Zero Prescription Policy : મુંબઈમાં એપ્રિલથી શરુ થશે ઝીરો પ્રસ્ક્રિપ્શન પોલીસી, મુંબઈકરોએ હવે આરોગ્યની સારવાર પાછળ ખર્ચ કરવો નહીં પડેઃ મુખ્યમંત્રી એકનાથ શિંદે..

Zero Prescription Policy : સરકાર હાલ મુંબઈવાસીઓની આરોગ્ય સારવારનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે આરોગ્ય આપલા દારી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે અને આ અભિયાન દ્વારા ઘરે ઘરે આરોગ્ય તપાસ કરવામાં આવશે.

by Bipin Mewada
Zero prescription policy will start in Mumbai from April, Mumbaikars will no longer have to spend on health treatment CM Eknath Shinde..

 News Continuous Bureau | Mumbai 

Zero Prescription Policy : આવતા એપ્રિલ મહિનાથી, મુંબઈકરોએ હવે તેમના સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડશે નહીં, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( CM Eknath shinde ) માહિતી આપી હતી કે મુંબઈમાં ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે સવારે લગભગ 11:30 વાગ્યે મુંબઈના વર્લી વિસ્તારમાં બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલની ( Balasaheb Thackeray Hospital ) ઓચિંતી મુલાકાત લીધી હતી. હોસ્પિટલનું નિરીક્ષણ કરતાં તેમણે તપાસ માટે આવેલા દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી.

સરકાર હાલ મુંબઈવાસીઓની આરોગ્ય સારવારનો ખર્ચ ( Health treatment costs ) ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે આરોગ્ય આપલા દારી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે અને આ અભિયાન દ્વારા ઘરે ઘરે આરોગ્ય તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

 મુંબઈમાં 226 સ્થળોએ તેમના દવાખાના શરૂ કરવામાં આવ્યા છે…

મુખ્યમંત્રી અચાનક વરલીના એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સમાં આવેલી બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલની મુલાકાત લેતા તેમણે હોસ્પિટલ, સ્ટોર રૂમ, મેડિસિન રૂમ, વોર્ડ, વોશરૂમનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ત્યાં સારવાર માટે આવેલા કેટલાક વરિષ્ઠ નાગરિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને તેમને આ હોસ્પિટલ વિશેનો તેમનો અનુભવ પૂછ્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, સારવાર બાદ દર્દીઓના ચહેરા પર સંતોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Maidaan: ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા દર્શાવતું મેદાન નું ટ્રેલર થયું રિલીઝ, અજય દેવગન ના અભિનયે કર્યા લોકો ને ઈમોશનલ

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મુંબઈવાસીઓને તેમના ઘરની નજીક સારવાર મળે. તે માટે મુંબઈમાં 226 સ્થળોએ તેમના દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 લાખ નાગરિકોએ આ દવાખાનાનો લાભ લીધો છે. જેમાં મફતમાં, કેશલેસ, પેપરલેસ સારવાર અહીં ઉપલબ્ધ છે.

તેમજ સીએમ શિંદેએ વધુમાં કહ્યુ હતું કે, આરોગ્ય આપલા દારી અભિયાન દ્વારા મુંબઈમાં ડોર ટુ ડોર આરોગ્ય તપાસ ( Door to door health checks ) કરવામાં આવશે. ઝીરો પ્રિસ્ક્રિપ્શન પોલિસી એપ્રિલથી શરૂ થશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું હતું કે, આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પ્રસંગે મુંબઈ શહેરના પાલક મંત્રી દીપક કેસરકર, મુંબઈ ઉપનગરીય પાલક મંત્રી મંગલપ્રભાત લોઢા, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ કમિશનર, ડૉ. સુધાકર શિંદે વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More