Mahakumbh 2025: ભારતીય રેલવેની ડિજિટલ, મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓની આરામદાયક મુસાફરી માટે શરૂ કરી આ ખાસ સુવિધાઓ

Mahakumbh 2025: સંસ્કૃતિ અને પ્રૌદ્યોગિકી સંગમ ગંગા, જેને ભારતીય ઉપમહાદ્વીપની સૌથી પવિત્ર અને મ્હહ્ત્વપૂર્ણ નદી માનવામાં આવે છે. ના કેવળ ભારત ની સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ તે સમગ્ર ભારતીય સમાજના જીવનનો એક અભિન્ન ભાગ પણ છે.

by khushali ladva
Mahakumbh 2025 Indian Railways launches these special facilities for the comfortable journey of devotees going to Mahakumbh, digitally

News Continuous Bureau | Mumbai 

Mahakumbh 2025: મહાકુંભ એક એવો પ્રસંગ છે જ્યારે લાખો યાત્રાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર આશીર્વાદ મેળવવા માટે પ્રયાગ આવે છે. આ આયોજન માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભારતીય સમાજની વિવિધતા અને એકતાનું પણ પ્રતીક છે. દર 12 વર્ષે યોજાતો મહાકુંભ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જેમાં આ વર્ષે લગભગ 30 કરોડ શ્રધ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

આ વિશાળ આયોજન માં શ્રદ્ધાળુઓની અવરજવર સરળ અને સુવિધાજનક સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે છેલ્લા ત્રણ વર્ષથી અથાક મહેનત કરી રહી છે. પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે કુંભ વિસ્તારના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં ગંગા પર એક નવા પુલનું નિર્માણ પણ સામેલ છે. ઉપરાંત, ભારતીય રેલવે એ મુસાફરીને આરામદાયક અને સલામત બનાવવા માટે ઘણા નવા પગલાં લીધાં છે –

Mahakumbh 2025: ભારતીય રેલવે ની ડિજિટલ પહેલ

રેલ મુસાફરીને સુધારવા માટે, ભારતીય રેલવે એ કુંભ રેલ સેવા વેબસાઇટ અને એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. આ પ્લેટફોર્મ તીર્થ યાત્રાળુઓને ટ્રેનનું સમયપત્રક, ટિકિટની ઉપલબ્ધતા, સ્ટેશન સુવિધાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આની મદદથી, શ્રધ્ધાળુ તેમની યાત્રાનું આયોજન કરી શકે છે, ટિકિટ બુક કરી શકે છે અને મુસાફરી સંબંધિત બધી માહિતી એક જ જગ્યાએથી મેળવી શકે છે.

દેશની ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં રાખીને, સ્ટેશનો પર 12 મુખ્ય ભારતીય ભાષાઓમાં જાહેરાતો કરવામાં આવી રહી છે. ભારતીય રેલવે સુવિધા પુસ્તિકા 22 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર હિન્દી, અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પણ માહિતી પૂરી પાડે છે. ભારતીય રેલવે ના આ પ્રયાસથી દરેક યાત્રાળુને માહિતી મેળવવાનું સરળ બની રહ્યું છે, પછી ભલે તે કોઈપણ ભારતીય રાજ્યનો હોય કે વિદેશી.

આ સમાચાર પણ વાંચો : Nita ambani: ટ્રેડિશનલ જામેવાર સાડી પહેરીને ડોનાલ્ડ ટ્રમ્પ ની ડિનર પાર્ટી માં પહોંચી નીતા અંબાણી પહોંચ્યા, બિઝનેસ વુમન ની આ વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

ભારતીય રેલવે એ મુસાફરીને વધુ સરળ બનાવવા માટે, લગભગ 2,000 સ્ટેશનો પર એક સંકલિત ડિજિટલ ડિસ્પ્લે નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે મુસાફરોને રીઅલ-ટાઇમ અપડેટ્સ આપે છે. આ ડિસ્પ્લે દ્વારા સ્ટેશન વિશેની બધી જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે. વધુમાં, મુખ્ય ટર્મિનલ્સ પર ટચ-સ્ક્રીન કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ટિકિટ કાઉન્ટર અને માહિતી કેન્દ્રો બંને તરીકે કાર્ય કરે છે. આનાથી માત્ર લાંબી કતારોની સમસ્યા જ દૂર થતી નથી પણ મુસાફરોને સ્ટેશન પર કાર્યક્ષમ રીતે નેવિગેટ કરવામાં પણ મદદ મળે છે.

વધુમાં, ભારતીય રેલવે એ બારકોડ-આધારિત અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) લાગુ કરી છે, જેનાથી ટિકિટ ખરીદી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે. સ્ટેશન પર રેલવે કર્મચારીઓ QR કોડથી સજ્જ લીલા જેકેટ પહેરીને હાજર હોય છે, જેને સ્કેન કરીને મુસાફરો મોબાઇલ UTS એપ ડાઉનલોડ કરી શકે છે.

Mahakumbh 2025: વોર રૂમ: મહાકુંભનું નિરીક્ષણ અને સુરક્ષા

મહાકુંભ 2025 માં આટલી મોટી ભીડના આગમનને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે અને સંબંધિત વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પ્રયાગરાજમાં સ્થિત મહાકુંભ વોર રૂમ આ કાર્યક્રમનું મુખ્ય નિયંત્રણ કેન્દ્ર બન્યું છે, જ્યાં 24×7 દેખરેખ રાખવામાં આવી રહી છે. વોર રૂમમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેનો ના સંચાલન, જાહેર ટ્રાફિક અને તીર્થ યાત્રાળુઓની અવરજવર પર કડક નજર રાખવામાં આવે છે.

સુરક્ષા ના હેતુઓ માટે, એક હજારથી વધુ સર્વેલન્સ કેમેરા, જેમાંના કેટલાકમાં ચહેરાની ઓળખ પ્રણાલીનો પણ સમાવેશ થાય છે, તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રાજ્ય પોલીસના 23,000 થી વધુ કર્મચારીઓને આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને તૈનાત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો, ભારતીય રેલવે મુંબઈ-અમદાવાદ વચ્ચે 3 જોડી સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે, જાણો સમયપત્રક

Mahakumbh 2025: નવીનતા અને સાંસ્કૃતિક સંકલન

મહાકુંભ 2025 ફક્ત ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક જ નહીં પરંતુ તે ભારતની ટેકનોલોજીકલ અને ડિજિટલ પ્રગતિને પણ પ્રકાશિત કરશે. આ આયોજન દર્શાવે છે કે કેવી રીતે જૂની પરંપરાઓ ની સાથે નવીનતમ ટેકનોલોજી નો વધુ સારો અને સુરક્ષિત અનુભવ બનાવી શકે છે. ભારતીયરેલવે ની આ પહેલો યાત્રાળુઓ માટે મુસાફરીને સરળ બનાવે છે એટલું જ નહીં પરંતુ તેઓ ભારતીય સમાજના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને નવીનતા વચ્ચે સંતુલન જાળવવાનું ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More