અરશદ વારસી અને મારિયા ગોરેટીના લગ્ન 14 ફેબ્રુઆરી 1999ના રોજ થયા હતા. પરંતુ ત્યારે તેમને લગ્ન ની નોંધણી નહોતી કરાવી
મીડિયા સાથે ની વાતચીત દરમિયાન અર્શદ વારસી એ કહ્યું, 'મારા મગજમાં આ વિચાર ક્યારેય નહોતો આવ્યો. ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલું મહત્વપૂર્ણ છે.
અર્શદે કહ્યું, ‘પરંતુ હવે અમને ખબર પડી છે કે જ્યારે મિલકતની વાત આવે છે અથવા તમે આ દુનિયામાં નથી ત્યારે પણ આ કેટલું મહત્વનું છે. અમે કાયદાની ખાતર આ કર્યું.’
આ ઉપરાંત અર્શદે કહ્યું, ‘મને મારા લગ્નની તારીખ કોઈની સાથે શેર કરવી પસંદ નથી. હું તેને ધિક્કારું છું. કારણ કે તે મને ખૂબ જ નકામું લાગે છે.
મારિયા એ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘અમે આ પ્રોસેસ દરમિયાન ખુબ હસી રહ્યા હતા હા, મેં એ જ વ્યક્તિ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા છે. આવું કોણ કરે’