Prayag raj death: ‘અમર અકબર એન્થની’, ‘ધરમવીર’ ના લેખક પ્રયાગ રાજનું થયું નિધન, બોલિવૂડ ના આ સેલેબ્રીટી એ વ્યક્ત કર્યો શોક

Prayag raj death:પીઢ લેખક અને દિગ્દર્શક પ્રયાગ રાજ નું 88 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. બોલિવૂડ સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

by Zalak Parikh
amar akbar anthony and dharmveer writer prayag raj passes away

News Continuous Bureau | Mumbai

Prayag raj death:પીઢ લેખક-દિગ્દર્શક પ્રયાગ રાજે દુનિયા ને અલવિદા કહી દીધું છે. . પ્રયાગ રાજ અમર અકબર એન્થોની, કુલી, મર્દ અને ધરમવીર જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેઓ 88 વર્ષના હતા. મુંબઈમાં તેમનું નિધન થયું હતું. અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને શબાના આઝમીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રયાગ રાજે અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર સહિત અન્ય કલાકારો સાથે કામ કર્યું હતું. પ્રયાગ રાજ સંગીત પણ આપતા હતા. તેઓ 100 થી વધુ ફિલ્મો સાથે લેખક તરીકે સંકળાયેલા હતા.

આ  સમાચાર પણ વાંચો : Priyamani: ધ ફેમિલી મેન ની સૂચિ એટલેકે અભિનેત્રી પ્રિયામણી એ શેર કર્યું સીઝન 3 વિશે એક મોટું અપડેટ, અભિનેત્રીએ જણાવ્યું ક્યારે શરૂ થશે શૂટિંગ

બીમાર હતા પ્રયાગ રાજ  

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પ્રયાગ રાજના પુત્ર આદિત્યએ કહ્યું, ‘તેમનું શનિવારે સાંજે 4 વાગ્યે બાંદ્રા સ્થિત તેમના ઘરે શાંતિપૂર્ણ રીતે નિધન થયું. તેઓ 8-10 વર્ષથી હૃદયરોગ અને વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા.

Join Our WhatsApp Community

You may also like