Anupama: શું અનુપમા ની ટીઆરપી વધારવા શો માંથી કપાશે અનુજ નું પત્તુ? સિરિયલ સાથે જોડાયેલા સૂત્ર એ આપી ગૌરવ ખન્ના ના શો છોડવા અંગે માહિતી

Anupama: છેલ્લા કેટલાક દિવસો થી સિરિયલ અનુપમા માં અનુજ ના પાત્ર ને લઈને ચર્ચા ચાલી રહી છે. કેટલાક રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે શો માંથી અનુજ ની એક્ઝિટ થઇ જશે. હવે શો સાથે જોડાયેલા એક સૂત્ર એ આ અંગે ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
Anupama source open up to gaurav khanna aka anuj exit in the rupali ganguly show

News Continuous Bureau | Mumbai 

Anupama: સિરિયલ અનુપમા એ સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલ ટીઆરપી લિસ્ટ માં હંમેશા ટોચ પર હોય છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. છેલ્લા કેટલાક દિવસો થી એવું કહેવામાં આવી રહ્યું છે કે, અનુજ સિરિયલના આગામી એપિસોડમાં મૃત્યુ પામશે. મીડિયા રિપોર્ટ મુજબ શો ણ મેકર્સ સિરિયલ ની ટીઆરપી વધારવા માટે અનુજ ના ટ્રેક ને સમાપ્ત કરવા જઈ રહ્યા છે. હવે આ અંગે શો સાથે જોડાયેલા એક સૂત્ર એ ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Janhvi kapoor: ગુડી પડવા ના દિવસે બાપ્પા ના આશીર્વાદ લેવા ખુલ્લા પગે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી જાહ્નવી કપૂર, વિડીયો થયો વાયરલ

સૂત્ર એ અનુજ ના પાત્ર અંગે કર્યો ખુલાસો 

સિરિયલ અનુપમા સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. આમાં જરા પણ સત્ય નથી. ગૌરવ, અનુજ તરીકે, શોનો અભિન્ન ભાગ બની રહેશે. આ અફવાઓ સંપૂર્ણપણે બનાવટી છે કારણ કે ગૌરવ શો છોડી રહ્યો નથી.’ તમને જણાવી દઈએ કે હાલ સિરિયલ માં અનુજ અને શ્રુતિ નો લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More