Ajay Jadeja: એસીબીના સીઇઓએ કર્યો મોટો ખુલાસો, અજય જાડેજાએ ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનને માર્ગદર્શન આપવા માટે પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો..

Ajay Jadeja: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO નસીબ ખાને એક મિડીયા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, અજય જાડેજાએ ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની ટીમના માર્ગદર્શન માટે કોઈપણ પૈસા લેવાનો ઈન્કાર કર્યો હતો.

by Bipin Mewada
ACB CEO makes big revelation, Ajay Jadeja refuses to take money to guide Afghanistan in ODI World Cup 2023.

News Continuous Bureau | Mumbai  

Ajay Jadeja:  ભૂતપૂર્વ અનુભવી ખેલાડી અજય જાડેજા ભારતમાં રમાયેલા 2023 ODI વર્લ્ડ કપમાં ( 2023 ODI World Cup ) અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના માર્ગદર્શક રહ્યા હતા. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવી મોટી ટીમોને હરાવી હતી. એવું માનવામાં આવતું હતું કે અજય જાડેજાને આપવામાં આવેલી મોટી રકમ અફઘાનિસ્તાન માટે અસરકારક સાબિત થશે. જો કે હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, અજય જાડેજાએ અફઘાનિસ્તાનને માર્ગદર્શક તરીકે ફરજ બજાવવા માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી ફી તરીકે એક રૂપિયો પણ લીધો નથી.  

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO ( ACB CEO )  એરેના ન્યૂઝ સાથે વાત કરતા આ ખુલાસો કર્યો હતો કે, અજય જાડેજાએ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન તેમની મેન્ટોર તરીકેની સેવાઓ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ( Afghanistan Cricket Team ) બોર્ડ પાસેથી કોઈપણ પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેમણે કહ્યું હતું કે, જો તમે સારું રમો છો, તો મારે ફક્ત તે જ જોઈએ છે. તે જ મારા માટે પૈસા અને પુરસ્કારો હશે. 

Ajay Jadeja: અજય જાડેજા 2023 ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમના મેન્ટર અને આસિસ્ટન્ટ કોચ હતા…

ઉલ્લેખનીય છે કે અજય જાડેજા 2023 ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ( Afghanistan  ) ટીમના મેન્ટર અને આસિસ્ટન્ટ કોચ હતા. અજય જાડેજાની દેખરેખ હેઠળ અફઘાનિસ્તાનની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને ઘણું નામ કમાવ્યું હતું. વિશ્વ કપમાં અફઘાનિસ્તાનના પ્રદર્શન માટે વિશ્વભરના ક્રિકેટ ( Cricket Coach ) ચાહકો અજય જાડેજાને શ્રેય આપી રહ્યા હતા. 

આ સમાચાર  પણ વાંચો : Raghavji Patel: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બાવળા ખાતે આવેલા ઈ -રેડિયેશન પ્લાન્ટની મુલાકાત લીધી

નોંધનીય છે કે, અજય જાડેજાએ 1992માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી હતી. ટેસ્ટમાં તેમના 576 રન અને વનડેમાં 5359 રન છે. તે સમયે જાડેજાને ODI ક્રિકેટમાં નિષ્ણાત બેટ્સમેન માનવામાં આવતો હતો. ODI ક્રિકેટમાં તેમના નામે છ સદી અને 30 અડધી સદી છે. 1996 ODI વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચમાં 6ઠ્ઠા નંબર પર આવતા અજય જાડેજાએ માત્ર 25 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે પાકિસ્તાન તે મેચ હારી ગયું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More