News Continuous Bureau | Mumbai
Agriculture: ૨૬મી જાન્યુ.-પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરપાડા તાલુકાની વાડી સૈનિક સ્કુલ ખાતે શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના ૧૩ વિભાગોએ સરકારની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓના ટેબ્લો રજૂ કર્યા હતા. જેમાં સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત ટેબ્લોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ટેબ્લોમાં આત્મા પ્રોજેકટ હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર બનાવવાના લાઈવ નિદર્શન સાથે ડ્રોન દ્વારા દવાઓના છંટકાવનું લાઈવ નિદર્શન કરાયું હતું. જે બદલ મંત્રીશ્રીના હસ્તે જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત તથા જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીતને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે બીજા ક્રમે વન વિભાગ તથા ત્રીજા ક્રમાંકે જેટકોના ટેબ્લો પસંદગી પામ્યા હતા
આ સમાચાર પણ વાંચો : Surat: ગર્વની ક્ષણ, કોડેવર રોબોટિક્સમાં તનય પટેલે જીત્યું પ્રમુખ ટાઇટલ, રાષ્ટ્રીય સ્પર્ધામાં દાવેદાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.