News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે નવી કાર્યકારિણીની જાહેરાત કરી છે. નવી રાજ્ય કારોબારીમાં 16 ઉપપ્રમુખ, 6 મહામંત્રી અને 16 સચિવ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 64 કારોબારી સભ્યો, 264 વિશેષ આમંત્રિતો અને 512 આમંત્રિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી રાજ્ય કારોબારીમાં 16 ઉપ-પ્રમુખ
ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું કે માધવ ભંડારી, સુરેશ હલવણકર, ચૈનસુખ સંચેતી, જયપ્રકાશ ઠાકુર, ધર્મલ મેશ્રામ, એજાઝ દેશમુખ, રાજેન્દ્ર ગાવિત વગેરેને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહાસચિવ પદ પર ધારાસભ્ય રણધીર સાવરકર, એડ. માધવી નાઈક, સંજય કેનેકર, વિજય ચૌધરી, વિક્રાંત પાટીલ, મુરલીધર મોહોલની નિમણૂંક કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ગર્વની વાત.. વિશ્વ બેન્કની ચાવી ભારતીય વંશના અજય બંગાના હાથમાં, આ તારીખથી સંભાળશે કાર્યભાર..
સચિવ પદ પર તેમની નિમણૂક,
સચિવ પદ પર ભરત પાટીલ, એડ. વર્ષા દહેલે, અરુણ મુંડે, મહેશ જાધવ વગેરેની નિમણૂંક કરવામાં આવી છે. ધારાસભ્ય મિહિર કોટેચાને ખજાનચી તરીકે, રવિન્દ્ર અનાસપુરેને રાજ્ય મુખ્યાલયના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપેન્દ્ર કોઠેકર (વિદર્ભ), મકરંદ દેશપાંડે (પશ્ચિમ મહારાષ્ટ્ર), સંજય કૌડગે (મરાઠવાડા), શૈલેષ દળવી (કોકણ), હેમંત મ્હાત્રે (થાણે)ને વિભાગીય સંગઠન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
64 કારોબારી સભ્યની નિમણૂક:
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, રાષ્ટ્રીય સચિવ પંકજા તાઈ મુંડે, વિજયતાઈ રાહટકર, કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટના તમામ પ્રધાનો, મુંબઈ પ્રમુખ, રાજ્યકક્ષાના પ્રધાનો કારોબારી સમિતિના વિશેષ આમંત્રિત સભ્યનું પદ. આશિષ શેલાર, રાષ્ટ્રીય પ્રવક્તા સાંસદ ડૉ. હિના ગાવિત, રાજ્યના તમામ સાંસદો, ધારાસભ્યો વગેરે. આ ઉપરાંત 288 વિધાનસભા ક્ષેત્રના સંયોજકો અને 705 મંડળોના પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રસંગે ઉપાધ્યક્ષ માધવ ભંડારી, ધારાસભ્ય શ્રીકાંત ભારતીય, મહાવિજય અભિયાનના સંયોજક, પ્રદેશ મહામંત્રીઓ ધારાસભ્ય રણધીર સાવરકર, માધવી નાઈક, વિજય ચૌધરી, સંજય કેનેકર, વિક્રાંત પાટીલ, મુરલીધર મોહોલ, રાજ્યના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાય, રાજ્ય સંયોજક વિરેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join Our WhatsApp Community
