News Continuous Bureau | Mumbai
Ahmedabad Plane Crash : 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જતું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું હતું. તેમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી ફક્ત એક જ મુસાફર, વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો હતો. આ અકસ્માતમાં 241 મુસાફરો અને જમીન પર 38 લોકોના મોત થયા હતા, જેના કારણે કુલ મૃત્યુઆંક 279 થયો હતો. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
अहमदाबाद प्लेन क्रैश में नया वीडियो आया सामने
प्लेन टकराने के बाद बी.जे.मेडिकल की हॉस्टेल में फसे स्टुडन्ट अपनी जान बचाने के लीए बाल्कनी से कूदे थे #AhmedabadPlaneCrash #planecrash #Ahmedabad #PlaneCrashIndia #BJMedicalCollege pic.twitter.com/bTGB6TpAU3
— Kamit Solanki (@KamitSolanki) June 17, 2025
Ahmedabad Plane Crash : બંને એન્જિનમાં અચાનક પાવર કટ થવાનું સંભવિત કારણ
વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. પરંતુ ટેકઓફ થયાના થોડી સેકન્ડ પછી, પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલે મેડે કોલ કર્યો અને વિમાન ક્રેશ થયું. પ્રાથમિક તપાસમાં બંને એન્જિનમાં અચાનક પાવર કટ થવાનું સંભવિત કારણ બહાર આવ્યું છે. વિમાનનો કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (બ્લેક બોક્સ) મળી આવ્યો છે, અને ભારત અને અમેરિકા સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે.
Ahmedabad Plane Crash : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ
આ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું, જેમના મૃતદેહની ઓળખ ડીએનએ પરીક્ષણ બાદ કરવામાં આવી હતી. સોમવાર સાંજ સુધીમાં 135 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.
આ સમાચાર પણ વાંચો : Air India plane crash:એર ઇન્ડિયા વિમાનનું બીજું બ્લેક બોક્સ મળી આવ્યું, છેલ્લી વાતચીતનું રેકોર્ડિંગ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ખોલશે
Ahmedabad Plane Crash : હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો સનસનાટીભર્યો વીડિયો
આ વીડિયોમાં, વિદ્યાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદતા જોવા મળે છે. કારણ કે વિમાન દુર્ઘટના પછી લાગેલી આગ અને ધુમાડાને કારણે પરિસ્થિતિ ગંભીર હતી. હોસ્ટેલના મેસ વિસ્તારમાં વિમાન ક્રેશ થયું, જ્યાં લંચનો સમય હતો. આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઘાયલ થયા, જ્યારે કેટલાકના મોત થયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)