RSS: નાગપુરમાં આરએસએસ સંઘ ખાતે અંબાણીના જમાઈ પીરામલની હાજરી બાદ, હવે ફરી અપક્ષ અને વિપક્ષ વચ્ચે ફરી નવો વિવાદ ઉભો થવાની શક્યતા.

RSS: નાગપુરમાં 17 મેથી સંઘનો કાર્યકર વિકાસ વર્ગ શરૂ થયો હતો. આ વર્ગમાં દેશભરમાંથી 936 કાર્યકરોએ ભાગ લીધો હતો. આ વર્ગના સમાપન સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત પણ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.

by Bipin Mewada
Ambani's son-in-law Piramal at the RSS Sangh in Nagpur, now again there is a possibility of a new controversy with opposition

 News Continuous Bureau | Mumbai

RSS: દેશમાં રાહુલ ગાંધી અને INDIA ગઠબંધન દ્વારા સતત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર ભાજપના ( BJP )  ઉદ્યોગપતિ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે સોમવારે અંબાણીના જમાઈ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ પીરામલ ( Anand Piramal ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેડર વિકાસ વર્ગના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ વાતથી હવે આગામી સમયમાં વિરોધીઓને ફરી સરકાર પર આરોપ લગાવવાનો મોકો મળી ગયો છે. તેથી કોંગ્રેસ-ભાજપ તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર વધુ વધશે. 

નાગપુરમાં ( Nagpur ) 17 મેથી સંઘનો કાર્યકર વિકાસ વર્ગ શરૂ થયો હતો. આ વર્ગમાં દેશભરમાંથી 936 કાર્યકરોએ ભાગ લીધો હતો. આ વર્ગના સમાપન સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત ( Mohan Bhagwat ) પણ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા

RSS:  નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગો સહિત વિવિધ સંઘના કાર્યક્રમો નિયમિતપણે યોજાય છે….

આ કાર્યક્રમમાં, શ્રી ક્ષેત્ર ગોદાવરી ધામના મહંત રામગીરી મહારાજ સાથે વૈજ્ઞાનિક ડો. ક્રિષ્ના ઇલા, વ્યાપારી પ્રનુલ જીદ્દલ, નાના પાટેકરનો પુત્ર મલ્હાર પાટેકર, નામ ફાઉન્ડેશનના સીઇઓ ગણેશ થોરાત વગેરે હાજર રહ્યા હતા. જોકે, આનંદ પીરામલની હાજરીએ સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.

આ સમાચાર  પણ વાંચો :  Digangana suryavanshi fraud case: ટીવી અભિનેત્રી દિગંગના સૂર્યવંશી પર લાગ્યો છેતરપિંડી નો આરોપ, બોલિવૂડના આ સુપરસ્ટાર નું નામ લઈને કર્યો ફ્રોડ, જાણો શું છે હકીકત

નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગો સહિત વિવિધ સંઘના કાર્યક્રમો નિયમિતપણે યોજાય છે. આ દરેક ઇવેન્ટમાં સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવે છે. આ દરમિયાન સંઘ અને ભાજપ વચ્ચે કોઈ જોડાણ ન હોવાના દાવાઓ બંને પક્ષો દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે સંઘ માત્ર માર્ગદર્શકની ભૂમિકામાં છે.

આ સંદર્ભમાં, તાજેતરમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. જેપી નડ્ડાએ ( JP Nadda ) નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપ પોતે મજબુત પક્ષ હોવાથી અમને ચૂંટણી જીતવા માટે કોઈ સંઘના મદદની જરૂર નથી. આ બાદ, જેપી નડ્ડાના નિવેદન  કારણે ભાજપ અને સ્વયંસેવકો વચ્ચે ભારે વિરોધ જોવા મળ્યો હતો.

RSS:  ભાજપ સરકાર પર સમયાંતરે ઉદ્યોગપતિ સાથે જોડાણના આરોપ…

મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારોની હાર થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તા પરથી રાજીનામું આપવાની વિનંતી કરી હતી. જે બાદ ફડણવીસ જ્યારે નાગપુર આવ્યા ત્યારે સંઘના ત્રણ પદાધિકારીઓ તેમને તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા. આ પછી  દેવેન્દ્ર ફડણવીસ સીધા દિલ્હી જવા રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે,  જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે. ત્યારથી વિપક્ષ મોદી  અને અંબાણી વચ્ચે જોડાણ અને તેમને જ દરેક માટે મોટા કોન્ટ્રાક્ટ આપવાનો સતત આરોપ લગાવી રહ્યા છે. જો કે, લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) દરમિયાન ભાજપે પણ વિપક્ષ  પર પલટવાર કર્યો હતો અને કોંગ્રેસ ( Congress ) પર અંબાણી અને અદાણી પાસેથી પૈસા લેવાનો મોટો આરોપ લગાવ્યો હતો. આ બધાની પૃષ્ઠભૂમિ વચ્ચે અંબાણીના જમાઈની સંઘના કાર્યક્રમમાં હાજરી આપવાથી હવે ચર્ચાનું બજાર ફરી ગરમ થશે અને અપક્ષ અને વિપક્ષ વચ્ચે ફરી આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર વધી જશે.

આ સમાચાર  પણ વાંચો :  Mumbai Rain: મુંબઈમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખુલી, અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More