India Pakistan Nuclear Threat: પરમાણુ હુમલાની ધમકીઓ પર ભારતે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ; અસીમ મુનીર ના નિવેદન પર કહી આવી વાત

India Pakistan Nuclear Threat: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકામાં આપેલ અણુ હુમલાની ધમકી, ભારતે કહ્યું - "આવી ધમકીઓ સામે ક્યારેય ઝૂકીશું નહીં"; પાકિસ્તાનના અણુ નિયંત્રણ પર ઊઠાવ્યા ગંભીર સવાલો.

by Zalak Parikh
India Responds Firmly to Pakistan’s Nuclear Threats; MEA Calls Statement Irresponsible

News Continuous Bureau | Mumbai

India Pakistan Nuclear Threat:પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે અને ત્યાં તેમણે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. આ ધમકીનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે આવી ધમકીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં અને મુનીરના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, “અમેરિકાની મુલાકાત દરમિયાન પાકિસ્તાની આર્મી ચીફ દ્વારા આપવામાં આવેલા કથિત નિવેદનોની અમે નોંધ લીધી છે. પરમાણુ હથિયારોની ધમકી આપવી એ પાકિસ્તાનની આદત બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આવા નિવેદનોની બેજવાબદારી વિશે પોતે જ નિષ્કર્ષ કાઢી શકે છે.”

અણુ નિયંત્રણ પર ગંભીર સવાલો

 વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, “મુનીરનું નિવેદન એવા દેશના પરમાણુ નિયંત્રણ અને કમાન્ડની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરે છે, જ્યાં સૈન્યના સંબંધો આતંકવાદી સંગઠનો સાથે છે. તે પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ નિવેદન એક મિત્ર દેશની ધરતી પરથી કરવામાં આવ્યા છે. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ ધમકીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા માટે જરૂરી તમામ પગલાં લેતા રહીશું.”

આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar: રાઉતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ને લઈને વ્યક્ત કરી આવી આશંકા, પૂછ્યા આવા સવાલ

પાકિસ્તાનની બેજવાબદાર પ્રવૃત્તિઓ

 ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે, જ્યારે અમેરિકા પાકિસ્તાની સેના સાથે ઊભું રહે છે, ત્યારે ત્યાંની સેના પોતાનો આક્રમક ચહેરો બતાવવાનું શરૂ કરે છે. આ વખતે પણ અમેરિકાનો ટેકો મળ્યા બાદ પાકિસ્તાની આર્મી ચીફે ખુલ્લેઆમ ધમકી આપી છે. આવનારા કેટલાક દિવસોમાં પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થઈ શકે છે અને અસીમ મુનીર પાકિસ્તાનના વડાપ્રધાન પણ બની શકે છે. ભારતીય સરકારી સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારોની સુરક્ષાને ગંભીર ખતરો છે. આ હથિયારો આતંકવાદીઓ અને બેજવાબદાર લોકોના હાથમાં જવાની શક્યતાને નકારી શકાય નહીં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More