Rahul Gandhi : ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં મોટો ઉછાળો; કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 3 દિવસમાં લાખો રુપિયાની કરી કમાણી.. જાણો આંકડા..

Rahul Gandhi : રાહુલ ગાંધી પાસે ઘણી કંપનીઓના સ્ટોક છે. તેમાં ઇન્ફોસિસ, LTI માઇન્ડ ટ્રી, TCS, ITC, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ માહિતી ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રોમાંથી મળી આવી હતી. આ બધા સ્ટોકની ગણતરી શેરબજારની દિગ્ગજ કંપનીઓમાં થાય છે..

by Bipin Mewada
With the victory of Narendra Modi in this Lok Sabha elections, Rahul Gandhi also benefited from the stock market, earning millions of rupees in 3 days

News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જેના કારણે શેરબજારમાં ( stock market ) હાલ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની જીતથી હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ જબરદસ્ત ફાયદો થઈ રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે રાહુલ ગાંધીનો પોર્ટફોલિયો પણ વધ્યો હતો. રાહુલ ગાંધીના સ્ટોક પોર્ટફોલિયોમાં લગભગ 3.5 ટકાનો ઉછાળો આવ્યો હતો. 

વાસ્તવમાં રાહુલ ગાંધી પાસે ઘણી કંપનીઓના સ્ટોક છે. તેમાં ઇન્ફોસિસ, LTI માઇન્ડ ટ્રી, TCS, ITC, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ માહિતી ચૂંટણી ( Lok Sabha Elections ) દરમિયાન રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રોમાંથી મળી આવી હતી. આ બધા સ્ટોકની ગણતરી શેરબજારની દિગ્ગજ કંપનીઓમાં થાય છે. તેથી ચૂંટણી પરિણામો પહેલા સોમવારે માર્કેટમાં આવેલા જોરદાર ઉછાળાને કારણે રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં લગભગ 3.45 લાખ રૂપિયાનો વધારો થયો હતો. તો ચૂંટણી પરિણામોના દિવસે મંગળવારે પણ તેમને ભારે નુકસાન થયું હતું. તેમના પોર્ટફોલિયોમાં અંદાજે રૂ. 4.08 લાખનો ઘટાડો થયો હતો. 

Rahul Gandhi :  રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં લગભગ 13.9 લાખ રૂપિયાનો વધારો થયો હતો…

આ પછી બુધવારથી શેરબજારમાં ફરી ઉછાળો આવવા લાગ્યો હતો. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર 5 જૂને રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં લગભગ 13.9 લાખ રૂપિયાનો વધારો થયો હતો. તે ફરી 6 જૂનના રોજ લગભગ રૂ. 1.78 લાખ વધ્યો હતો. જો કે, 31 મેથી રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં ( Rahul Gandhi Portfolio ) 3.46 ટકાનો વધારો થયો હતો. જેમાં રાહુલ ગાંધીને આમાં લગભગ 15 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો.

આ સમાચાર  પણ વાંચો : Go Air Crisis: વાડિયા પરિવારની રૂ. 1900 કરોડની જમીન હવે વેચાવાની તૈયારીમાં, ગો એરને કારણે લાગ્યો મોટો ઝટકો..

નોંધનીય છે કે, 4 જૂન, 2024 ના રોજ, લોકસભા ચૂંટણીની ગણતરીના દિવસે, શાસક પક્ષ ભાજપને ( BJP ) બહુમતી ન મળવાને કારણે રોકાણકારોને 31 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ, આગામી ત્રણ ટ્રેડિંગ સેશનમાં ( trading session ) બજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી અને રોકાણકારોની સંપત્તિમાં ફરી રૂ. 28.66 લાખ કરોડનો વધારો થયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More