Rhea chakraborty: રિયા ચક્રવર્તીએ વર્ષો પછી કર્યો ખુલાસો, જાણો અભિનેત્રી એ જેલમાં કેવી રીતે વિતાવ્યા 28 દિવસ અને કેવું હતું કેદીઓ નું વર્તન

Rhea chakraborty: અભિનેત્રી રિયા ચક્રવર્તી તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેણીનો જેલમાં વિતાવેલો સમય પરિવર્તનશીલ હતો. આ વિશે વાત કરતાં અભિનેત્રીએ ખુલ્લેઆમ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

by Zalak Parikh
rhea chakraborty shares under trial prison experience in sushant singh rajput case

News Continuous Bureau | Mumbai 

Rhea chakraborty: વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નું દુઃખદ અવસાન થયું હતું. ભલે તેના નિધન ને 3 વર્ષ વીતી ગયા હોય તેમછતાં તેના મૃત્યુ નું રહસ્ય હજુ પણ અકબંધ છે. અભિનેતા ના  મૃત્યુ કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંત ની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેણે 28 દિવસ જેલમાં વિતાવ્યા હતા. હાલમાં જ એક કાર્યક્રમમાં રિયાએ પોતાના જેલમાં વિતાવેલા દિવસો વિશે ખુલીને વાત કરી અને પોતાનો અનુભવ શેર કર્યો.

 

રિયા ચક્રવર્તી એ શેર કર્યો અનુભવ 

ધરપકડ બાદ રિયા અંડર ટ્રાયલ જેલમાં હતી, જે દર્શાવે છે કે તેણી હજુ સુધી કોઈ ગુના માટે દોષિત નથી. હાલમાં રિયા એક કાર્યક્રમ માં પહોંચી હતી જ્યાં તેને તેના જેલ માં વિતાવેલો સમય વિશે વાત કરી તેને જણાવ્યું કે, “તમે મૂળભૂત રીતે સમાજની બહાર ફેંકાઈ ગયા છો અને એક નંબર તરીકે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છો, કારણ કે તમને સમાજ માટે અયોગ્ય ગણવામાં આવે છે. તે જ સમયે, આ વ્યક્તિત્વ અથવા આ વસ્તુઓ જે તમે તમારા વિશે બનાવી છે, તે સંપૂર્ણપણે તૂટી ગયું છે. હું અંડર-ટ્રાયલ જેલમાં હતી, જેનો અર્થ છે કે તે દોષિત જેલ નથી અને કમનસીબે ત્યાંની તમામ મહિલાઓ હજુ પણ નિર્દોષ હતી કારણ કે તેઓ દોષિત સાબિત થઇ નહતી. એમને જોઈને અને એમની સાથે વાર્તાલાપ કરતાં મને એ સ્ત્રીઓમાં એક અનોખા પ્રેમનો અનુભવ થયો. તેમને નાની નાની બાબતોમાં ખુશી મળતી હતી. જ્યારે તેમને ખુશી મળી ત્યારે તેણે તેને પકડી લીધી. તેઓ જાણે છે કે એક ક્ષણનો આનંદ કેવી રીતે લેવો અને હું જેઓને મળી તે સૌથી ખુશ લોકોમાંના છે.”

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)


રિયાએ વધુમાં ઉમેર્યું, “અલબત્ત, તે નિરાશાજનક છે, તેઓ નિસ્તેજ છે, પરંતુ તેઓ જાણે છે કે તે ખુશી ક્યારે અને કેવી રીતે મેળવવી. તે રવિવારે સમોસા ખાવા જેટલું નાનું હોઈ શકે છે. તે તેમના માટે કોઈ ડાન્સ કરે તેટલું નાનું હોઈ શકે છે, તેથી તે માત્ર છે. સિદ્ધાંત. તમે તેને કેવી રીતે જુઓ છો. તે સમયે હા મારું જીવન સૌથી ખરાબ નરકમાં હતું, પરંતુ સ્વર્ગ કે નરક તમારા મગજમાં એક પસંદગી છે જે તમે પસંદ કરી શકો છો. દરેક વખતે સ્વર્ગ પસંદ કરવું મુશ્કેલ છે, પરંતુ યુદ્ધ મન માં છે અને જો તમારા હૃદયમાં શક્તિ અને ઇચ્છા હશે, તો તમે ચોક્કસપણે તમારા મનથી લડશો અને જીતી શકશો.”

ડ્રગ કેસ માં જેલ માં ગઈ હતી રિયા ચક્રવર્તી 

તમને જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદ રિયા પર અભિનેતા ને ડ્રગ આપવાનો, તેને આત્મહત્યા માટે પ્રેરતી કરવાનો તેમજ મનીલોન્ડરિંગ માં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ રિયા ચર્કવર્તી ની ધરપકડ કરવામાં આવી હતી. રિયા ને મુંબઈ ની ભાયખલ્લા જેલ માં મોકલવામાં આવી હતી. જ્યાં તેને 28 દિવસ વિતાવ્યા હતા. 28 દિવસ બાદ રિયા ને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: દશેરા ના દિવસે રાખી સાવંતે કર્યું એવું કામ કે ટ્રોલર્સ એ કહ્યું ‘પોતાના અસલી રૂપ માં આવી’, જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More