કિંગ ખાનના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે દાખલ કર્યો કેસ, ઘરની તલાશી પણ લીધી

CBI registers corruption case against Sameer Wankhede, the Aryan Khan case officer

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં ચર્ચામાં આવેલા અધિકારી સમીર વાનખેડે સામે કેસ નોંધવામાં આવ્યો છે. CBIએ IRS ઓફિસર સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ સંબંધમાં, મુંબઈમાં તેમના પરિસરની તપાસ કરવામાં આવી હતી. વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડના કારણે ચર્ચામાં આવી હતી. સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય બે આરોપીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 29 જગ્યાએ આરોપીની શોધ ચાલી રહી છે.

જણાવી દઈએ કે જ્યારે NCBમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્ર વિરુદ્ધ ડ્રગ્સ કેસની તપાસ કરી હતી. તે સમયે તેઓ એનસીબીના વડા હતા. બાદમાં આર્યનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અને ડ્રગ્સનો કેસ બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  બોરીવલીના ગોરાઈ રોડને આખરે મોકળાશ મળી, તમામ ઝુપડા તોડી પડાયા. જુઓ વિડિયો

આર્યન ખાન કેસ બાદ એનસીબીએ સમીર વાનખેડે સામે વિજિલન્સ તપાસ હાથ ધરી હતી. જેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને પણ સોંપવામાં આવ્યો હતો. જેમાં વાનખેડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

NCBની વિજિલન્સની તપાસમાં અપ્રમાણસર મિલકતો મળી આવી હતી અને તે ભ્રષ્ટાચાર દ્વારા જમા કરવામાં આવી હોવાની આશંકા છે.