News Continuous Bureau | Mumbai
- દિવ્યાંગ સંજય પરમાર દર્દીનારાયણની સેવા માટે હરહંમેશ તત્પર રહે છે
Surat: સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિનની ઉજવણી કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે હોટેલમાં પાર્ટી કરીને કરતાં હોય છે, પરંતુ સુરત નવી સિવિલના નર્સિંગ સ્ટાફ સંજય પરમારે પ્રથમવાર રક્તદાન કરીને ૩૧મા જન્મદિનની સેવાસભર ઉજવણી કરી હતો. સંજય પરમાર દિવ્યાંગ છે અને દર્દીનારાયણની સેવા માટે હરહંમેશ મદદરૂપ થવાની ભાવના સાથે તત્પર રહે છે. થોડા દિવસો પહેલા એક સગર્ભા ગાયનેક વોર્ડ પહોંચે તે પહેલાં જાહેરમાં ઓપીડીમાં પ્રસૂતિ પીડા ઉપડતા સુરક્ષિત અને મહિલાની ગરિમા જળવાય એ મુજબ પ્રસૂતિ કરાવવામાં મદદરૂપ થયા હતા.
આ સમાચાર પણ વાંચો: Sandeepbhai Desai: કામરેજ ખાતે શંખેશ્વર મહાદેવ મંદિરમાં વિકાસકાર્ય શરુ, ધારાસભ્ય સંદિપભાઈ દેસાઇએ આટલા કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા
Surat: આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ સંજયભાઈ જેવા જાગૃત્ત આરોગ્ય કર્મયોગીઓની સેવાભાવનાની સરાહના કરી હતી. સુરતવાસીઓ પોતાના જન્મદિનની ઉજવણી હોટેલોમાં પરિવાર-મિત્રો સાથે કરતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ આવીને દર્દીઓ સાથે, તેમને મદદરૂપ થઈને પણ જન્મદિનની અનોખી ઉજવણી કરી શકાય એવો સંદેશ આપ્યો હતો. રક્તદાન સમયે નર્સિંગ એસો.ના બિપિન મેકવાન અને આરોગ્ય, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed