West Bengal New CM 2026। પશ્ચિમ બંગાળમાં નવો યુગ! મમતાના ગઢમાં ગાબડું પાડનાર શુભેન્દુ અધિકારી લેશે CM તરીકે શપથ, જાણો તેમનું રાજકીય કદ

West Bengal New CM 2026। બંગાળના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ સરકારના શપથ; બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ કેસરિયા રંગે રંગાયું, ભ્રષ્ટાચાર અને સંદેશખાલી કેસની તપાસ માટે કમિશનની જાહેરાત.

by Zalak Parikh
West Bengal New CM 2026। પશ્ચિમ બંગાળમાં નવો યુગ! મમતાના ગઢમાં ગાબડું પાડનાર શુભેન્દુ અધિકારી લેશે CM તરીકે શપથ, જાણો તેમનું રાજકીય કદ

 

News Continuous Bureau | Mumbai

West Bengal New CM 2026। પશ્ચિમ બંગાળના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શુભેન્દુ અધિકારીનું કદ એટલી ઝડપથી વધ્યું કે તેઓ ભાજપનો સૌથી મોટો ચહેરો બની ગયા. 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા મમતા બેનર્જીને 2021 માં નંદીગ્રામ અને ત્યારબાદ 2026 માં ભવાનીપુર બેઠક પર હરાવીને શુભેન્દુએ પોતાની તાકાત સાબિત કરી છે. કોલકાતાના ન્યૂ ટાઉન સ્થિત વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં મળેલી બેઠક બાદ તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

કોંગ્રેસથી ભાજપ સુધીની સફર અને નંદીગ્રામ આંદોલન

શુભેન્દુ અધિકારી બંગાળના પ્રતિષ્ઠિત રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા શિશિર અધિકારી પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. શુભેન્દુએ પોતાના રાજકીય સફરની શરૂઆત કોંગ્રેસથી કરી હતી અને 1998 થી 2020 સુધી તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે રહ્યા હતા. મમતા સરકારમાં તેઓ પરિવહન અને સિંચાઈ મંત્રી પણ હતા. જોકે, 2020 માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2007-08 માં નંદીગ્રામમાં જમીન સંપાદન વિરુદ્ધ થયેલા આંદોલનનું નેતૃત્વ કરીને તેઓ બંગાળના રાજકારણમાં એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

શપથ લેતા પહેલા જ મોટા નિર્ણયોના સંકેત

સત્તા સંભાળતા પહેલા જ શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની સરકાર સામૂહિક નેતૃત્વ પર ચાલશે. તેમણે બંગાળમાં સંસ્થાગત ભ્રષ્ટાચારની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન રચવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ચકચારી સંદેશખાલી પ્રકરણ અને આર.જી. કર મેડિકલ કોલેજ કેસની તપાસ માટે પણ અલગ કમિશન બનાવવામાં આવશે. તેમણે સ્વામી વિવેકાનંદના ‘ચરૈવેતિ’ (આગળ વધતા રહો) મંત્રને શાસનનો મુખ્ય આધાર ગણાવ્યો છે.

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં કેસરિયા શપથ

કોલકાતાનું ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ આજે એક નવો ઈતિહાસ લખશે. અત્યાર સુધી આ મેદાન વામપંથીઓના લાલ ગઢ તરીકે અને બાદમાં તૃણમૂલની રેલીઓનું સાક્ષી રહ્યું છે, પરંતુ આજે પ્રથમવાર અહીં ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રવીન્દ્ર જયંતિના અવસર પર યોજાનારા આ કાર્યક્રમમાં બંગાળી સંસ્કૃતિ અને પરંપરાના રંગો જોવા મળશે. મહેમાનો માટે ઝાલમુડી, સીતાભોગ અને મિહિદાના જેવી બંગાળી વાનગીઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૯ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More