Chandrayaan 3: વિક્રમ અને પ્રજ્ઞાન ચંદ્ર પર કેમ ઊંડી ઊંઘમાં ચાલ્યા ગયા, કેમ ન ખુલી શકો આંખો? જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..

Chandrayaan 3: ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરને જાગૃત કરવાની આશા હવે ધીરે ધીરે ધૂંધળી થઈ રહી છે. જો પ્રજ્ઞાન અને વિક્રમ ફરી જાગી શક્યા હોત તો કેટલીક વધુ મહત્વપૂર્ણ માહિતી મળી હોત. હાલમાં પ્રજ્ઞાન અને વિક્રમનું શું થયું તે અંગે અટકળો ચાલી રહી છે કે તે બંને ગાઢ નિંદ્રામાંથી જાગી શક્યા નથી.

by Hiral Meria
Chandrayaan 3: Why did Vikram and Pragyan walk on the moon in deep sleep, what was the reason behind not opening their eyes

News Continuous Bureau | Mumbai 

Chandrayaan 3: ચંદ્રયાન-3 ના લેન્ડર ( vikram lander ) અને રોવરને ( Pragyan Rover ) જાગૃત કરવાની આશા હવે ધીરે ધીરે ધૂંધળી થઈ રહી છે. ઈસરોના ( ISRO ) ચીફ એસ સોમનાથે ( S. Somnath ) કહ્યું છે કે, બંનેએ પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે. તેમ છતાં એવી આશા છે કે, જો પ્રજ્ઞાન અને વિક્રમ ફરી જાગી શક્યા હોત તો કેટલીક વધુ મહત્વપૂર્ણ માહિતી મળી હોત. હાલમાં પ્રજ્ઞાન અને વિક્રમનું શું થયું તે અંગે અટકળો ચાલી રહી છે કે તે બંને ગાઢ નિંદ્રામાંથી ( deep sleep ) જાગી શક્યા નથી.

ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરને 14 દિવસ કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. ચંદ્ર પર સૂર્યોદય પછી, ચંદ્રયાન-3 એ કામ કર્યું અને પૃથ્વી પર માહિતી પ્રસારિત કરી હતી. પરંતુ દક્ષિણ ધ્રુવ પર અંધકાર આવતાની સાથે જ પ્રજ્ઞાન અને રોવરને સ્લીપ મોડ ( Sleep mode ) પર મૂકવામાં આવ્યા હતા. આનું કારણ એ હતું કે ચંદ્ર પરનું તાપમાન રાત્રે ઘણું ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં રોવર પ્રજ્ઞાન માટે ત્યાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ હશે. તેથી તેમના સાધનોને બચાવવા માટે તેઓને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા.

ચંદ્ર પરના તાપમાનમાં મોટા પ્રમાણમાં વધઘટ…

ચંદ્ર પરના તાપમાનમાં મોટા પ્રમાણમાં વધઘટ થાય છે. દિવસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું હોય છે અને રાત્રે ખૂબ ઓછું હોય છે. ખાસ વાત એ છે કે અહીં પૃથ્વી પર દિવસ અને રાત 14-14 દિવસ સમાન હોય છે. આવી સ્થિતિમાં જો આટલા લાંબા સમય સુધી તાપમાન નીચું અથવા ઊંચું રહે છે, તો રોવર અને લેન્ડરના ઘટકોને નુકસાન થવાનું જોખમ ઘણું વધારે હશે. આ તમામ બાબતોની સાથે સાથે ચંદ્ર પર રેડિયેશનનું જોખમ પણ ઘણું વધારે છે. રોવર અને લેન્ડર પણ આ રેડિયેશનથી જોખમમાં છે.

આ સમાચાર પણ વાંચો : India-Canada row: ‘કદાચ જો અન્ય દેશ અમારા સ્થાને હોત તો શું કરત?’, કેનેડા-ભારત સાથેના વિવાદ પર જયશંકરનો સણસણતો સવાલ..જાણો બીજું શું કહ્યું જયશંકરે.. વાંચો વિગતે અહીં..

આ સિવાય ચંદ્ર પર વારંવાર તોફાન આવે છે. ત્યાંની ધૂળ પણ ખૂબ જ બારીક હોય છે. જો આ ધૂળ રોવર અથવા લેન્ડરની સપાટી પર ચોંટી જાય તો તેને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત તેમની સોલર પેનલ પર ધૂળનો સંચય રોવર અને લેન્ડરની પોતાને ચાર્જ કરવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે. તેનું કારણ એ છે કે, તે સૌર ઉર્જાથી ચાર્જ થાય છે. જો પેનલ્સ પર ધૂળ રહે છે, તો ચાર્જિંગ સંપૂર્ણપણે થશે નહીં. આવી સ્થિતિમાં બેટરીની આવરદા સમાપ્ત થઈ જશે અને તેના કાર્યને અસર થઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More