Delhi flag hoisting row: દિલ્હીમાં ધ્વજ ફરકાવવાના વિવાદમાં નવો ટ્વીસ્ટ, એલજીએ આતિશીની જગ્યાએ આ મંત્રીના નામને આપી મંજૂરી…

Delhi flag hoisting row: રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ ફરકાવવાનો વિવાદ અટકી રહ્યો નથી. રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં જેલમાં છે, તેથી જ્યારે તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મંત્રી આતિશીની પસંદગી કરી, ત્યારે ઉપરાજ્યપાલે તે માંગને ફગાવી દીધી. આના થોડા સમય બાદ એલજીએ 15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે દિલ્હીના ગૃહમંત્રી કૈલાશ ગેહલોતને નોમિનેટ કર્યા છે.

by kalpana Verat
Delhi flag hoisting row In Row With AAP Over Flag Hoisting, Delhi Lt Governor Picks Kailash Gahlot

 News Continuous Bureau | Mumbai 

Delhi flag hoisting row: દેશની રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ ફરકાવવાનો વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં તિહાડ જેલમાં બંધ છે. એટલે તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મંત્રી આતિશીની પસંદગી કરી, ત્યારે ઉપરાજ્યપાલે માંગને ફગાવી દીધી હતી. હવે આ વિવાદમાં એક નવું અપડેટ આવ્યું છે, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ધ્વજ ફરકાવવા માટે દિલ્હીના ગૃહ પ્રધાન કૈલાશ ગેહલોતને નામાંકિત કર્યા છે. ગેહલોત દિલ્હી સરકારમાં ગૃહમંત્રી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સ્થાને ગેહલોત ધ્વજ ફરકાવશે.

Delhi flag hoisting row:અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કે દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા અઠવાડિયે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને કહ્યું હતું કે તેમની જગ્યાએ કેબિનેટ મંત્રી દિલ્હી સરકારના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન આતિશી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે કહ્યું હતું કે તેને મુખ્યમંત્રી તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. ઉપરાંત, તિહાર જેલ સત્તાવાળાઓએ કેજરીવાલને જાણ કરી હતી કે સક્સેનાને લખેલો તેમનો પત્ર જેલના નિયમો હેઠળ તેમને મળેલા વિશેષાધિકારોનો દુરુપયોગ છે.

Delhi flag hoisting row: જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે આતિશીના પ્રસ્તાવને ફગાવી દીધો 

દિલ્હી સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) એ અરવિંદ કેજરીવાલની જગ્યાએ ધ્વજ ફરકાવવાના આતિશીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જે બાદ વિવાદ વધ્યો હતો. આ અંગે આમ આદમી પાર્ટી તરફથી તીખી પ્રતિક્રિયા આવી હતી.

આ સમાચાર પણ વાંચો:Waqf Bill Row: આ બીજેપી સાંસદને નિયુક્ત કરાયા JPC પ્રમુખ, વકફ બિલની તપાસ કરશે.

Delhi flag hoisting row: આતિશીએ એલજીને વાઇસરોય તરીકે કહ્યું

આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકાવવાનો અધિકાર ચૂંટાયેલી સરકાર અને મુખ્યમંત્રીને છે. પરંતુ તેઓ હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે, તેથી મંત્રી હોવાને કારણે તેમણે મને ધ્વજ ફરકાવવાનું કહ્યું. આ માટે મુખ્યમંત્રીએ પત્ર લખીને આદેશ આપ્યો હતો કે મંત્રી હોવાના નાતે હું 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવીશ, પરંતુ અધિકારીઓએ આ આદેશ પણ માનવાનો ઈન્કાર કરી દીધો હતો. લેફ્ટનન્ટ ગવર્નર પર પ્રહાર કરતા આતિશીએ કહ્યું કે, આજે દિલ્હીની ચૂંટાયેલી સરકારને ધ્વજ ફરકાવવાના અધિકારથી રોકવામાં આવી રહી છે, તેથી લાગે છે કે દિલ્હીમાં નવો વાઈસરોય આવી ગયો છે. એલજી સાહેબ દિલ્હીની ચૂંટાયેલી સરકારને ધ્વજ ફરકાવતા રોકી રહ્યા છે. આનાથી મોટી સરમુખત્યારશાહી કઈ હોઈ શકે? હવે જોવાનું છે કે ભાજપ લોકશાહીની સાથે છે કે તાનાશાહીની સાથે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More