Site icon News Continuous Bureau | Mumbai

Tatanagar Ernakulam Express Fire: આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ: બે ડબ્બા બળીને ખાખ, એક મુસાફરનો મૃતદેહ મળી આવતા અરેરાટી.

મધરાતે યલમંચિલી પાસે સર્જાયો અકસ્માત; B1 અને M2 કોચમાં આગ લાગતા મુસાફરોમાં નાસભાગ, ૧૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ.

Tatanagar Ernakulam Express Fire આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એ

Tatanagar Ernakulam Express Fire આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એ

News Continuous Bureau | Mumbai

Tatanagar Ernakulam Express Fire સોમવારની વહેલી સવારે ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ જ્યારે આંધ્રપ્રદેશના યલમંચિલી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેનના B1 અને M2 કોચમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ લોકો પાયલોટે ત્વરિત ટ્રેન થોભાવી દીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ દુર્ઘટનામાં B1 કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Join Our WhatsApp Channel

મધરાતે મચી ચીસાચીસ

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ રાત્રે ૧૨ થી ૧ વાગ્યાના સમયગાળામાં લાગી હતી. પોલીસને વહેલી સવારે ૧૨:૪૫ કલાકે અકસ્માતની માહિતી મળી હતી. આગ લાગી ત્યારે B1 કોચમાં ૮૨ અને M2 કોચમાં ૭૬ મુસાફરો સવાર હતા. મોટાભાગના મુસાફરો ઉંઘમાં હતા, પરંતુ સમયસૂચકતા વાપરીને તેમને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

બે કોચ બળીને રાખ

આગ એટલી ભીષણ હતી કે ટ્રેનના B1 અને M2 કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. સુરક્ષાના કારણોસર આ બંને કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા છે. વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર પણ વાંચો : Ikkis starcast Fees: ૨૦૦ કરોડનું બજેટ છતાં કલાકારોની ફી માત્ર લાખોમાં? ફિલ્મ ‘ઈક્કીસ’ માટે ધર્મેન્દ્રને મળ્યા ૨૦ લાખ, જ્યારે ડેબ્યુ સ્ટાર અગસ્ત્ય નંદાની ફી જાણી ચોંકી જશો

ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ

આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે કે અન્ય કોઈ કારણસર, તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવાના પ્રયાસો ચાલુ છે.

Mumbai Road Widening મુંબઈમાં રોડ પહોળો કરવાની કામગીરી વેગવાન, વિક્રોલી ફ્લાઈઓવર પાસે બીએમસીએ ૨૮ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
Cough Syrup Ban India કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નહીં આપવામાં આવે શરદીખાંસીની આ દવા; જાણો કારણ
Gen Z Protests યુવા આંદોલનની અગ્નિપરીક્ષામાં સરકાર ઘૂંટણિયે? શું મોદી અને RSS વચ્ચે મતભેદો ઊંડા થઈ રહ્યા છે?
AL Nino India વૈજ્ઞાનિકોની ખતરનાક ભવિષ્યવાણી ૧૦૦ વર્ષના સૌથી ખતરનાક અલનીનો સામે ભારત કેટલું તૈયાર?
Exit mobile version