સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર લે. જનરલ કલિતાએ કહ્યું, ‘ઓપરેશનને અંજામ આપતી વખતે સેના પુરાવા વિશે નથી વિચારતી’

તાજેતરમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક અને તેના પુરાવા પર ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હવે સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે સેના ઓપરેશનને અંજામ આપતી વખતે પુરાવા વિશે વિચારતી નથી.

by Dr. Mayur Parikh
'Nation Trusts Indian Armed Forces': Lt Gen Kalita On Oppn Demanding Proof Of Surgical Strikes

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક અને તેના પુરાવા પર ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હવે સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે સેના ઓપરેશનને અંજામ આપતી વખતે પુરાવા વિશે વિચારતી નથી. 2016માં પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માટે વિપક્ષના કેટલાક નેતાઓની માગણી વચ્ચે સેનાનું નિવેદન આવ્યું છે. આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના જીઓસી-ઈન-સી લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ શુક્રવારે કહ્યું હતું કે સેના કોઈપણ ઓપરેશન કરતી વખતે કોઈ પુરાવા રાખવા વિશે નથી વિચારતી.

કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા તાજેતરની માંગણીઓ પર કોલકાતામાં પત્રકારોના “રાજકીય પ્રશ્ન” નો જવાબ આપવાનો ઇનકાર કરતા, તેમણે કહ્યું કે દેશને ભારતીય સેના પર વિશ્વાસ છે. પ્રેસ ક્લબ, કોલકાતા ખાતે ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં તેમણે કહ્યું, “આ એક રાજકીય પ્રશ્ન છે. તેથી જ હું તેના પર ટિપ્પણી કરવાનું પસંદ કરતો નથી. મને લાગે છે કે દેશ ભારતીય સશસ્ત્ર દળો પર વિશ્વાસ કરે છે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઓપરેશન દરમિયાન સેનાએ કોઈ પુરાવા રાખે છે, તો તેમણે નકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “અમે જ્યારે કોઈ અભિયાન કરવા જઈએ છીએ, ત્યારે અમે તે અભિયાનનો કોઈ પુરાવો નથી રાખતા.”

આ સમાચાર પણ વાંચો:   આ તારીખો પર જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેઓ જન્મતાની સાથે જ પરિવારનું ભાગ્ય બદલી નાખે છે!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તાજેતરમાં જમ્મુમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન સીમા પાર સૈન્ય કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ (કેન્દ્ર) સર્જિકલ સ્ટ્રાઈક અને ઘણા લોકોને મારવાની વાત કરે છે, પરંતુ તેનો કોઈ પુરાવો નથી. તેઓ જુઠ્ઠાણાનું બંડલ બતાવીને શાસન કરી રહ્યા છે.” જોકે, કોંગ્રેસે આ ટિપ્પણીથી પોતાને દૂર રાખતા કહ્યું કે તે તેમના વલણને પ્રતિબિંબિત કરતું નથી અને પક્ષ દેશના હિતમાં તમામ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપે છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સિંહની ટિપ્પણીઓને “હાસ્યાસ્પદ” ગણાવી હતી અને કહ્યું હતું કે સશસ્ત્ર દળો તેમનું કામ “અસાધારણ રીતે” કરી રહ્યા છે અને તેમને કોઈ પુરાવા આપવાની જરૂર નથી. સપ્ટેમ્બર 2016 માં, ભારતે જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી બેઝ પર આતંકવાદી હુમલાના જવાબમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More