AMR crisis: એન્ટીબાયોટિક દવાઓના દુરુપયોગ પર સરકાર સખત: પશુઓ માટે લાગુ થશે નવું મોનિટરિંગ સિસ્ટમ

AMR crisis: AMRના વધતા ખતરા વચ્ચે પશુઓમાં એન્ટીબાયોટિકના અંધાધૂંધ ઉપયોગ પર લાગશે કાબૂ, તમામ રાજ્યોમાંથી માહિતી માંગાઈ

by kalpana Verat
AMR crisis Government Cracks Down on Antibiotic Misuse in Animals, New Monitoring System Introduced

News Continuous Bureau | Mumbai

AMR crisis:કેન્દ્ર સરકારે પશુઓમાં એન્ટીબાયોટિક (Antibiotic) દવાઓના બેફામ ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે વિના પર્ચી વેચાતી દવાઓ પર પણ કડક નજર રાખવામાં આવશે. પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુ આરોગ્ય વિભાગે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)ના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

AMR crisis: એન્ટીબાયોટિક ના દુરુપયોગથી AMRનો ખતરો: હવે સરકાર લેશે કડક પગલાં

AMR એ એવી સ્થિતિ છે જેમાં બેક્ટેરિયા અને વાયરસ જેવી જીવાણુઓ એન્ટિબાયોટિક દવાઓ સામે અસરો ગુમાવી દે છે. આથી સામાન્ય ઇન્ફેક્શન પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. WHOએ પણ ચેતવણી આપી છે કે પશુઓમાં દવાઓનો વધુ ઉપયોગ માનવ આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે.

 AMR crisis:  મોનીટરીગ માટે નવો તંત્ર: તમામ રાજ્યોમાંથી મંગાવી માહિતી

કેન્દ્રના CDSCOએ તમામ રાજ્યોને એન્ટીબાયોટિક બનાવતી અને વેચતી ફાર્મા કંપનીઓની યાદી મોકલવા કહ્યું છે. આ માહિતીના આધારે નવો મોનિટરિંગ મેકેનિઝમ તૈયાર કરવામાં આવશે, જે દવાઓના વેચાણ અને ઉપયોગ પર નજર રાખશે.

આ સમાચાર પણ વાંચો : Naxalism Crushed: નક્સલવાદ (Naxalism) પર ત્રિસ્તરીય હુમલો, સરકારની રણનીતિએ નક્સલવાદની કમર તોડી નાખી

AMR crisis: પશુચિકિત્સક સેવાઓની અછત: દવાઓનો ખોટો ઉપયોગ વધી રહ્યો છે

ભારતમાં દર 40,000 પશુઓ માટે માત્ર એક પશુચિકિત્સક ઉપલબ્ધ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો ડોક્ટરની સલાહ વિના દવાઓ ખરીદી લે છે. ઘણીવાર દુકાનદારો પણ વિના પર્ચી દવાઓ વેચી દે છે, જેના કારણે દવાઓનો ખોટો અને અંધાધૂંધ ઉપયોગ વધી રહ્યો છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More