News Continuous Bureau | Mumbai
Mumbai : કેન્દ્રીય મંત્રી ભાજપ મહયુતી ઉત્તર મુંબઈના ઉમેદવાર પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના આરદ્ય દેવતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા આપવામાં આવેલ સુશાસનનો મંત્ર, એક રાજ્યકર્તા માટેની આપેલ સાહસ, શૌર્ય અને આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ હતી, તે આજે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની કાર્યશૈલીમાં જોઈ રહ્યાં છીએ.”
“આજે આપણે ભારતને એક વિશ્વ શક્તિ તરીકે જોવું છે, આજે આપણે ભારતને છત્રપતિ શિવાજી મહારાજના પદચિહ્નોમાં ચાલી સ્વ-શાસન, સ્વ-ધર્મ અને સ્વાભિમાનના માર્ગે વિકાસ પામતું જોવાનું છે.” એમ કહીને કેન્દ્રીય મંત્રી ભાજપ + મહાયૂતી ઉત્તર મુંબઈના ઉમેદવાર પિયુષ ગોયલે જીજાઉ માતા અને છત્રપતિ શિવાજી મહારાજની દેશભક્તિને યાદ કરીને વંદન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ વિસ્તારમાં સતત બીજા દિવસે વીજ પુરવઠો રહ્યો બંધ, કલાકો સુધી અંધારુ છવાયું.. જાણો વિગતે..
બોરીવલી શિવસેના દ્વારા આદિત્ય કોલેજમાં , જયા નગર સ્પોર્ટ્સ ક્લબમાં જગદીશ ઓઝા દ્વારા આયોજિત સત્યનારાયણ મહાપૂજા, દહિસર પૂર્વ આનંદ નગર, ધારાસભ્ય મનીષા ચૌધરી દ્વારા આયોજિત એનએલ કોમ્પ્લેક્સના છત્રપતિ શિવાજી ઉદ્યાન ક્રીરાંગણ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મહોત્સવ, મગઠાણેના ધારાસભ્ય પ્રકાશ સૂર્વે આયોજિત કેતકીપાડા ખાતે, ભાજપ મુંબઈ ઉપાધ્યક્ષ પ્રકાશ દરેકર દ્વારા દહિસર પૂર્વ એનજી પાર્ક ખાતે આયોજિત, ચારકોપ માજી નગરસેવક ભાજપ પ્રમુખ બાલા તાવડે દ્વારા સંકલિત રાજે મિત્ર મંડળ ચારકોપમાં શ્રી પ્રહલાદ પઇના પ્રવચનનો કાર્યક્રમમાં આ મુજબ કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ અને તેમની પત્નીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના ઉત્તર મુંબઈ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને છત્રપતિ શિવાજી મહારાજ ને વંદન કર્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.