Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.

દક્ષિણ રેલવેના ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર પુનર્વિકાસ કાર્યના બીજા તબક્કાના સંદર્ભમાં લાઇન બ્લોક અને પાવર બ્લોકના કારણે પ્લેટફોર્મ નં. 7, 8 અને 9 પ્રભાવિત થશે

by Dr. Mayur Parikh
Ahmedabad Tiruchirappalli Special Train ચેન્નઈ એગ્મોર સ્ટેશન

જેના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે જેની વિગતો નીચે મુજબ છે:

News Continuous Bureau | Mumbai

1. 18, 25 સપ્ટેમ્બર તથા 2, 9, 16, 23, 30 ઑક્ટોબર અને 6 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા રેનીગૂંટા, તિરુત્તાની, મેલપક્કમ, કાટપાડી અને વેલ્લોર કૅન્ટ ના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેનને તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યુ છે.
આ ટ્રેન અરક્કોણમ, પેરંબુર, ચેન્નઈ એગ્મોર, તાંબરમ અને ચેંગલપટ્ટુ સ્ટેશનો પર નહીં જાય.

2. 14, 21, 28 સપ્ટેમ્બર તથા 5, 12, 19, 26 ઑક્ટોબર અને 2, 9 નવેમ્બર 2025એ તિરુચિરાપલ્લીથી ચાલનારી ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા વેલ્લોર કૅન્ટ, કાટપાડી, મેલપક્કમ, તિરુત્તાની અને રેનીગૂંટાના રસ્તે ચાલશે. આ દરમિયાન તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
આ ટ્રેન ચેંગલપટ્ટુ, તાંબરમ, ચેન્નઈ સેન્ટ્રલ, પેરંબુર અને અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખી મુસાફરી શરૂ કરે. ટ્રેનોની વિગતવાર માહિતી માટે કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More