કોમેડિયન તન્મય ભટ્ટે ભગવાન ગણેશ માટે કહી હતી વાંધાજનક વાત, કોટક મહિન્દ્રા બેંકે તગેડી મુક્યો, જાણો આખો મામલો

તન્મય ભટ્ટે તમામ હદો વટાવીને કહ્યું કે જ્યારે મેં મૂર્તિઓને મળ કહ્યું ત્યારે હિંદુઓ ગુસ્સે થઈ ગયા. હું આ માટે દિલગીર છું.

by Zalak Parikh
tanmay bhatt objectionable words to lord ganesha removed from kotak mahindra bank advertisement

News Continuous Bureau | Mumbai

યુટ્યુબર અને કોમેડિયન તન્મય ભટ્ટને ભગવાન ગણેશ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સજા કરવામાં આવી છે. કોટક મહિન્દ્રા બેંક દ્વારા તેને તેની જાહેરાત માંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ પહેલા પણ તેનો હિંદુ વિરોધી ચહેરો સામે રહેતો હતો. તેનું આ વલણ તેની કોમેડી માં પણ જોવા મળે છે.વાસ્તવમાં, તન્મય ના જુના ટ્વિટ ના સ્ક્રીનશોટ કોટક મહિન્દ્રા ને ટેગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તન્મય હિંદુ ધર્મ પર વાંધાજનક વાતો કરી રહ્યો છે અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પ્રચાર કરી રહ્યો છે. આ પછી બેંકે જાહેરાત પાછી ખેંચવાનો નિર્ણય કર્યો.

અગાઉ પણ હિન્દૂ વિરોધી વાત કરતો હતો તન્મય ભટ્ટ 

#MeToo અભિયાન દરમિયાન જાતીય સતામણીના કેસમાં ફસાયેલો તન્મય ભટ્ટ ભૂતકાળમાં પણ હિન્દુ વિરોધી વાતો કરતો હતો. એક ટ્વિટર યુઝરે કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ ઉદય કોટકને ટેગ કરીને આ પોસ્ટ કર્યું હતું. યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે કોટક મહિન્દ્રા બેંકની એકાઉન્ટ હોલ્ડર છે. તેણે આગળ લખ્યું, “તમે તમારી જાહેરાત માટે હિન્દુ વિરોધી, મહિલાઓ અને બાળકોનું શોષણ કરનાર તન્મય ભટ્ટને લીધો છે. આ કારણોસર હું મારું ખાતું બંધ કરવાનું વિચારી રહી છું. જો તમે ઇચ્છો છો કે હું તમારી બેંકના ખાતાધારક તરીકે ચાલુ રાખું, તો તમે તેમની સાથેનો સંબંધ સમાપ્ત કરો અને માફી માગો.

આ  સાથે અન્ય એક ખાતાધારકે પણ બેંક ખાતું બંધ કરવાની ધમકી આપી હતી.

તન્મય ભટ્ટનું વાંધાજનક ટ્વીટ

2012માં તન્મય ભટ્ટે એક એકાઉન્ટ યુઝરને ટેગ કરીને લખ્યું હતું કે, “તમે કેવી રીતે જાણો છો કે બાળકો બળાત્કારને પસંદ નથી કરતા?”અન્ય એક ટ્વિટમાં તન્મયે નાની છોકરીઓ માટે અપમાનજનક શબ્દો લખ્યા હતા.આ સાથે તેણે ભગવાન ગણેશ માટે વાંધાજનક વાતો પણ કરી હતી. એક યુઝરને ટેગ કરતાં તન્મયે લખ્યું કે હું ગણેશની મૂર્તિઓની મળ સાથે સરખામણી કરવા બદલ દિલગીર છું. સાચું કહું તો, હું કહેવા માંગુ છું કે મળ પર્યાવરણ માટે સારું છે. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું કે, “જો ગણેશ ખરેખર સમસ્યાઓ હલ કરી શકે છે, તો તે ટ્રાફિકને નિયંત્રિત કરવાનું સારું કામ કરી શકે છે.” તન્મય ભટ્ટે તમામ હદો વટાવીને કહ્યું કે જ્યારે મેં મૂર્તિઓને મળ કહી ત્યારે હિંદુઓ ગુસ્સે થઈ ગયા. હું આ માટે દિલગીર છું. હકીકતમાં મળ પર્યાવરણ માટે સારું છે. આની સાથે ગણેશ ની સરખામણી ન કરવી જોઈએ.અન્ય એક યુઝરે લખ્યું હતું – ઉદય કોટકે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, તેના બિઝનેસ માટે તેણે ભારતીય સનાતન સંસ્કૃતિને રોકી દીધી છે. જ્યાં ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ત્યાં ભગવાન ગણેશનું અપમાન કરવા માટે એક બેશરમ અને સસ્તા માણસને પસંદ કરવામાં આવ્યો છે. આવા ધંધાર્થીઓ સમાજનો કોળીયો છે. ખૂબ જ શરમજનક.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More