Rohit Sharma T20I: શું રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે… BCCI સાથે થઈ આ મહત્ત્વની ચર્ચા…. જાણો વિગતે..

Rohit Sharma T20I: ભારતનો ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલમાં દેશનું નેતૃત્વ કરે અને તેનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા નથી. તે પ્રકાશમાં આવ્યું છે કે રોહિતે ODI વર્લ્ડ કપની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI સાથે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી…

by Bipin Mewada
Rohit Sharma T20I Will Rohit Sharma Retire From T20 International Cricket... This Important Discussion With BCCI...

News Continuous Bureau | Mumbai

Rohit Sharma T20I: ભારત ( Team India ) નો ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ( Rohit Sharma ) હવે T20 ઈન્ટરનેશનલ ( T20 International ) માં દેશનું નેતૃત્વ કરે અને તેનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા નથી. તે પ્રકાશમાં આવ્યું છે કે રોહિતે ODI વર્લ્ડ કપ ( World Cup ) ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI સાથે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. ક્રિકેટના મેદાન પર હિટમેન તરીકે જાણીતા રોહિતે નવેમ્બર 2022માં ભારત માટે છેલ્લી T20 મેચ રમી હતી. ત્યારબાદ ભારતે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી હતી, જેમાં ભારત ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારી ગયું હતું. T20 વર્લ્ડ કપમાં ( T20 World Cup )  આ મેચ બાદ હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) એ ઘણી મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. 36 વર્ષીય રોહિતે ભારત માટે 148 T20 મેચ રમી છે, જેમાં તેણે 140ના સ્ટ્રાઈક રેટથી 3,853 રન બનાવ્યા છે. રોહિતના નામે 4 સદી પણ છે.

રોહિતને લઈને આ કોઈ નવું અપડેટ નથી. તે (રોહિત) છેલ્લા 1 વર્ષથી ભારત માટે ટી-20 મેચ રમ્યો નથી. તેનું ધ્યાન માત્ર ODI વર્લ્ડ કપ પર હતું. તેમણે પસંદગી સમિતિના વડા અજીત અગરકર સાથે આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તે પોતે T20થી દૂર રહેવા માંગતો હતો. બીસીસીઆઈના સૂત્રોએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, આ સંપૂર્ણ રીતે રોહિતનો નિર્ણય હતો.

 2025માં ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કરવાની તક …

રોહિત બાદ ભારત તરફથી ચાર ઓપનર છે. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે આઈપીએલમાં પોતાની ક્ષમતા બતાવી છે. જો આ યુવા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે, તો BCCI અથવા પસંદગી સમિતિ દ્વારા રોહિતને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ Ireland Violence: આયર્લેન્ડના ડબલિનમાં આ મામલે ફાટી હિંસા, લોકોએ બસ, કાર અને ટ્રેનમાં લગાવી આગ.. જુઓ વિડીયો..

રોહિત શર્મા 36 વર્ષનો છે અને તેની કારકિર્દીના આ તબક્કે તે વર્કલોડ મેનેજમેન્ટ વિશે વિચારી રહ્યો છે. રોહિત વિચારી રહ્યો છે કે તેની બાકીની કારકિર્દીમાં કોઈ સમસ્યા નહીં આવે. IPLની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટ રમવું શક્ય નહીં બને. ડિસેમ્બર 2023થી માર્ચ 2024 વચ્ચે સાત ટેસ્ટ મેચો રમાવાની છે. તેથી રોહિતનું ટાર્ગેટ ટેસ્ટ ક્રિકેટ પર વધુ રહે તેવી શક્યતા છે.

રોહિત શર્મા પાસે હજુ પણ 2025માં ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કરવાની તક છે. 2019થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભારતે સારૂ પ્રદર્શન કર્યું છે. ભારત અત્યાર સુધી યોજાયેલી બે WTC ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ બંને વખત ભારતને રનર-અપના સ્થાને જ સંતોષવું પડ્યું હતું..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More