BMC Election: BMC ચૂંટણીમાં ‘મોટા ભાઈ’ કોણ? શિંદે અને ફડણવીસ વચ્ચેની મેરેથોન બેઠકમાં 150 બેઠકો પર સહમતી, જાણો ક્યાં અટકી વાત. .

‘વર્ષા’ બંગલે થયેલી બેઠકમાં સીટ શેરિંગ પર મંથન; ફડણવીસે ભાજપના કાર્યકરોને સાથી પક્ષો પર નિશાન ન સાધવા આપી કડક સૂચના.

by aryan sawant
BMC Election BMC ચૂંટણીમાં 'મોટા ભાઈ' કોણ શિંદે અને ફડણવીસ વચ્ચેની મેરેથોન

News Continuous Bureau | Mumbai

BMC Election  મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે અસલી જંગ એશિયાની સૌથી ધનિક પાલિકા એટલે કે મુંબઈ મહાનગરપાલિકા (BMC) માટે ખેલાવાનો છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વચ્ચે સતત બે કલાક સુધી બેઠક ચાલી હતી. લાંબા સમય બાદ બંને નેતાઓ એકસાથે બેસીને ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જેનાથી ગઠબંધનમાં ચાલી રહેલી ખેંચતાણના સમાચારો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ થયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિંદે સેના અને અજિત પવારની NCP) વચ્ચે ૨૨૭ બેઠકોમાંથી ૧૫૦ બેઠકો પર સહમતી સધાઈ ગઈ છે. બાકીની ૭૭ બેઠકો પર હજુ મંથન ચાલુ છે. આ બેઠકમાં વધુ ૩૦ થી ૩૫ બેઠકોનો મામલો ઉકેલાયો હોવાનું મનાય છે.

ફડણવીસની ભાજપ કાર્યકરોને શિખામણ

બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે ભાજપના નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે કોઈ પણ કાર્યકર સાથી પક્ષો (શિંદે સેના કે અજિત પવાર જૂથ) ને ટાર્ગેટ કરીને નિવેદનબાજી ન કરે. ભાજપ આ વખતે BMC ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ ઈચ્છે છે કે ગઠબંધનમાં કોઈ તિરાડ ન દેખાય.

એકનાથ શિંદે માટે અસ્તિત્વની લડાઈ

મુખ્યમંત્રી એકનાથ શિંદે આ ચૂંટણીને શિવસેનાના શક્તિ પ્રદર્શન તરીકે જોઈ રહ્યા છે. તાજેતરની અન્ય પાલિકા ચૂંટણીઓમાં શિંદે જૂથે ઉદ્ધવ સેના કરતા વધુ બેઠકો મેળવી છે, જેથી તેઓ BMC માં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. બીજી તરફ, ભાજપ મુંબઈમાં ‘મોટા ભાઈ’ ની ભૂમિકામાં રહીને વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.

વિપક્ષી છાવણીમાં વિખવાદનો ફાયદો?

મહાયુતિ માટે જમા પાસું એ છે કે જ્યારે તેમની ૧૫૦ બેઠકો પર વાત બની ગઈ છે, ત્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધન (MVA) માં ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવારની NCP વચ્ચે હજુ સુધી કોઈ સહમતી બની શકી નથી. અજિત પવારે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગઠબંધન સાથે છે અને જે બેઠકો મળશે તેના પર લડશે. હવે નજર એ વાત પર છે કે બાકીની ૪૦ બેઠકો પર શિંદે અને ફડણવીસ ક્યારે નિર્ણય લે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More