News Continuous Bureau | Mumbai
Fenugreek Water Benefits: એક સારી તંદુરસ્તી માટે તમામ પ્રકારના ભોજનનું સેવન કરવું જોઈએ. મેથી અને તેના દાણા નું પાણી સૌથી ખાસ હોય છે. મેથીને તંદુરસ્તી માટે સૌથી ખાસ ફૂડમાંનું એક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત અને વાળને પણ મજબૂતી મળે છે. મોટાપાથી પરેશાન લોકો મેથીના દાણા નું પાણી પીવું વધુ પસંદ કરે છે. મેથીના દાણા નું પાણી પીવાથી જેટલો ફાયદો થાય છે એટલું જ નુકસાન પણ થાય છે.
લોકો કહે છે કે, જો તમે એક મહિના સુધી મેથીના દાણા નું પાણી પીતા હો તો તમારું મોટાપું છૂમંતર થઈ જાય છે. શું આ સાચું છે? ચાલો જાણીએ આ સમાચાર માં.
મેથીમાંથી કયા તત્વો મળે છે
મેથીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે જે તંદુરસ્તી માટે ફાયદાકારક હોય છે. મેથીમાં ઝિંક, સોડિયમ, ફોસ્ફોરસ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા મિનરલ્સ મળે છે. આ ઉપરાંત મેથીમાં પ્રોટીન, સ્ટાર્ચ, ફોસ્ફોરિક એસિડ જેવા ન્યુટ્રિએન્ટ્સ પણ હોય છે. તેનો સેવન કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. કહે છે કે, જો તમે એક મહિના સુધી મેથીનું પાણી પીતા હો તો ફાયદો થાય છે.
આ સમાચાર પણ વાંચો : Health Tips: આ નાના કાળા બીજ છે ગુણોનો ભંડાર, વજન ઘટાડવાની સાથે તે બ્લડ સુગરને પણ કરે છે નિયંત્રિત..
મેથીનું પાણી ક્યારે પીવું જોઈએ
મેથીનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે. આથી ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે. મેથીનું પાણી પીવાથી વજન ઘટવામાં મદદ મળે છે. જો તમે વજન ઘટાડવા તરફ આગળ વધી રહ્યા હો તો મેથીનું પાણી અસરકારક ફાયદા પહોંચાડશે.
મેથીનું પાણી પીવાથી કેટલું વજન ઘટે છે
મેથીનું પાણી પીવાથી 1 થી 2 કિલો સુધી વજન ઘટી શકે છે. મહિને મેથીનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ (bad cholesterol) ઘટે છે.