NPS હેઠળ PRAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી, દરેક પળે આવે છે કામ: જાણો કેવી રીતે કરવી અરજી

નેશનલ પેન્શન સિસ્ટમ એવી સ્કીમ છે, જે રિટાયરમેન્ટ પછી દર મહિને રોકાણકારોને પેન્શનનો લાભ આપે છે. આ સ્કીમ હેઠળ લાભ મેળવવા માટે અરજદારોને PRAN ની જરૂર છે.

by kalpana Verat
NPS tax benefits : Central Government extends NPS tax benefits to new Unified Pension Scheme

News Continuous Bureau | Mumbai

PRAN Card: નેશનલ પેન્શન સિસ્ટમ એવી સ્કીમ છે, જે રિટાયરમેન્ટ પછી દર મહિને રોકાણકારોને પેન્શનનો લાભ આપે છે. આ સ્કીમ હેઠળ લાભ મેળવવા માટે અરજદારોને PRAN ની જરૂર છે. પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એ 12 અંકનો નંબર હોય છે. તે એવા લોકોની ઓળખ કરે છે જેમણે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ રજિસ્ટ્રેશન કરીને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) પાસેથી PRAN કાર્ડ લઈ શકે છે. PRAN હેઠળ બે પ્રકારના NPS એકાઉન્ટ આવે છે. તમે ટાયર 1 હેઠળ રૂપિયા ઉપાડી શકતા નથી, પરંતુ ટાયર 2 હેઠળ રૂપિયા ઉપાડી શકાય છે. જો કે તેમા ઇક્વિટી રોકાણ પર રિટાયરમેન્ટ પછી એક મોટું એકાઉન્ટ મળે છે.

PRAN કાર્ડની જરૂરિયાત

PRAN કાર્ડ મેળવ્યા પછી, NPS સબ્સ્ક્રાઇબરે તેના PRAN કાર્ડની નકલ રાખવી જોઈએ. તે દરેક પગલા પર જરૂરી છે. જ્યારે તમે NPS માટે અરજી કરો છો ત્યારે PRAN જરૂરી છે અને જ્યારે તમે રૂપિયા ઉપાડવા જાઓ છો ત્યારે પણ તે જરૂરી છે. પ્રાણ કાર્ડ એક રીતે યુનિક આઈડી જેવું કામ કરે છે. આ કારણોસર તેને બદલી શકાતું નથી.

આ સમાચાર પણ વાંચો:  G20 Mumbai News : બોરીવલી ના રસ્તા ચોખા-ચટ, ઠેરઠેર સુશોભીકરણ. G-20 દેશોના પ્રતિનિધિઓએ કાન્હેરી ગુફાઓની મુલાકાત લીધી. જુઓ સુંદર બોરીવલીના ફોટોગ્રાફ

કેવી રીતે કરી શકાય છે અરજી

તમે તમારા PRAN કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. PRAN કાર્ડ એ NPS ના મેમ્બરશીપ માટે ઉપયોગમાં લેવાતું એપ્લિકેશન ફોર્મ છે. તેમાં વ્યક્તિગત વિગતો, સબ્સ્ક્રાઇબરની વિગતો, નોમિનેશન વિગતો, સબસ્ક્રાઇબર સ્કીમ વિગતો અને PFRDA ઘોષણા સામેલ હોય છે.

NPS એકાઉન્ટ ખોલાવવું થયું સરળ

એક અહેવાલ મુજબ ‘સેન્ટ્રલ કેવાયસી (સીકેવાયસી) પછી તમે વારંવાર તમારી તમારી નાણાકીય સંસ્થામાં કેવાયસી ફોર્મ ભરવાથી મુક્ત થઈ જાવ છો. થોડાં વર્ષ પહેલાં જ કેન્દ્ર સરકારે આ સુવિધા શરૂ કરી છે. CKYC નું સંચાલન સેન્ટ્રલ રજિસ્ટ્રી ઓફ સિક્યોરિટાઈઝેશન એસેટ રિકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ ઓફ ઈન્ડિયા એટલે કે CERSAI દ્વારા કરવામાં આવે છે. તેના હેઠળ તમને તમારી સંપૂર્ણ KYC માહિતી માત્ર એક નંબરમાં મળશે.

CKYC દ્વારા આવી રીતે ખોલો એનપીએસ એકાઉન્ટ

5G લોન્ચ, મુકેશ અંબાણીનો ઈશારો, કિંમત પર મૌન! 2022ના અંતે 5Gએ મારી બાજીના માધ્યમથી સબસ્ક્રાઇબરને મોકલવામાં આવશે.

CKYC માં ઉપલબ્ધ સબ્સ્ક્રાઇબરનો ફોટો સ્ક્રીન પર દેખાશે અને હસ્તાક્ષર પણ ઓટો-પોપ્યુલેટ થઈ જશે.

આવી રીતે તમે સરળથા ઘરે બેઠા તમારું એનપીએસ એકાઉન્ટ ખોલી શકો છો.

આ સમાચાર પણ વાંચો: 5G લોન્ચ, મુકેશ અંબાણીનો ઈશારો, કિંમત પર મૌન! 2022ના અંતે 5Gએ મારી બાજી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More