News Continuous Bureau | Mumbai
Smriti Mandhana-Palash Muchhal: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખિલાડી સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ મ્યુઝિક કંપોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ, લગ્નથી બરાબર એક દિવસ પહેલા લગ્ન અચાનક પોસ્ટપોન થઈ ગયા. સ્મૃતિના પિતા સંગીત સેરેમનીના દિવસે અચાનક બીમાર પડી ગયા અને લગ્ન પોસ્ટપોન કરવા પડ્યા. જ્યારથી સ્મૃતિ અને પલાશના લગ્ન પોસ્ટપોન થયા છે ત્યારથી અલગ-અલગ થ્યોરીઝ સામે આવી રહી છે. આ દરમિયાન બંનેના લગ્નની નવી ડેટને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ, જેના પર હવે સ્મૃતિ મંધાનાના ભાઈ શ્રવણ મંધાનાએ પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Mrs. Deshpande Trailer : માધુરી દીક્ષિતની ‘મિસિસ દેશપાંડે’નું ટ્રેલર થયું રિલીઝ, અભિનેત્રીની આ ભૂમિકા જોઈને ફેન્સ થયા ખુશ
શું બોલ્યા શ્રવણ મંધાના?
સોશિયલ મીડિયા પર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્નની નવી તારીખને લઈને બજાર ગરમ થઈ ગયું. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે બંને હવે 7 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્નને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવતા હતા, જેના પર હવે સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ પૂર્ણ વિરામ લગાવી દીધો છે અને જણાવ્યું કે હજી સુધી લગ્નની નવી ડેટ નક્કી થઈ નથી. એટલે કે હજી પણ સ્મૃતિ અને પલાશના લગ્ન પોસ્ટપોન જ છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, સ્મૃતિ મંધાનાના ભાઈએ કહ્યું- ‘મને આ અફવાઓ (લગ્નની નવી તારીખ) વિશે કોઈ આઇડિયા નથી. આ લગ્ન હાલમાં પોસ્ટપોન જ છે.’ બીજી તરફ પલાશ મુચ્છલની માતા સતત લગ્ન પોસ્ટપોન થવાના કારણો વિશે વાત કરી રહ્યા છે અને તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે પલાશ અને સ્મૃતિના લગ્ન જલ્દી જ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)