેવા સમયે દેશની અંદર તેલ સંકટને કારણે ટેક્સ વધવાની ચાલી રહેલી આ અફવાઓ પર પીએમએ પોતે પૂર્ણવિરામ મૂકી દીધું છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

India Technology Journey એક સમયે વિદેશો પણ ભારત પર હસતા હતા! આજે દુનિયા આખી ભારતના ટેલેન્ટ અને AIUPI ની દિવાની; જાણો સંપૂર્ણ સફર
Supreme Court Food Labelling તમે જે પેકેજ્ડ ફૂડ ખાઓ છો તેમાં શું છે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ લેબલિંગ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ
Digital Currency Ration Card કાળાબજારી અને છેતરપિંડી પર લાગશે પૂર્ણવિરામ, રેશનકાર્ડ પર ડિજિટલ કરન્સીથી મળશે અનાજ, જાણો કેવી રીતે થશે ઉપયોગ
Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Exit mobile version