સર્બિયામાં ઝેરી ગેસ લીક ​​થતાં ઈમરજન્સી જાહેર, શાળાઓ અને હાઈવે પણ બંધ, 50થી વધુ લોકોને અસર

સર્બિયામાં એમોનિયા ગેસ લીક ​​થવાથી 50 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જે જગ્યાએ આ ઘટના બની ત્યાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

by kalpana Verat
International Highway, Schools Closed After Ammonia Leak In Serbia

News Continuous Bureau | Mumbai

સર્બિયાના પિરોટ શહેરમાં એમોનિયા ગેસના લીકેજને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જે બાદ સોમવારે આંતરરાષ્ટ્રીય હાઇવે પણ બંધ રહ્યો હતો. આ સાથે આ વિસ્તારની શાળાઓ અને અન્ય ખાનગી સંસ્થાઓને પણ બંધ કરી દેવામાં આવી છે. ગેસ લીક ​​થવાને કારણે ડઝનબંધ લોકો બીમાર પડ્યા છે. દેશના પૂર્વ ભાગમાં સ્થિત પિરોટ શહેરમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ શહેર બલ્ગેરિયાની સરહદ પાસે છે. વાસ્તવમાં, રવિવારે સાંજે અહીં એમોનિયા લઈ જતી માલગાડી પલટી ગઈ, ત્યારબાદ ઝેરી ગેસ લીક ​​થવા લાગ્યો.

અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી ગોરાન વેસિકે કહ્યું કે આ ચિંતાનો વિષય છે, જો કે ઘટનાસ્થળ પર જ સ્થિતિ સાથે નિપટવામાં અવાયું છે અને વધુ નુકસાન ટાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘સંભવ છે કે દુર્ઘટના નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે થઈ હોય.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ એ પણ તપાસ કરશે કે શું ઝેરી સામગ્રીના પરિવહન માટે કડક કાર્યવાહીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં માલગાડી પલટી ગઈ છે, ત્યાંથી થોડા કિલોમીટર દૂર હવા અને પાણીમાં એમોનિયાના કોઈ નિશાન મળ્યા નથી. પરંતુ સ્થાનિક અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને ઘરની અંદર રહેવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: ફરી ફેલાઈ રહ્યો છે કોરોના, તમારી સાથે રાખો આ 4 હેલ્થ ગેજેટ્સ, જાણો કિંમત સહિતની તમામ માહિતી

50 થી વધુ લોકો અસરગ્રસ્ત

પિરોટમાં, 50 થી વધુ લોકોએ ગેસના કારણે તકલીફની ફરિયાદ કરી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં જવું પડ્યું હતું, જ્યારે 15 લોકોને દક્ષિણના શહેર નિસમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. જેમાં વિદેશી નાગરિકો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સરકારી ટેલિવિઝનએ અહેવાલ આપ્યો હતો કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું અને માલગાડી જ્યાં પલટી ગઈ હતી તે સ્થળે એક માણસનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના મોત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્તારમાં રહેતા લોકોને ટાંકીનું પાણી ન પીવા માટે કહેવામાં આવ્યું છે. રસોઈ બનાવતી વખતે આ પાણીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More