News Continuous Bureau | Mumbai
RBI MPC Meeting 2024: ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) ની મોનેટરી પોલિસી કમિટી ( Monetary policy committee ) ની બેઠકના પરિણામો જાહેર થઇ ગયા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ( Shaktikant Das ) કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે આ દરોને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તમારી EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. બેઠકમાં હાજર છમાંથી પાંચ સભ્યો રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા.
રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી યથાવત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ રેપો રેટ ( Repo rate ) માં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35% પર સ્થિર રાખ્યો છે. MSF દર અને બેંક દર 6.75% પર છે. જ્યારે, SDF દર 6.25% પર સ્થિર છે.
જીડીપી વૃદ્ધિ 7% રહેવાની ધારણા
રેપો રેટને સ્થિર રાખવાની જાહેરાતની સાથે RBI ગવર્નર શક્તિદાન કાંતે મોંઘવારી અંગે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી ખાદ્ય ચીજોની કિંમતો (ફૂડ ઇન્ફ્લેશન) પર નજર રાખી રહી છે. મોંઘવારીમાં મંદી છે. આ જોતાં MPCની બેઠકમાં ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા જાળવવામાં આવ્યો છે. GDP વૃદ્ધિ અંગે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે FY24માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ 7 ટકાથી ઉપર રાખવામાં આવ્યો છે. અગાઉના અંદાજમાં પણ રિઝર્વ બેન્કે તેને 7.3 ટકા પર રાખ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત મજબૂતી બતાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : America: ભારત અમેરિકા પર હવે ભરોસો નથી કરતું, તેને નબળું માને છેઃ નિક્કી હેલીનું મોટું નિવેદન..
FY25 માટે છૂટક ફુગાવાનો દર 4.5% હોવાનો અંદાજ છે. જ્યારે FY24 માટે છૂટક ફુગાવાનો અંદાજ 5.4% પર જાળવવામાં આવ્યો છે. આ સિવાય આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.7 થી વધારીને 7.2% કર્યો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં જીડીપીનો અંદાજ 6.5% થી વધારીને 6.8% કરવામાં આવ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં તેને 6.4% થી વધારીને 7% અને ચોથા ક્વાર્ટરમાં 6.9% કરવામાં આવ્યો છે.
રેપો રેટ EMIને કેવી રીતે અસર કરે છે.
રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. હકીકતમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની EMI પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની EMI ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.
દેશની અર્થવ્યવસ્થા મજબૂત
શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ભારતીય ચલણમાં સ્થિરતા છે અને ભવિષ્યમાં પણ તે એવી જ રહેશે. તેમણે કહ્યું કે સપ્લાય ચેઈનને લગતા નવા આંચકાઓ પર સતર્ક રહેવાની જરૂર છે. આ વર્ષે હેડલાઇન ફુગાવો નોંધપાત્ર વોલેટિલિટી સાથે ઊંચો છે અને 4%નો લક્ષ્યાંક હજુ સુધી હાંસલ થયો નથી. જોકે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે. તેમણે કહ્યું કે દેશનો આર્થિક વિકાસ ઝડપી થઈ રહ્યો છે અને તે મોટા ભાગના અનુમાનોથી આગળ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)